સૌથી નાના શ્રી રામચરિતમાનસને કોતરવાનો રેકોર્ડ બનાવ્યો

Share this story

હાપુડના એગ્રીકલ્ચરલ ઇન્ટર કોલેજના પ્રોફેસર અને કલાકાર અજયકુમાર મિત્તલે ઈતિહાસ રચ્યો છે. તેમણે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. પ્રોફેસર અજયકુમાર મિત્તલે સાદા કાચના અરીસાની એક લંબચોરસ ઓક્સાઈડ કોટેડ સપાટી પર સૌથી નાના શ્રી રામચરિતમાનસને કોતરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ કલામાં મે બાલકાંડથી લઈને અંતિમ કાંડ સુધીના ઉતર કાંડની તમામ રચનાને ૩૦૦ પંક્તિમાં દર્શાવી છે. તો હવે જ્યારે ભગવાન રામ અયોધ્યામાં પોતાના ઘરે પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેના માટે આપના પૂર્વજો-ક્રાંતિકારીઓ બલિદાન આપ્યું તેમનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. મારું કામ અયોધ્યામાં રામ મંદિરને સમર્પિત છે. મને મારા કામ પર ખૂબ ગર્વ છે.

સંપૂર્ણ મહાકાવ્ય કાચની સપાટી પર ૩૦૦ પંક્તિઓમાં કોતરવામાં આવ્યું છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે તેમને આ માટે માન્યતા આપી હતી. એક તરફ સમગ્ર દેશમાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ કોઈને કોઈ કારણસર લોકો રામ મંદિરને લઈને ચર્ચાનો હિસ્સો બની રહ્યા છે.

આ પણ વાંચો :-