વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના રોજ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય દળના ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. તેણે કહ્યું, મને ખાતરી છે કે આ વખતે પણ તમે રમત ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવશો.
ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા હતા, જેમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં જીતેલા ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. PM નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લેટ્સની મોટી ટુકડીને મળ્યા બાદ ‘X’ પર પોસ્ટ કર્યું કે તેમણે ઓલિમ્પિક માટે પેરિસ જઈ રહેલી અમારી ટુકડી સાથે વાત કરી. મને વિશ્વાસ છે કે અમારા ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમની ખેલદિલી અને સફળતા ૧૪૦ કરોડ ભારતીયોને આશા આપે છે. PM મોદીએ નીરજ ચોપરાને પૂછ્યું કે તેઓ તેમને તેમની માતા દ્વારા બનાવેલા દહીં ચુરમા ક્યારે ખવડાવશે. ત્યારે નીરજે કહ્યું કે હા સર, તે જલ્દી જ હરિયાણાથી ચુરમા લાવશે.
ભારતીય ખેલાડીઓની ટુકડી સાથે રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડસે અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા પણ હતા. મોદીએ નીરજ ચોપરા, બોક્સર નિખાત ઝરીન અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સાથે પણ વર્ચ્યુઅલ વાતચીત કરી હતી.
આ પણ વાંચો :-