Home Blog Page 365

પીએમ મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન, SCO સમિટમાં હાજરી આપશે

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન જશે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે 2020માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ભારત અને ચીન તરફથી દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા છે.

ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન SCO (શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન)નું આયોજન થવાનું છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે અગાઉ ઓક્ટોબર, 2024માં રશિયામાં બ્રિક્સ શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, 20થી વધુ દેશોના નેતા અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ એસસીઓ શિખર સંમેલન અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે.

મોદી અને જિનપિંગ છેલ્લે રશિયામાં મળ્યા હતા

પીએમ મોદી અને જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024માં કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી હતી. 50 મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા આપણા સંબંધોનો પાયો રહેવો જોઈએ.

PM મોદીની આ મુલાકાત છે ખાસ

ચીનમાં યોજાનારા SCO સંમેલનમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત કરશે. 30 ઓગસ્ટના રોજ તેઓ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીની ચીનની મુલાકાત ખાસ રહેશે. કારણકે, અમેરિકા ચીન બાદ હવે ભારતને સતત ટેરિફ વધારવા ધમકી આપી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, બ્રિક્સ દેશ ડોલરને નબળો પાડી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે ચીન અને ભારત (ડ્રેગન અને એલિફન્ટ) એકજૂટ થવા તૈયાર થયા છે.

“અદાણી પોર્ટ્સના નેતૃત્વમાં મોટી બદલાવ લહેર – ગૌતમ અદાણીએ પદ છોડ્યું, હવે માત્ર માર્ગદર્શક ભૂમિકામાં,,,

ગૌતમ અદાણીએ અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, હવે નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ જોડાયેલા રહેશે

અદાણી ગ્રુપની સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ 5 ઓગસ્ટે બોર્ડ મીટિંગમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. કંપનીના સ્થાપક ગૌતમ અદાણીએ એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે જ કંપની સાથે જોડાયેલા રહેશે.

કંપનીના આ પગલાનું મુખ્ય ઉદ્દેશ ભવિષ્ય માટે મજબૂત નેતૃત્વ વિકસાવવાનું અને સંચાલનને વધુ વ્યાવસાયિક બનાવવાનું છે. હવે ગૌતમ અદાણી કંપનીના રોજિંદા કામગીરીના નિર્ણયો લેતા નહિ રહે, પરંતુ વ્યૂહાત્મક માર્ગદર્શન આપતા સલાહકાર તરીકે તેમની ભૂમિકા રહેશે.

કંપનીએ મનીષ કેજરીવાલને ત્રણ વર્ષ માટે નોન-એક્ઝિક્યુટિવ અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ખાનગી રોકાણ અને કોર્પોરેટ માળખાના વિસ્તૃત અનુભવ ધરાવે છે. આ નિયુક્તિ શેરધારકોની મંજૂરી બાદ અમલમાં આવશે.

અદાણી પોર્ટ્સએ 2025-26ના પ્રથમ ત્રિમાસિકમાં 6.5%નો નફો નોંધાવ્યો છે, જે ₹3,311 કરોડ થયો છે. કંપનીની કુલ આવક ₹9,126 કરોડ રહી છે, જે અગાઉ કરતાં 31 ટકા વધારે છે. કાર્ગો વોલ્યુમમાં પણ 11%નો વધારો નોંધાયો છે.

અદાણી પોર્ટ્સ ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ ઓપરેટર છે, જે દેશમાં 15 બંદરો તથા વિદેશમાં 4 બંદરોના સંચાલન સાથે કાર્યરત છે. 1998માં ગૌતમ અદાણીએ કંપનીની સ્થાપના કરી હતી. હાલ કરણ અદાણી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે.

અચાનક લેવાયેલો દેખાતા આ નિર્ણય પાછળ ગૌતમ અદાણીની વ્યૂહાત્મક દૃષ્ટિ બતાવે છે – તેમનું ધ્યાન હવે સમગ્ર અદાણી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ અને પારદર્શક ગવર્નન્સ તરફ વધુ કેન્દ્રિત રહેશે.

સોનાની તેજી તૂફાની બની – ઓલ ટાઈમ હાઈ પર ભાવ, હવે શું કરો ખરીદી કે રાહ જુઓ?

