HomeInternationalપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ ગંભીર આક્ષેપ, માનવતા વિરુદ્ધ ગુનાના આરોપ...

પૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ ગંભીર આક્ષેપ, માનવતા વિરુદ્ધ ગુનાના આરોપ ઘડાયા

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. તેમને એક પછી એક આંચકા આવી રહ્યા છે. હવે ભૂતપૂર્વ વડા પ્રધાન હસીનાને બીજા કેસમાં ટ્રાયલનો સામનો કરવો પડશે. માનવતા વિરુદ્ધ ગુનાના કેસમાં તેમની સામે આરોપો ઘડવામાં આવ્યા છે. આ સમાચાર બાંગ્લાદેશના સ્થાનિક મીડિયામાંથી આવી રહ્યા છે.

શેખ હસીના વિરુદ્ધ ઢાકાની એક કોર્ટમાં માનવતા વિરુદ્ધના ગુનાઓ સહિત 5 કેસોમાં ઔપચારિક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જુલાઈ-ઓગસ્ટ 2024 માં થયેલી હિંસા દરમિયાન લગભગ 1,400 નાગરિકોના મૃત્યુ માટે શેખ હસીનાને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ હિંસામાં મૃત્યુ પામેલા મોટાભાગના વિદ્યાર્થીઓ હતા.

હસીના સાથે વધુ બે આરોપીઓ
ટ્રિબ્યુનલે શેખ હસીના, ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન અને ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક અબ્દુલ્લા અલ મામુન પર કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે. ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનોને દબાવવા બદલ ત્રણેય પર માનવતા વિરુદ્ધ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, શેખ હસીના અને અસદુઝમાન ખાન સુનાવણી માટે ઉપલબ્ધ નથી. તે જ સમયે, અબ્દુલ્લા અલ મામુન જેલમાં છે અને તેમણે તેમની સામેના આરોપો સ્વીકારી લીધા છે. બાંગ્લાદેશમાં સરકારના પતન પછી શેખ હસીના ભારત આવ્યા હતા.

શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ
મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે મે મહિનામાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂક્યો હતો. યુનુસના કાર્યાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવામી લીગ અને તેના નેતાઓ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) માં ચાલી રહેલી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે, જેથી દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વનું રક્ષણ થઈ શકે. સરકારે એમ પણ કહ્યું હતું કે જુલાઈ 2024 માં યોજાયેલી ચળવળના નેતાઓ અને કાર્યકરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં કેસ ચલાવનારા ફરિયાદીઓ અને સાક્ષીઓની સુરક્ષા માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુનુસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં, ICT કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા, જેથી હવે કોઈપણ રાજકીય પક્ષ અને તેના સંગઠનો પર કેસ ચલાવી શકાય.

Subscribe

Latest stories