Home Blog Page 346

ગિરગાવ ચા રાજાને વિશ્વનો સૌથી મોટો 800 કિલોનો મોદક ધરાવવામાં આવ્યો

0

ગણેશોત્સવની શરૂઆત થતાં જ ભક્તો બાપ્પાને ગમતી વસ્તુઓ અર્પણ કરીને તેમને પ્રસન્ન કરવાની તૈયારીમાં લાગી જાય છે. આવું જ કંઈક મુંબઈના ખૂબ જાણીતા ગિરગાવચા રાજાને અર્પણ કરવામાં આવ્યું હતું. ગિરગાવચા રાજા મંડળ દ્વારા ફૉર્ચ્યુન ગ્રુપની મદદથી બાપ્પાને ગણેશ ચતુર્થીના રોજ 800 કિલોનો વિશાળકાય મોદક ધરાવવામાં આવ્યો હતો. આ મોદક પરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરીને બનાવાયેલો વિશ્વનો સૌથી મોટો મોદક છે એવી નોંધ વર્લ્ડ રેકૉર્ડ બુક ઑફ ઇન્ડિયાએ લીધી હતી.

ફોર્ચ્યુન બેસન, ફોર્ચ્યુન સુગર, દૂધ અને માવાથી બનેલો, આ વિશાળ મોદક પંડાલનું કેન્દ્રબિંદુ બન્યો અને દેશભરમાં દર 3 ભારતીય ઘરોમાંથી 1 સાથે ફોર્ચ્યુનના ઊંડા જોડાણનું પ્રતીક બન્યો. ગિરગાંવ ચા રાજા ખાતે, ફોર્ચ્યુને 5,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી વ્યાપક બ્રાન્ડિંગનું અમલીકરણ કર્યું, જેનાથી બ્રાન્ડની હાજરી ઉજવણીની ભવ્યતાનો પર્યાય બની ગઈ.

આ પ્રસંગે બોલતા, AWL એગ્રી બિઝનેસ લિમિટેડના સેલ્સ અને માર્કેટિંગના સંયુક્ત પ્રમુખ મુકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે: “દરેક ભારતીય તહેવારના હૃદયમાં ખોરાક રહેલો છે, અને ગણેશ ચતુર્થી માટે, મોદક એ સૌથી કિંમતી સ્વાદિષ્ટ વાનગી છે. ફોર્ચ્યુન, દેશના સૌથી મોટા મુખ્ય બ્રાન્ડ તરીકે, હંમેશા દેશભરના રસોડાઓનો ભાગ રહ્યો છે – રોજિંદા ભોજનથી લઈને ઉત્સવની ઉજવણી સુધી. પરંપરાગત ઘટકો સાથે સૌથી મોટો મોદક બનાવીને, અમે અમારા વારસાનું સન્માન કરતી વખતે ગણેશ ચતુર્થીની ઉજવણી મોટા પાયે કરવા માંગતા હતા. અમે એ પણ સમજીએ છીએ કે ભારતમાં દરેક પ્રદેશ તહેવારો પોતાની આગવી રીતે ઉજવે છે – મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીથી લઈને બંગાળમાં દુર્ગા પૂજા સુધી – અને ફોર્ચ્યુનની ભૂમિકા આ ​​પરંપરાઓ સાથે અર્થપૂર્ણ અને અધિકૃત રીતે જોડવાની છે.”

360 -ડિગ્રી ઉત્સવ માર્કેટિંગ ઝુંબેશના ભાગ રૂપે , ફોર્ચ્યુને મુંબઈ, થાણે, નવી મુંબઈ, પુણે, નાસિક અને નાગપુરમાં ૨૫ મુખ્ય પંડાલોમાં બ્રાન્ડિંગ સાથે મજબૂત ઓન-ગ્રાઉન્ડ હાજરી બનાવી છે, જેમાં 166,800 ચોરસ ફૂટથી વધુ બ્રાન્ડિંગ જગ્યા આવરી લેવામાં આવી છે, સાથે જ ૧૩૨ સોસાયટીઓમાં હાઇ-ઇમ્પેક્ટ OOH, માયગેટ એક્ટિવેશન અને 800+ લિફ્ટ્સ, તેમજ લાલબાગ ચા રાજા પંડાલમાં બે LED સ્ક્રીનનો સમાવેશ થાય છે. ડિજિટલ મોરચે, ફોર્ચ્યુને એક ઇન્ટરેક્ટિવ સ્પર્ધા રજૂ કરી હતી જ્યાં વપરાશકર્તાઓએ ત્રણ દિવસમાં મનોરંજક રમતો દ્વારા વર્ચ્યુઅલ ગણેશ મૂર્તિ બનાવી હતી, જેમાં વ્યક્તિગત ઉત્સવની શુભેચ્છાઓ ઓનલાઈન વ્યાપકપણે શેર કરવામાં આવી હતી અને પ્રભાવકો દ્વારા વિસ્તૃત કરવામાં આવી હતી.

1928માં સ્થાપિત, ગિરગાંવ ચા રાજા મુંબઈના સૌથી જૂના અને સૌથી આદરણીય સાર્વજનિક ગણેશ મંડળોમાંનું એક છે, જે તેની પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિ અને ભવ્યતા કરતાં પરંપરા પર ભાર મૂકવા માટે પ્રખ્યાત છે. આ વર્ષે, રેકોર્ડબ્રેક મોદકના અનાવરણથી ઉત્સાહની નવી લહેર ઉભરી આવી, જે તહેવારો દરમિયાન લોકોને એકસાથે લાવવામાં ખોરાકની કાલાતીત ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે.

આજે પીએમ મોદીએ ટોક્યોમાં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો

વડાપ્રધાન મોદી જાપાનના 2 દિવસીય પ્રવાસે છે. આજે વડાપ્રધાન મોદીએ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો. આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન કર્યુ. વડાપ્રધાન મોદીએ જાપાની મેન્યુફેક્ચર્સને ‘મેક ઈન ઈન્ડિયા’ માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, જાપાન હંમેશા ભારતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે.

વડાપ્રધાન મોદી જાપાન પ્રવાસ દરમિયાન સૂચક સંબોધન
આજે વડાપ્રધાન મોદીએ ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લીધો. આ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સૂચક સંબોધન કર્યુ. વડાપ્રધાન મોદીએ જાપાની મેન્યુફેક્ચર્સને ‘મેક ઈન ઈન્ડિયા’ માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતે વ્યાપાર કરવાની સરળતા પર ખાસ ભાર મૂક્યો છે અને વ્યવસાય માટે સિંગલ ડિજિટલ વિન્ડો મંજૂરીની સિસ્ટમ લાગુ કરી છે. S&P ગ્લોબલે 2 દાયકા બાદ ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કર્યુ છે. ઓટો ક્ષેત્રમાં ભારતની ભાગીદારી ખૂબ જ સફળ રહી છે અને હવે બેટરી, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર, શિપ-બિલ્ડિંગ અને પરમાણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં પણ આ જ સફળતાનું પુનરાવર્તન થઈ શકે છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને જાપાન સાથે મળીને ગ્લોબલ સાઉથ, ખાસ કરીને આફ્રિકાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

જાપાન માટે ભારત ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ
ટોક્યોમાં ભારત-જાપાન વાર્ષિક શિખરને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારી વ્યૂહાત્મક છે. આર્થિક તર્કથી પ્રેરિત થઈને બંને દેશોએ સહિયારા હિતોને સહિયારી સમૃદ્ધિમાં પરિવર્તિત કર્યા છે. ભારત જાપાની વ્યવસાય માટે ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ છે. બંને દેશો સાથે મળીને સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિને દિશા આપશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતે AI, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેક અને અવકાશ જેવા ક્ષેત્રોમાં સાહસિક અને મહત્વાકાંક્ષી પગલાં લીધાં છે. જાપાનની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા મળીને આ સદીની ટેકનોલોજીકલ ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે. બંને દેશોએ સ્વચ્છ ઈંધણ અને ગ્રીન ફ્યુચર પર સંયુક્ત ક્રેડિટ મિકેનિઝમ કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે. જાપાનની શ્રેષ્ઠતા અને ભારતનો સ્કેલ મળીને એક આદર્શ ભાગીદારી બનાવી શકે છે.

ભારતમાં પરિવર્તન પાછળનો અભિગમ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં પરિવર્તન પાછળ આપણો અભિગમ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ છે. સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રો પછી અમે હવે ખાનગી કંપનીઓ માટે પરમાણુ ઊર્જા ક્ષેત્ર ખોલી રહ્યા છીએ. આજે દુનિયા ફક્ત ભારત તરફ જ જોતી જ નથી પરંતુ ભારત પર વિશ્વાસ પણ કરી રહી છે. આજે મેટ્રોથી મેન્યુફેકચરિંગ સુધી, સેમિકન્ડક્ટરથી સ્ટાર્ટઅપ્સ સુધી જાપાન અને ભારત વચ્ચેની ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતીક બની ગઈ છે અને જાપાની કંપનીઓએ ભારતમાં $40 બિલિયનથી વધુનું રોકાણ કર્યુ છે.

