HomeNationalબિહાર સરકારને ‘સુપ્રીમ’ આંચકો, 65% ટકા અનામત રદ કરવાનો હાઇકોર્ટનો આદેશ યથાવત

બિહાર સરકારને ‘સુપ્રીમ’ આંચકો, 65% ટકા અનામત રદ કરવાનો હાઇકોર્ટનો આદેશ યથાવત

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

બિહારમાં 65% અનામત મામલે નીતીશ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. અગાઉ, 20 જૂને પટના હાઈકોર્ટે 65% જાતિ આધારિત અનામત આપવાના બિહાર સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કરી દીધો હતો. નીતિશ સરકારે પટના હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ હાલમાં તેને કોઈ રાહત મળી નથી. જો કે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની અપીલને સુનાવણી માટે સ્વીકારી લીધી હતી. કોર્ટે વકીલ મનીષ કુમારને નોડલ વકીલ તરીકે નિયુક્ત કર્યા છે. કોર્ટ હવે આ મામલે સપ્ટેમ્બરમાં સુનાવણી કરશે.

The government should take strict action in this matter, or be prepared for humiliation; Action should be taken irrespective of religion | હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટ આકરી થઈ: કહ્યું- 'આ 21મી

બિહાર સરકારે પછાત વર્ગ, SC અને ST સમુદાયના લોકો માટે રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. બિહાર સરકારે 9 નવેમ્બર, 2023 ના રોજ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવા માટે કાયદો પસાર કર્યો હતો. બિહાર સરકારે ગયા વર્ષે જાતિ ગણતરી હાથ ધરી હતી અને તેના આધારે તેણે OBC, અતિ પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓનું અનામત વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.જેને પટના હાઈકોર્ટે રદ કર્યો હતો.

બિહાર સરકારે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો અને કહ્યું હતું કે જો વચગાળાની રાહત આપવામાં નહીં આવે તો રાજ્યમાં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે. જેમાંથી કેટલીક અંતિમ તબક્કામાં છે. આ પસંદગી પ્રક્રિયાને અસર કરશે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે પછાત વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ હોવાનું હાઈકોર્ટનું તારણ જાતિ સર્વેક્ષણના આંકડા પર આધારિત છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img