HomeSurat Cityસુરતની નર્મદ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને આપશે વીમા કવચ

સુરતની નર્મદ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને આપશે વીમા કવચ

Date:

Related stories

ખાંડના ભાવમાં અચાનક ઉછાળો કેમ? જાણો ભાવ વધવા પાછળના 5 મોટા કારણો

તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ દેશમાં ખાંડના ભાવમાં...

Video: ઉસૈન બોલ્ટનો રેકોર્ડ તૂટ્યો! માણસ કરતાં પણ ઝડપી દોડ્યો આ રોબોટ

ટેક્નોલોજી વિકસાવવાની દોડમાં ચીનનો નવો પાસો લાવી શકે છે...

આધુનિક ‘દ્વીચાલી’, પતિ અને પ્રેમી સાથે ઘર માંડવાની મહિલાની જીદ

ઉત્તર પ્રદેશના સીતાપુરથી સંબંધોને લઈને એક એવો કિસ્સો સામે...

ગુજરાતી ભાષા ક્યાંથી આવી અને કેવી રીતે બની આટલી સમૃદ્ધ? જાણો રસપ્રદ ઈતિહાસ

ગુજરાતી માત્ર વાતચીતની ભાષા નથી, પરંતુ સદીઓના ઇતિહાસ, સંસ્કૃતિ,...

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કેમ્પસમાં અભ્યાસ કરતા 7100 વિદ્યાર્થીઓનો જીવન વીમો લેવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો કે તમામ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે LIC કંપનીનો વીમો લેવામાં આવશે.

આ વીમા યોજના વિદ્યાર્થીઓને આર્થિક સુરક્ષા અને આપત્તિ સમયે સહાય આપવા માટે અમલમાં મૂકવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી અકસ્માત અથવા આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરે, તો આ વીમા હેઠળ તેમને આર્થિક સહાય મળી રહેશે. આ પગલાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પર પડતો આર્થિક બોજ ઘટાડવા મદદ મળશે.

યુનિવર્સિટી પ્રશાસનનું માનવું છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓને સુરક્ષા આપી તેમના શૈક્ષણિક જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરશે. હવે આ નિર્ણયને બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાંથી અંતિમ મંજુરી મળ્યા બાદ તે અમલમાં મૂકવામાં આવશે.

Subscribe

Latest stories