પીએમ મોદીના અપમાન મામલે પટનામાં ભાજપનો ઉગ્ર વિરોધ, પોલીસ રફીક ઉર્ફ રાજાની ધરપકડ કરી

0

બિહારના દરભંગામાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સંયુક્ત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ થયો હતો. જેને લઈ વિવાદ વકરી રહ્યો છે. ભાજપના કાર્યકર્તા અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે 29 ઓગસ્ટ એટલે કે આજે ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાએ રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે

બિહારના દરભંગામાં કોંગ્રેસના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપના નેતાઓએ મોરચો ખોલી દીધો હતો. આ મામલે દરભંગા તેમજ પટણાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. હવે દરભંગામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ ધરપકડની પુષ્ટિ કરી છે. આ કેસમાં દરભંગાના સિમરી પોલીસ સ્ટેશનમાં કેસ નંબર 243/25 નોંધવામાં આવ્યો હતો. ભાજપના દરભંગા જિલ્લા પ્રમુખે સિમરી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી. દુર્વ્યવહાર કરનાર વ્યક્તિનું નામ રિઝવી ઉર્ફે રાજા જણાવવામાં આવી રહ્યું છે. તેનું નામ રફીક પણ જણાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાની ટીકા કરતાં સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કોંગ્રેસ અને આરજેડીની આ અભદ્ર ભાષા લોકશાહીને કલંકિત કરે છે. તેમણે રાહુલ ગાંધીની રાજનીતિને નીચા સ્તરની ગણાવી અને કહ્યું કે સામાન્ય પરિવારમાંથી આવતા મોદીને કોંગ્રેસ સહન નથી કરી શકતી.

અમિત શાહે આ ઘટનાને દરેક માતા અને દીકરાનું અપમાન ગણાવ્યું, જેના માટે દેશના 140 કરોડ લોકો કોંગ્રેસને માફ નહીં કરે એવો દાવો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે ગાંધી પરિવારે મોદી વિરુદ્ધ નફરત ફેલાવવાનું ચાલુ રાખ્યું છે. આ ઘટનાએ બિહારના રાજકીય વાતાવરણને વધુ તંગ બનાવ્યું છે, અને સોશિયલ મીડિયા પર આ વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના રાજકીય સંસ્કૃતિમાં શબ્દોના ઉપયોગ અને મર્યાદા પર નવી ચર્ચા ઉભી કરે છે.

RBIના પૂર્વ ગવર્નર ર્ડો ઉર્જિત પટેલની IMFમાં એક્ઝિકયુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂંક

0

ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને વૈશ્વિક સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ તેમને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)માં એક્ઝિકયુટિવ ડિરેક્ટર તરીકે ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે.

ઉર્જિત પટેલે 5 સપ્ટેમ્બર, 2016ના રોજ RBIના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ડૉ. રઘુરામ રાજનનું સ્થાન લીધું હતું. પરંતુ ડિસેમ્બર 2018માં તેમણે વ્યક્તિગત કારણોસર ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા બાદ શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકની જવાબદારી સોંપવામાં આવી હતી.પટેલે માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. જાન્યુઆરી 2022માં તેઓ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત થયા હતા. તે ઉપરાંત તેમણે અગાઉ IMF, Boston Consulting Group તથા Reliance Industries સાથે પણ કામ કર્યું છે.

1998 થી 2001 સુધી, તેઓ ભારત સરકારના નાણાં મંત્રાલયમાં સલાહકાર હતા. આ ઉપરાંત તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC, MCX અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી કંપનીઓમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. તેમના અનુભવ તેમને વૈશ્વિક મંચ પર ભારતનો મજબૂત અવાજ બનવામાં મદદ કરે છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC, MCX અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી કંપનીઓમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. તેમના અનુભવ તેમને વૈશ્વિક મંચ પર ભારતનો મજબૂત અવાજ બનવામાં મદદ કરે છે.જરાતી મૂળના ઉર્જિત પટેલનો જન્મ 28 ઓક્ટોબર, 1963ના રોજ કેન્યામાં થયો હતો. તેમનું પૈતૃક ગામ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું છે. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ કેન્યામાં મેળવ્યું હતું. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ વિદેશ ગયા હતા અને તેમણે:લંડન યુનિવર્સિટીમાંથી B.Sc. (Economics)ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી M.Phil (Economics)યેલ યુનિવર્સિટીમાંથી Ph.D. (Economics) કર્યું છે.1990 થી 1992 દરમ્યાન તેમણે IMFમાં અમેરિકા, મ્યાનમાર, ભારત અને બહામાસ માટે અર્થશાસ્ત્રી તરીકે કાર્ય કર્યું હતું.

આ નિયુક્તિ સાથે ઉર્જિત પટેલ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય નાણાકીય જગતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને વૈશ્વિક આર્થિક નીતિ નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા છે.

સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં 3000 પાનાના FSL રિપોર્ટમાં ખુલાસો, જામીન અરજી સામે વિરોધ

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાના આપઘાત કેસમાં ચાલી રહેલી કાનૂની કાર્યવાહીમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસના આરોપી કિશોરની જામીન અરજી સામે ગુરુવારે કોર્ટમાં જોરદાર દલીલો કરવામાં આવી હતી. મૂળ ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ કોર્ટમાં જણાવ્યું કે કિશોરે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે તે ગર્ભવતી પણ બની હતી. તેમણે દલીલ કરી કે જો કિશોરને જામીન આપવામાં આવશે, તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે, જેથી તેની જામીન અરજી નામંજૂર કરવી જોઈએ.

3000 પાનાના FSL રિપોર્ટમાં ગંભીર ખુલાસા
આ કેસમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા 3000 પાનાના FSL રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં પીડિતા અને આરોપી કિશોર વચ્ચે થયેલી જી-મેઇલ ચેટિંગની વિગતો પણ સામેલ છે. આ ચેટિંગમાં શારીરિક સંબંધો અને ગર્ભપાત અંગેની વાતોનો ઉલ્લેખ છે. આ પુરાવાના આધારે ફરિયાદ પક્ષે માંગ કરી છે કે કિશોર સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવવા જેવી કલમોનો ઉમેરો કરવામાં આવે. હવે આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ યોજાશે, જેમાં બચાવ પક્ષના વકીલ કલ્પેશ દેસાઈ પોતાની દલીલો રજૂ કરશે.

ચેટિંગમાં શું શું નીકળ્યું
પોલીસે શિક્ષિકાનો મોબાઈલ એફએસએલમાં મોકલ્યો હતો. સિંગણપોર પોલીસે FSLએ આપેલા રિપોર્ટનું એનાલિસિસ કર્યું હતું. આ રિપોર્ટના એનાલિસિસ બાદ ઘણી અન્ય બાબતો પણ બહાર આવી છે. જેમાં સગીર અને શિક્ષિકા વચ્ચે જી-મેલ મારફત બંને વચ્ચે જે ચેટિંગ થઈ છે તેનો રિપોર્ટ રજૂ કરાયો છે. પીડિતા સાથે શારીરિક સંબંધ અને ગર્ભપાત અંગેની ચેટિંગ પણ હતી. FSL રિપોર્ટમાં મૃતક દ્વારા આરોપી સગીરને કરવામાં આવેલા મેલનો પણ ઉલ્લેખ છે. મોટા પ્રમાણમાં 2024માં મૃતક દ્વારા આરોપી સગીરને મેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શરીર સંબંધ બાંધ્યાનો અને બે વાર ગર્ભપાત કરાવાની સાથે મૃતક પાટીદાર શિક્ષિકાને નશીલો પદાર્થ પણ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.

મેઈલમાં એકબીજા માટે ઘણું બધુ લખ્યું
મૃતકે સગીર આરોપીને 14 નવેમ્બર 2020એ સાંજે છ વાગ્યા આસપાસ એક મેલ કર્યો છે. જેમાં મૃતકે સગીર આરોપીને જણાવ્યું છે કે એક વાત તો ભૂલી જ ગઈ કે જે બે વાર પાપ કર્યું છે ને એ બંનેને નડશે, હું તો જઈશ પણ તમને એ પણ નડશે. બીજા એક મેલમાં જણાવ્યું છે કે, પછી યાદ છે ઓલા દિવસ ફાર્મમાં ગયા ને બહુ મોટો ઝઘડો થઈ ગયો. તમને થોડોક મારા પર ગુસ્સો આવી ગયો અને તમે મારું ગળું દબાવી દીધું હતું. અન્ય એક મેલમાં લખ્યું છે કે ખબર છે તમે પરાણે સુટ્ટો મરાવતા હતા.

