Home Blog Page 357

સુરત: નવી સિવિલમાં ૭૫મું અંગદાન, પાલઘરના બ્રેઈન ડેડ દર્દીના બે કિડની અને લિવરના દાન થકી 3 વ્યક્તિને મળશે નવજીવન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના પાલઘરના બ્રેઈનડેડ ૩૭ વર્ષીય દિપક લક્ષ્મણભાઈ ઠાકરેના અંગોનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે ૭૫મુ અંગદાન થયું છે.

મહારાષ્ટ્રના પાલઘરના માહિમ રોડ બજાર ખાતે પરિવાર સાથે રહેતા દિપકભાઈ લક્ષ્મણભાઈ ઠાકરે તા.૦૯મી ઓગસ્ટના રોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રેલીમાં નાચતા-નાચતા ચક્કર આવતા પડી ગયા હતાં અને માથાના ભાગે ઈજા થવાથી પરિવારજનો પાલઘરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજા હોવાથી સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા ત્યાંથી મહારાષ્ટ્રની પ્રાઈવેટ હોસ્પિટલ અને ત્યારબાદ ૧૦૮ ઈમરજન્સી દ્વારા વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તબિયત બગડતા વધુ સારવાર અર્થે તા.૧૦મી ઓગસ્ટના રોજ વહેલી સવારે ૧૦૮ સેવા મારફતે સુરતની નવી સિવિલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર બાદ ICU માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

તા.૧૩મી ઓગસ્ટે વહેલી સવારે આર.એમ.ઓ ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ દિપકભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સોટોની ટીમના ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, કાઉન્સેલર નિર્મલા કાથુડે દિપકભાઈના પત્ની અને ભાઈ સહિત પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. ઠાકરે પરિવારે સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. બે કિડની અને લીવર અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

શિલ્પા શેટ્ટી- રાજ કુન્દ્રા વિરુદ્ધ કેશ, 60 કરોડની છેતરપિંડીનો આરોપ

0

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર એક અજાણ્યા વ્યક્તિ સાથે મળીને ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, આર્થિક ગુના શાખાએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈના એક ઉદ્યોગપતિ સાથે ૬૦.૪ કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

આર્થિક ગુના શાખાએ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ છેતરપિંડી તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા લોન-કમ-રોકાણ સોદાના સંદર્ભમાં કરવામાં આવી હતી. જેના કારણે અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બનાવટીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, આ રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધુ હોવાથી, કેસને આર્થિક ગુના શાખામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. બિઝનેસમેન દીપક કોઠારી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની પ્રાથમિક તપાસ બાદ આખો કેસ નોંધવામાં આવ્યો છે.

શું છે આખો મામલો?

બિઝનેસમેન દીપક કોઠારી દ્વારા રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. દીપક કોઠારી જુહુના રહેવાસી છે અને લોટસ કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ નામની (NBFC)ના ડિરેક્ટર છે.

૨૦૧૫માં, દીપક કોઠારી એક એજન્ટ રાજેશ આર્યને મળ્યો. તેણે તેને શિલ્પા-રાજની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથેના તેના જોડાણ વિશે જણાવ્યું. કંપનીએ દાવો કર્યો હતો કે તે ફેશનથી લઈને આરોગ્ય ઉત્પાદનો સુધી બધું વેચતું એક ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ છે. આર્યએ ૧૨ ટકા વાર્ષિક વ્યાજ પર ૭૫ કરોડ રૂપિયાની લોન માંગી હતી. તે સમયે શિલ્પા પાસે કંપનીમાં ૮૭ ટકાથી વધુ શેર હતા. શરૂઆતમાં, લોન આપવાની વાત થઈ હતી, પરંતુ ટેક્સના બહાના હેઠળ, તેને “રોકાણ” બનાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. એક હોટલમાં એક મીટિંગ થઈ, વચન આપવામાં આવ્યું – ટેક્સ ઓછો હશે, વ્યાજ પણ આપવામાં આવશે, પૈસા સમયસર પરત કરવામાં આવશે. આ વાત પર વિશ્વાસ કરીને, દીપક કોઠારીએ એપ્રિલ ૨૦૧૫માં લગભગ ૩૧.૯૫ કરોડ રૂપિયાનો પહેલો હપ્તો ટ્રાન્સફર કર્યો.

