ઝીમ્બાબ્વે સામેની શ્રેણીમાં ઇજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરના સ્થાને રમશે RCBનો ધુરંધર ખેલાડી, BCCI ની જાહેરાત

Share this story

RCB batsman to replace injured

  • ઝીમ્બાબ્વે સામેની શ્રેણીમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત થઈ ગયો છે. તેના સ્થાને પહેલી વખત શાહબાઝ એહમદને સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમ ઝીમ્બાબ્વે (Zimbabwe) પ્રવાસે પહોંચી છે ત્યારે છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ જાળવવા જોર લગાવશે. છેલ્લા 25 વર્ષથી ઝીમ્બાબ્વેમાં ભારત શ્રેણી હાર્યું નથી.

ટીમ ઈન્ડિયા છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમશે. કે એલ રાહુલની (KL Rahul) કેપ્ટનશિપમાં ભારતીય ટીમની નજર ત્યાં સતત પાંચમી શ્રેણી જીત પર રહેશે. ભારતીય ટીમ પોતાની આગામી મેચો ઝિમ્બાબ્વે સામે રમશે. અને તે માટેની તૈયારીઓ થઇ ચુકી છે.

ત્યારે તારીખ 18મી ઓગસ્ટથી ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. ટીમ ઈન્ડિયા છ વર્ષ બાદ ઝિમ્બાબ્વેમાં દ્વિપક્ષિય વન ડે શ્રેણી રમશે. કે એલ રાહુલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમની નજર ત્યાં સતત પાંચમી શ્રેણી જીત પર રહેશે.

Hirakud Dam – વાદળો કે પાણી ? ડેમના 34 દરવાજા ખોલ્યા બાદ જોવા મળ્યા આ દ્રશ્યો…..

આ પ્રવાસ માટે અગાઉ રાહુલની પસંદગી કરવામાં આવી ન હતી. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ તેને ટીમમાં લેવામાં આવ્યો હતો અને શિખર ધવનની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અગાઉ ધવનને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

1997 બાદ ભારત એક પણ શ્રેણી હાર્યું નથી :

ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ત્યાં 1992માં પહેલી વખત એક મેચની સિરીઝ રમી હતી. તેણે મેચ જીતી લીધી હતી. પાંચ વર્ષ બાદ ભારતે ઝિમ્બાબ્વેમાં પહેલી વખત શ્રેણી ગુમાવી હતી.

યજમાન ટીમે બે મેચની શ્રેણી 1-0 થી જીતી લીધી હતી. 1997ની શ્રેણી બાદ ભારત ઝિમ્બાબ્વેમાં એક પણ શ્રેણી હાર્યું નથી. આ દરમિયાન તેણે યજમાન ટીમને ચાર વખત હરાવી છે.

આ પણ વાંચો :-