Home Blog Page 392

ભારતમાં વાઘો પર સંકટ: અડધા વર્ષમાં 107 વાઘોનું જીવ ગુમાવવું પડ્યું

0

દેશમાં વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં જ 107 વાઘના મોત થયા છે. આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે અને પાંચ વર્ષમાં સૌથી વધુ છે. આ 107 મોતમાં વાઘના 20 બચ્ચા પણ સામેલ છે, જે ભવિષ્યમાં વાઘની વસ્તી માટે ગંભીર ખતરાના સંકેત આપે છે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં દેશમાં 666 વાઘ મૃત હાલતમાં મળી આવ્યા છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ કામ કરતી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના આંકડા મુજબ વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં 107 વાઘના મોત થયા હતા, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં 76 વાઘના મોત થયા હતા. આ છ મહિનામાં સૌથી વધુ વાઘના મોત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં નોંધાયા હોવાનું આંકડા દર્શાવે છે. મહારાષ્ટ્રમાં 28 વાઘના મોત થયા છે, જ્યારે મધ્ય પ્રદેશમાં 29 વાઘે જીવ ગુમાવ્યો છે.

મંત્રાલયે તપાસના આદેશ આપ્યા
કર્ણાટક અને આસામમાં 10-10 વાઘના મોત થયા છે, જ્યારે કેરળ અને ઉત્તરાખંડમાં 9 વાઘના મોત થયા છે. આ વર્ષે જે 107 વાઘના મોત થયા હતા, તેમા 20 વાઘના બચ્ચા હતા. આંકડાઓ અનુસાર, આ વર્ષે વન્યપ્રાણી અભયારણ્યોની બહાર 60 વાઘના મોત થયા છે જ્યારે 47 વાઘ અભયારણ્યની અંદર મૃત હાલતમાં મળી આવ્યા છે. 26 જૂને કર્ણાટકના એમએમ હિલ્સની હ્યુજિયમ રેન્જમાં એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને આ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે.

તંત્રની નિષ્ફળતાનો કોંગ્રેસનો અનોખો વિરોધ: ખાડાઓમાં લટકાવ્યા ભાજપના ઝંડા

સુરત શહેરમાં પહેલા જ વરસાદે નગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ સામે હવે સ્થાનિક લોકોના સહેના બંધનો ટૂટી રહ્યાં છે. આ સ્થિતિ સામે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રવિવારના રોજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓને ભાજપા શાસિત તંત્રની નિષ્ફળતા કહીને તેમાં ભાજપના ઝંડા લગાવ્યા હતા.

પહેલા વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું! મસમોટા ખાડાઓથી લોકો હેરાન
સુરતમાં ખાબકેલા મુશળધાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી અને માલ-સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખાડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનાં કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે, વરસાદી પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું.

પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન
પહેલા જ વરસાદમાં રસ્તાઓ ઉબડ-ખાબડ બન્યા છે જે લોકો માટે માથાનો દુઃખાવો સાબિત થયા છે. તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવા વાહન ચાલકોએ માગ ઉચ્ચારી છે. ત્યારે હવે, આ મામલે કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.

પર્વત પાટિયા ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે. ઢોલ-નગારા સાથે કોંગ્રેસ દ્વારા ‘ખાડા મહોત્સવ’ નું આયોજન કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ ખાડા વચ્ચે ગરબા ગાઈને અને એકબીજાને મીઠાઈ ખવડાવી ‘ખાડા મહોત્સવ’ની ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, સુરતનાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી જનતા હેરાન-પરેશાન છે. તંત્રનાં બહેરા કાને આવાજ પહોંચાડવા ઢોલ નગારા સાથે ‘ખાડા મહોત્સવ’નું આયોજન કર્યું છે.

ઇન્ડોનેશિયાના બાલીમાં 65 લોકોને લઈ જતી બોટ ડૂબી જતાં 4 લોકોના મોત, 43 ગુમ

ઈન્ડોનેશિયાના એક મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળ બાલી નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બુધવારે (02 જુલાઈ) રાત્રે લગભગ 65 પર્યટકોને ટાપુ પર લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચારના મૃત્યુ નીપજ્યાં છે, 38 ગુમ છે અને 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

બોટમાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા
અહેવાલો અનુસાર, બોટના મેનિફેસ્ટ ડેટામાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. સુરાબાયા સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવાથી દૂર લોકપ્રિય રજા સ્થળ તરફ જતી વખતે બોટ બાલી સ્ટ્રેટમાં ડૂબી ગઈ હતી. આ બોટમાં 14 ટ્રક સહિત 12 વાહનો પણ હતા.

ગુજરાતમાં મેઘરાજાનું આગમન: આજે 12 જિલ્લામાં ધમાકેદાર વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. રોજે રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ વરસાદ પણ પોતાનો રંગ બતાવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ગાંધીનગર સહિત 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે 3 જુલાઈ 2025, ગુરુવારના દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, મહિસગાર, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં અહીં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સહિત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષના બંગલો પર CBIની રેડ: ભ્રષ્ટાચાર અને લાંચના આરોપો

0

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલો પર રેડ કરી છે. આ રેડ અમાન્ય કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે. તેમના પર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો આક્ષેપ છે.

મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે.

મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને GPSCની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે.

બાબા બાગેશ્વરના જન્મદિવસના મંડપનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત, 10 ઘાયલ

0

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ગરહા ગામમાં સ્થિત બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયુ છે. જ્યારે અન્ય 10 ઘાયલ થયા છે. મંડપનો લોખંડનો પાઈપ માથા પર વાગતાં એક શ્રદ્ધાળુનું કમકમાટીભર્યું મોત થયુ હતું.

ગુરૂવારે સવારે સાત વાગ્યે મંગળા આરતી પૂર્ણ થયા બાદ વરસાદ આવતો હોવાથી શ્રદ્ધાળુઓ મંડપ નીચે ઉભા હતાં. ત્યાં અચાનક મંડપ ધરાશાયી થતાં એક શ્રદ્ધાળુના માથા પર લોખંડનો પાઈપ વાગ્યો હતો. મૃતક શ્યામલાલ કૌશલ ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી હતો.

આખરે શું થયું?
બાગેશ્વર ધામ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો યુપીથી આવ્યા હતા. એક ભક્ત જણાવ્યું કે યુપીથી મોટી સંખ્યામાં ભક્તો બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. સવારની આરતી પછી અચાનક વરસાદ શરૂ થયો, તેથી ભક્તો પોતાને બચાવવા માટે પંડાલ નીચે ભેગા થયા. તંબુ જેવા પંડાલ પર ઘણું પાણી જમા થઈ ગયું અને તે નીચે પડી ગયું. પંડાલની રચનામાંથી એક લોખંડનો ખૂણો એક ભક્તના માથામાં વાગ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. અન્ય એક ભક્તને પણ ગંભીર ઈજા થઈ. તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઘાનાનાં રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસીય પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાના પહોંચ્યા. આ તેમની ઘાનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે, જે ભારત અને ઘાનાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં મહત્વનું પગલું છે. અકરાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તેમનું ભવ્ય સ્વાગત થયું, આ ઉપરાંત ઘાનાના રાષ્ટ્ર પ્રમુખ જૉન મહામાએ તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા.

વડા પ્રધાન મોદીનું ઘાનામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં કોટોકા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું સ્વાગત 21 તોપોની સલામી સાથે કરવામાં આવ્યું. રાષ્ટ્ર પ્રમુખ મહામાએ તેમને ‘ઑફિસર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઘાના’ એવોર્ડથી સન્માનિત કર્યા. મોદીએ આ સન્માનને 1.4 અબજ ભારતીયોના નામે સ્વીકાર્યું અને ઘાનાના લોકોનો આભાર માન્યો. તેમણે આ સન્માનને ભારતની સાંસ્કૃતિક વિવિધતા, યુવાઓની આકાંક્ષાઓ અને બંને દેશોના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું.

ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો
જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ ઘાનાની ધરતી પર મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ પોતે એરપોર્ટ પર આવ્યા તે તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. સંયુક્ત નિવેદન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત-ઘાના મિત્રતાનાં કેન્દ્રમાં આપણા સહિયારા મૂલ્યો, સંઘર્ષ અને સમાવિષ્ટ ભવિષ્ય માટેનાં સહિયારા સપના છે, જેણે અન્ય દેશોને પણ પ્રેરણા આપી છે.

ભારતનું આમંત્રણ અને ભવિષ્યની યોજના
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મહામાને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું અને ભારતીય સમુદાય સાથેની મુલાકાત માટે ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે ઘાનાને પશ્ચિમ આફ્રિકામાં લોકશાહીની ‘આશાની કિરણ’ ગણાવી અને બંને દેશોના સામાન્ય મૂલ્યો અને સપનાઓ પર ભાર મૂક્યો. આ યાત્રા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે.

માલીમાં આતંકવાદીઓએ ત્રણ ભારતીયોનું અપહરણ કર્યું, ભારત સરકાર એક્શનમાં

આતંકવાદીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશની બહાર પણ ભારતીયોને નિશાન બનાવી રહ્યા છે. આતંકવાદીઓએ કામની શોધમાં આફ્રિકન દેશ માલી ગયેલા 3 ભારતીયોનું અપહરણ કર્યું છે. ત્રણેય માલીમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે. ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. અપહરણની ઘટના ત્યારે બની જ્યારે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ પશ્ચિમ માલીના કાયેસ ક્ષેત્રમાં સ્થિત ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર એક સાથે હુમલો કર્યો. સ્થાનિક અહેવાલો અનુસાર, બંદૂકધારીઓએ ફેક્ટરી પર હુમલો કર્યો અને ત્યાં કામ કરતા કામદારોને બંધક બનાવ્યા.