કરનો મુદ્દો ઉકેલાયો ન હતો, છતાં સપ્ટેમ્બર ૨૦૧૫માં બીજો કરાર થયો અને જુલાઈ ૨૦૧૫થી માર્ચ ૨૦૧૬ દરમિયાન બીજા ૨૮.૫૪ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. આમ કુલ ૬૦,૪૮,૯૮,૭૦૦ રૂપિયા ચૂકવવામાં આવ્યા અને તે ઉપરાંત ૩,૧૯,૫૦૦ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી તરીકે ચૂકવવામાં આવ્યા. બદલામાં શિલ્પા શેટ્ટીએ એપ્રિલ ૨૦૧૬માં વ્યક્તિગત ગેરંટી પણ આપી. સપ્ટેમ્બર ૨૦૧૬માં શિલ્પા શેટ્ટીએ અચાનક ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું. થોડા સમય પછી, ખબર પડી કે કંપની સામે ૧.૨૮ કરોડ રૂપિયાનો નાદારીનો કેસ ચાલી રહ્યો છે, જેની દીપક કોઠારીને જાણ પણ કરવામાં આવી ન હતી. જ્યારે પૈસા પાછા માંગવામાં આવ્યા ત્યારે તેમણે વિલંબ કરવાનું શરૂ કર્યું.

દીપક કોઠારીનો આરોપ છે કે, ૨૦૧૫થી ૨૦૨૩ સુધી શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને તેમના સહયોગીઓ એક સુનિયોજિત કાવતરું ચલાવી રહ્યા હતા. તેમણે વ્યવસાયના નામે પૈસા લીધા હતા પરંતુ તેનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કર્યો હતો. મુંબઈ પોલીસની EOWએ IPC ની કલમ ૪૦૩, ૪૦૬ અને ૩૪ હેઠળ FIR નોંધી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

સુરતના પીપોદરા GIDCમાં કપડાં વેપારી પર ગોળીબાર, પેટમાં ગોળી વાગતા હાલત ગંભીર

0

સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના પીપોદરા GIDCમાં કાપડના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા બે ઈસમો કાપડ વેપારી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. વેપારી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

ડીવાયએસપી આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું કે કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા જીઆઇડીસી વિસ્તારમાં રાત્રિના લગભગ સવા 9 વાગ્યાના અરસામાં ઉગ્ર શાહુ નામના વ્યક્તિ જેઓ ઓરિસ્સા ગંજામના વતની છે અને પોતાની રેડીમેઈડ કાપડની દુકાન આજ વિસ્તારમાં ધરાવે છે. તેઓ મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા તે વખતે એક બાઈક પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા અને પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ 3 રાઉન્ડ ફાયર કરેલા છે.

વધુમાં જણાવ્યું હતું કે આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર શાડુ નામના વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, તેઓને પેટ અને પીઠના ભાગે ગોળી વાગી છે. તેઓને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. બનાવ સ્થળ પર કોસંબા, એલ.સી.બી. અને એસ.ઓ.જી. અને કિમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે અને આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. બનાવ વાળી જગ્યા પરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસ ફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે. હાલમાં આ બનાવનું કારણ અને કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે તેની હાલ હકીકત મળી નથી, પરંતુ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ધરાલી જેવી તબાહી: 16થી વધુ લોકોના મોત, અનેક ગુમ

0

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો સર્જાયા છે. અહીં ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા ફ્લેશ ફ્લડ આવ્યું હતું. અચાનક પૂરની સ્થિતિને કારણે લોકો માટે કપરી સ્થિતિ સર્જાઈ હતી. અત્યાર સુધી 16થી વધુ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે.

આ મામલે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી એક્ટિવ થયા હતા અને તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મચૈલ માતાના મંદિરે યાત્રા ચાલુ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુુુઓની હાજરી હતી જેના કારણે મૃતકાંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં એનડીઆરએફ અને અન્ય બચાવ એજન્સીઓ રાહત અને બચાવની કામગીરી કરી રહી છે. ઘટનાસ્થળે જતા રસ્તાઓ ધોવાઈ જવાના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. રેડ ક્રોસ અને સ્થાનિક વહીવટની ટીમો રાહત સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી છે, જ્યારે NDRF અને SDRFની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્મા અને ડેપ્યુટી કમિશનર પંકજ શર્મા સાથે વાતચીત કરીને બચાવ કાર્યની દેખરેખ રાખી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે વહીવટે તાત્કાલિક પગલા લીધાં છે અને નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરે SSP અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને બચાવ ટીમ મોકલી. રાજૌરી અને મેંઢરમાં પણ વાદળ ફટવાના અહેવાલો મળ્યા છે, જેના પર વહીવટની નજર છે.

મચેલ માતા યાત્રા, જે દેવી દુર્ગાના રૂપ માતા ચંડીને સમર્પિત છે, ભદ્રવાહના ચિનોટથી શરૂ થઈ મચેલ મંદિર સુધી જાય છે. આ વાર્ષિક તીર્થયાત્રા દરમિયાન ચશોતી વિસ્તારમાં ભીડ રહે છે, જેના કારણે આ ઘટનાથી નુકસાનની આશંકા વધી છે. સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્માએ જણાવ્યું કે યાત્રાને કારણે વિસ્તારમાં ભીડ હતી, અને તેઓ ઉપરાજ્યપાલ સાથે વાત કરી પરિસ્થિતિ માહિતી આપી હતી.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું, “ચશોતીમાં બાદલ ફટવાની ઘટનાથી દુઃખી છું. પરિવારો પ્રતિ સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.” તેમણે સિવિલ, પોલીસ, સેના, NDRF અને SDRFને બચાવ કાર્યને વેગ આપવા અને પ્રભાવિતોને સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા. હાલ નુકસાનની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે, અને ઘટનાની સત્તાવાર હતાહતોની સંખ્યા ટૂંક સમયમાં જાહેર થશે.

ઈતિહાસમાં પહેલીવાર! EVM મતગણતરીમાં ભૂલ બહાર, 2 વર્ષ જૂનું ચૂંટણી પરિણામ બદલાયું — હારેલા ઉમેદવાર બન્યા વિજેતા..

0

🔥 આ કેસ લોકશાહી ઇતિહાસમાં મીલનો પથ્થર સાબિત થશે — કારણ કે પહેલીવાર એક “હાર” કાનૂની રીતે “વિજય”માં બદલાઈ છે!

નવી દિલ્હી: ભારતના ચૂંટણી ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની મતગણતરીમાં મોટો ફેરફાર થયો અને 2 વર્ષ પહેલાં જાહેર કરાયેલ ચૂંટણી પરિણામ પલટાઈ ગયું. મહારાષ્ટ્રની મુક્તાનગર વિધાનસભા બેઠક પર થયેલી 2022ની મતગણતરીની ફરી તપાસમાં હારેલા ઉમેદવાર મોતીલાલ કુમાર હવે વિજેતા જાહેર થયા છે

કેવી રીતે બહાર આવી ભૂલ?2022માં જાહેર થયેલા પરિણામમાં મોતીલાલ કુમાર 245 મતથી હારી ગયા હતા.તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે EVM ડેટામાં ગડબડ છે.કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે ફરી ચકાસણી કરી.તપાસમાં 4 પોલિંગ સ્ટેશનના ડેટામાં સોફ્ટવેર એન્ટ્રીની ભૂલ મળી.

ભૂલ સુધારતા જ મોતીલાલ કુમારના મત +1,142 વધી ગયા.વિરોધી ઉમેદવારના મત -987 ઘટી ગયા.અંતે મોતીલાલ કુમાર 900થી વધુ મતના અંતરથી વિજેતા બન્યા.


સુપ્રીમ કોર્ટનો સંદેશ:કોર્ટએ કહ્યું —

“લોકશાહી માટે મતગણતરીની પારદર્શિતા અનિવાર્ય છે. ચૂંટણી પંચે ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા માટે મજબૂત સુરક્ષા સિસ્ટમ લાગુ કરવી જ જોઈએ.”

રાજકીય વિશ્લેષકો કહે છે — આ ચુકાદો ભવિષ્યમાં EVM પારદર્શિતાના નવા માપદંડ નક્કી કરશે.


રખડતા કૂતરાઓના કેસ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, જાણો શું કહ્યું?

0

સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ આજે ફરી એકવાર દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓ સંબંધિત કેસની સુનાવણી કરી. કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે સુનાવણીમાં કેન્દ્ર અને અનેક NGOની દલીલો સાંભળી અને ત્યારબાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો. સુપ્રીમ કોર્ટે ૧૧ ઓગસ્ટના રોજ રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને પકડવાના આદેશ પર રોક લગાવવાની માંગ આ દરમિયાન કોર્ટે કહ્યું કે, હસ્તક્ષેપ અરજી દાખલ કરનાર દરેક વ્યક્તિએ જવાબદારી લેવી પડશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, સમગ્ર સમસ્યા સ્થાનિક અધિકારીઓની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે છે. નિયમોનું પાલન ન થવાને કારણે સમસ્યા ખૂબ વધી ગઈ છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ દિલ્હી સરકારને 8 અઠવાડિયાની અંદર દિલ્હીની શેરીઓમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આજે રખડતા કૂતરાઓ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે અમે આ મુદ્દાનો ઉકેલ ઇચ્છીએ છીએ, તેના પર કોઈ વિવાદ ન હોવો જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કોઈ પણ પ્રાણીઓને નફરત કરતું નથી અને અમે આનો ઉકેલ પણ ઇચ્છીએ છીએ.

ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ સંદીપ મહેતા અને ન્યાયાધીશ એન.વી. અંજારિયાની ત્રણ સભ્યોની બેન્ચે આ કેસની સુનાવણી કરી. ન્યાયાધીશ નાથે વધુમાં કહ્યું કે, સ્થાનિક અધિકારીઓ જે કરવું જોઈએ તે કરી રહ્યા નથી. તેમણે અહીં જવાબદારી લેવી જોઈએ. હસ્તક્ષેપ નોંધાવવા આવનાર દરેક વ્યક્તિએ જવાબદારી લેવી જોઈએ.

એમસીડીના પાઠક દવેએ કહ્યું કે, ‘અમે તમારા દરેક આદેશનું પાલન કરીએ છીએ. અમે તેનું પાલન કરવા માટે અહીં છીએ.’ આના પર ન્યાયાધીશે કહ્યું કે, ‘તમારે અહીં કહેવા માટે કંઈ નથી. આ સમસ્યા ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ક્રિયતાને કારણે થઈ રહી છે.

‘રખડતા કૂતરાઓના કેસ પર સુનાવણી દરમિયાન, વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ 11 ઓગસ્ટના રોજ અધિકારીઓને રખડતા કૂતરાઓને આશ્રય ગૃહોમાં રાખવાના આદેશનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, કૂતરા કરડવાની ઘટના બને છે પરંતુ આ વર્ષે દિલ્હીમાં હડકવાથી એક પણ મૃત્યુ થયું નથી. અલબત્ત, કૂતરા કરડવા ખરાબ છે પરંતુ તમે આવી ભયાનક પરિસ્થિતિ ઊભી કરી શકતા નથી.

અગાઉ, 11 ઓગસ્ટના રોજ ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ આર મહાદેવનની બે સભ્યોની બેન્ચે દિલ્હી-એનસીઆર અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ શક્ય તેટલી વહેલી તકે તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને ઉપાડવાનું શરૂ કરે અને તેમને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવે. બેન્ચે અધિકારીઓને તાત્કાલિક આશ્રયસ્થાનો સ્થાપવા અને આઠ અઠવાડિયામાં આવા માળખાગત બાંધકામ અંગે રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, રખડતા કૂતરાઓને ફક્ત આશ્રયસ્થાનોમાં જ રાખવામાં આવશે અને તેમને શેરીઓ, વસાહતો અથવા જાહેર સ્થળોએ છોડવામાં આવશે નહીં. 11 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે 28 જુલાઈના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં રખડતા કૂતરા કરડવાથી બાળકોમાં હડકવાના કેસમાં શરૂ કરાયેલા સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન અનેક નિર્દેશો જારી કર્યા હતા. કરતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

સુરતમાં ઇન્ડસ્ટ્રીઝ સંચાલક દ્વારા ગેરકાયદેસર ગેસ જોડાણથી 43.80 લાખની ચોરી, પોલીસે કરી ધરપકડ

સુરત શહેરના ભાઠેના-આંજણા વિસ્તારમાં આવેલી એક ઇન્ડસ્ટ્રીઝના સંચાલકે ગુજરાત ગેસ કંપનીની મુખ્ય લાઈનમાંથી ગેરકાયદેસર રીતે ગેસનું જોડાણ લઈને કરોડોની ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે ઉદ્યોગના સંચાલક વિશાલ પટેલની ધરપકડ કરી છે. તેમની સામે રૂ. 43.80 લાખની ગેસ ચોરીની ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાત ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રશાંત ઇન્દ્રવદન વ્યાસ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, વિશાલ મહેશકુમાર પટેલ ભાઠેના-આંજણામાં આવેલી ધન લક્ષ્‍મી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 10 પર તપેલા ડાઇંગનો વ્યવસાય ચલાવે છે. 2007માં તેમણે કાયદેસર કોમર્શિયલ ગેસ કનેક્શન લીધું હતું, પરંતુ 2022માં ગેસ ચોરી પકડાતાં કંપનીએ તેમનું કનેક્શન કાપી નાખ્યું હતું.

જોકે, કનેક્શન કપાઈ ગયા બાદ પણ વિશાલે ગુપ્ત રીતે ચોરી ચાલુ રાખી હતી. તેમણે કંપનીની જાણ બહાર જ મુખ્ય ગેસ લાઈન કાપીને તેમાં ‘T’ લગાવીને બારોબાર સપ્લાઈ મેળવવાનું શરૂ કરી દીધું હતું. આ ગેરકાયદેસર જોડાણથી તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવતા હતા. કંપની દ્વારા હાથ ધરાયેલી તપાસમાં આ મોટો ભાંડો ફૂટ્યો હતો.

કંપનીના અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જીવંત લાઈનમાં કાપ મૂકીને જોડાણ કરવું અત્યંત જોખમી છે અને તે કોઈ સામાન્ય વ્યક્તિ માટે શક્ય નથી. આ રીતે ચોક્કસાઈપૂર્વક જોડાણ કરવા પાછળ ગેસ લાઈનના કોઈ જાણકાર કર્મચારીની મદદ હોઈ શકે છે. આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

આગામી સાત દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગનું એલર્ટ

0

ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 13 ઓગસ્ટથી રોજ ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે. પૂર્વ મધ્ય ભારત અને નજીકના ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિઓ વધી શકે છે.

13 થી 17 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા અને તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો તબક્કો શરૂ થઈ શકે છે.

ઉત્તર પ્રદેશના 44 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશના 44 જિલ્લાઓમાં 13 અને 14 ઓગસ્ટના રોજ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ યુપીમાં ઓછા દબાણવાળા ક્ષેત્રની રચના વરસાદને વધુ તીવ્ર બનાવી શકે છે.

ભારે વરસાદની શક્યતા

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પંજાબ, સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, તેલંગાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ વરસાદ પડી શકે છે.

ઇટાલી: લેમ્પેડુસા દરિયાકાંઠે નૌકાદુર્ઘટના, 26 સ્થળાંતરકારોના કરુણ મોત, અનેક લાપતા

ઇટાલીના લેમ્પેડુસા ટાપુ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આશરે 100 લોકો સ્થળાંતર કરી રહ્યાં હતા તેમની બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આશરે 26 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સાથે અનેક લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઇટાલિયન કોસ્ટ ગાર્ડ અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ આ ઘટના અંગે માહિતી આપી હતી.

60 સ્થળાંતર કરનારાઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, 60 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા 60 લોકોને લેમ્પેડુસાના એક કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે. લિબિયાથી નીકળતી વખતે હોડીમાં 92 થી 97 લોકો સવાર હતા. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક 26 છે, પરંતુ આ આંકડો વધી શકે તેવી સંભાવનાઓ છે. અત્યારે બચાવકાર્ય ચાલી રહ્યું છે.બે બોટમાં 95 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું.

આ દુર્ઘટનામાં જેટલા લોકોનો જીવ બચી ગયો છે તેમના નિવેદનો લેનામાં આવ્યાં છે. આ નિવેદનોના આધારે જાણવા મળ્યું છે કે, બે બોટમાં 95 લોકો સવાર હતા અને તે લીબિયાથી નીકળ્યાં હતા. જ્યારે બેમાંથી એક બોટમાં પાણી ભરવાનું શરૂ થયું, ત્યારે બધા મુસાફરોને બીજી બોટમાં ખસેડવામાં આવ્યા જે ફાઇબરગ્લાસથી બનેલી હતી અને તે વધુ વજનને કારણે પલટી ગઈ હતી. જેથી 26 લોકોનું અકાળે મોત થયું છે.

DRDO ગેસ્ટ હાઉસ મેનેજર નીકળ્યો પાકિસ્તાની જાસૂસ, ISIએ ગુપ્ત માહિતી લીક કરવા બદલ કરી ધરપકડ

0

દેશની મહત્વપૂર્ણ સંરક્ષણ સંસ્થાઓમાંની એક, DRDOના ગેસ્ટ હાઉસ મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર પ્રસાદ ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ નજીક DRDOમાં કોન્ટ્રાક્ટ પર ગેસ્ટ હાઉસ મેનેજર તરીકે તૈનાત હતા. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. મહેન્દ્ર પ્રસાદ પર દેશની ગુપ્ત અને વ્યૂહાત્મક માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે.

15 ઓગસ્ટ અંગે સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જયપુરના પોલીસ મહાનિરીક્ષક CID (સુરક્ષા) ડૉ. વિષ્ણુકાંતે જણાવ્યું હતું કે, આગામી રાજ્ય સ્તરના સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન CID ઇન્ટેલિજન્સ રાજ્યમાં વિદેશી એજન્ટો દ્વારા કરવામાં આવતી રાષ્ટ્ર વિરોધી અને વિધ્વંસક પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે.

આરોપી કોને ગુપ્ત માહિતી આપી રહ્યો હતો?

આ દેખરેખ દરમિયાન એવું જાણવા મળ્યું કે DRDO ગેસ્ટ હાઉસ ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ જેસલમેરમાં કોન્ટ્રાક્ટ મેનેજર તરીકે કામ કરતો ઉત્તરાખંડના અલ્મોડાના પલ્યુનનો રહેવાસી મહેન્દ્ર પ્રસાદ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં છે અને પાકિસ્તાની હેન્ડલર્સને મિસાઇલ અને અન્ય શસ્ત્રોનું પરીક્ષણ કરવા માટે ફાયરિંગ રેન્જમાં આવતા DRDO વૈજ્ઞાનિકો અને ભારતીય સૈન્ય અધિકારીઓની હિલચાલ સંબંધિત ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યો છે.

CID ઇન્ટેલિજન્સ, રાજસ્થાન દ્વારા ધરપકડ

આ પછી જયપુરમાં વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા મહેન્દ્ર પ્રસાદની સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી હતી. તેના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું હતું કે તે DRDO અને ભારતીય સૈન્ય સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની હેન્ડલરોને પૂરી પાડી રહ્યો હતો. આ અંગે 12 ઓગસ્ટના રોજ મહેન્દ્ર પ્રસાદ, પુત્ર ચનિરામ, ઉંમર 32 વર્ષ વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને CID ઇન્ટેલિજન્સ, રાજસ્થાન દ્વારા જાસૂસીના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.