Home Blog Page 434

પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવનું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી

લોકપ્રિય અભિનેતા મુકુલ દેવ હવે આ દુનિયામાં નથી. આ અભિનેતાનું 23 મેના રોજ 54 વર્ષની વયે અવસાન થયું હતું. મુકુલ દેવની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી બગડી રહી હતી, જેના કારણે તેઓ ICUમાં હતા. મુકુલ દેવના મૃત્યુના સમાચાર મળતા જ સિનેમા અને ટીવી ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો. એક પછી એક સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

અભિનેત્રી દીપશિખા નાગપાલે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તે વિશ્વાસ કરી શકતી નથી કે મુકુલ હવે નથી રહ્યા. અભિનેતા મનોજ બાજપેયીએ ટ્વિટર પર લખ્યું, “હું જે અનુભવી રહ્યો છું તે શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. મુકુલ આત્માથી ભાઈ હતા, એક કલાકાર જેમની હૂંફ અને જુસ્સો અજોડ હતો. ખૂબ જ વહેલી ઉંમરે ચાલ્યા ગયા. તેમના પરિવાર અને પ્રિયજનોને શક્તિ મળે. ઓમ શાંતિ.”

વિંદુ દારા સિંહે શ્રદ્ધાંજલિ આપી
‘સન ઓફ સરદાર’માં મુકુલ દેવ સાથે કામ કરનાર વિંદુ દારા સિંહે પણ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. અભિનેતાએ થોડા કલાકો પહેલા મુકુલ સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે સન ઓફ સરદારમાં મુકુલ સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. હવે તે જ વિડીયોને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફરીથી પોસ્ટ કરતા, વિંદુ દારા સિંહે લખ્યું – ‘ભગવાન તારા આત્માને શાંતિ આપે, મુકુલ.

મુકુલ દેવની અભિનય કારકિર્દી
તમને જણાવી દઈએ કે, મુકુલ દેવે ૧૯૯૬ માં અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તેમણે ટીવી સીરિયલ ‘મુમકીન’ માં વિજય પાંડેની ભૂમિકા ભજવીને પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી. આ પછી તે દૂરદર્શનના કોમેડી શો ‘એક સે બધકર એક’માં પણ જોવા મળ્યો હતો. આ સિવાય તેણે કહાની ઘર ઘર કી, કહીં દિયા જલે કહીં જિયા જેવા શોમાં પણ કામ કર્યું હતું. તેમના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેમણે ‘દસ્તક’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમની કારકિર્દીમાં, તેઓ ‘આર રાજકુમાર’, ‘સન ઓફ સરદાર’, ‘વજુદ’, ‘ભાગ જોની’, ‘જય હો’ અને ‘ક્રિએચર 3D’ જેવી ફિલ્મોમાં પણ કામ કરતા જોવા મળ્યા હતા.

ભારતમાં ફરી કોરોનાનો ભરડો? દિલ્હીમાં 10 દિવસમાં 23 નવા કેસ, સાવચેતીની અપિલ

0

ચીન, થાઈલેન્ડ અને સિંગાપોર જેવા એશિયાના કેટલાક દેશોમાં તાજેતરના અઠવાડિયામાં કોવિડ-19ના કેસોમાં વધારો થયો છે. આ દરમિયાન ભારતમાં પણ કોરોનાના સંક્રમણમાં સામાન્ય વૃદ્ધિ જોવા મળી રહી છે. દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન પંકજ સિંહે શુક્રવારે જણાવ્યું કે રાજધાનીમાં 23 નવા કેસ નોંધાયા છે. હાલ આ અંગે રાજ્ય સરકાર કોરોનાના દર્દીઓ શહેરના રહેવાસી છે કે મુસાફરીનો ઇતિહાસ ધરાવે છે તે નક્કી કરવા માટે સંક્રમણની વિગતોની તપાસ કરી રહી છે.

કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈને દિલ્હીમાં તમામ સ્વાસ્થ્ય સંસ્થાઓને કોવિડ-19ના તમામ પોઝિટિવ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લોક નાયક હોસ્પિટલમાં મોકલવા જણાવાયું છે. હોસ્પિટલોને બેડ, ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, અન્ય દવાઓ અને રસીઓની ઉપલબ્ધતાની દ્રષ્ટિએ તૈયારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વેન્ટિલેટર, Bi-PAP, ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને PSA જેવા તમામ ઉપકરણો કાર્યરત સ્થિતિમાં હોય તેની ખાતરી કરવા સૂચના આપવામાં આવી છે. સ્વાસ્થ્ય વિભાગે દિલ્હી રાજ્ય સ્વાસ્થ્ય ડેટા મેનેજમેન્ટ પોર્ટલ પર તમામ પરિમાણોની દૈનિક જાણ કરવી પણ ફરજિયાત બનાવી છે.

દેશભરમાં કોવિડની સ્થિતિ
એશિયાના દેશોમાં વધી રહેલા કોરોના સંક્રમણની અસર ભારતમાં જોવા મળી રહી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, બુધવારે દેશભરમાં કુલ 257 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં 56 કોવિડ કેસ નોંધાયા, જ્યારે તમિલનાડુમાં 66, પુડુચેરી, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, સિક્કિમ, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસ જોવા મળ્યા છે. કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું કે મે મહિનામાં 273 કોવિડ-19 કેસ નોંધાયા છે.

કર્ણાટક: હંગલ ગેંગરેપ કેસના આરોપીઓ જામીન મળ્યા બાદ રેલી કાઢતા જ ફરી ધરપકડ

0

કર્ણાટકના હંગલ ગેંગરેપ કેસના આરોપીઓની જામીન અપાયા બાદ થોડા કલાકમાં જ ફરી ધરપકડ કરી લેવામાં આવી છે. વાસ્તવમાં આ આરોપીઓએ જામીન મળ્યા બાદ જેલથી ઘર સુધી રેલી સ્વરૂપે ઉજવણી કરી હતી. ગેંગરેપના 7 આરોપીઓ આફતાબ, મદાર, સમીવુલ્લા, મોહમ્મદ સાદિક, શોએબ મુલ્લા, તૌસીફ ચોટી અને રિયાઝને તાજેતરમાં જામીન મળ્યા હતા.

ગત 20 મે, 2025ના રોજ કોર્ટે 7 આરોપીઓને જામીન આપ્યા હતા. જામીન મળ્યા બાદ આરોપીઓએ ઉજવણી કરતાં એક રોડ શો યોજ્યો, જેનાથી વિસ્તારમાં હોબાળો મચી ગયો. હાવેરીના પોલીસ અધિક્ષક (SP) અંશુ કુમારે જણાવ્યું કે આરોપીઓએ જામીન મળ્યા પછી અક્કી અલૂર ગામમાં કાર અને બાઇકો સાથે જુલૂસ કાઢ્યું અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો. આ હરકતથી લોકોમાં ગુસ્સો ભભૂકી ઊઠ્યો, જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. પોલીસે હંગલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 189/2, 191/2, 281, 351/2, 351/3 અને 190 હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ફરી ધરપકડ કરી લીધી છે અને તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે આ આરોપીઓના જામીન રદ કરવા માટે અરજી દાખલ કરવાની વાત પણ કરી છે. SP અંશુ કુમારે કહ્યું, “2024ના હંગલ ગેંગરેપ કેસમાં 7 આરોપીઓને 20 મેના રોજ જામીન મળ્યા હતા. ઉપજેલમાંથી અક્કી અલૂર આવતી વખતે તેમણે ઉપદ્રવ મચાવ્યો અને ઉજવણી કરતાં રેલી કાઢી. તેમણે એક વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વાત પોલીસના ધ્યાનમાં આવી. અમે હંગલ પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં જામીન રદ કરવા માટે અરજી કરીશું.”

ગેંગરેપનો આ કેસ જાન્યુઆરી 2024નો છે, જ્યારે હંગલમાં એક 26 વર્ષની મહિલા સાથે ગેંગરેપ થયો હતો. પીડિતા તેના પાર્ટનર સાથે એક હોટેલમાં રોકાયેલી હતી. આરોપ છે કે 7 લોકો -આફતાબ, મદાર, સમીવુલ્લા, મોહમ્મદ સાદિક, શોએબ મુલ્લા, તૌસીફ ચોટી અને રિયાઝે હોટેલમાં ઘૂસીને બંને પર હુમલો કર્યો. મહિલાને બળજબરીથી જંગલમાં લઈ જઈને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. શરૂઆતમાં આ ઘટનાને મોરલ પોલીસિંગનો મામલો ગણવામાં આવ્યો હતો, પરંતુ પીડિતાએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યા બાદ ગેંગરેપની કલમો ઉમેરવામાં આવી. આ કેસમાં કુલ 19 લોકોની ધરપકડ થઈ હતી, જેમાંથી 12ને અગાઉ જામીન મળી ચૂક્યા હતા.

રત્નકલાકારો માટે આનંદની જાહેરાત: શિક્ષણ ફી અને વીજ ડ્યુટીમાં વર્ષભર રાહત

ડાયમંડ ઉદ્યોગનાં 50 વર્ષમાં છેલ્લાં 3 વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચના રોજ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશના હોદ્દેદારો સાથે એક બેઠકનું આયોજન કરીને રત્નકલાકારોના હિતમાં નિર્ણય લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ મિટિંગના 74 દિવસ બાદ આખરે આજે શનિવારે (24 મે, 2025) રાજ્ય સરકાર રત્નકલાકારો માટે વિવિધ સહાયની જાહેરાત થઈ છે.

રત્નકલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13500 સુધીની માફ કરવામાં આવશે. આમ આ ફી સરકાર દ્વારા DBT મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે. તેમજ વીજ ડ્યુટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયા આ યોજનાઓ જાહેર કરી છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં મંદી, યુક્રેન-રશિયા યુદ્ધ સહિતનાં કારણોને લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદી વ્યાપી ગઈ હતી, જેના કારણે અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કર્યા છે, જેને લઈને રત્નકલાકારો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા હતા. આ રાહતનો લાભ 31/03/24 પછી કામ ન મળ્યું અને તેમને કારખામાંથી છુટા કર્યા હોય તેને મળશે. તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે.5 લાખની લોન ઉપર 9 ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય કરાશે.

ગત 30 અને 31 માર્ચના રોજ સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કારખાના બંધ રાખી હીરા વેપારીઓ જોડાયા હતાં. આખરે રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે વિવિધ સહાય યોજના જાહેર કરાશે, જેમાં આર્થિક તથા શૈક્ષણિક સહિતની યોજનાઓ સંભવિત જાહેર કરવામાં આવશે.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે હશે રાહત પેકેજ
રત્નકલાકારો માટે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે. જેની જાહેરાત શનિવારે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા જાહેર કરશે. જેમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોને રાહતના પેકેજ જાહેર કરવામાં આવશે.

કર્ણાટક સરકારે રામનગર જિલ્લાનું નામ બદલ્યું, જાણો નવું નામ

0

કર્ણાટક સરકારે એક મોટો નિર્ણય લેતા રામનગર જિલ્લાનું નામ બદલી નાખ્યું છે. સરકારે આ સંદર્ભમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે આ જિલ્લો રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનો ગૃહ જિલ્લો છે. ડીકે શિવકુમાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ છે. ડીકે શિવકુમારે જ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રામનગર જિલ્લો કર્ણાટકની રાજધાની બેંગલુરુથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલો હતો. જોકે, હવે તેનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ કરવામાં આવ્યું છે. આ જિલ્લામાં મગડી, કનકપુરા, ચન્નાપટના અને હરોહલ્લી તાલુકાનો પણ સમાવેશ થશે.

સરકારે જાહેરનામું બહાર પાડ્યું
હકીકતમાં, કર્ણાટક સરકારે કેબિનેટના નિર્ણયના એક દિવસ પછી શુક્રવારે રામનગર જિલ્લાનું નામ બદલી નાખ્યું. શુક્રવારે જ, તેનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ કરવા અંગે એક સૂચના જારી કરવામાં આવી હતી. જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “કર્ણાટક જમીન મહેસૂલ અધિનિયમ, 1964 ની કલમ 4(4A) ની જોગવાઈઓ અનુસાર, રામનગર જિલ્લાનું નામ બદલીને કર્ણાટક રાજ્યના બેંગલુરુ દક્ષિણ જિલ્લામાં કરવામાં આવે છે, જેમાં રામનગરને જિલ્લા મુખ્યાલય જાહેર કરવામાં આવે છે.”

ડીકે શિવકુમારે દરખાસ્ત કરી હતી
બેંગલુરુ શહેરથી લગભગ 50 કિમી દૂર સ્થિત રામનગર, બેંગલુરુ દક્ષિણ નામના જિલ્લાનું મુખ્ય મથક રહેશે. આ જિલ્લામાં મગડી, કનકપુરા, ચન્નાપટના અને હરોહલ્લી તાલુકાનો સમાવેશ થશે. આ જિલ્લો રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારનો ગૃહ જિલ્લો છે, જે કોંગ્રેસના રાજ્ય એકમના કોંગ્રેસ વડા પણ છે. તેઓ જિલ્લાના કનકપુરા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. જિલ્લાનું નામ બદલીને બેંગલુરુ દક્ષિણ કરવાનો પ્રસ્તાવ મૂકનારા તેઓ સૌપ્રથમ હતા.

ઇન્દિરા ગાંધીની સરકારે 1968માં પાકિસ્તાનને આપી હતી ભારતીય જમીન : સાંસદ નિશિકાંત દુબે

0

ભાજપના સાંસદે કોંગ્રેસ અને પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી પર નિશાન સાધ્યું છે. સોશિયલ મિડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમણે દાવો કર્યો કે ભારતે 1965માં પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ તો જીતી લીધું હતું, પરંતુ ઈન્દિરા ગાંધીની સરકારે 1968માં કચ્છના રણનો 828 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર પાકિસ્તાનને આપી દીધો હતો.

નિશિકાંત દુબેએ પોતાનો આ દાવો સાબિત કરવા માટે એક દસ્તાવેજની કોપી પણ શેર કરી છે. જેમાં એ ઉલ્લેખ છે કે 1968માં ભારતે પાકિસ્તાનને કચ્છના રણનો 828 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર આપી દીધો હતો. નિશિકાંત દુબેએ ઈન્દિરા ગાંધીને આયર્ન લેડી તરીકે સંબોધવામાં આવવા પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેમણે સંસદનો વિરોધ છતાં ભારતનો હિસ્સો પાકિસ્તાનને સોંપી દીધો હતો.

નિશિકાંત દુબેએ પોતાના X હેન્ડલ પર લખ્યું હતું કે આજની વાર્તા ખૂબ દર્દનાક છે. કોંગ્રેસ પાર્ટીએ 1965નું યુદ્ધ જીત્યા બાદ ગુજરાતના કચ્છના રણનો 828 સ્ક્વેર કિલોમીટર પાકિસ્તાનને 1968માં આપી દીધો. ભારત પાકિસ્તાનના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર લાવ્યું, મધ્યસ્થ બનાવ્યા, યુગોસ્લાવિયાના વકીલ અલી બાબરને આપણે નિયુક્ત કર્યા. સંસદે વિરોધ કર્યો, પરંતુ ઈન્દિરા ગાંધી તો આયર્ન લેડી હતા, ડરીને આપણો હિસ્સો હરાજી કરી દીધો. આ આયર્ન લેડીનું સત્ય છે. કોંગ્રેસનો હાથ હંમેશાં પાકિસ્તાન સાથે. એમ તેમણે કહ્યું હતું.

નેપાળ થઈને ભારતમાં ઘૂસવાની તૈયારીમાં પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ, સરહદે ચુસ્ત બંદોબસ્ત

0

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી, પાકિસ્તાને હાર સ્વીકારી અને યુદ્ધવિરામની જાહેરાત કરી. આ પછી પણ પાકિસ્તાન પોતાની હરકતોથી બાકાત નથી. સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સને મળેલા ઇનપુટ મુજબ, લગભગ ત્રણ ડઝન શંકાસ્પદો નેપાળ પહોંચી ગયા છે અને તેઓ ઉત્તર પ્રદેશમાં ખુલ્લી બહરાઇચ-નેપાળ સરહદ દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સરહદ પર પણ ચેકિંગ વધારવામાં આવ્યું
એસએસબી અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ દસ બાંગ્લાદેશી અને લગભગ 25 કે તેથી વધુ પાકિસ્તાની ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહ્યા છે. તેથી, SSB જવાનોએ સમગ્ર ખુલ્લા સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે તેમજ સરહદ પર ચેકિંગ પણ વધારી દીધું છે. સૈનિકો એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પાકિસ્તાની કે બાંગ્લાદેશી ભારતમાં પ્રવેશી ન શકે.

