રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગ્યા આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે. ત્યાંથી તેઓ સીધા જ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પહોંચશે. જ્યાં કોંગ્રેસે જે નિરીક્ષકોની યાદી જાહેર કરી છે તે AICCના 43 નિરીક્ષકો, 7 સહ નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકો સાથે બેઠક યોજશે.
અમદાવાદ ઉપરાંત રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાની પણ મુલાકાત લેશે, રાહુલ ગાંધીની મુલાકાતને લઈને કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમની તૈયારીને લઈ અગત્યની મીટીંગનું આયોજન કર્યું હતું. જેમાં AICCના સેક્રેટરી અને ઉત્તર ગુજરાત ઝોનના ઈનચાર્જ શુભાશિની યાદવ અને ઉષા નાયડુ તથા ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત સૌ આગેવાનો જોડાયા હતાં.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા, કોંગ્રેસે ગુજરાતના 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખ નક્કી કરવા માટે એઆઈસીસી ના 50 અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના 183 નેતાઓની નિરીક્ષકો તરીકે નિમણૂક કરી દીધી હતી. રાહુલ ગાંધી આજે જિલ્લા પ્રમુખની પસંદગી માટે નિમાયેલા નિરક્ષકો સાથે અમદાવાદમાં ઓરિએન્ટેશન બેઠક કરશે
અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, રાહુલ ગાંધી 16 એપ્રિલે મોડાસામાં આયોજિત સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં તેઓ જિલ્લાના 1200 બુથ લીડર્સને માર્ગદર્શન આપશે. આ અભિયાન અંતર્ગત દરેક બુથના કાર્યકરોને મતદારો અને બુથ સુધી લાવવા અને કોંગ્રેસ તરફી મતદાન કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ રીતે પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યો છે.