0

સોનાની ચમક વધુ તેજ – ભાવ ઓલ ટાઈમ હાઈ પર!

₹24,510નો ઉછાળો, હવે ટાર્ગેટ ₹1.04 લાખ? જાણો કારણો અને આગાહી

6 ઓગસ્ટના રોજ સોનાના ભાવોએ ઈતિહાસ રચ્યો છે. 24 કેરેટ સોનાનો દર 596 રૂપિયાનો ઉછાળો સાથે ₹1,00,672 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જે અત્યારસુધીનો ઓલ ટાઈમ હાઈ છે. અગાઉ સોનું ₹1,00,076 સુધી ગયું હતું, પરંતુ આજે તેનો નવા રેકોર્ડ સાથે કિમતી સફરનો એક નવો अध्यાય શરૂ થયો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ના આંકડા અનુસાર, સોનાની કિંમતોમાં આ વર્ષે અત્યાર સુધીમાં ₹24,510 નો મોટો વધારો થયો છે. જાન્યુઆરી 2025માં 24 કેરેટ સોનાનો ભાવ ₹76,162 હતો, જે હવે સીધો ₹1,00,672 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ચાંદી પણ મોંઘી થઈ છે અને આજે તેની કિંમત ₹1,154ના વધારા સાથે ₹1,13,576 પ્રતિ કિલો થઈ છે.

અહીં ધ્યાન આપવાનું છે કે બજારના વિશ્લેષકોનું માનવું છે કે ભૂ-રાજકીય તણાવ અને યુએસ ટેરિફના કારણોસર સોનાની માંગ સતત વધી રહી છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા અનુમાન આપે છે કે વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ₹1,04,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે, જ્યારે ચાંદી ₹1,30,000 પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

સોનાની ખરીદી કરતી વખતે ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સલાહ એ છે કે હંમેશા BIS હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું જ ખરીદવું. દરેક સોનાના પીસ પર 6 અંકનો હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (HUID) હોય છે, જેના આધારે તેની શુદ્ધતાની ખાતરી મળી શકે છે.

વડોદરામાં ગટરના નાળામાં પડતા 16 વર્ષના કિશોરનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતા મોત નીપજ્યું છે. આ અંગે જાણ થતાં ઘટનાસ્થળે ફાયર વિભાગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ પહોંચી છે. ફાયર વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો છે.

આ દરમિયાન રેસ્ક્યુ ટીમની ગાડી પણ રિવર્સ લેતા બાજુમાં રહેલા ખાડામાં પણ ખાબકી હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. કિશોર શૌચક્રિયા કરવા આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

એરિઝોનામાં વિમાન દુર્ઘટનામાં 4 લોકોના મોત, યુએસ વિમાન એરપોર્ટ નજીક ક્રેશ થયું

અમેરિકામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ વિમાન અચાનક ક્રેશ થયું હતું. હવામાં ઉડતું પ્લેન આગનો ગોળો બની ગયું છે. આ ઘટનામાં 4 લોકો જીવતા સળગી ગયા છે. આ દુર્ઘટના ઉત્તરી એરિઝોનામાં નવાઝો નેશનમાં બની હતી. વિમાનમાં 2 પાયલોટ અને 2 હેલ્થકેર વર્કસ હાજર હતા જેમના મોત થયા છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીકક્રાફ્ટ 300 બપોરે એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે ક્રેશ થયું હતું. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને FAA તપાસ કરી રહ્યા છે. ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

નાવાજો ટ્રાઈબના ચેરમેન બૂ નાયગ્રેને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અકસ્માત વિશે જાણીને તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેમણે કહ્યું, ‘આ એવા લોકો હતા જેમણે બીજાઓને બચાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ નુકસાન ખૂબ જ અનુભવાય છે.’ જિલ્લા પોલીસ કમાન્ડર એમ્મેટ યાઝીએ કહ્યું, “તેઓ ત્યાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કમનસીબે કંઈક ખોટું થયું.”

અમદાવાદ: બોપલમાં મોડી રાત્રે ફાયરીંગ, એક યુવકનું મોત, હત્યા કે આપઘાત?

અમદાવાદના બોપલ વિસ્તારમાં મોડીરાત્રે ખાનગી ફાયરિંગની ઘટના બનતા એક વ્યકિતનું મોત નિપજ્યું છે. કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ ટુડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા મોત નિપજ્યું હતું. કલ્પેશના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળતા બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે દિશામાં તપાસ શરૂ થઇ છે.

અમદાવાદના બોપલમાં શિવાલય રો હાઉસમાં ફાયરિંગની ઘટના બની છે, જેમાં ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, શેરબજારનું કામ કરતા યુવક પર ફાયરિંગ કર્યુ છે, તો પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ રૂપિયાની લેતીદેતીમાં થયું હોવાની શંકા સેવાઈ રહી છે, યુવક પર ફાયરિંગ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા જ તેનું મૃત્યુ થયું છે, બોપલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. કારણ કે, મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવતા પોલીસ બીજા એન્ગલથી પણ તપાસ કરી રહી છે. બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે.

લાલ કિલ્લાની સુરક્ષામાં બેદરકારી: 7 દિલ્હી પોલીસકર્મી સસ્પેન્ડ

0

સ્વતંત્રતા દિવસ પૂર્વે ચાલતી સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન શોધી શકનાર 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાલ કિલ્લા પર તહેનાત પોલીસકર્મીઓની બેદરકારી સામે કડક કાર્યવાહી કરાઈ છે.

2થી 16 ઑગસ્ટ: લાલ કિલ્લો ‘નોફ્લાય ઝોન’

દિલ્હી પોલીસ કમિશનરે 2થી 16 ઑગસ્ટ દરમિયાન લાલ કિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં ડ્રોન, પેરાગ્લાઈડર, હોટ એર બેલૂન સહિત તમામ પ્રકારના ઉડતા સાધનો પર પ્રતિબંધ મૂક્યો છે.

ડોગ સ્ક્વોડને નવી તાલીમ

દિલ્હી પોલીસના ડોગ સ્ક્વોડને હવે વિસ્ફોટક શોધતી વખતે શાંતિપૂર્વક પ્રતિક્રિયા આપવા તાલીમ આપવામાં આવી છે. ભસવાની જગ્યાએ હવે કૂતરાઓ પૂંછડી હલાવવી કે હેન્ડલર તરફ જોવાનો ઈશારો કરશે.

પીએમ મોદી 12મી વાર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે સતત 12મી વખત સ્વતંત્રતા દિવસે ભાષણ આપશે. તેમણે નાગરિકોને નમો એપ અને MyGov પ્લેટફોર્મ પરથી ભાષણ માટે વિષયો સૂચવવા આમંત્રણ આપ્યું છે.

ગયા વર્ષે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી 103 મિનિટનું ભાષણ આપી રેકોર્ડ બનાવ્યો હતો.

વધુ અપડેટ માટે જોડાયેલા રહો: Gujarat Guardian

સુરતમાં ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, રોજના લાખોનું નશાકાંડ ચલાવતો ગુનેગાર ઝડપાયો

સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકીટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું લાખોનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફીયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીને આધારે પકડી પાડયો છે. ડ્રગ્સ માફિયા પાસેથી રુપિયા 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડી વેચાણના 16 લાખની રોકડ રકમ પણ મળી આવી હતી.

બાતમીના આધારે રેડ પાડીરેડ દરમિયાન SOG ના સ્ટાફને 2 લોડેડ પિસ્તોલ મળી આવી હતી. ડ્રગ્સ માફિયા શીવા ઉર્ફે શિવરાજ ભુપેન્દ્ર ઝાલાને એસઓજીએ દબોચી લીધો હતો અને હવે ધરપકડની કાર્યવાહી કરી છે. શીવા તેના ઘરમાં ટીવીમાં કેમેરાની લાઇવ ફીડ જોતો હતો. આ માફિયા માત્ર ધોરણ-3 સુધી જ ભણેલો છે. SOG ની PI સહિત 27 માણસોની ટીમ 20 બાઇક પર પંચશીલનગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો.

