Home Blog Page 369

સુરતમાં નકલી શેમ્પૂ બાદ હવે નકલી તમાકુ-પાનમસાલાનું કારખાનું ઝડપાયું!

સુરતમાં નકલી શેમ્પૂના રેકેટ બાદ હવે નકલી પાન-મસાલાનું મોટું કારખાનું ઝડપાયું છે. લસકાણા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવવામાં આવતા હતા. પોલીસે રાત્રિના સમયે ચાલતી આ ફેક્ટરી પર દરોડો પાડી ₹10 લાખના કાચા માલ સાથે એક યુવકની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે.

કંપનીની બાતમી પર પોલીસે રેડ કરી નોઈડા સ્થિત ધર્મપાલ સત્યપાલ લિ. (તુલસી, રજનીગંધા બ્રાન્ડના માલિક) દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ આ ડુપ્લિકેશન રેકેટની માહિતી મેળવી હતી. કંપનીના સિનિયર મેનેજર વિનય મલિકની સાથે લસકાણા પોલીસે ડાયમંડનગરની કળથિયા કોર્પોરેશન-3માં આવેલા એક કારખાનામાં રેડ કરી હતી.

ઓનલાઇન વેચાણથી ભાંડો ફૂટ્યો તપાસમાં જાણવા મળ્યું કે આ ડુપ્લિકેટ પાન-મસાલા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા હતા. કંપનીને જ્યારે આ અંગે શંકા ગઈ ત્યારે તેમણે મોટા પાયે ઓનલાઈન ઓર્ડર આપીને પેમેન્ટ ગેટવે અને અન્ય વિગતોના આધારે સુરતનું સરનામું શોધી કાઢ્યું હતું.

રાત્રે ચાલતું હતું કારખાનું આ રેકેટનો મુખ્ય સૂત્રધાર જયેશ પડસાળા (રહે. મોટા વરાછા) છે, જેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે કારખાનામાં નોકરી કરતા રમેશ હરિ ભેસરફાલની ધરપકડ કરી છે. જયેશે કોઈને શંકા ન જાય તે માટે પોતાની બ્રાન્ડ ‘નાઇન્થ રોક’ના ઉત્પાદનની આડમાં રાત્રિના સમયે આ ડુપ્લિકેટ કારખાનું ચલાવતો હતો. તે બ્રાન્ડેડ પાન-મસાલા જેવી જ સ્મેલ આવે એ માટે ખાસ પ્રકારના એસેન્સનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાએ સુરતમાં વધી રહેલા નકલી માલના કારોબારનો પર્દાફાશ કર્યો છે.

બનાસકાંઠાના થાવર ગામે 7 વર્ષીય દર્દીનું ડિપ્થેરિયાથી મોત થયાની આશંકા

બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી બાળકના મોતની આશંકા કરવામાં આવી છએ. ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે. 7 વર્ષના બાળકના મોતથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 2017માં લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 5 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.

બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી બાળકના મોતની આશંકા

ધાનેરાના થાવરમાં ગામે 7 વર્ષના બાળકનું ડિપ્થેરિયાથી મોતની આશંકા કરવામાં આવી રહી છે. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.બ્રિજેશ વ્યાસ સહિત આરોગ્યની ટીમો થાવર ગામમાં પહોંચી છે. ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા. હાલ 7 વર્ષના બાળકનું મોતથી આરોગ્ય તંત્ર હકતમાં આવ્યું છે.

ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ

જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે આ બાળકના ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સેમ્પલ લેવાયા છે. જેના રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. છેલ્લા પાંચ દિવસથી ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી.

સુરતમાં 7 વર્ષની બાળકી સાથે દુરાચારનો પ્રયાસ, આરોપીને લોકોએ પકડ્યો

સુરતના અડાજણમાં 7 વર્ષની બાળકી સાથે અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે. લોકોએ હવસખોરને પકડી માર મારી પોલીસને સોપી દીધો હતો. અડાજણમાં સ્વામિનારાયણ મંદિર પાસે એક પ્રોગરામ ચાલતો હતો. બાળકો અહીં આવેલા ગાર્ડનમાં રમવા ગયા હતા. 20 વર્ષના યુવકે 7 વર્ષીય બાળકી સાથે યુવકે લાભ લઈ અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે.

શહેરમાં સાંજના સમયે બાળકો ગાર્ડનમાં રમતા હતા. ત્યારે પાસે આવેલી કોલોનીમાં રહેતો 20 વર્ષનો જીગ્નેશ જેન્તીભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં આવ્યો હતો. તેણે બાળકીને તું અહીંયા છુપાઈ જા તેને કોઈ શોધી નહીં શકે તેમ કહી દીકરીને ઝાડ પાછળ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. જેથી બાળકી ડરી ગઈ હતી. બાળકી ભાગી પોતાની મમ્મી પાસે પહોંચી ગઈ હતી.

