HomeNationalપહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ પર્દાફાશ, NIAએ ઓળખ્યા આતંકી સુત્રધાર

પહેલગામ હુમલાનો માસ્ટરમાઈન્ડ પર્દાફાશ, NIAએ ઓળખ્યા આતંકી સુત્રધાર

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ આ કેસની તપાસ એનઆઈએ કરી રહી છે. આ દરમિયાન એનઆઈએ એક મહત્વની કડી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પહલગામ હુમલામાં અલ ઉમર મુજાહિદ્દીનના વડા મુશ્તાક અહેમદ ઝરગરની ભૂમિકા પ્રકાશમાં આવી છે. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે તેના સમર્થકોએ પહેલગામ હુમલાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સને મદદ કરી હતી.

મુશ્તાક અહેમદ ઝરગર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઓપરેશનલ કમાન્ડર છે અને વર્ષ 2019ના પુલવામા હુમલાનો આરોપી પણ છે. મુશ્તાક ઝરગરને કંધાર હાઇજેકિંગ ઘટનામાં મૌલાના મસૂદ અઝહર સાથે મુક્ત કરવામાં આવ્યો હતો અને હાલમાં તે પાકિસ્તાનમાં રહે છે. અલગ અલગ કેસોમાં ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કામદારોની પૂછપરછ દરમિયાન આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે.

વર્ષ ૧૯૯૯માં નેપાળથી ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓ તેને કાઠમંડુથી અમૃતસર અને લાહોર અને પછી અફઘાનિસ્તાનના કંધાર લઈ ગયા હતા. આ વિમાનમાં 178 મુસાફરો સવાર હતા. આ મુસાફરોના બદલામાં આતંકવાદીઓએ મૌલાના મસૂદ અઝહર સહિત 3 આતંકવાદીઓને છોડવાની શરત રાખી હતી. આતંકવાદીઓએ એક અઠવાડિયા સુધી વિમાનનું અપહરણ કર્યું.

Subscribe

Latest stories