નીતિશ કુમારની ‘ગંદી વાત’ પર PM મોદીનો પલટવાર

Share this story

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિધાનસભામાં યૌન સંબંધ પર પોતાની ટિપ્પણીને લઈને ભારે વિવાદમાં ફસાયા છે. માફી માગ્યા બાદ પણ ભારતીય જનતા પાર્ટી  તેમના પર પ્રહારો કરી રહી છે. બિહાર વિધાનસભામાં થયેલા હોબાળા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે.

મધ્યપ્રદેશમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે શું આવા નેતાઓ માતા અને બહેનોનું ભલું કરી શકે છે? એમપીના ગુનામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ નામ લીધા વગર નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, “જે લોકો દેશની વર્તમાન સરકારને ઉથલાવવા માટે વિવિધ રમતો રમી રહેલાં INDIA Allianceના ઝંડા સાથે ફરી રહ્યાં છે, તેઓ વિધાનસભામાં આવી ભાષામાં વાત કરે તેવી કોઇ કલ્પના પણ ન કરી શકે જેમાં માતા-બહેનો પણ હાજર હતી. તેમને આવું કહેતા શરમ નથી આવતી.

નીતિશના આ નિવેદન પર કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓની ચુપ્પી પર પણ પીએમ મોદીએ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મહિલાઓના અપમાન પર એક પણ શબ્દ કહેવામાં આવ્યો નથી. ઈન્ડીયા ગઠબંધનનો એક પણ નેતા આપણી માતાઓ અને બહેનોના ભયંકર અપમાન સામે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. માતા અને બહેનો પ્રત્યે આ વલણ ધરાવતા લોકો શું તમે તમારું ભલું કરી શકો છો અને તમારું સન્માન કરી શકો છો? શું તે તમારો આદર કરી શકે છે, શું તે તમને ગર્વ આપી શકે છે? આ દેશનું કેવું દુર્ભાગ્ય છે. તેઓ કેટલી હદ સુધી નીચે જશે. પીએમે એમ પણ કહ્યું કે, તેઓ મહિલાઓનું સન્માન કરવામાં ક્યારેય પીછેહઠ નહીં કરે.

આ પણ વાંચો :-