માલીમાં આતંકી હુમલો
1લી જુલાઈના રોજ માલીના કાયેસ વિસ્તારમાં આવેલી ડાયમંડ સિમેન્ટ ફેક્ટરી પર સશસ્ત્ર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ત્યાં કામ કરતા ત્રણ ભારતીય નાગરિકોને અજ્ઞાત હુમલાખોરોએ અપહરણ કર્યું. આ ઘટનાની જવાબદારી અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠન ‘જમાત નુસરત અલ-ઇસ્લામ વલ મુસ્લિમીન’ (JNIM)એ લીધી છે, આ સંગઠને માલીમાં અગાઉ પણ ઘતક હુમલા કર્યા છે.

ભારત સરકારની પ્રતિક્રિયા
ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ‘અત્યંત નિંદનીય’ ગણાવીને માલી સરકારને અપહૃત નાગરિકોની સુરક્ષિત મુક્તિ માટે તમામ પગલાં લેવા જણાવ્યું છે. માલીની રાજધાની બમાકોમાં આવેલું ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ, કાયદા અમલીકરણ એજન્સીઓ અને ફેક્ટરીના સંચાલકો સાથે સતત સંપર્કમાં છે. અપહૃત નાગરિકોના પરિવારોને પણ દરેક અપડેટથી વાકેફ રાખવામાં આવી રહ્યા છે.

૦૩ જુલાઈ, ૨૦૨૫: આ રાશિ માટે વર્ક લાઇફમાં સહકર્મીઓનો સપોર્ટ મહત્વપૂર્ણ રહેશે, બચત પર ધ્યાન આપો, વાંચો આજનું રાશિફળ

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજશોખ આનંદનો અનુભવ થાયય પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વખ કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મ‍ળતું જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જણાવાનો યોગ બને છે. વિશ્વાસ ધાત નો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા વાગવાથી થતા વાહન અકસ્માત થી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળ માં વધારો થાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુંનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્સન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમાણ ધટે. વાણીમાં ઉગર્તા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ વિવાદ સંભવે. ધંધા નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિતિ થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયાત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ

નાના ભાઇ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળે. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શકય બને. સાસરા તરફથી લાભ મળતો જણાય. ક્ષાનતતુઓ સંબંધિત રોગ થી સાચવવું.

ધનઃ

આજે આરોગ્ય માં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. અવાકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિ થી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી ખાંસી રહે. આ‌ઇસ‌ક્ર‌ીમ, ઠંડાપીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાના ભાઇ બહેનોના વ્યવહાર થી દુઃખ થાય. કાર્યમાં સફલતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત ના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

જાપાન: ટેક ઓફ થયાના 10 મિનિટમાં પ્લેન 26,000 ફૂટ નીચે આવ્યું બોઇંગ વિમાન

અમદાવાદના પ્લેન ક્રેશ બાદ હવાઇ મુસાફરોની ચિંતામાં વધારો થયો છે. જેમાં હાલમાં જ જાપાનમાં બીજું એક બોઇંગ 737 વિમાન અકસ્માતથી માંડ માંડ બચ્યું છે. આ બોઇંગ વિમાન ચીનથી જાપાનની રાજધાની ટોક્યો જઈ રહ્યું હતું. જ્યારે વિમાને શાંઘાઈથી ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં ખામી સર્જાઈ અને અચાનક નીચે આવવા લાગ્યું.

વિમાનને લગભગ 26 હજાર ફૂટ ઉપરથી પડતું જોઈને મુસાફરોએ તેના પર આખરી સંદેશા લખ્યા. જોકે, અંતે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. જેમાં મીડિયા અહેવાલ અનુસાર આ બોઇંગ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા. જેમાં ક્રૂ સભ્યો સહિત 200 લોકો હતા. મોટાભાગના મુસાફરો ચીનના હતા જેઓ જાપાનના ટોક્યો જઈ રહ્યા હતા.

પ્લેન 10 મિનિટમાં 26000 ફૂટથી નીચે લવાયું
જાપાન સરકારના જણાવ્યા મુજબ કેબિનમાં કંઇક ટેક્નિકલ ખામી આવતા આ સમસ્યા સર્જાઇ હતી. પાયલટે તેને સુધારવાના પ્રયાસો કર્યા. આ દરમિયાન પ્લેન 10 મિનિટમાં 26000 ફૂટથી નીચે લવાયું. શરૂઆતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કેબિનમાં હવાના દબાણને મેન્ટેન રાખનારા પ્રેશરાઇઝેશન સિસ્ટમમાં ફોલ્ટ હોવાની જાણ થતા એલર્ટ આપ્યુ ત્યારે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલરનો સંર્પક કર્યો .

એરલાઇન્સે દુઃખ વ્યક્ત કર્યુ
ફ્લાઇટ નીચે ઉતરતાની સાથે જ એર હોસ્ટેસએ વોર્નિંગ આપી દીધી. વોર્નિંગ સાંભળતા જ ફ્લાઇટમાં અફરાતફરી મચી ગઇ. લોકોમાં ડર જોવા મળ્યો. મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા. કોઇકે તો ગુડ બાય નોટ લખી રાખી. તો કોઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગ્યા. પ્લેન લેન્ડ થયાના એક કલાક સુધી યાત્રીઓને બહાર નહોતા કાઢવામાં આવ્યા. જાપાન એરલાઇન્સે આ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યુ અને 10 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.