Home Blog Page 395

પુરીમાં રથયાત્રા દરમ્યાન આશરે 600થી વધુ લોકોની તબિયત બગડી

0

ઓડિશાના પુરીમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા દરમ્યાન ભીષણ ગરમી અને ભીડને કારણે આશરે 625 લોકો બીમાર પડી ગયા હતા અને અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ રથયાત્રા દરમ્યાન અનેક લોકોએ મામૂલી ઇજા, ઊલટી અને બેભાન થવાની ફરિયાદ કરી હતી અને એનું મુખ્ય કારણ મોટી જનમેદનીની સ્થિતિ હતી, એમ પુરીના મુખ્ય જિલ્લાધિકારી (CDMO) ડો. સતપથીએ જણાવ્યું હતું.

આ વર્ષે પુરીમાં રથયાત્રામાં એક તરફ ભારે ગરમી હતી અને બીજી તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા. આ બંને કારણોસર ઘણાં શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા અને કેટલાક બેભાન પણ થઈ ગયા હતા. આ ઉપરાંત, ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને એક વળાંક પર ખેંચવામાં ઘણી મુશ્કેલી પડી હતી, જેના કારણે શોભાયાત્રા ધીમી પડી ગઈ હતી. આ રથ થંભી જવાથી મોટી સંખ્યામાં ભક્તો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. વિશાળ ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની આઠ કંપનીઓ સહિત લગભગ 10,000 સુરક્ષા કર્મચારીઓને શહેરમાં તહેનાત હતા. ઓડિશાના DGP વાય.બી. ખુરાનિયાએ જણાવ્યું હતું કે, ‘અમે રથયાત્રાના સુચારુ સંચાલન માટે દરેક શક્ય વ્યવસ્થા કરી છે. રથયાત્રા પર 275 થી વધુ AI-સક્ષમ CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ફિલિપાઇન્સમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતા

ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, શનિવારે વહેલી સવારે ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ શનિવારે સવારે 04:37 વાગ્યે (ભારતીય સમય) આવ્યો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું તે જાણો છો?
આ ભૂકંપનું કેન્દ્ર અને ઊંડાઈ ફિલિપાઇન્સના મિંડાનાઓમાં જમીનથી ૧૦૫ કિલોમીટર નીચે હોવાનો અંદાજ છે. NCS એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે આ ભૂકંપ અક્ષાંશ: 5.28 ઉત્તર, રેખાંશ: 126.08 પૂર્વ પર આવ્યો હતો.

લોકો ડરના કારણે ઘરની બહાર નીકળી ગયા
રિક્ટર સ્કેલ પર 6.0 ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. શું ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાન થયું છે? પ્રારંભિક માહિતીમાં હજુ સુધી તે જાણી શકાયું નથી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

રાજસ્થાનના દૌસામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ચારના મોત

0

રાજસ્થાનના દૌસામાં મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. ડીએસપી રવિ પ્રકાશે જણાવ્યું કે નેશનલ હાઈવે પર ઈલેક્ટ્રિક ચાર રસ્તા પાસે એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. કારમાં સવાર તમામ ચાર લોકો, ત્રણ મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તપાસના આદેશ આપ્યા છે.

૨૮ જૂન, ૨૦૨૫ / શનિવારના દિવસે આ રાશિના જાતકોને કામમાં આવશે વારંવાર વિધ્ન, આર્થિક રીતે પણ પડશે ફટકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. માતૃસુખમાં વઘારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભઃ

કરેલા કાર્યમાં સફતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ

વાણી ચાતૃર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઇ બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શકિત ધટે. થાક લાગે.

કર્કઃ

મિત્ર વર્તુળમાં વધારો થાય. માનમાં ચંચળતા રહે. કોઇ વ્યકિત આપનો ગેરલાભ ન ઉઠાવી જાય અે સાચવવું. પ‌ત્નિ સાથે સંબંધો ઉષ્મપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિધાર્થીમિત્રોને સફળતાય કાપડના ધંધામાં પ્રગતિ આવક વધશે.

કન્યાઃ

બેંક વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યકિતનો સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલાઃ

આળસને કારણે મળેલી તર ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનત ના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ

ભાગ્યના બળે આવકમાં વૃધ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના ભાઇ બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત થી લાભ. ટાયર, ટુબલ, કલર કેમીકલના ધંધા માટે શુભ.

