HomeHealth & Fitnessવાસ્તવિક દર્દીની સફળ સારવાર – દૂધની ગંભીર એલર્જીમાંથી સંપૂર્ણ રાહત! 🌟

વાસ્તવિક દર્દીની સફળ સારવાર – દૂધની ગંભીર એલર્જીમાંથી સંપૂર્ણ રાહત! 🌟

Date:

Related stories

આજે જન્માષ્ટમી પર અષ્ટમી-રોહિણીનો સંયોગ, જાણો કાન્હાના જન્મનું શુભ મુહૂર્ત

શ્રીકૃષ્ણના જન્મોત્સવની રાહ જોઈ રહેલા ભક્તો માટે આ મુહૂર્ત...

284 વખત ચૂંટણી લડી એક પણ નહીં જીતનારા ધરતીપકડ મૃત્યુ સામે પણ હારી ગયા

ચૂંટણી જીતવા માટે નહીં, પરંતુ લોકશાહીમાં સામાન્ય માણસની ભાગીદારીનો...

આપદા વચ્ચે તિબેટમાં વધુ એક આંચકો! 14 કિમી ઊંડે આવ્યો 5.0ની તીવ્રતાનો ભૂકંપ

તિબેટમાં વિનાશક પૂર અને હિમનદી દુર્ઘટનાની અસર હજુ ઓછી...

શ્રીલંકાને બદલે હવે ક્યાં રમાશે ICC Women’s Champions Trophy 2027?

મહિલા ક્રિકેટના ચાહકો માટે ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા...
spot_img

૮ વર્ષની એક બાળકી છેલ્લા ઘણા વર્ષોથી દૂધની અત્યંત ગંભીર એલર્જીથી પીડાતી હતી.

તેની સ્થિતિ એટલી ગંભીર હતી કે દૂધની માત્ર સુગંધ આવતાં જ તેને:
🔹 સતત છીંક આવવી
🔹 નાકમાંથી પાણી વહેવું
🔹 આખા શરીરે ખંજવાળ
🔹 ચામડી પર શીળસ
🔹 સતત ઉધરસ
🔹 શ્વાસ લેવામાં તકલીફ

જેવી ગંભીર એલર્જીની તકલીફ શરૂ થઈ જતી.

છેલ્લા 2–3 વર્ષમાં 4–5 વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને બાળકીને સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું.

ત્યારબાદ તેઓ ડૉ. તરેશ પટેલ (એલર્જી અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ) પાસે આવ્યા.

તપાસ દરમિયાન Skin Prick Test કરવામાં આવ્યો, જેમાં દૂધની ગંભીર એલર્જી હોવાની પુષ્ટિ થઈ.

યોગ્ય માર્ગદર્શન અને વિગતવાર કાઉન્સેલિંગ બાદ Milk Oral Immunotherapy (OIT) શરૂ કરવામાં આવી.

આ સારવારમાં ખૂબ જ નાની માત્રાથી શરૂઆત કરીને, તબીબી દેખરેખ હેઠળ ધીમે ધીમે દૂધની માત્રા વધારવામાં આવે છે, જેથી શરીરમાં દૂધ પ્રત્યે સહનશક્તિ (Tolerance) વિકસે.

✅ લગભગ 3 વર્ષ સુધી નિયમિત Oral Immunotherapy અને યોગ્ય ફોલો-અપ બાદ આજે આ બાળકી દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓ કોઈપણ એલર્જી વિના ખાઈ શકે છે.

આ કેસ આપણને એક મહત્વનો સંદેશ આપે છે:

✅ Oral Immunotherapy અસરકારક સારવાર છે, પરંતુ તે ધીમે ધીમે કામ કરે છે.
✅ સારવાર દરમિયાન ધીરજ, નિયમિતતા અને ડૉક્ટરની સૂચનાઓનું પાલન અત્યંત જરૂરી છે.
✅ યોગ્ય દર્દીઓમાં નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવામાં આવેલી સારવારથી જીવનમાં મોટો બદલાવ આવી શકે છે.

દરેક દૂધની એલર્જી ધરાવતા દર્દી માટે Oral Immunotherapy યોગ્ય હોય જ એવું જરૂરી નથી. યોગ્ય દર્દીની પસંદગી અને સારવારનો નિર્ણય એલર્જી નિષ્ણાત દ્વારા સંપૂર્ણ મૂલ્યાંકન બાદ જ લેવો જોઈએ.

ડૉ. તરેશ પટેલ
એલર્જી અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ
ચેસ્ટ કેર હોસ્પિટલ, પાલ-અડાજણ, સુરત
📞 મો.: 9428860138

Subscribe

Latest stories

spot_img