HomeInternationalપાકિસ્તાને અફઘાનિસ્તાન પર મોટો હુમલો, બંને તરફથી ભીષણ ગોળીબાર, લોકો ઘર છોડીને...

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર મોટો હુમલો, બંને તરફથી ભીષણ ગોળીબાર, લોકો ઘર છોડીને ભાગ્યા

Date:

Related stories

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. સરહદ પર બંને દેશો વચ્ચે ફરી સંઘર્ષ થયો છે. બંને દેશની સેનાઓએ એકબીજા પર ગોળીબાર કર્યો અને રોકેટ પણ છોડયા. આ અચાનક છેડાયેલી જંગના કારણે સરડદ પર લોકો રાતોરાત સ્થળાંતર કરી ગયા છે. આ ગોળીબાર બે દિવસ પહેલા થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ ગયા પછી થયો હતો.

અફઘાનિસ્તાનમાં કંધાર રાજ્યના સ્પિન બોલદક વિસ્તારમાં અફઘાન અને પાકિસ્તાની સેનાઓ સામસામે આવી ગઈ હતી. બંને સેનાઓ સરહદ પારથી એકબીજા પર ડુમલો કરી રડી છે. અચાનક થયેલા ડુમલાને કારણે ડરી ગયેલા લોકો પોતાનો સામાન લઈને રાતોરાત ગામોમાંથી પલાયન કરી ગયા. આ ગોળીબારના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો છે, જેના કારણે તેઓ પોતાના ઘર છોડીને જતા રહ્યા છે. સ્થાનિક લોકો વાહનો અને પગપાળા ચાલીને પોતાના ઘરો અને શહેરો ખાલી કરી રહ્યા છે.

બંને દેશોએ એકબીજા પર ડુમલો શરૂ કરવાનો આરોપ લગાવ્યો
અફઘાન બૉર્ડર પોલીસના પ્રવકતા અબેદુલ્લાડ ફારુકીએ બંને દેશો વચ્ચેના સંઘર્ષની પુષ્ટિ કરી અને કહ્યું કે ગોળીબારની શરૂઆત પાકિસ્તાને કરી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ હુમલો કર્યા પછી જ અફઘાન સેનાએ યુદ્ધવિરામ (સીઝફાયર) તોકયો હતો. બીજી તરફ પાકિસ્તાનનું કહેવું છે કે અફઘાન સેનાએ પહેલા ડુમલો કર્યો હતો, ત્યારબાદ બંને તરફથી ગોળીબાર થયો અને ગ્રેનેડ, રોકેટ અને ગોળાઓ છોડવામાં આવ્યા. તણાવનું મુખ્ય કારણ એ છે કે ઇસ્લામાબાદ દાવો કરે છે કે અફઘાનિસ્તાનમાં સ્થિત ચરમપંથી પાકિસ્તાનમાં હુમલા કરી રહ્યા છે. જોકે કાબુલ આ દાવાને નકારી કાઢે છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ કેવી રીતે વધ્યો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ત્યારે વધ્યો જ્યારે 8-9 ઓક્ટોબરની રાત્રે તડરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો કર્યો, જેમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનના ઘણા શહેરોમાં હવાઈ ડુમલા કર્યા અને સરહદ પરની પાકિસ્તાની ચોકીઓ કબજે કરી લીધી. પાકિસ્તાને TTPના વડા નૂર વલી મહેસૂદને માર્યાનો પણ દાવો કર્યો હતો.

અફઘાનિસ્તાને આને સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવીને પાકિસ્તાન પર ડુમલો કર્યો, જેમાં 50 થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. 16 થી 18 ઓક્ટોબરની વચ્ચે બંને દેશોમાં યુદ્ધવિરામ થયું હતું અને 19 ઓક્ટોબરે યુદ્ધવિરામ સમજૂતી પર હસ્તાક્ષર પણ થયા હતા. જોકે, ત્યારબાદ શાંતિ વાટાઘાટોના ત્રણ રાઉન્ડ નિષ્ફળ ગયા હતા. 25 નવેમ્બરના રોજ પાકિસ્તાને પૂર્વીય અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, જેના પછી TTP એ પાકિસ્તાનના પેશાવરમાં આતંકવાદી ડુમલો કર્યો હતો.

Subscribe

Latest stories