ધનઃ

માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વધતા જણાય. શરદી ખાંસીનો પ્રકોપ વધે. જળાશયો તી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી ધંધામાં શાંતિ થી દિવસ પસાર કરવા. ભાગવાન શિવ ની ઉપાસના થી લાભ થાય.

મકરઃ

ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ, તથા વિશાળ મન રહેશે. ભકિતમાં મન પરોવાશે. ઓફીસ , સ્ટેશનરી જયોતિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું નિવારણ થાય. જીવન સરળ બને. અેકાદ યાત્રા કે ફાર્મિક સ્થળથી મુલાકાત થાય.

કુંભઃ

જોમ જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેતી રહેવું. આવક ધટતી જણાય. કુટંુબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણો થી ફાયદો મળતો જમાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવંુ.

મીનઃ

અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિ થી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

ભગવાન જગન્નાથ રથયાત્રામાં રંગબેરંગી ઝાંખીઓએ મંત્રમુગ્ધ કર્યા, શહેર ભક્તિમય બન્યું

સુરતમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. બપોરે 2:30 કલાકે સુરતના રેલ્વે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં પૂજા વિધિ બાદ ભગવાનના રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયો હતો.

સુરતના સ્ટેશન રોડથી ટેક્સટાઇલ માર્કેટ રીંગરોડ અને મજૂરા ગેટ થઈ ઇસ્કોન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. મેયર દક્ષેશભાઈ માવાણીસહિતના મહાનુભાવોએ ભગવાનની વિધિ કરી હતી. ત્યારબાદ ભગવાનના રથ પહેલા રસ્ત્તાઓ સાફ કર્યા હતા. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચરીયાએ આજની કર્યા છે. ત્યારે ભગવાનના એક દર્શન કરવા માટે ભક્તો આતુર જોવા મળ્યા હતા.

ભગવાનની 21 લીલાઓના ટેબ્લો તૈયાર કરાયા
રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે. ત્યાં પૂરતો બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જેથી કરી રથયાત્રામાં કોઈ અડચણ ઊભી ન થાય આ વખતે ઇસ્કોન મંદિર દ્વારા યોજાયેલી રથયાત્રામાં ભગવાનની 21 લીલાઓના ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ભગવાનની વિવિધ ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવી છે. આ ઉપરાંત મોટી બેન્ડ પાર્ટી ઘોડા અને સ્વામીની બગીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભક્તોને બુંદી અને હલવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટ તરફથી આસારામને મોટી રાહત, હંગામી જામીન 7 જુલાઈ સુધી લંબાવાયા

ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે (27 જૂન)ના રોજ દુષ્કર્મ કેસ મામલે આસારામને મોટી રાહત આપી છે. કોર્ટે તેની કામચલાઉ જામીનને 7 જુલાઈ સુધી લંબાવી દીધા છે. આ કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

જસ્ટિસ ઇલેશ વોરા અને સંદીપ ભટ્ટની ખંડપીઠે અરજીની સુનાવણી દરમિયાન આસારામના હંગામી જામીનને ત્રણ મહિના લંબાવી દીધા હતા, જે અગાઉ 28 માર્ચે આપવામાં આવ્યા હતા. તે જામીન 30 જૂને પૂરા થઈ રહ્યા હતા.

વકીલે શું કહ્યું?
86 વર્ષીય આસારામ સ્વાસ્થ્ય સંબંધિ સમસ્યાને લઈને જામીન પર છે. જામીન એટલા માટે વધારવામાં આવ્યા છે જેથી તેમનો વકીલ અરજીમાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી શકે. આ મામલા પર આગામી સુનાવણી 2 જુલાઈએ થશે.

આસારામના વકીલે દસ્તાવેજો જમા કરવા માટે વધુ થોડા દિવસનો સમય માગતા દાવો કર્યો કે કોર્ટે 28 માર્ચે હંગામી જામીન આપ્યા બાદ જોધપુર હાઇકોર્ટમાંથી આદેશ મળવાની પ્રક્રિયાને કારણે 10 દિવસ બરબાદ થઈ ગયા હતા અને આસારામને 9 એપ્રિલે છોડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, ‘તેથી હું બે દિવસનો સમય આપવા વિનંતી કરું છું જેથી જો સોમવારે આ મામલે સુનાવણી થાય, તો હું દસ્તાવેજો રૅકોર્ડ પર રાખી શકું અને તેને વેરિફાઇ કરી શકું.’