લોકોએ હવસખોરને પકડી મેથીપાક આપ્યો

બાળકીએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી. લોકોએ હવસખોરને પકડી મેથીપાક આપી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અડપલા કરનાર જીગ્નેશ જેન્તીભાઈ રાઠોડને પકડી પાડ્યો હતો. આ બનાવને પગલે બાળકીની માતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

0

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન થયું છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને 11 મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

અમિત શાહે અડવાણીનો રેકોર્ડ તોડ્યો, બન્યા સૌથી લાંબા કાર્યકાળના ગૃહમંત્રી

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તેઓ આ પદ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બન્યા છે. આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે 5 ઓગસ્ટે આ સિદ્ધિ મેળવી હતી. તે જ દિવસે તેમણે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.

અમિત શાહ 2 હજાર 258 દિવસ સુધી ભારતના ગૃહમંત્રી રહ્યા છે. તેમણે 30 મે 2019 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર આ પદ સંભાળ્યું હતું. આ પછી, 2024 માં NDA સરકારની રચના પછી પણ તેમણે આ પદ સંભાળ્યું હતું. અડવાણી પછી, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ વલ્લભ પંત સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળી ચૂક્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ 1,218 દિવસ ગૃહ પ્રધાન રહ્યા હતા. મહત્વની વાત એ છે કે અમિત શાહે તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયો લીધા હતા. તેની પણ ઘણી ચર્ચા થઈ હતી. શાહના કાર્યકાળ દરમિયાન, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી હતી. નાગરિકતા સુધારો કાયદો (CAA) પસાર કરવામાં આવ્યો હતો. તે જ સમયે, સમાન નાગરિક સંહિતા (UCC) પણ રજૂ કરવામાં આવી હતી.

એક તરફ, અડવાણીએ 19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી કુલ 2256 દિવસ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી. તે જ સમયે, પંતે 10 જાન્યુઆરી 1955 થી 7 માર્ચ 1961 સુધી આ પદ સંભાળ્યું હતું. એટલે કે, તેઓ કુલ 6 વર્ષ 56 દિવસ ગૃહમંત્રી રહ્યા હતા. ખાસ વાત એ છે કે શાહ દેશના પહેલા સહકારી મંત્રી પણ છે. અગાઉ તેઓ ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.

પીએમ મોદીના બીજા કાર્યકાળ દરમિયાન અમિત શાહ ગૃહમંત્રી બન્યા

વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળ દરમિયાન અમિત શાહને ગૃહમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે 30 મે 2019 ના રોજ આ પદ સંભાળ્યું હતું. અમિત શાહે પદ સંભાળતાની સાથે જ ઘણા મોટા નિર્ણયો લીધા હતા. તેમણે ટ્રિપલ તલાક અંગે મોટો નિર્ણય લીધો હતો અને તેને ગેરકાયદેસર જાહેર કરાવ્યો હતો.

ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: અકસ્માતો સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવશે

રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન “અભિરક્ષક” વિહિકલ ખરીદ્યાં છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વિહિકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.

આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને “ગોલ્ડન અવર્સ” દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય.

આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32 થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યાવસાયિક સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઈટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, નાઈટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ લાઈટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે. આ વાહનની બોડી તેમજ એન્ટ્રી-એક્ઝિટ ડિઝાઈન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે, જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે.

અભિરક્ષક એક એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વિહિકલ તૈનાત કરવાનું આયોજન છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આ જ પ્રકારે એક પછી એક મહત્ત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ.

લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનારા 5 બાંગ્લાદેશીઓની ધરપકડ

0

દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેમાં સ્વતંત્રતા દિવસની સુરક્ષામાં બેદરકારીના પગલે લાલ કિલ્લામાં તૈનાત સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાલ કિલ્લામાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમના પગલે પોલીસ એન સુરક્ષા દળો દ્વારા દરરોજ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસની એક ટીમે સાદા ડ્રેસમાં બોમ્બ લઈને લાલ કિલ્લામાં દાખલ થઈ હતી. જોકે, ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મીઓ તેની પકડી ના શકયા.

અહેવાલો અનુસાર, લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશવા કરી રહેલા પાંચેય શખસો બાંગ્લાદેશના છે અને ગેરકાયદે ઇમિગ્રન્ટ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બધા 20થી 25 વર્ષની વયના છે અને દિલ્હીમાં મજૂરી કામ કરે છે. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે લાલ કિલ્લા પરિસરમાં કેમ પ્રવેશ કરી રહ્યા હતા અને તેમનો હેતુ શું હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

15મી ઓગસ્ટ પહેલા એલર્ટ

15મી ઓગસ્ટને લઈને લાલ કિલ્લા સંકુલમાં સુરક્ષા ખૂબ જ કડક છે. આ માટે અનેક પ્રકારની કવાયત પણ કરવામાં આવી રહી છે. 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી દેશને સંબોધન કરે છે. જેથી ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ અહીં અનેક સ્તરોની સુરક્ષા ગોઠવી દેવામાં આવે છે. જો આ સુરક્ષામાં કોઈ ક્ષતિ જોવા મળે છે, તો જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. જેથી પોલીસે લાલ કિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા આ યુવાનોની તાત્કાલિક ધરપકડ કરી હતી.

કચ્છના ધોળાવીરામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા

કચ્છ જિલ્લામાં આજે સવારે 7.20 વાગ્યે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વિશ્વ ધરોહર ધોળાવીરાથી 27 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએ આ આંચકાની નોંધ લીધી હતી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.

જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.

જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.

૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.

૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.

જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.

૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.

૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

BREAKING NEWS | ભારત-પાકિસ્તાન ક્રિકેટ વિવાદ

0

પહલગામ એટેક બાદ બધા સંબંધો તોડી નાંખ્યા, પાકિસ્તાનના રાજદૂતો હાંકી કાઢ્યા, ઍરસ્પેસ અને વિઝા બંધ… છતાં 14 સપ્ટેમ્બરે IND-PAK ક્રિકેટ મેચ!?

વિવાદો વચ્ચે BCCI નો નિર્ણય, દેશભરમાં ઉઠી પ્રશ્નોની ગરમાહટ:

“ટેરર અને ટોક નહીં ચાલે, પણ ટેરર અને ક્રિકેટ ચાલશે?”

વાંચો વિગતવાર…

IndiaVsPakistan #PahalgamAttack #AsiaCup2025 #GujaratGuardian

ભારત-પાકિસ્તાન ક્રિકેટ વિવાદ

એક બાજુ ભારતે પહલગામ આતંકી હુમલાના પગલે પાકિસ્તાન પર ભારે પ્રતિબંધો લગાવ્યા — રાજદૂતોને પાછા મોકલ્યા, ઍરસ્પેસ અને વિઝા બંધ કર્યા, અને સોશિયલ મીડિયા પર પણ કડક નિયંત્રણો લાગુ કર્યા…

પણ બીજી બાજુ, 14 સપ્ટેમ્બરે IND-PAK એશિયા કપની મેચ તો યે યોજાવાની છે!

દેશભરમાં ઉઠ્યો મોટો સવાલ:
“ટેરર અને ટોક નહીં ચાલે, તો ટેરર અને ક્રિકેટ કેમ ચાલે?”

સંસદમાં પણ ચર્ચાનું કેન્દ્ર રહેલી આ મેચ હવે રાષ્ટ્રીય અને રાજકીય ચર્ચાનો મુદ્દો બની ગઈ છે.
📣 વિપક્ષો અને પીડિત પરિવારોએ BCCI સામે ઉઠાવ્યા કડક પ્રશ્નો.

➤ તાજેતરમાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ દ્વારા ભારતે પલટવાર તો કર્યો છે, પણ શું એશિયા કપ રમવી યોગ્ય છે?

વાંચો સમગ્ર હકીકત Gujarat Guardian પર…

IndiaVsPakistan#AsiaCupControversy #PahalgamAttack #OperationSindoor #GujaratGuardian

દિલ્હી: લો બોલો! સંસદ નજીક મોર્નિંગ વૉક વખતે મહિલા સાંસદની સોનાની ચેઇન લૂંટાઇ

0

દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં સોમવારે (૪ ઑગસ્ટ) સવારે એક ચોંકાવનારી ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. આ ઘટના આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે તે સંસદ ભવનથી થોડે જ દૂર બની છે અને પીડિત અન્ય કોઈ નહીં એક મહિલા સાંસદ છે. તમિલનાડુના મયિલાડુથુરાઈના કોંગ્રેસ સાંસદ આર. સુધા રામકૃષ્ણ સાથે આ ઘટના બની, જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે આર. સુધા રામકૃષ્ણ, જેઓ ગત એક વર્ષથી તમિલનાડુ ભવનમાં રહે છે, સોમવારે સવારે 6 વાગ્યે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર એક લૂંટારાએ તેમના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લીધી અને ઝડપથી ફરાર થઈ ગયો. આ ઘટનાથી સાંસદના ગળામાં ઈજા પણ થઈ હતી. દિલ્હી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીને પકડવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.

દિલ્હી પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈને 10થી વધુ ટીમો બનાવી છે. આરોપીની શોધમાં સીસીટીવી ફૂટેજ, ડમ્પ ડેટા અને પ્રત્યક્ષદર્શીઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઘટના સમયે આસપાસના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ ગતિવિધિની પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે તમિલનાડુ ભવન અને આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

ઘટના બાદ કોંગ્રેસના લોકસભા સભ્ય પ્રિયંકા ગાંધીએ આર. સુધાને લોકસભા સ્પીકર પાસે લઈ જઈને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત, સાંસદ સુધાએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું, “આ હુમલાથી મારા ગળા પર ઈજા થઈ છે, મારી સોનાની ચેન ચોરાઈ ગઈ છે અને હું આઘાતમાં છું.” તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જો દેશની રાજધાનીના ઉચ્ચ સુરક્ષા વાળા વિસ્તારમાં એક મહિલા સુરક્ષિત નથી, તો અમે ક્યાં સુરક્ષિત અનુભવી શકીએ?”

આ ઘટના એવા સમયે બની છે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને ચાણક્યપુરી જેવા ઉચ્ચ સુરક્ષા વાળા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હોય છે. આ સમયે લૂટારાઓએ ચેઈન સ્નેચિંગ કરી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ ઘટનાએ દેશની રાજધાનીમાં મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા શરૂ કરી દીધી છે.