HomeNationalઓપરેશન સિંદૂરનો શૌર્યગાથા હવે શાળાના અભ્યાસક્રમમાં થશે સામેલ

ઓપરેશન સિંદૂરનો શૌર્યગાથા હવે શાળાના અભ્યાસક્રમમાં થશે સામેલ

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

ઉત્તરાખંડ મદરેસા બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂરનો સમાવેશ કરવાના નિર્ણય બાદ હવે મધ્યપ્રદેશમાંથી પણ શાળાઓના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂરનો સમાવેશ કરવાની માંગ ઉઠવા લાગી છે. મધ્યપ્રદેશમાં એવી માંગ છે કે ‘ઓપરેશન સિંદૂર’ને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે. આ માટે શાસક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પરસ્પર સંમતિ સધાઈ ગઈ છે. નવા અભ્યાસક્રમમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એક આખો પ્રકરણ ઉમેરવામાં આવશે, જેમાં ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી વાર્તા હશે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, દુનિયાએ ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ ની સફળતા જોઈ છે. જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં, ભારતે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલના ઘણા કેમ્પોનો નાશ કર્યો હતો. હવે મધ્યપ્રદેશમાં આ અંગે માંગ ઉઠી છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદોએ સ્કૂલના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂરનો સમાવેશ કરવાની માંગ કરી હતી, તો કોંગ્રેસે પણ તેને ટેકો આપ્યો હતો. ઉત્તરાખંડ મદરેસા શિક્ષણ પરિષદના પ્રમુખ મુફ્તી શમૂન કાઝમીએ પણ બુધવારે જાહેરાત કરી હતી કે ‘ઓપરેશન સિંદૂર’ને મદરેસાના અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે.

ધારાસભ્ય રામેશ્વર શર્માએ શુક્રવારે કહ્યું, “આપણી ભાવિ પેઢીઓને આ વિશે જાણવું જોઈએ. તેથી, મધ્યપ્રદેશમાં શાળાના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂરનો સમાવેશ કરવો જરૂરી બનશે.”કોંગ્રેસના ધારાસભ્ય આરિફ મસૂદે કહ્યું કે પહેલગામ હત્યાકાંડનો બદલો લેવા માટે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરવામાં આવ્યું ત્યારે આખો દેશ એક થયો હતો. તેમણે કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આવી એકતા જોવા મળી હતી, તેથી આ ચોક્કસપણે એક ઐતિહાસિક ક્ષણ છે. આરીફ મસૂદે કહ્યું, “જો સરકાર ‘ઓપરેશન સિંદૂર’ને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરે તો મને ખુશી થશે. પરંતુ જે રીતે ભાજપે કર્નલ સોફિયા કુરેશી પર મૌન સેવ્યું, તેને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવું જોઈએ.”

Subscribe

Latest stories

spot_img