Tuesday, Mar 17, 2026

સ્પાઇસજેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 150 મુસાફરો સવાર હતા

1 Min Read

એન્જિનમાં ખામી સર્જાયાની જાણ થતાં સ્પાઇસજેટની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. વિમાનમાં કુલ 150 મુસાફરો સવાર હતા.

એન્જિનમાં ખામી સર્જાયાની જાણ થતાં સ્પાઇસજેટની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. વિમાનમાં કુલ 150 મુસાફરો સવાર હતા. અહેવાલો અનુસાર, સલામતીને ધ્યાનમાં રાખીને પાઇલટે તાત્કાલિક દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટેકઓફ પછી તરત જ મોટી કટોકટી!
લેહ જતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG121, મંગળવારે સવારે (24 ફેબ્રુઆરી, 2026) એન્જિન ફેઇલ થયા બાદ દિલ્હી પરત ફરવી પડી હતી. ટેકઓફ થયાના થોડા સમય પછી, પાયલોટે સાવચેતી રૂપે વિમાનને પાછું ફેરવવાનો નિર્ણય લીધો.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. લગભગ 150 મુસાફરો સવાર હોવાના અહેવાલ છે. જોકે, વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું, અને બધા મુસાફરો સુરક્ષિત છે.

Share This Article