કોર્ટે શું કહ્યું?
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ‘વર્તમાન મામલાના વિશિષ્ટ તથ્યો, ખાસ કરીને નાલસા (નેશનલ લિગલ સર્વિસ ઓથોરિટી)થી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, અમે અસ્થાયી જામીનને 7 જુલાઈ સુધી લંબાવી રહ્યા છીએ.’

હાઇકોર્ટે 28 માર્ચે આસારામને ત્રણ મહિના માટે હંગામી જામીન આપ્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલા વચગાળાના જામીન 31 માર્ચે પુરા થઈ રહ્યા હતા. ઉચ્ચ ન્યાયાલયની એક ખંડપીઠે વિભાજિત ફેંસલો સંભળાવ્યો હતો. ત્યારબાદ આ મામલાને ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો, જેમણે આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન આપવાના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે.

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થિની પર ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ

0

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થિની સાથે થયેલી બળાત્કારની ઘટના હૃદયદ્રાવક હતી. આ ઘટના અંગે ડોક્ટરોએ ખૂબ વિરોધ કર્યો હતો. આ ઘટનાને એક વર્ષ પણ થયું નથી ત્યાં ફરી એકવાર કોલકાતાની એક શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થિની સાથે બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરની એક લો કોલેજમાં એક વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર થયો છે. ટાઉન પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને તે જ સંસ્થાના બે કર્મચારીઓનો સમાવેશ થાય છે. પોલીસ આરોપીઓની પૂછપરછમાં વ્યસ્ત છે.

પશ્ચિમ બંગાળમાં વધુ એક વખત દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં સ્થિત સાઉથ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થિની પર ગેંગરેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કોલેજ કેમ્પસમાં બની હતી. પીડિતાની ફરિયાદ બાદ કસ્બા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બે વર્તમાન વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આરોપીની ઓળખ થઈ ગઈ
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મોનોજીત મિશ્રા (31 વર્ષ), જે કોલેજના ભૂતપૂર્વ યુનિટ પ્રમુખ હતો. ઝૈબ અહેમદ (19 વર્ષ) અને પ્રમિત મુખર્જી ઉર્ફે પ્રમિત મુખોપાધ્યાય (20 વર્ષ) તરીકે થઈ છે. મિશ્રા અને અહેમદની 26 જૂનના રોજ સાંજે તાલબાગન ક્રોસિંગ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રમિતને 27 જૂનના રોજ રાત્રે 12:30 વાગ્યે તેના ઘરેથી પકડવામાં આવ્યો હતો. ત્રણેયના મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. કોર્ટે ત્રણેય આરોપીઓને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

મમતા સરકાર પર વિપક્ષનો તીખો હુમલો
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આ ઘટના અંગે મમતા સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “રથયાત્રા માટે આખી કોલકાતા પોલીસને દિઘા મોકલવામાં આવી છે. મુખ્યમંત્રીને હવે તેમના પદ પર રહેવાનો અધિકાર નથી. અમે આ મુદ્દો ઉઠાવીશું.”

મહેસાણા દૂધસાગર ડેરી બોર્ડ મિટિંગમાં હોબાળો, વાઈસ ચેરમન પર હુમલો

મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઈસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ હુમલો કર્યાની માહિતી સામે આવી છે. આ હુમલામાં યોગેશ પટેલની સોનાની ચેઈન અને ચશ્મા તોડી નાંખ્યા હતા. જેના પગલે વાઈસ ચેરમેન યોગેશ પટેલે મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી છે.

સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
દૂધસાગર ડેરીની મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ પર ચેરમેન અશોકભાઈ ચૌધરી અને દિલીપભાઈ ચૌધરી એ હુમલો કરીને મારામારી કરી સોનાની ચેન અને ચશ્મા તોડી નાંખ્યા. મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરાઈ.

આ મામલે દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલે એક વીડિયો પણ શેર કર્યો છે અને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી છે. વીડિયોમાં યોગેશ પટેલના હાથમાં તેમના તૂટેલા ચશ્મા અને તુટેલી સોનાની ચેન સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યાં જ વીડિયોમાં તેઓ પોતાના પર થયેલા હુમલાની સમગ્ર ઘટના વર્ણવી રહ્યા છે.

મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયાની જાણકારી દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલે પોતે આપી છે. તેમણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે,”હું દૂધસાગર ડેરીમા વાઈસ ચેરમેન યોગેશ પટેલ, આજે અમારી બોર્ડ બેઠક હતી અને તેમાં મેં પ્રશ્નોત્તરી હતી. જે દરમિયાન મારી પાસે કેટલાક મુદ્દા હતા. જે મેં ચેરમેન અને એમડીને મારે પૂછવાના હતા. જેથી મેં મારા મુદ્દાને લઈ પૂછ્યુ જે મુદ્દો સાચો હતો. બેંકનું 1790 કરોડનું રૂપિયાનું દેવું છે, તેઓએ સાગર પત્રિકામાં જે લખાવ્યું છે તે ખોટું છે.”

