HomeGujaratરાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીને કોર્ટે ફટકારી આજીવન કેદ

રાજકોટ સોની બજારમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીને કોર્ટે ફટકારી આજીવન કેદ

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

ગુજરાત એટીએસે વર્ષ 2023માં રાજકોટના સોની બજારમાં કામ કરતા ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી અમન મલિક, અબ્દુલ શેખ, શફનવાઝ શાહીદને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ લોકોને 10,000 રૂ.નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

આ આતંકવાદીઓ રાજકોટમાં છ મહિના સોની માર્કેટમાં કામ કરી કર્યુ હતુ. તેમના પર અલ-કાયદાનો પ્રચાર ફેલાવવાનો અને અન્ય મુસ્લિમ કર્મચારીઓને કટ્ટરપંથી બનાવવાનો આરોપ હતો. ત્રણેય આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ મળી આવ્યા હતા.

સરકારી વકીલની રજૂઆતો (પુરાવા)
સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ આરોપીઓને સખત સજા આપવા માટે નીચે મુજબના પુરાવાઓ રજૂ કર્યા હતા:

મોબાઈલ અને વ્હોટ્સએપ ચેટ્સ: આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મળેલી વ્હોટ્સએપ ચેટિંગ સાબિત કરે છે કે તેઓ મુસ્લિમ સમાજના અમુક વર્ગને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા હતા.
હથિયારોનો કબજો: આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. આરોપીઓ આ અંગે કોઈ સંતોષકારક ખુલાસો કે ઇનકાર ન કરી શક્યા, જે દર્શાવે છે કે તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.
સાક્ષીઓની ઉલટતપાસ: બચાવ પક્ષે બે મુસ્લિમ શખસોને સાક્ષી તરીકે રજૂ કર્યા, જેમણે દાવો કર્યો કે આરોપીઓ ક્યારેય મસ્જિદમાંથી દેશવિરોધી પ્રચાર કરતા જોવા મળ્યા નથી. જોકે, સરકારી વકીલ વોરાએ તેમની ઉલટતપાસ કરીને સાબિત કર્યું કે આ સાક્ષીઓ દિવસ દરમિયાન માત્ર 15-20 મિનિટ માટે જ નમાજ પઢવા મસ્જિદમાં જતા હતા, તેથી તેમને બાકીના સમયમાં આરોપીઓની પ્રવૃત્તિઓ વિશે કોઈ જાણકારી ન હતી.
ઓછી સજા સામે ચેતવણી: સરકારી વકીલે દલીલ કરી કે આ ત્રણેય આરોપીના મગજમાં જેહાદી વિચારધારા ઠસાવવામાં આવી છે. જો તેમને ઓછી સજા આપવામાં આવે, તો જેલમાંથી બહાર આવ્યા પછી આતંકવાદી સંગઠનો તેમનો ઉપયોગ વધુ ગંભીર ગુનાઓ માટે કરી શકે છે. વળી, મૂળ બંગાળના હોવા છતાં તેઓ રાજકોટમાં કાશ્મીરની પરિસ્થિતિ વિશે સરકાર-વિરોધી ખોટો પ્રચાર કરતા હતા.
બચાવ પક્ષની દલીલ
બચાવ પક્ષે દલીલ કરી હતી કે ‘રાહ-એ-હિદાયત ગ્રુપ’ દેશવિરોધી કે આતંકવાદી ગ્રુપ નથી. વળી, મસ્જિદમાં આવતા અન્ય લોકોએ પણ જણાવ્યું હતું કે તેમણે આરોપીઓને ક્યારેય દેશવિરોધી પ્રવૃત્તિ કરતા જોયા નથી, તેથી ગુનો સાબિત થતો નથી.

ગુજરાત એટીએસે વર્ષ 2023માં રાજકોટના સોની બજારમાં કામ કરતા ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી અમન મલિક, અબ્દુલ શેખ, શફનવાઝ શાહીદને ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ લોકોને 10,000 રૂ.નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

આ આતંકવાદીઓ રાજકોટમાં છ મહિના સોની માર્કેટમાં કામ કરી કર્યુ હતુ. તેમના પર અલ-કાયદાનો પ્રચાર ફેલાવવાનો અને અન્ય મુસ્લિમ કર્મચારીઓને કટ્ટરપંથી બનાવવાનો આરોપ હતો. ત્રણેય આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને ત્રણ કારતૂસ મળી આવ્યા હતા.

સરકારી વકીલની રજૂઆતો (પુરાવા)
સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ આરોપીઓને સખત સજા આપવા માટે નીચે મુજબના પુરાવાઓ રજૂ કર્યા હતા:

  • મોબાઈલ અને વ્હોટ્સએપ ચેટ્સ: આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મળેલી વ્હોટ્સએપ ચેટિંગ સાબિત કરે છે કે તેઓ મુસ્લિમ સમાજના અમુક વર્ગને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરી રહ્યા હતા.
  • હથિયારોનો કબજો: આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. આરોપીઓ આ અંગે કોઈ સંતોષકારક ખુલાસો કે ઇનકાર ન કરી શક્યા, જે દર્શાવે છે કે તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા.
  • સાક્ષીઓની ઉલટતપાસ: બચાવ પક્ષે બે મુસ્લિમ શખસોને સાક્ષી તરીકે રજૂ કર્યા, જેમણે દાવો કર્યો કે આરોપીઓ ક્યારેય મસ્જિદમાંથી દેશવિરોધી પ્રચાર કરતા જોવા મળ્યા નથી. જોકે, સરકારી વકીલ વોરાએ તેમની ઉલટતપાસ કરીને સાબિત કર્યું કે આ સાક્ષીઓ દિવસ દરમિયાન માત્ર 15-20 મિનિટ માટે જ નમાજ પઢવા મસ્જિદમાં જતા હતા, તેથી તેમને બાકીના સમયમાં આરોપીઓની પ્રવૃત્તિઓ વિશે કોઈ જાણકારી ન હતી.
  • ઓછી સજા સામે ચેતવણી: સરકારી વકીલે દલીલ કરી કે આ ત્રણેય આરોપીના મગજમાં જેહાદી વિચારધારા ઠસાવવામાં આવી છે. જો તેમને ઓછી સજા આપવામાં આવે, તો જેલમાંથી બહાર આવ્યા પછી આતંકવાદી સંગઠનો તેમનો ઉપયોગ વધુ ગંભીર ગુનાઓ માટે કરી શકે છે. વળી, મૂળ બંગાળના હોવા છતાં તેઓ રાજકોટમાં કાશ્મીરની પરિસ્થિતિ વિશે સરકાર-વિરોધી ખોટો પ્રચાર કરતા હતા.

બચાવ પક્ષની દલીલ
બચાવ પક્ષે દલીલ કરી હતી કે ‘રાહ-એ-હિદાયત ગ્રુપ’ દેશવિરોધી કે આતંકવાદી ગ્રુપ નથી. વળી, મસ્જિદમાં આવતા અન્ય લોકોએ પણ જણાવ્યું હતું કે તેમણે આરોપીઓને ક્યારેય દેશવિરોધી પ્રવૃત્તિ કરતા જોયા નથી, તેથી ગુનો સાબિત થતો નથી.

Subscribe

Latest stories