- શાસ્ત્રો અનુસાર ખુલ્લા વાળ ના રાખવા જોઈએ. મહિલાઓ ખુલ્લા વાળ રાખે તો તેમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ખુલ્લા વાળ રાખવાથી જીવનમાં અનેક સમસ્યા આવી શકે છે.
આજના સમયમાં લોકો ખુલ્લા વાળ રાખવા વધુ ગમે છે અને તેની ફેશન પણ છે. લગભગ મોટાભાગની મહિલાઓ અને યુવતીઓ ખુલ્લા વાળ રાખવાનું પસંદ કરે છે. શાસ્ત્રો અનુસાર ખુલ્લા વાળ ના રાખવા જોઈએ. મહિલાઓ ખુલ્લા વાળ રાખે તો તેમણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ખુલ્લા વાળ રાખવાથી જીવનમાં અનેક સમસ્યા આવી શકે છે.
ખુલ્લા વાળ રાખવાના ગંભીર પરિણામ :
- નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે :
ખુલ્લા વાળ રાખવા તે અશુભ માનવામાં આવે છે. વાળ ખુલ્લા રાખીને તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવે છે, જેથી નકારાત્મક શક્તિનો પ્રભાવ વધી જાય છે. વાળ ખુલ્લા રાખવાથી મહિલાઓ ઝડપથી તંત્ર ક્રિયાથી વધુ પ્રભાવિત થાય છે.
- સંબંધ પર જોખમ ઊભું થાય છે :
મહિલાઓ ખુલ્લા વાળ રાખે તો સંબંધ પર જોખમ ઊભુ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર રામ-સીતા વિવાહ સમયે સીતા માતાના માતૃશ્રીએ તેમને વાળ ખુલ્લા ના રાખવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, વાળ વિખાય તો સંબંધ પણ વિખાઈ જાય છે. આ કારણોસર વાળ બાંધીને જ રાખવા જોઈએ.
- વિખાયેલા વાળને અમંગળ માનવામાં આવે છે :
પૌરાણિક માન્યતા અનુસાર રાજા દશરથના પત્ની કૈકઈ ક્રોધિત હતા તે સમયે તેમના વાળ ખુલ્લા હતા. જેના પરિણામે અમંગળ ઘટનાઓ ઘટિત થઈ હતી. મહાભારત સમયે દ્રૌપદીનું સભામાં અપમાન થયું તે સમયે તેમના વાળ ખુલ્લા હતા. જે ઘૃતરાષ્ટ્ર વંશના નાશનું કારણ બની. આ કારણોસર ખુલ્લા વાળને અમંગળકારી માનવામાં આવે છે.
- વાળ ખુલ્લા રાખીને પણ ના સૂવું જોઈએ :
રાત્રે વાળ ખુલ્લા રાખીને સૂવું તે પણ અશુભ માનવામાં આવે છે. જે પરિવારના સંકટ અને દુખનું કારણ બની શકે છે. આ કારણોસર વાળ ખુલ્લા રાખીને ના સૂવું જોઈએ. પતિ સાથે હોય તો મહિલાઓ વાળ ખુલ્લા રાખી શકે છે. મહિલાઓ શોક સમયે વાળ ખુલ્લા રાખે છે. આ કારણોસર વાળ ખુલ્લા રાખવા તે અશુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો :-