Home Blog Page 366

દેશના તમામ એરપોર્ટ્સ પર હાઈ એલર્ટ, આતંકવાદી હુમલાની ચેતવણી જાહેર

0

દેશના તમામ એરપોર્ટને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 વચ્ચે આતંકવાદી હુમલાની આગાહી કરી છે. આને ધ્યાનમાં રાખીને, નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ 4 ઓગસ્ટના રોજ એક સૂચના જારી કરી છે. આમાં, તમામ એરપોર્ટ, એરસ્ટ્રીપ, હેલિપેડ, ફ્લાઇંગ સ્કૂલ અને તાલીમ કેન્દ્રોમાં સુરક્ષા વધારવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચેના દિવસો માટે ચેતવણી

BCAS દ્વારા 4 ઓગસ્ટે જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 વચ્ચે આતંકી કે અસામાજિક તત્વો દ્વારા ભારતમાં આવેલ એરપોર્ટ્સ, એરસ્ટ્રિપ, હેલિપેડ અને ફ્લાઈંગ સ્કૂલ્સમાં હુમલાની શક્યતા છે.

સુરક્ષા માટે કડક પગલાં

  • તમામ એરપોર્ટ્સ પર 24×7 પેટ્રોલિંગ, ખાસ કરીને ટર્મિનલ, પાર્કિંગ, અને પેરિમીટર વિસ્તારોમાં સુરક્ષા વધારવાની સૂચના.
  • સ્ટાફ, વિઝિટર્સ અને કોન્ટ્રાક્ટર્સ માટે ID ચેક કડક કરવામાં આવશે.
  • સીસીટીવી સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત અને નિત્ય નિરીક્ષણ હેઠળ હોવી જોઈએ.
  • તમામ કાર્ગો અને મેઇલનું કડક સ્ક્રિનિંગ ફરજિયાત બનાવાયું છે, તેમાં પણ આંતરરાષ્ટ્રીય તેમજ દેશી ઉડાનો સમાવિષ્ટ છે.

બધી એજન્સીઓની સંભવિત હુમલા માટે રણનીતિ તૈયાર

BCAS એ તમામ એરપોર્ટ ડિરેક્ટરોને સ્થાનિક પોલીસ, CISF, IB અને અન્ય એજન્સીઓ સાથે સંકલન મજબૂત કરવા અને સંભવિત જોખમના સમયે એકબીજાને સહકાર આપવા સૂચના આપી છે. તે જ સમયે, એરલાઇન, પેસેન્જર, સેવા સમિતિની અલગ-અલગ બેઠકો બોલાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે જેથી બધી એજન્સીઓ કોઈપણ સંભવિત હુમલાને ટાળવા માટે યોગ્ય રણનીતિ બનાવી શકે. ઉપરાંત, BCAS પ્રાદેશિક ડિરેક્ટરોને તેમના વિસ્તારોના તમામ એરપોર્ટ પર તાત્કાલિક ખાસ બેઠકોનું આયોજન કરવા કહેવામાં આવ્યું છે.

RBIનો વ્યાજ દર યથાવત: રેપો રેટ 5.50% પર સ્થિર રાખવાનો નિર્ણય

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફેબ્રુઆરીમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી ત્રણ તબક્કામાં રેપો રેટમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. ગવર્નર મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની આજે બુધવારે મળેલી બેઠકમાં બેઠકનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જે અનુસાર રેપોરેટ 5.50 પર યથાવત રાખવામાં આવ્યા છે.

સંજય મલ્હોત્રાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતુ કે ચોમાસાની સ્થિત વધુ સારી છે. નોંધનીય છે કે 40 ટકા લોકોએ રેપોરેટમાં ઘટાડો કરવામાં આવશે તેવુ અનુમાન સેવ્યુ હતું.

RBI દ્વારા જારી કરાયેલા મુખ્ય આંકડાઓ પર નજર કરતા જણાય છે કે રેપોરેટ 5.50 પર યથાવત રખાયો છે. જ્યારે SDF દર 5.25 ટકા પર સ્થિર છે. તેમજ MSF દર 5.75 ટકા સાથે પોલિસી વલણ ન્યૂટ્રલ રાખવામાં આવ્યુ છે. નોંધનીય છે કે એમપીસીની બેઠકમાં ન્યૂટ્રલ પર મહદઅંશે ભાર મુકવામાં આવ્યો હતો. એમપીસીના 6 સભ્યોએ દરો યથાવત રાખવાની સંમતિ વ્યક્તિ કરી હતી.

વ્યાજ દરો યથાવત્ રાખવામાં આવતા હાલ હોમ લોન કે કાર લોનના EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. RBIનું આ વલણ દર્શાવે છે કે તે સાવધાની સાથે આગળ વધી રહી છે. જ્યાં સુધી અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ અંગેનું ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી RBI કોઈ ઉતાવળિયા પગલાં લેવા માંગતી નથી. RBIએ આજે કોઈ મોટું આશ્ચર્ય આપ્યું નથી, પરંતુ તેણે ચોક્કસપણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે ફુગાવાને નિયંત્રિત કરવા તેમજ વૃદ્ધિ જાળવી રાખવા વચ્ચે સંતુલન જાળવવા માંગે છે. હવે રોકાણકારો ટેરિફનો મુદ્દો કઈ દિશામાં આગળ વધે છે તેના પર નજર રાખશે.

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, 4 લોકોના મોત, 50 થી વધુ લોકો ગુમ

0

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. મંગળવારે ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટવાથી પહાડ પરથી નીચાણવાળા વિસ્તારો તરફ પાણી ખૂબ જ ઝડપથી વહેતું હતું, જેના કારણે ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પાણી સાથે કાટમાળ પણ આવ્યો છે, જેમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. આર્મી, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 50 થી વધુ લોકો ગુમ થવાની માહિતી છે.

ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે. ધરાલી ગામ દેહરાદૂનથી 218 કિમી દૂર છે. ઘટનાના ઘણા વીડિયો અને ફોટા સામે આવ્યા છે. સેના સાથે SDRF, NDRFની બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ધરાલીમાં ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્ય જોવા મળ્યું હોવાનું કહેવાય છે. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે.

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત – સીએમ પુષ્કર સિંહ ધામી

વાદળ ફાટ્યા પછી જોરદાર પાણીના પ્રવાહથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, હવે વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટે અકસ્માતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

સુરતમાં નકલી શેમ્પૂ બાદ હવે નકલી તમાકુ-પાનમસાલાનું કારખાનું ઝડપાયું!

સુરતમાં નકલી શેમ્પૂના રેકેટ બાદ હવે નકલી પાન-મસાલાનું મોટું કારખાનું ઝડપાયું છે. લસકાણા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડ તુલસી તમાકુ અને રજનીગંધાના ડુપ્લિકેટ પાઉચ બનાવવામાં આવતા હતા. પોલીસે રાત્રિના સમયે ચાલતી આ ફેક્ટરી પર દરોડો પાડી ₹10 લાખના કાચા માલ સાથે એક યુવકની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે.

કંપનીની બાતમી પર પોલીસે રેડ કરી નોઈડા સ્થિત ધર્મપાલ સત્યપાલ લિ. (તુલસી, રજનીગંધા બ્રાન્ડના માલિક) દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ આ ડુપ્લિકેશન રેકેટની માહિતી મેળવી હતી. કંપનીના સિનિયર મેનેજર વિનય મલિકની સાથે લસકાણા પોલીસે ડાયમંડનગરની કળથિયા કોર્પોરેશન-3માં આવેલા એક કારખાનામાં રેડ કરી હતી.

ઓનલાઇન વેચાણથી ભાંડો ફૂટ્યો તપાસમાં જાણવા મળ્યું કે આ ડુપ્લિકેટ પાન-મસાલા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાતા હતા. કંપનીને જ્યારે આ અંગે શંકા ગઈ ત્યારે તેમણે મોટા પાયે ઓનલાઈન ઓર્ડર આપીને પેમેન્ટ ગેટવે અને અન્ય વિગતોના આધારે સુરતનું સરનામું શોધી કાઢ્યું હતું.

રાત્રે ચાલતું હતું કારખાનું આ રેકેટનો મુખ્ય સૂત્રધાર જયેશ પડસાળા (રહે. મોટા વરાછા) છે, જેને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે કારખાનામાં નોકરી કરતા રમેશ હરિ ભેસરફાલની ધરપકડ કરી છે. જયેશે કોઈને શંકા ન જાય તે માટે પોતાની બ્રાન્ડ ‘નાઇન્થ રોક’ના ઉત્પાદનની આડમાં રાત્રિના સમયે આ ડુપ્લિકેટ કારખાનું ચલાવતો હતો. તે બ્રાન્ડેડ પાન-મસાલા જેવી જ સ્મેલ આવે એ માટે ખાસ પ્રકારના એસેન્સનો ઉપયોગ કરતો હતો. આ ઘટનાએ સુરતમાં વધી રહેલા નકલી માલના કારોબારનો પર્દાફાશ કર્યો છે.

