Tuesday, May 12, 2026

મોદીની સલાહ છતાં ચાંદી અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો

1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે અપીલ કરી હોવા છતાં મંગળવારે કોમોડિટી માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. મંગળવારે 12 મેના દિવસે ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કીંમત લગભગ 1.5 ટકા વધીને એક કિલોના 282463 પર પહોંચી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં 0.3 ટકાના ઉછાળા સાથે કીંમત 10 ગ્રામના 154150 ઉપર પહોંચી ગઈ હતી.  

Share This Article