સુનીતા કેજરીવાલ આજે ગુજરાતમાં પ્રચાર કરશે, આ બે શહેરોમાં સંબોધશે જનસભા

Share this story

લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ આજે ગુજરાતમાં પ્રચાર કરશે. તેઓ ત્યાં ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે. તે રોડ શોમાં પણ ભાગ લેશે. આ પહેલા તેણે ઈન્ડિયા એલાયન્સની બે રેલીઓ માટે પણ પ્રચાર કર્યો હતો અને સભાને સંબોધિત કરી હતી. તેણે પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં અને પછી ઝારખંડના રાંચીમાં સ્ટેજ શેર કર્યું.

સુનીતા કેજરીવાલ પહેલીવાર દિલ્હીની બહાર રેલીમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી સુનીતા કેજરીવાલ લોકોને મળી રહી છે અને કેન્દ્રમાં ભાજપનું શાસન વિરુદ્ધ પ્રચાર કરી રહી છે. શનિવારે (૨૭ એપ્રિલ) તેણે પૂર્વ દિલ્હીમાં એક મેગા રોડ કર્યો, ત્યાર બાદ આજે સુનીતા કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.

તમને જણાવી દઈએ કે, EDએ ૨૧ માર્ચે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં છે. તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી આને મુદ્દો બનાવી રહી છે. પાર્ટીએ ‘વોટ દ્વારા જેલનો જવાબ’ અભિયાન પણ શરૂ કર્યું છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં સુનીતા કેજરીવાલ ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો :-