Home Blog Page 431

મણિપુરમાં સરકાર રચવા માટે ભાજપના 8 ધારાસભ્યોએ દાવો કર્યો

0

મણિપુરમાં આજે બુધવારે 10 ધારાસભ્યોએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

રાજ્યપાલને મળેલા ધારાસભ્યોમાંથી ભાજપના 8, એનપીપી અને અપક્ષના એક એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો છે કે તેમને 22 ધારાસભ્યોનું સમર્થન છે. 60 વિધાનસભા બેઠકો ધરાવતા મણિપુરમાં સરકાર બનાવવા માટે 31 સભ્યોની બહુમતી જરૂરી છે.

મણિપુરમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. 9 ફેબ્રુઆરીના રોજ, ભાજપ સરકારનું નેતૃત્વ કરનારા તત્કાલીન સીએમ એન બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. રાજ્યમાં દોઢ વર્ષથી વધુ સમય સુધી ચાલેલી હિંસાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ બિરેન સિંહ પર ખૂબ દબાણ હતું.

3 મે, 2023 થી મણિપુરમાં કુકી-મેઇતેઈ વચ્ચે હિંસા ચાલી રહી હતી. વિરોધ પક્ષો પણ આ મુદ્દે એનડીએને સતત પ્રશ્નો પૂછી રહ્યા હતા. લગભગ 21 મહિના સુધી ચાલેલી વંશીય હિંસામાં 300 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે.

60 બેઠકોવાળી મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે 37 ધારાસભ્યો છે, એટલે કે બહુમતી આંકડા કરતાં 6 વધુ. એનડીએ પાસે કુલ 42 ધારાસભ્યો છે. આમાં નેશનલ પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ) ના 5 ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.

અમેરિકામાં કોરોનાએ પકડી રફ્તાર! એક અઠવાડિયામાં 350 લોકોના મોત

ફરી એકવાર કોરોના વાયરસે માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. ભારત હોય કે અમેરિકા, બંને દેશોમાં કોવિડ-19 ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં નવા દર્દીઓ સામે આવી રહ્યા છે, ત્યારે અમેરિકામાં, કોરોના હજુ પણ દર અઠવાડિયે સેંકડો લોકોના મોત કરી રહ્યો છે. એવું નથી કે પરિસ્થિતિ પહેલા જેવી ભયાનક છે, પરંતુ એ ચોક્કસ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના સંપૂર્ણપણે ગયો નથી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશના વિવિધ ભાગોમાંથી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.

જે બાદ ત્યાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. હાલમાં બધા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જો આપણે આખા દેશની વાત કરીએ તો, એક અઠવાડિયામાં 1000 થી વધુ કેસ નોંધાયા છે. માત્ર આંકડા જ નહીં, કોરોનાને કારણે થયેલા મૃત્યુએ પણ ફરી એકવાર ભય વધાર્યો છે. અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જોકે તે સ્પષ્ટ નથી કે તેમના મૃત્યુનું કારણ ફક્ત કોરોના હતું કે કોઈ અન્ય બીમારી. તેવી જ રીતે, થાઇલેન્ડમાં પરિસ્થિતિ વધુ ખરાબ થતી દેખાય છે, જ્યાં માત્ર એક અઠવાડિયામાં કોરોનાના 50 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

અમેરિકામાં એક અઠવાડિયામાં 350 લોકોના મોત
બીજી તરફ, અમેરિકામાં કોરોના હજુ પણ જીવ લઈ રહ્યો છે, સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, ગયા અઠવાડિયે કોવિડ-19 ને કારણે 350 અમેરિકનો મૃત્યુ પામ્યા હતા. આ સંખ્યા પહેલા કરતા ઓછી છે પણ ચિંતા હજુ પણ યથાવત છે. અમેરિકા, સિંગાપોર અને હોંગકોંગ સહિત એશિયામાં એક નવો સબ-વેરિઅન્ટ NB.1.8.1 ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે, આ પ્રકાર ઝડપથી ફેલાય છે, જોકે તેની ગંભીરતા વિશે સંશોધન હજુ પણ ચાલુ છે.

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

પીએમ મોદીની મુલાકાત દરમિયાન બંદોબસ્તમાં રહેલા હોમગાર્ડનું હાર્ટ એટેકથી મોત

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંદૂર સન્માન યાત્રા દરમિયાન બંદોબસ્તમાં તૈનાત 29 વર્ષીય હોમગાર્ડ જવાન નિતેશભાઈ જરીયાનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું. આ ઘટનાએ પરિવાર અને સમાજમાં શોકનું મોજું ફેલાવ્યું. નિતેશના પરિવારને આર્થિક સહાય અને નોકરીની ખાતરી આપવામાં આવી, જે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગની સંવેદનશીલતા દર્શાવે છે.

સોમવારે સવારે 8 વાગ્યે કિશનવાડી વિસ્તારમાં ફરજ દરમિયાન નિતેશને છાતીમાં દુખાવો થયો અને તેઓ બેહોશ થયા. સાથી કર્મચારીઓ તેમને સયાજી હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહી. નિતેશ લક્ષ્મીપુરા ગામના રહેવાસી હતા અને તેમની પત્ની ઘરકામ કરે છે, જ્યારે તેમનું એક વર્ષનું સંતાન છે. તેમના ભાઈ નિલેશે જણાવ્યું કે નજીકની હોસ્પિટલમાં સમયસર સારવાર મળી હોત તો નિતેશનો જીવ બચી શક્યો હોત.

ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, કિશનવાડીથી સીધા નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હોત તો આજે જીવ બચી ગયો હોત. પરંતુ તેમને સીધા સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવતા સમય બગડ્યો હતો, જેના કારણે આ દુઃખદ પરિણામ આવ્યું. સમગ્ર ઘટનાએ તંત્રની વ્યવસ્થાઓ પર પણ સવાલ ઉભા કર્યા છે.

વક્ફ એક્ટ-1995 સામે સુપ્રીમ કોર્ટમાં પડકાર, કેન્દ્ર અને રાજ્યોને નોટિસ જારી

0

સુપ્રીમ કોર્ટે મંગળવારે વક્ફ એક્ટ, 1995 ને પડકારતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચે દિલ્હીના રહેવાસી નિખિલ ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ ફટકારી છે. તેને એડવોકેટ હરિ શંકર જૈન અને અન્ય એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજી સાથે જોડવામાં આવ્યું હતું.

આટલા વર્ષો પછી હવે પડકાર કેમ આપવામાં આવી રહ્યો છે – કોર્ટ
વકફ કાયદામાં તાજેતરના સુધારાઓને પડકારતી રિટ અરજીઓની સુનાવણી કરતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ મસીહની બનેલી બેન્ચે અગાઉ પૂછ્યું હતું કે આટલા વર્ષો પછી હવે ૧૯૯૫ના કાયદાને કેમ પડકારવામાં આવી રહ્યો છે.

વકીલે કહ્યું- મને હાઈકોર્ટ જવાનું કહેવામાં આવ્યું હતું
અરજદાર હરિ શંકર જૈન વતી હાજર રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને સમજાવવાનો પ્રયાસ કર્યો કે અરજદારોએ ઘણા સમય પહેલા જ 1995ના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી ચૂક્યા છે. તેમને હાઈકોર્ટમાં જવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ બેન્ચ સંમત થઈ ન હતી.

ભૂતપૂર્વ CJI સંજીવ ખન્નાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી
મંગળવારે પણ, સુપ્રીમ કોર્ટની બેન્ચે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયને પૂછ્યું કે તેમણે હવે 1995ના કાયદાને પડકારતી અરજીઓ પર શા માટે વિચાર કરવો જોઈએ. આ અંગે એડવોકેટ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ CJI સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને કેવી વિશ્વનાથનની બેન્ચે વકફ (સુધારા) 2025ના કેસોની સુનાવણી કરી હતી, તે પહેલાં CJI ગવઈની આગેવાની હેઠળની બેન્ચે ભૂતપૂર્વ CJI ખન્નાની નિવૃત્તિ પછી કાર્યભાર સંભાળ્યો હતો. કોર્ટે પહેલાથી જ 1995ના કાયદાને પડકારતા કેસોની અલગથી સુનાવણી કરવા સંમતિ આપી હતી અને 2025ના સુધારાને પડકારનારાઓને તેના પર તેમના જવાબો દાખલ કરવાની મંજૂરી આપી હતી.

કોર્ટે અરજી પર સુનાવણીની મંજૂરી આપી ન હતી
મંગળવારે કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે કોર્ટે 1995ના કાયદાને પડકારતી અરજીને 2025ના સુધારાને પડકારતી અરજીઓ સાથે સાંભળવાની મંજૂરી આપી નથી. જોકે, ભાટીએ કહ્યું કે જો ઉપાધ્યાયની અરજીને જૈન દ્વારા 1995ના કાયદાને પડકારતી બીજી અરજી સાથે જોડવામાં આવે તો કોઈ વાંધો નથી.

છત્તીસગઢ: બસવરાજુના એન્કાઉન્ટર બાદ 18 નક્સલીઓનું આત્મસમર્પણ

0

છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં ચાર ખતરનાક નક્સલવાદી સહિત 18 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ 39 લાખ રૂપિયાનું ઈનામ છે. સુરક્ષા દળોએ બીહડા જંગલોમાં કેમ્પ લગાવતા તેમજ કાર્યવાહી કરતા નક્સલીઓમાં દહેશત ફેલાઈ ગઈ છે. પોલીસ એન્કાઉન્ટરમાં મોત થવાના ડરથી 18 નક્સલીઓએ હિંસાનો રસ્તો છોડી સુકમાના પોલીસ અધિક્ષક અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે.

પોલીસના જણાવ્યા મુજબ, સરેન્ડર કરનારા બે નક્સલીઓ પર 8-8 લાખ રૂપિયા, એક પુરુષ અને એક મહિલા નક્સલી પર 5-5 લાખ રૂપિયા, છ પુરુષ નક્સલીઓ પર 2-2 લાખ રૂપિયા અને એક પુરુષ નક્સલી પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયેલું છે. નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળોએ 21 મેએ મોટું ઓપરેશન પાર પાડી નક્સલરાજનું મોટું માથું ‘બસવરાજૂ’ સહિત 27 નક્સલીઓને ઠાર કર્યા હતા.

સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે કહ્યું કે, સરેન્ડર કરનારા નક્સલીઓમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ લોકો નક્સલી સંગઠન છોડીને સમાજની મુખ્યધારામાં જોડાવા માટે સરેન્ડર કરી દીધું છે. તેઓએ પોલીસ, CRPF, કોબરા બટાલિયન સમક્ષ હથિયારો વગર સરેન્ડર કરી દીધું છે. આ તમામ લોકોને છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિનો લાભ આપવામાં આવશે.

ભાજપની મોટી કાર્યવાહી: ધારાસભ્ય શિવરામ હેબ્બરને પાર્ટીમાંથી નિકાળ્યા

0

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય શિસ્ત સમિતિએ ધારાસભ્ય એ શિવરામ હેબ્બરને છ વર્ષ માટે ભાજપમાંથી હાંકી કાઢ્યા છે. તમને જણાવી દઈએ કે શિવરામ હેબ્બર પર પક્ષ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. ભાજપમાં જોડાતા પહેલા શિવરામ હેબ્બર કોંગ્રેસમાં હતા. શિવરામ હેબર એ 17 બળવાખોર કોંગ્રેસના ધારાસભ્યોમાંના એક હતા જેમને 2019 માં જેડીએસ-કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારને તોડી પાડવા માટે ભાજપમાં લાવવામાં આવ્યા હતા.

અમૃતસરમાં અચાનક ધમાકો, બોમ્બ મુકનાર વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

0

પંજાબના અમૃતસર બાયપાસ પર મંગળવાર સવારે એક મોટો ધમાકો થયો હતો. ત્યાર બાદ આજુબાજુના લોકો એકઠા થયા અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે શખ્સ બોમ્બ નાખવા આવ્યો હતો, તેના જ હાથમાં ફાટી ગયો હતો. આ ઘટના બાદ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

શું છે આખો મામલો?
આજે સવારે 9 થી 9:15 વાગ્યાની વચ્ચે મજીઠા રોડ બાયપાસ પર વિસ્ફોટ થયો હતો. ઘાયલ વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર છે. આ માણસ આ બધું લઈને ક્યાં જઈ રહ્યો હતો તે ખબર નથી.

સ્થાનિક લોકો શું કહે છે?
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સવારે અમૃતસરના મજીઠા બાયપાસ રોડ પર બોમ્બ જેવી વસ્તુના વિસ્ફોટના સમાચાર મળ્યા હતા, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. નજીકના લોકોના મતે, આ વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે આસપાસનો વિસ્તાર ધ્રુજી ગયો હતો.

મુંબઈમાં મેઘરાજાનું તાંડવ, જનજીવન પર ભારે અસર, રેડ એલર્ટની ચેતવણી

0

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવારે 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને અનરાધાર વરસાદે મુંબઈને જળબંબોળ કરી દીધું ત્યારે આજે પણ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને જનજીવન ખોરવાયું છે. દક્ષિણ મુંબઈના નરિમાન પોઈન્ટ ખાતે એક કલાકમાં 104 મિમિ વરસાદ નોંધાયો હતો. હવમાન ખાતાએ આજ માટે પણ આગાહી કરી છે અને શહેરને રેડ એલર્ટ આપ્યું

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં નોંધાયેલા વરસાદે મે મહિનામાં છેલ્લા 107 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એટલું જ નહીં આ વરસાદ છેલ્લા 75 વર્ષમાં સૌથી વહેલું ચોમાસુ પણ લઈને આવ્યો છે. 190ની શરૂઆતમાં મુંબઈમાં ચોમાસુ આટલું વહેલું આવી ગયું હતું.

મુંબઈમાં ભરતીનું એલર્ટ
મુંબઈના દરિયાકાંઠે 12.13 કલાકે 4.88 મીટરની ઊંચી ભરતી અને 23.56 કલાકે 4.18 મીટરની ઊંચી ભરતી આવવાની શક્યતા છે, જ્યારે બીજા દિવસે, 28 મેના રોજ, 18.13 કલાકે 1.60 મીટરની નીચી ભરતી અને 0.03 મીટરની નીચી ભરતી આવવાની શક્યતા છે.

મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ
આજે માટે, IMD એ રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુર અને સતારા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત રાયગઢ, પુણે, બીડ, હિંગોલી, નાંદેડ અને પરભણી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈ, થાણે, જલગાંવ, નાસિક, અહિલ્યાનગર, સાંગલી, જાલના અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

એક જ પરિવારના 7 સભ્યોના મૃતદેહ કારમાં મળ્યા, સામૂહિક આપઘાતથી ચકચાર

0

હરિયાણાના પંચકૂલામાં સોમવારે મોડી રાત્રે સામૂહિક આપઘાતના કારણે ચકચાર મચી છે. મૂળ ઉત્તરાખંડના પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા. આશંકા છે કે દંપતી, તેમના ત્રણ બાળકો અને બે વૃદ્ધોએ એકસાથે ઝેર ખાઈને આપઘાત કર્યો છે.

ઘટનાની જાણ થતાં જ તમામને સૌપ્રથમ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં એક જ વ્યક્તિને છોડી તમામને મૃત જાહેર કરવામાં આવ્યા. જે બાદ જે વ્યક્તિ બચી ગઈ હતી તેણે પણ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો. પંચકૂલા પોલીસના ડીસીપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. FSLની ટીમ દ્વારા તમામ પૂરાવા એકત્ર કરવામાં આવ્યા છે.

સ્થાનિક રહેવાસીએ જણાવ્યું, “હું તે માણસ પાસે ગયો અને તેને તેના ઠેકાણા વિશે પૂછ્યું. તેણે મને કહ્યું કે તેનો પરિવાર બાગેશ્વર ધામથી પાછો ફરી રહ્યો છે. તેમને કોઈ હોટેલ મળી નહીં અને તેમણે કારમાં રાત વિતાવવાનું નક્કી કર્યું ત્યાર બાદ તેણે કહ્યું કે કારમાં બધા મરી ગયા છે અને હું પણ 5 મિનિટમાં મરી જઈશ. આ પછી તે માણસે કારમાં નજર નાખી તો અંદર 6 લાશ પડેલી દેખાય ત્યાર બાદ તેણે પોલીસને એલર્ટ કર્યું હતું.

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈટ નોટ મળી છે જેમાં સામૂહિક આપઘાતનું કારણ લખાયેલું હતું. પરિવારે ભારે દેવાના કારણે આત્મહત્યા કરી હતી. દેવું હદ બહાર જતાં રહેતાં ભરપાઈ શકે તેવો કોઈ માર્ગ જ રહ્યો નહોતો તેથી પરિવારને મોત વ્હાલું લાગ્યું અને બધાએ ભેગા મળીને ઝેર પી લીધું. પ્રવિણ મિત્તલે થોડા સમય પહેલાં દેહરાદૂનમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો શરુ કર્યો હતો પરંતુ તેમાં પણ કંઈ ન વળ્યું અને દેવું હદ બહાર જતાં રહ્યું હતું.

ઓડિશામાં એલેપ્પી એક્સપ્રેસ પર પથ્થરમારો, ત્રણ આરોપીઓની ધરપકડ

0

ઓડિશાના સંબલપુર જિલ્લામાં ફરી એકવાર ટ્રેન પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં, ખેત્રજાપુરના તાલભાટાપાડા વિસ્તારમાં એલેપ્પી એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ખેતરાજપુર અને તાલભાતાપાડા વચ્ચે ટ્રેન થોડા સમય માટે રોકાઈ હતી. લીલો સિગ્નલ ન મળવાને કારણે ટ્રેન રોકી દેવામાં આવી હતી.

આ દરમિયાન, પરિસ્થિતિનો લાભ લઈને ત્રણ યુવાનોએ ટ્રેનના એક જનરલ ડબ્બા પર પથ્થરમારો કર્યો. જોકે, આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયાના અહેવાલ નથી, પરંતુ મુસાફરોમાં ચોક્કસ ગભરાટનું વાતાવરણ હતું. ટ્રેન રોકાતાની સાથે જ અચાનક પથ્થરમારાથી અરાજકતા મચી ગઈ. સદનસીબે પથ્થરો કોઈ મુસાફરને ન વાગ્યા અને મોટી દુર્ઘટના ટળી ગઈ.

પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
ઘટનાની માહિતી મળતા જ રેલ્વે પ્રોટેક્શન ફોર્સે તાત્કાલિક કાર્યવાહી કરી અને કેસ નોંધ્યો. આ પછી આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી હતી. આરપીએફની તપાસમાં આ ઘટનામાં ત્રણ યુવાનો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. બધાની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા યુવાનો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી ઘટનાઓ રેલ્વે મુસાફરોની સલામતી માટે ગંભીર ખતરો છે અને તેને કોઈપણ સંજોગોમાં સહન કરી શકાતી નથી.