વધમાં વાઇસ ચેરમેન યોગેશ પટેલ કહ્યું કે,”બેંકોનું 1790 કરોડ રૂપિયાનું દેવું ડેરી પર છે જે મેં પૂછતા દૂધસાગર ડેરીના ચેરમેન અને એમડી મારા પર ખિજાયા હતા, જે બાદ અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ મારા પર હુમલો કર્યો હતો. અગાઉ પણ આ લોકોએ મને ધમકી આપી હતી. જોકે હું ભારતીય જનતા પાર્ટીનો એક સૈનિક અને કાર્યકર્તા છું. હું પણ પટેલનો દીકરો છું અને સામો જવાબ પણ આપી શકું છું પરંતુ મારી પાર્ટીની છબી ખરડાય નહીં માટે મેં તેઓને વળતો જવાબ આપ્યો નહીં પરંતુ બાદમાં મેં મહેસાણા ખાતે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી તેઓ વિરૂદ્ધ ફરિયાદ માટે અરજી આપી દીધી છે.”.

હવામાન વિભાગનો રેઈન અલર્ટ: આગામી 24 કલાકમાં 215 તાલુકામાં ભારે વરસાદની શક્યતા

રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 27 જૂનના રોજ સવારે 6 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

નવ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ
વધુમાં, ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં 3 ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ 21 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 40 તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને 133 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે.

ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.7 ટકા સરેરાશ વરસાદ
નોધાયો છે.

આ જિલ્લાઓમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ
આ સિવાય મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત અને ડાંગમાં પણ ગાજવીજ સાથે છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આવતીકાલે શનિવારે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. શનિવારે દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ અને બનાસકાંઠામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, પાટણ, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં સતત વરસાદી માહોલ છે. અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

કર્ણાટક: એમએમ હિલ્સ અભયારણ્યમાં પાંચ વાઘોના શંકાસ્પદ મોત, ઝેર આપવાનો અનુમાન

0

કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં આવેલા નર મહાદેશ્વર હિલ્સ વન્યજીવન અભયારણ્યમાં પાંચ વાઘ મૃત હાલતમાં મળી આવ્યા છે. આમાં એક માતા અને ચાર બચ્ચાનો સમાવેશ થાય છે. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ આ ચાર વાઘના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે. એવી શંકા છે કે આ પાંચ વાઘ ઝેરના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે, વન વિભાગનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ બધી પ્રક્રિયાઓ અને પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.

મધ્યપ્રદેશ પછી કર્ણાટકમાં વાઘની સંખ્યા બીજા ક્રમે છે. અહીં વાઘની સંખ્યા 563 છે. વન્યજીવો સાથે વધતા સંઘર્ષને કારણે, ખાસ કરીને વાઘ દ્વારા પશુઓ પર હુમલો કરીને ખાઈ જવાને કારણે, ગામલોકો ઘણીવાર ઝેર અને ફાંસોનો ઉપયોગ કરીને તેમને મારવાનો પ્રયાસ કરે છે. વન વિભાગની ટીમે મૃત વાઘના નમૂના લીધા છે અને તેમને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ એકસાથે 5 વાઘના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.

વન અધિકારીઓએ જણાવ્યું હતું કે વાઘણ થોડા દિવસ પહેલા એક ગાયને મારી નાખી હતી. એવું માનવામાં આવે છે કે આ વાઘણને ઝેર આપીને મારી નાખવામાં આવી છે. તેમને થોડો ખોરાક આપવામાં આવ્યો હતો જેમાં ઝેર આપવામાં આવ્યું હોઈ શકે છે. ઝેરી ખોરાકથી વાઘણ અને તેના બચ્ચાં મરી ગયા.

વનમંત્રી ઈશ્વર ખાંડ્રેએ કહ્યું, ‘એમએમ હિલ્સમાં પાંચ વાઘના મોત થયા છે અને તે ખૂબ જ દુઃખદ છે. એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત્યુ પામ્યા. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. મેં વન વિભાગના વડાનો સંપર્ક કર્યો છે અને આ મામલાની ગંભીર તપાસના આદેશ આપ્યા છે.’