ભારત-નેપાળ સરહદ પર હાઇ એલર્ટ
પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય દળો દ્વારા હુમલા અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ જિલ્લાની ભારત-નેપાળ સરહદ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર સરહદી વિસ્તારમાં SSB દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કમાન્ડન્ટે કહ્યું છે કે અમને માહિતી મળી છે કે ત્રીસથી વધુ બાંગ્લાદેશી અને પાકિસ્તાની શંકાસ્પદો ગુપ્ત રીતે નેપાળ પહોંચી ગયા છે. એવી આશંકા છે કે આ લોકો નેપાળ થઈને ભારતમાં આવી શકે છે અને અશાંતિ ફેલાવી શકે છે. આ અંગે સાવધાની રાખવામાં આવી રહી છે.

ચીનમાં ભયાનક ભૂસ્ખલન, ચાર લોકોના મોત, 17 લોકો કાટમાળમાં ફસાયા

ચીનના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. અહીં ગુઇશોઉ પ્રાંતના ગ્રામીણ વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે ઘણા લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, ચાર લોકોના મોત થયા છે, જ્યારે 17 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ભૂસ્ખલન બાદ ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આખા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

બે ગામમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા
વાસ્તવમાં, ચીનના દક્ષિણપશ્ચિમ ગુઇઝોઉ પ્રાંતના એક ગ્રામીણ વિસ્તારમાં ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. અને આ ઘટનામાં હજુ પણ 17 લોકો ગુમ છે. આ માહિતી ચીનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવી છે. ચીનની રાજ્ય સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, ગુરુવારે ચાંગસી શહેરમાં બે મૃતદેહ મળી આવ્યા હતા. નજીકના કિંગયાંગ ગામમાંથી બે અન્ય લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ સાથે, મૃત્યુઆંક હવે ચાર થઈ ગયો છે, જ્યારે 17 લોકો ગુમ છે.

અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, આ ઘટના બાદ સામાન્ય જનજીવન પર ઘણી અસર પડી છે. ભૂસ્ખલનને કારણે ઘણા લોકોના મોત થયા છે, પરંતુ ગુમ થયેલા લોકોની શોધ હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત, ભૂસ્ખલનને કારણે ગુઓવા શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી કપાઈ ગઈ હતી. આ શહેરમાં કિંગયાંગ ગામ આવેલું છે, જ્યાંથી બે મૃતદેહ મળી આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આખી રાત વરસાદ પડ્યો, ત્યારબાદ ભૂસ્ખલન થયું. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.

સુરતમાં પ્રેમની હદ પાર : યુવતી 17 વર્ષના સગીરને ભગાડી જલગાંવ પહોંચતા જ ઝડપાઈ

સુરતમાં શિક્ષિકા એક સગીરને ભગાડી ગયા અને પછી ગર્ભવતી થયાના સમાચારોની વચ્ચે ફરી એક વાર મોટા અને ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના લીંબાયત વિસ્તારમાં ઊલટી ગંગા જેવી સ્થિતિ બની છે. અહીં 19 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને ભગાડી ગઈ હોવાનું સામે આવ્યું છે. જોકે હવે સમાચાર સામે આવ્યા છે કે, આ બંનેની મહારાષ્ટ્રના જલગાંવથી પકડી લેવાયા છે. આ સાથે યુવતી વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધાયો છે.

સુરતમાં ક્રાઇમની વધતી જતી ઘટનાઓ વચ્ચે વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સુરતના લીંબાયત વિસ્તારમાં એક 19 વર્ષની યુવતી 17 સગીરને ભગાડી ગયાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આ ઘટનાને લઈ સગીરના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ યુવતી સગીરને ભગાડી ઉજ્જેન લઇ ગઈ અને સગીર તેના ઘરેથી રૂ.25 હજાર લઇ ભાગ્યો હોવાનું પણ ખૂલ્યું છે. આ સાથે બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે. અને ઘરેથી ભાગી બંને 50 દિવસ સુધી બહાર રહ્યા હતા. આ તરફ હવે સગીરના માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં આ 19 વર્ષીય યુવતી અને 17 વર્ષના સગીરને મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યા છે.

પોષણની દ્રષ્ટિએ કાચું કે બાફેલું બીટ શું શ્રેષ્ઠ છે? ડાયટિશિયન શું કહે છે તે વાંચો

0

રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને રક્ત પ્રવાહ અને દબાણ સુધારવા સુધી, બીટરૂટમાં ઘણા સ્વાસ્થ્ય લાભો હોવાનું કહેવાય છે. તેને ઘણીવાર એક જીવંત, પોષક તત્વોથી ભરપૂર મૂળ શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે જે તેના ઘેરા લાલ રંગ અને પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. ફોલેટ, આયર્ન, પોટેશિયમ અને વિટામિન સીથી ભરપૂર, તે રક્ત સ્વાસ્થ્યને ટેકો આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઉર્જા સ્તરમાં વધારો કરે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા 2021 માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓમાં મેટાબોલિક માર્કર્સ અને જ્ઞાનાત્મક કાર્ય પર કાચા લાલ બીટરૂટના દૈનિક સેવનની અસરોની તપાસ કરવામાં આવી હતી.

જાણવા મળ્યું હતું કે 8 અઠવાડિયા સુધી કાચા બીટરૂટના નિયમિત સેવનથી ઉપવાસ દરમિયાન બ્લડ સુગર લેવલ, ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન (HbA1c), એપોલીપોપ્રોટીન B100, લીવર એન્ઝાઇમ્સ (AST અને ALT), હોમોસિસ્ટીન લેવલ અને સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર બંનેમાં ઘટાડો કરવામાં મદદ મળી હતી. વધુમાં, કુલ એન્ટીઑકિસડન્ટ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો હતો અને જ્ઞાનાત્મક કાર્ય પરીક્ષણોમાં સુધારો થયો હતો. તેમાં એ પણ સૂચવવામાં આવ્યું હતું કે કાચા બીટરૂટનું સેવન ટાઇપ 2 ડાયાબિટીસના સંચાલનમાં મદદ કરી શકે છે. જોકે, નિષ્ણાતોનો એક વર્ગ એવો પણ છે જે માને છે કે બાફેલી બીટ પણ સ્વસ્થ છે. તો ચાલો જાણીએ કે કયું સ્વરૂપ વધુ પોષણની ખાતરી આપે છે.

તેમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે, જે તેમને પેટ ભરે છે અને વજન નિયંત્રણના લક્ષ્યોમાં ફાળો આપી શકે છે. તે ખનિજોનો સારો સ્ત્રોત છે, ખાસ કરીને પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને (ઓછા પ્રમાણમાં) આયર્ન. તે ફોલેટ (વિટામિન B9) નો ખૂબ જ સારો સ્ત્રોત છે, અને જે લોકો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી ફોલેટથી ભરપૂર ખોરાક લે છે તેમના લોહીમાં હોમોસિસ્ટીનનું સ્તર ઓછું હોવાનું કહેવાય છે. જેઓ આ વાતથી વાકેફ નથી, તેમના માટે હોમોસિસ્ટીનનું સ્તર ખરેખર હૃદય અને ધમનીના રોગનું જોખમ વધારે છે.

કાચા બીટરૂટમાં પોષણ
કાચી બીટ એક ઓછી કેલરીવાળી, પોષક તત્વોથી ભરપૂર મૂળ શાકભાજી છે જે ફાઇબર, એન્ટીઑકિસડન્ટો અને આવશ્યક વિટામિન્સથી ભરપૂર છે. 100 ગ્રામ કાચા બીટમાં 43 કેલરી, 9.6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 2.8 ગ્રામ ફાઇબર, 6.8 ગ્રામ શર્કરા, 1.6 ગ્રામ પ્રોટીન અને 0.2 ગ્રામ ચરબી હોય છે. તેમાં 109 µg વિટામિન B9, 4.9 મિલિગ્રામ વિટામિન C, 325 મિલિગ્રામ પોટેશિયમ, 0.8 મિલિગ્રામ આયર્ન અને 23 મિલિગ્રામ મેગ્નેશિયમ પણ હોય છે.