ઝૂંપડપટ્ટીમાં 3 માળનો બંગલો હતો

શીવાએ ઝૂંપડાઓને વચ્ચે 3 માળનો આલિશાન બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધા જોવા મળી હતી. માફિયાને પોલીસ મોબાઇલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો. જેથી ડ્રગ્સ માફીયાએ પંટરો સાથે વોકિટોકીથી વાત કરતા હતા. આરોપીના ઘર પાસે ભાઠેના બ્રીજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસ ઝુંપડપટ્ટીનો વિસ્તાર હતો. ડ્રગ્સ માફીયાએ તેના પન્ટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા. જો કોઈ શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય એવું દેખાય તો તાત્કાલિક વોકિટોકીથી એકબીજાને જાણ કરતા હતા. ડ્રગ્સ લેવા આવનાર લોકોને ‘કપડે લેને આયા હૈ…’એવો કોડવર્ડ આપ્યો હતો. આવું બોલે તો જ ડ્રગ્સ આપવામાં આવતું હતું.

આવી રીતે કરતો હતો વેચાણ

એસઓજીના 27 પોલીસકર્મીઓએ માફિયાને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને ભાગે તે પહેલા જ પકડી પાડ્યો હતો. પંચશીલ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નાની-મોટી મુશ્કેલી વખતે મદદ પણ કરતો હોવાથી ત્યાંના વિસ્તારોમાં મસીહા કહેવાતો હતો. એસઓજીએ આરોપીના ઘરનું ડીવીઆર પણ કબજે લીધું છે. જો તેના સીસીટીવી કેમેરા ચેક થાય તો ડ્રગ્સના આ ધંધામાં કોણ-કોણ સામેલ અને ડ્રગ્સ લેવા માટે કોણ-કોણ આવતું હતું તે બધી જ માહિતી પોલીસને મળી શકે એમ છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો ભોગ બનેલા દિલીપ પઢિયારનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન

મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો પાદરા નજીકનો ગંભીરા બ્રિજ 9 જુલાઈની વહેલી સવારે અચાનક ધરાશાયી થયો હતો. 110 ફૂટ ઊંચાઈ પરથી 8 થી વધુ વાહનો મહીસાગર નદીમાં ખાબકતાં ભયાનક દૃશ્ય સર્જાયું હતું. આ અકસ્માતમાં 20થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા, જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન મોત થયું

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત ગણપત સોલંકી, દિલીપ પઢિયાર અને રાજુ હાથીયા સારવાર હેઠળ દાખલ હતા. જ્યારે ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહ પઢીયારનું અગાઉ બે દિવસની ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. હવે 28 દિવસથી હોસ્પિટલમાં જીવન માટે લડી રહેલા દિલીપભાઈ પઢિયારનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતકોનો આંક 22 પર પહોંચ્યો છે.

પરિવારમાં શોકની લાગણી જોવા મળી

દિલીપભાઈ પઢિયારનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. હોસ્પિટલ પરિસરમાં શોકની લાગણી સાથે પરિવારજનોના આક્રંદ ગુંજતા જોવા મળ્યા હતા. મૃતક દિલીપભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

સીએમ પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશી પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કર્યો

0

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા બાદ કુદરતનો પ્રકોપ જોવા મળ્યો. મંગળવારે ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામના ખીરગંગામાં અચાનક વાદળ ફાટ્યું. ત્યારબાદ આવેલા પૂરે ભયંકર વિનાશ મચાવ્યો છે. ઉત્તરકાશીમાં ભૂસ્ખલન બાદ 11 સૈનિકો પણ ગુમ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં પહોંચ્યા. ત્યાં તેમણે આપત્તિ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડીજીપી પણ હાજર હતા.

આ કુદરતી આપત્તિમાં 50 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક જગ્યાએ લગભગ 20 મીટર ઊંચો કાટમાળ જમા થયો છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી માટે યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. આનાથી પીડિતો સુધી પહોંચી શકાય છે. મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. તે જ સમયે, 11 સૈન્ય જવાનો ગુમ થયાના અહેવાલ છે.

અમિત શાહે ઉત્તરાખંડના સીએમ ધામી સાથે વાત કરી

આ આપત્તિ અંગે ગૃહમંત્રી અમિત શાહે X પર લખ્યું, “ઉત્તરાખંડના ધારાલી (ઉત્તરકાશી) માં અચાનક પૂરની ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી અને ઘટના વિશે માહિતી મેળવી. ITBP ની નજીકની 3 ટીમો ત્યાં મોકલવામાં આવી છે. આ સાથે, NDRF ની 6 ટીમો પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં પહોંચીને બચાવ કાર્યમાં જોડાશે.”