HomeSurat Cityસુરતના કતારગામમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાનો આપઘાત

સુરતના કતારગામમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાનો આપઘાત

Date:

Related stories

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

સુરતના કતારગામમાં ટ્યૂશન ભણાવતી 19 વર્ષની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શિક્ષિકાને કોઈ વિકૃત યુવક હેરાન કરીને બ્લેકમેલ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આપઘાતને લઈને સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત વિજ. માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરી છે.

વિકૃત યુવક હેરાન કરી બ્લેકમેલ કરતો હોવાનો આરોપ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કતારગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી 19 વર્ષીય નેના વાવડીયા નામની શિક્ષિકાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિકૃત યુવાને પરેશાન કરતાં કતારગામની ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે. 19 વર્ષય નેના વાવડીયા નામની શિક્ષિકાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. કોઈ વિકૃત યુવક શિક્ષિકાને સતત હેરાન કરીને ત્રાસ આપતો હતો. આ ઉપરાંત શિક્ષિકાને બ્લેકમેલ પણ કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સિંગણપોર પોલીસે પણ તપાસ શરૂ કરી
સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ આપઘાતના બનાવને લઈને મુખ્યમંત્રીને યોગ્ય કાર્યવાહી કરવા એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ શિક્ષિકાને અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યાં છે. બીજી બાજુ સિંગણપોર પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

Subscribe

Latest stories