બનાસકાંઠાના થાવર ગામે 7 વર્ષીય દર્દીનું ડિપ્થેરિયાથી મોત થયાની આશંકા

બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી બાળકના મોતની આશંકા કરવામાં આવી છએ. ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો છે. 7 વર્ષના બાળકના મોતથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 2017માં લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 5 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.

બનાસકાંઠામાં ડિપ્થેરિયાથી બાળકના મોતની આશંકા

ધાનેરાના થાવરમાં ગામે 7 વર્ષના બાળકનું ડિપ્થેરિયાથી મોતની આશંકા કરવામાં આવી રહી છે. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.બ્રિજેશ વ્યાસ સહિત આરોગ્યની ટીમો થાવર ગામમાં પહોંચી છે. ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના મોત થયા હતા. હાલ 7 વર્ષના બાળકનું મોતથી આરોગ્ય તંત્ર હકતમાં આવ્યું છે.

ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ

જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો.બ્રિજેશ વ્યાસે જણાવ્યું કે આ બાળકના ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સેમ્પલ લેવાયા છે. જેના રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. છેલ્લા પાંચ દિવસથી ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી.

સુરતમાં 7 વર્ષની બાળકી સાથે દુરાચારનો પ્રયાસ, આરોપીને લોકોએ પકડ્યો

સુરતના અડાજણમાં 7 વર્ષની બાળકી સાથે અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે. લોકોએ હવસખોરને પકડી માર મારી પોલીસને સોપી દીધો હતો. અડાજણમાં સ્વામિનારાયણ મંદિર પાસે એક પ્રોગરામ ચાલતો હતો. બાળકો અહીં આવેલા ગાર્ડનમાં રમવા ગયા હતા. 20 વર્ષના યુવકે 7 વર્ષીય બાળકી સાથે યુવકે લાભ લઈ અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે.

શહેરમાં સાંજના સમયે બાળકો ગાર્ડનમાં રમતા હતા. ત્યારે પાસે આવેલી કોલોનીમાં રહેતો 20 વર્ષનો જીગ્નેશ જેન્તીભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં આવ્યો હતો. તેણે બાળકીને તું અહીંયા છુપાઈ જા તેને કોઈ શોધી નહીં શકે તેમ કહી દીકરીને ઝાડ પાછળ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. જેથી બાળકી ડરી ગઈ હતી. બાળકી ભાગી પોતાની મમ્મી પાસે પહોંચી ગઈ હતી.

લોકોએ હવસખોરને પકડી મેથીપાક આપ્યો

બાળકીએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી. લોકોએ હવસખોરને પકડી મેથીપાક આપી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અડપલા કરનાર જીગ્નેશ જેન્તીભાઈ રાઠોડને પકડી પાડ્યો હતો. આ બનાવને પગલે બાળકીની માતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

0

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકનું નિધન થયું છે. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ, ત્યારે તેમને 11 મેના રોજ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

અમિત શાહે અડવાણીનો રેકોર્ડ તોડ્યો, બન્યા સૌથી લાંબા કાર્યકાળના ગૃહમંત્રી

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તેઓ આ પદ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બન્યા છે. આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે 5 ઓગસ્ટે આ સિદ્ધિ મેળવી હતી. તે જ દિવસે તેમણે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી હતી.

અમિત શાહ 2 હજાર 258 દિવસ સુધી ભારતના ગૃહમંત્રી રહ્યા છે. તેમણે 30 મે 2019 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલી વાર આ પદ સંભાળ્યું હતું. આ પછી, 2024 માં NDA સરકારની રચના પછી પણ તેમણે આ પદ સંભાળ્યું હતું. અડવાણી પછી, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ વલ્લભ પંત સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળી ચૂક્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ 1,218 દિવસ ગૃહ પ્રધાન રહ્યા હતા. મહત્વની વાત એ છે કે અમિત શાહે તેમના કાર્યકાળ દરમિયાન ઘણા મોટા નિર્ણયો લીધા હતા. તેની પણ ઘણી ચર્ચા થઈ હતી. શાહના કાર્યકાળ દરમિયાન, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી હતી. નાગરિકતા સુધારો કાયદો (CAA) પસાર કરવામાં આવ્યો હતો. તે જ સમયે, સમાન નાગરિક સંહિતા (UCC) પણ રજૂ કરવામાં આવી હતી.

એક તરફ, અડવાણીએ 19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી કુલ 2256 દિવસ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી. તે જ સમયે, પંતે 10 જાન્યુઆરી 1955 થી 7 માર્ચ 1961 સુધી આ પદ સંભાળ્યું હતું. એટલે કે, તેઓ કુલ 6 વર્ષ 56 દિવસ ગૃહમંત્રી રહ્યા હતા. ખાસ વાત એ છે કે શાહ દેશના પહેલા સહકારી મંત્રી પણ છે. અગાઉ તેઓ ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.

પીએમ મોદીના બીજા કાર્યકાળ દરમિયાન અમિત શાહ ગૃહમંત્રી બન્યા

વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળ દરમિયાન અમિત શાહને ગૃહમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે 30 મે 2019 ના રોજ આ પદ સંભાળ્યું હતું. અમિત શાહે પદ સંભાળતાની સાથે જ ઘણા મોટા નિર્ણયો લીધા હતા. તેમણે ટ્રિપલ તલાક અંગે મોટો નિર્ણય લીધો હતો અને તેને ગેરકાયદેસર જાહેર કરાવ્યો હતો.

ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: અકસ્માતો સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવશે

રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જાનહાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન “અભિરક્ષક” વિહિકલ ખરીદ્યાં છે. આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ સ્પેશ્યલ પર્પઝ વિહિકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે.

આ અભિરક્ષક વાહનો ખાસ કરીને માર્ગ અકસ્માતોના ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચીને તત્કાલિક રેસ્પોન્સ આપશે અને “ગોલ્ડન અવર્સ” દરમિયાન ઈજાગ્રસ્તોને બચાવી તેઓને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડશે. આ વાહન ત્યારે ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યારે માર્ગ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિ વાહનના અંદર ફસાઈ ગઈ હોય અથવા એવા કોઈ સ્થળે ધડાકાભેર ટકરાયા હોય જ્યાંથી રેસ્ક્યુ કરવા પડે તેવી ગંભીર હાલતમાં ફસાયા હોય.

આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત 32 થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે. જેમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યાવસાયિક સાધનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાત્રિના સમયમાં પણ અસરકારક રેસ્ક્યુ થઈ શકે તે માટે પાવરફુલ લાઈટિંગ સિસ્ટમ અને જનરેટર પણ આ વાહનમાં ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, નાઈટ વિઝન ગોગલ્સ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક કંટ્રોલ લાઈટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે. આ વાહનની બોડી તેમજ એન્ટ્રી-એક્ઝિટ ડિઝાઈન પણ ફાયરપ્રૂફ અને હુમલારોધક છે, જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે.

અભિરક્ષક એક એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવનારા સમયમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવા રેસ્ક્યુ વિહિકલ તૈનાત કરવાનું આયોજન છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આ જ પ્રકારે એક પછી એક મહત્ત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ.

લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનારા 5 બાંગ્લાદેશીઓની ધરપકડ

0

દેશમાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેમાં સ્વતંત્રતા દિવસની સુરક્ષામાં બેદરકારીના પગલે લાલ કિલ્લામાં તૈનાત સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાલ કિલ્લામાં આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમના પગલે પોલીસ એન સુરક્ષા દળો દ્વારા દરરોજ મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. જેમાં પોલીસની એક ટીમે સાદા ડ્રેસમાં બોમ્બ લઈને લાલ કિલ્લામાં દાખલ થઈ હતી. જોકે, ત્યાં ફરજ પર હાજર પોલીસ કર્મીઓ તેની પકડી ના શકયા.

અહેવાલો અનુસાર, લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશવા કરી રહેલા પાંચેય શખસો બાંગ્લાદેશના છે અને ગેરકાયદે ઇમિગ્રન્ટ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બધા 20થી 25 વર્ષની વયના છે અને દિલ્હીમાં મજૂરી કામ કરે છે. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તે લાલ કિલ્લા પરિસરમાં કેમ પ્રવેશ કરી રહ્યા હતા અને તેમનો હેતુ શું હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

15મી ઓગસ્ટ પહેલા એલર્ટ

15મી ઓગસ્ટને લઈને લાલ કિલ્લા સંકુલમાં સુરક્ષા ખૂબ જ કડક છે. આ માટે અનેક પ્રકારની કવાયત પણ કરવામાં આવી રહી છે. 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાના પ્રાચીર પરથી દેશને સંબોધન કરે છે. જેથી ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ અહીં અનેક સ્તરોની સુરક્ષા ગોઠવી દેવામાં આવે છે. જો આ સુરક્ષામાં કોઈ ક્ષતિ જોવા મળે છે, તો જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. જેથી પોલીસે લાલ કિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા આ યુવાનોની તાત્કાલિક ધરપકડ કરી હતી.