HomeNationalરશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું બ્લાસ્ટમાં મોત

રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું બ્લાસ્ટમાં મોત

Date:

Related stories

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

મેડિકલ સાયન્સ માટે પણ પડકાર! 4 હાથ-4 પગવાળા બાળકનો જન્મ, ડોક્ટરોએ શું કહ્યું?

સામાન્ય રીતે સંતાન જન્મે એટલે પરિવારમાં ખુશી છવાઈ જતી...

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સાથી લેફ્ટિનેન્ટ જનરલ ઇગોર કિરિલોવની હત્યા કરી દેવામાં આવી છે. રશિયન તપાસ સમિતિએ જણાવ્યું હતું કે મંગળવારે મોસ્કોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં છુપાયેલા બોમ્બથી તેમનું મોત નીપજ્યું હતું. આ બ્લાસ્ટ ક્રેમલિનની નજીક થયો હતો. રોયટર્સના રિપોર્ટ અનુસાર ઇગોર કિરિલોવ રશિયાના ન્યૂક્લિયર ચીફ હતા.

બ્રિટને ઓક્ટોબરમાં ઈગોર કિરિલોવ પર પ્રતિબંધો લાદ્યા હતા. બ્રિટને આરોપ લગાવ્યો હતો કે,ઈગોર કિરિલોવે યુક્રેનમાં રાસાયણિક હથિયારના ઉપયોગ પર નજર રાખી હતી અને ક્રેમલિન પ્રચાર કર્યો હતો. સોમવારે યુક્રેનની ગુપ્તચર એજન્સી SBUએ પણ તેના પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘ઈગોર પ્રતિબંધિત રાસાયણિક હથિયારોના મોટા પાયે ઉપયોગ માટે જવાબદાર હતા.’

રશિયન તપાસ સમિતિના અહેવાલમાં ઇગોર કિરિલોવની હત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે. જ્યાં આ કેસ સામે આવ્યો છે તે સ્થળ રિયાઝાન્સ્કી પ્રોસ્પેક્ટ તરીકે ઓળખાતો રસ્તો છે, જે ક્રેમલિનથી લગભગ 7 કિલોમીટર (4.35 માઇલ) દક્ષિણપૂર્વમાં શરૂ થાય છે. જણાવવામાં આવ્યું છે કે ઇગોર કિરિલોવની સાથે તેમના સહાયકનું પણ મોત થયું છે.

આ મામલાની તપાસ કરી રહેલી રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે આ બોમ્બને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરિલોવનું મોત થયું હતું. તેઓ રશિયાના પરમાણુ, જૈવિક અને રાસાયણિક સુરક્ષા દળોના વડાના પદ પર તૈનાત હતા. આ ઘટના એક બિલ્ડિંગની બહાર થઇ હતી.

તપાસ એજન્સી હવે આ કેસની તપાસ કરી રહી છે અને જુદા જુદા સ્થળોએથી સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ વિસ્ફોટ ખૂબ જ જોરદાર હોવાની માહિતી મળી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં જોરદાર અવાજ સંભળાયો હતો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories