Saturday, Sep 13, 2025

ઈડીની ટીમે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા

2 Min Read

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ગુરુવારે સાંજે દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારે હવે ઈડીની ટીમ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને પીએમએલએ કોર્ટમાં પહોંચી છે જ્યાં થોડીવારમાં સુનાવણી કરાશે.

કેજરીવાલની ૨૧ માર્ચે સીએમ હાઉસ માઠી ધરપકડ કરવામાં આવી હતી. તેમની રાત ઇડી લોકઅપમાં વિતાવી હતી. આ દરમિયાન દિલ્લીના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ દિલ્લીના સીએમ જ રહશે. જેલ માઠી સરકાર ચલાવશે. આ સિવાય સુપ્રીમ કોર્ટમાં પણ કેજરીવાલ ધરપકડ વિરુદ્ધ સંજીવ ખન્ના, જાસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જાસ્ટિસ એમએમ સુંદરેશનિ બેન્ચ બનાવવામાં આવી. જોકે, થોડીવાર પછી જ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી આરજી પાછી ખેચી લીધી.

કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિઘવીએ કોર્ટને કહ્યું કેજરીવાલના વકીલ જાસ્ટિસસંજીબ ખન્ના જણાવ્યુ કે ટ્રાયલ કોર્ટમાં રિમાન્ડની કાર્યવાહી સુપ્રીમ કોર્ટની સુનાવણી સાથે અથડાઇ રહી છે એટલે તેમણે અરજી પાછી ખેચવાની મંજૂરી આપવામાં આવે. ટ્રાયલ કોર્ટમાં અમે પહલે રિમાન્ડ પ્રોસીડિંગ પર લાડીશું અને પછી એક અન્ય અરજી સાથે સુપ્રીમ કોર્ટ આવીશું.

આ પણ વાંચો :-

Share This Article