ધર્મ સંકટમાં ફસાયા રાહુલ ગાંધી! કહ્યું- ‘હું દુવિધામાં છું, હવે શું કરું?

Share this story

કેરળના વાયનાડથી સતત બીજી વાર સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધી બુધવારે અહીંના લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને ધન્યવાદ આપ્યા અને કહ્યું કે ‘બોલો, હું ક્યાંથી સાંસદ રહું? હું તમને જ સવાલ કરું છું કે શું પસંદ કરું, વાયનાડ કે રાયબરેલી? તેનું કારણ એ છે કે હું વડાપ્રધાન મોદીની જેમ ભગવાન નથી. તેમની જેમ ઈશ્વરે મને નથી મોકલ્યો. હું તો એક સામાન્ય માણસ છું. મારા ભગવાન તો ભારતના ગરીબો જ છે. એટલે મારે તમને પૂછીને જ નક્કી કરવું પડશે કે હવે શું કરવાનું છે.

Rahul Gandhi: રાહુલે 'ગાંધી' અટક છોડવી જોઈએ, DNA ટેસ્ટ કરાવવો જોઈએ, ડાબેરી નેતાના નિવેદન પર હોબાળો | Moneycontrol Gujarati

આ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલી અને કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ (યુપી)ની રાયબરેલી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને ૩,૯૦,૦૩૦ મતોના માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધીએ CPI(M)ના એની રાજાને હરાવ્યા છે.

નોંધનીય છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ બે સીટો પરથી ચૂંટણી લડી હતી, પરંતુ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીથી તેમનો પરાજય થયો હતો. આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પરથી જીત્યા છે. આવી સ્થિતિમાં તેમને સીટ પસંદ કરવી પડશે.

આ પણ વાંચો :-