- ફેસલેસ’ એક એવી સિસ્ટમ છે કે બંને પક્ષને એકબીજાની ઓળખ થતી નથી, માત્ર ઈ-મેઈલથી જ સુનાવણી થતી હોવાથી ભ્રષ્ટાચાર આચરવાના રસ્તા બંધ થઈ ગયા હતા
- પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓએ ‘અકબંધ’ સિસ્ટમને તોડીને ભ્રષ્ટાચારનો નવો રસ્તો શોધવામાં સફળ રહ્યા હતા
- કોઈ ડી.કે. અગ્રવાલ નામની વ્યક્તિએ મિતેશ મોદીને ફોન કર્યો અને સામે ચાલીને તપાસને આમંત્રણ આપ્યું; મોબાઈલ નંબરના આધારે સીબીઆઈ વચેટિયા સુધી પહોંચી હતી, હકીકતમાં સની નામના સિક્યોરિટી ગાર્ડ કમ ડ્રાઈવરના નામના મોબાઈલથી ફોન કરવામાં આવતા હતા
ઇન્કમટેક્સ, જીએસટી, ઇડી, સીબીઆઇ આ બધી એજન્સીઓ એવી છે કે જેનું નામ સાંભળતા જ ધંધાદારી માણસને પરસેવો છૂટી જાય. કારણ વગરની નોટીસ કે સમન્સ કાઢીને કેસની ચર્ચા કરવા રૂબરૂ હાજર રહેવા તાકીદ કરવી, વારંવાર તારીખો આપવી અને જાતજાતના ડોક્યુમેન્ટ્સ માંગવા. આ પ્રથા વર્ષોથી ચાલી આવતી હતી. આ બધી પ્રક્રિયામાં આચરવામાં આવતા કહેવાતા ભ્રષ્ટાચારના આંકડા સાંભળીને પણ ચક્કર આવી જાય. વળી પતાવટ કરવા માટે પણ એક આખી ટીમ હાજરાહજૂર જ હોય એ કહેવાની જરૂર નથી. વેપારીએ ક્યાંક ભૂલ કરી હોય કે નિયમનો ભંગ કર્યો હોય એટલે મગરમચ્છની ચુંગાલમાં આવી જવાનો જ, પરંતુ સાથે આ ચુંગાલમાંથી છોડાવનારાઓ પણ મળી જ રહેવાના. કહેવાની જરૂર નથી કે દલાલોને પ્રસાદી ધરવાથી ઘણા કામોનો સુખદ નિકાલ પણ થઈ જતો હશે.

આવી અનેક સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે કેન્દ્રની મોદી સરકારે એક મહત્ત્વનો નિર્ણય કરી ‘‘ફેસલેસ’’ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. વળી કેસ ક્યાં ચાલે છે? સામે કોણ અધિકારી છે? તેની કોઇને પણ જાણ થતી નથી. મતલબ કે ગુજરાતનો કેસ આસામમાં પણ ચાલતો અને બંગાળનો કેસ દેશના કોઈ રાજ્ય કે શહેરમાં ચાલતો હોય. સુનાવણી કરનાર ઇન્કમટેક્સ અધિકારી માત્ર ઓનલાઇન એટલે કે ઇ-મેઇલથી જ સવાલ કરતો હોય અને આ તરફ અરજદારપક્ષે પણ ઇ-મેઇલથી જ જવાબ આપવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી છે અને હાલમાં પણ આ પદ્ધતિ અમલમાં છે, પરંતુ કેટલાક માફિયાતત્ત્વોએ આખી સિસ્ટમને ફોડી નાંખીને ડાયરેક્ટ અરજદાર એટલે કે વેપારીનો સંપર્ક કરીને પતાવટ કરી આપવાની ઓફરો કરવામાં આવતી હતી અને ઘણા કેસમા ‘‘પતાવટ’’ પણ થઈ ગઈ હશે. પરંતુ સુરતના જાણીતા સી.એ. મિતીશ મોદીનો તેમના અસીલના કેસમાં સંપર્ક કરીને વચેટિયાએ પગમાં કુહાડો મારવા જેવો ઘાટ કર્યો હતો.
