HomeInternationalરશિયાએ યુક્રેનના હુમલાનો બદલો લીધો: એક સાથે છોડ્યા 400થી વધુ ડ્રોન

રશિયાએ યુક્રેનના હુમલાનો બદલો લીધો: એક સાથે છોડ્યા 400થી વધુ ડ્રોન

Date:

Related stories

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભીષણ બન્યું છે, ગત રવિવારે યુક્રેને એક સાથે 100થી વધુ ડ્રોન છોડીને રશિયાના 40 ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતાં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ બદલો લેવાની ચીમકી ઉચ્ચારી હતી. હવે રશિયાએ યુક્રેનના લગભગ તમામ મુખ્ય વિસ્તારો પર 400 થી વધુ ડ્રોન અને 40 થી વધુ બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

અહેવાલ મુજબ રશિયાએ યુક્રેનના વોલીન, લ્વિવ, ટેર્નોપિલ, કિવ, સુમી, પોલ્ટાવા, ખ્મેલનિત્સ્કી, ચેર્કાસી અને ચેર્નિહિવમાં હુમલો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ X પર એક નિવેદન જાહેર કર્યું છે. તમણે કહ્યું કે યુક્રેનિયન વાયુસેના અનેક મિસાઇલો અને ડ્રોનને તોડી પાડવામાં સફળ રહી છે, પરંતુ ત્રણ ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓના મોત થતા છે અને 49 લોકો ઘાયલ થયા છે. કાટમાળ સાફ કરવા અને બચાવ કામગીરી ચાલુ છે.

વોલોડીમીર ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે રશિયા તેની નીતિ બદલી રહ્યું નથી. તે સામાન્ય નાગરીકોને નિશાન બનાવી રહ્યું છે. આ યુદ્ધ હવે ફક્ત યુક્રેનનું યુદ્ધ નથી, તે માનવતાનું યુદ્ધ છે. રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદાર ઠરાવવું જોઈએ. અમેરિકા, યુરોપ અને સમગ્ર વિશ્વએ હવે રશિયા પર નિર્ણાયક દબાણ લાવવું પડશે. જો વૈશ્વિક નેતાઓ ચૂપ રહે છે, તો આ પણ એક પ્રકારની મિલીભગત છે. હવે નિર્ણાયક કાર્યવાહીનો સમય છે, યુદ્ધ ફક્ત સમર્થન જાહેર કરવા નહીં અટકે.

Subscribe

Latest stories