સી.એ. મિતીશ મોદી સ્વભાવે સ્પષ્ટવકતા અને અસીલના કેસમાં ક્યારેય પણ પતાવટ કરવામાં માનતા નહીં હોવાથી પહેલા તો તેમણે આવી કોઈ વાત સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. પરંતુ તેમણે ઇન્કાર કર્યાની ગણતરીની મિનિટોમાં ઇ-મેઇલથી નોિટસ ફટકારવામાં આવી હતી!! મતલબ મિતીશ મોદી જે અસીલનો કેસ હેન્ડલ કરી રહ્યા હતા તેની વિગતો ડિપાર્ટમેન્ટમાંથી જ ‘લીક’ કરવામાં આવી રહી હતી અને પોતે ‘સેટલમેન્ટ’ કરવાનો ઇન્કાર કરતા સીધી ‘શો-કોઝ’ નોિટસ ફટકારવામાં આવી હતી.
‘શો-કોઝ’ નોિટસ બાદ કંઇક ખોટું થઈ રહ્યું હોવાની શંકા સાથે નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સ્કીમના ઉચ્ચ અધિકારીને જાણ કરતા તપાસનો દોર શરૂ થયો હતો અને દોઢથી બે વર્ષ ચાલેલી લાંબી તપાસના અંતે ઇન્કમટેક્સ વિભાગના ડેપ્યુટી કમિશ્નર કક્ષાના એક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.સી.બી.આઇ.ની ગત તા.૨૫ એપ્રિલ ૨૦૨૫ની પ્રેસરિલિઝમાં સમગ્ર કાંડની વિગતો જાહેર કરવામાં આવી હતી. સી.બી.આઇ.એ અગાઉ તા.૬.૦૨.૨૦૨૫ના રોજ દિલ્હી, મુંબઇ, થાણે, બિહાર, બેંગલુરુ, કોટ્ટાયમ (કેરળ) સહિત લગભગ ૧૮ સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડામાં અયોગ્ય ચુકવણી સહિતના ડિજિટલ પુરાવા મળી આવ્યા હતા.પ્રાથમિક તપાસના અંતે ઇન્કમટેક્સના એક ડેપ્યુટી કમિશ્નર, બે નિરીક્ષકો પાંચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એક ખાનગી વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પૈકી ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.
સુરતના સી.એ. મિતીશ મોદી અને અક્ષય મોદીએ ફરિયાદ કર્યા પહેલા વચેટિયા મારફતે ઘણા લોકો સાથે પતાવટ થઈ પણ ગઇ હશે. પરંતુ તેમણે ફેસલેસ એસેસમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરીને ‘ફેસલેસ’ની પાછળ રહીને કામ કરતા દલાલોને ‘બેનકાબ’ કરીને સેંકડો લોકોને વચેટિયાઓના દૂષણથી રાહત અપાવવાનુ કામ કર્યું હતું.
લગભગ દોઢ વર્ષ સુધી આ ગંભીર બાબતોની રજૂઆતને ધ્યાને લઈ ઇન્કમ ટેક્ષ ખાતાનાં ઇન્વેસ્ટિગેશન િવંગના ઉચ્ચ અધિકારી ડાયરેકટર જનરલ ઓફ ઇન્કમ ટેક્ષ (ઇન્વેસ્ટિગેશન), ન્યુ દિલ્હી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇન્વેિસ્ટગેશન કરવા હેતુસર ડી.કે. અગ્રવાલ નામક વ્યક્તિના મોબાઇલ નંબરના કોલ ડેટા રેકોડ્ર્સ તપાસવામાં આવ્યા હતા, જે દરમ્યાન ડી.કે.અગ્રવાલે જે નંબરથી ફોન કર્યો હતો તે નંબર દિલ્હીના કોઇ સની નામની વ્યક્તિનો માલૂમ પડ્યો હતો. ઇન્કમ ટેક્ષ ખાતાની ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સની નામક વ્યક્તિને સમન્સ પાઠવી તેનું નિવેદન લેતાં બહાર આવ્યું કે આ સની દિનેશકુમાર અગ્રવાલના સિક્યુરીટી ગાર્ડ અને ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને દિનેશકુમાર અગ્રવાલે તેના નામ પર પાંચ જુદા જુદા સીમકાર્ડ્સ લીધા હતા અને તે તમામ સીમકાર્ડ્સ દ્વારા ઇન્કમ ટેક્ષ કાયદા હેઠળ ચાલતા આકારણીના કેસોની જેની માહિતી મેળવી હોય તેવા કરદાતાઓને, તેઓના નંબરો પર સંપર્ક કરી આ કેસોનું ‘સેટલમેન્ટ કે પતાવટ’ કરવાનો ધંધો કરતો હતો.
દિનેશકુમાર અગ્રવાલ લાયઝિનંગનું કામ કરનાર વ્યક્તિ હતો, હિંદુ મહા સંઘનો વાઇસ પ્રેસિડેન્ટ હતો, દિલ્હી હિંદુ યુવા વાિહનીનો રાજ્ય કક્ષાનો પ્રેસિડેન્ટ હતો અને ૨૦૨૪માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાનું ઇલેક્શન પણ લડી ચૂક્યો છે. સનીની જુબાનીને આધારે આ તમામ માહિતી સામગ્રી, સાહિત્ય અને પુરાવાઓ એકત્ર કરી ઇન્કમ ટેક્ષ ખાતાની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ડી.કે.અગ્રવાલને ત્યાં રેડ કરતાં સમગ્ર િસિન્ડકેટ અને મોડસ ઓપરેન્ડીમાં વિજયેન્દ્ર આર., ઇન્કમ ટેક્ષ ડે.કમિશ્નર, ન્યુ દિલ્હી, દિલ્હીના સીએ િગરીશ માલિક અને સુરેશ તયાલ અને સાથે સાથે મુંબઇના બે સીએ નામે ભાવેશ રાખોલિયા અને શિવરતન શીન્ગોડીયા, કોટાયમના સીએ પ્રતિક લેલીન, ઇન્સ્પેક્ટર દિનેશકુમાર વર્મા અને વિનાયક શર્મા અને અન્ય એક વ્યક્તિ પૂરી સીિન્ડકેટમાં હોવાનું જણાયું હતું.
ઇન્કમ ટેક્ષના ડે.કમિશ્નર, વિજ્યેન્દ્ર આર. ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને સિિન્ડકેટના બાકીના સભ્યો સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇન્કમ ટેક્ષ ખાતાની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સમગ્ર કેસની માહિતી સી.બી.આઇ., ન્યુ દિલ્હી ને ૦૭-૧૧-૨૦૨૪ના રોજ મોકલી આપવામાં આવતાં સી.બી.આઇ. એ તા.૦૪-૦૨-૨૦૨૫ના રોજ ભારતીય ન્યાય સહિતાનાં કાયદા હેઠળ એફ.આઇ.આર. નોંધી હતી. FIR No. RC21920250001 છે. સી.બી.આઇ.એ એફ.આઇ.આર. દાખલ કર્યા પછી કુલ ૧૧ જગ્યાએ જેમાં ખાસ કરીને દિલ્હી, મુંબઇ, થાણે, વેસ્ટ ચંપારણ (બિહાર), બેન્ગુલુરુ, કોટાયમ, વગેરે સ્થળોએ રેડ કરી ગંભીર પ્રકારના દસ્તાવેજી પુરાવાઓ અને સાહિત્ય એકત્ર કર્યા હતા.
અધિકારીઓ અને િસિન્ડકેટમાં સામેલ સીએ સહિતની વ્યક્તિઓને જો ખુલ્લું મેદાન આપવામાં આવે તો સરકારની ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ અને ત્યારબાદ જાહેર કરેલ ફેસલેસ અપીલ સ્કીમ પણ સંપૂર્ણપણે નિષ્ફળ જાય અને સામાન્ય કરદાતા આવા ષડ્યંત્રનો ભોગ બને. વળી સિન્ડિકેટની વાત ના માને તો કરોડો રૂપિયાની આકારણી થાય, કડક િરકવરી પ્રોસિડિંગ્સનો સામનો કરવો પડે અને કોર્ટો સમક્ષ અપીલના ચક્કરોમાં ઢસડાઈ જાય.સુરતના સી.એ. મિતીશ એસ. મોદી દ્વારા થયેલી ગંભીર રજૂઆતોને પગલે સમગ્ર દેશમાં કદાચ સૌપ્રથમવાર આવી સિિન્ડકેટ ઝડપાઇ હતી. અને ફેસલેસ એસેસમેન્ટ સ્કીમને નિષ્ફળ બનાવવાનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારી ત્રાગો ખુલ્લો પડ્યો છે. અન્ય નામો પણ બહાર આવવાની શક્યતા છે.