સુરતના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય નેનુ રણજીતભાઈ વાવડીયા નામની પાટીદાર યુવતીએ 13 જુલાઈના રોજ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વાવડીયા પરિવારની એકની એક દીકરીના અકાળે અવસાનથી પરિવાર શોકમગ્ન બન્યો છે. આ મામલે સિંગણપોર પોલીસે યુવતીને હેરાન કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નેનુના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની દીકરી છેલ્લા છ મહિનાથી એક યુવક દ્વારા હેરાન થઈ રહી હતી. તેમણે આ બાબતે યુવકના પિતાને પણ જાણ કરી હતી. છેલ્લા બે દિવસથી નેનુ ખૂબ જ ડિપ્રેશનમાં હતી. જેના કારણે તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે.આ ઘટના બાદ સિંગણપોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી.

હરિયાણામાં મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા મળશે: અરજી કરવાની રીત અહીં છે

0

હરિયાણા સરકારે મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે ‘દીન દયાલ લાડો લક્ષ્મી યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દર મહિને 20 લાખ જેટલી મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવશે. આ પહેલનો હેતુ રાજ્યની મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરી જવાનો છે, જેના દ્વારા તેમનું જીવનધોરણ ઉંચું લાવવામાં આવશે. આ યોજના ભાજપના 2024ના ચૂંટણી વચનનો એક ભાગ છે.

મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ 28 ઓગસ્ટના રોજ જાહેર કર્યું કે ‘દીન દયાલ લાડો લક્ષ્મી યોજના’ 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2,100 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ નિર્ણય રાજ્ય કેબિનેટની ખાસ બેઠકમાં લેવાયો, જેનો મુખ્ય ઉદ્દેશ આ યોજનાને મંજૂરી આપવાનો હતો. આ યોજના ભાજપના વિચારક દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શરૂ કરવામાં આવશે.

આ યોજના 23 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ માટે છે, પછી ભલે તેઓ પરિણીત હોય કે અપરિણીત. પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે, જેમાં અંદાજે 19થી 20 લાખ મહિલાઓનો સમાવેશ થશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે એક પરિવારમાં પાત્ર મહિલાઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ પરિવારમાં ત્રણ મહિલાઓ પાત્ર હશે, તો તમામને આ ભથ્થું મળશે. પાત્રતા માટે મહિલા અથવા તેના પતિનું ઓછામાં ઓછું 15 વર્ષથી હરિયાણાનું નિવાસી હોવું જરૂરી છે.

આ યોજના અન્ય કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાયેલી છે. અપરિણીત મહિલાઓ 45 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેમને વિધવા અને નિરાશ્રિત મહિલા આર્થિક સહાય યોજનામાં સામેલ કરવામાં આવશે. તેવી જ રીતે, પરિણીત મહિલાઓ 60 વર્ષની ઉંમરે વૃદ્ધાવસ્થા સન્માન ભથ્થા પેન્શન યોજનામાં સ્થાનાંતરિત થશે. આ યોજનાનો લાભ વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટે તેનો વિસ્તાર કરવામાં આવશે, જેથી ઉચ્ચ આવકવર્ગની મહિલાઓને પણ ભવિષ્યમાં સામેલ કરી શકાય.

મહિલાઓને ઘરે બેઠા અરજી કરવાની સુવિધા આપવા માટે એક ખાસ એપ લોન્ચ કરવામાં આવશે. પારદર્શિતા જાળવવા માટે પાત્ર લાભાર્થીઓની યાદી ગ્રામ પંચાયતો અને વોર્ડોમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ યોજના ભાજપના 2024ના વિધાનસભા ચૂંટણી વાયદાઓનો ભાગ હતી. તેમણે 2025-26ના રાજ્ય બજેટમાં આ યોજના માટે 5,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

કેવી રીતે અરજી કરવી?

  • યોજના માટેની સત્તાવાર સૂચના અને અરજીઓ માટે એક મોબાઇલ એપ્લિકેશન એક અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે.
  • પાત્ર મહિલાઓને એપ્લિકેશન દ્વારા અરજી કરવા માટે SMS સૂચનાઓ પ્રાપ્ત થશે.
  • દરેક પંચાયત અને વોર્ડમાં પાત્ર મહિલાઓની યાદી પ્રકાશિત કરવામાં આવશે, જેથી જરૂર પડ્યે સ્થાનિક સમુદાયો વાંધો ઉઠાવી શકે.

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા

0

ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુરુવારે સવારે રાજ્યના પૂર્વ કામેંગ જિલ્લામાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 27.77° ઉત્તર અક્ષાંશ અને 93.12° પૂર્વ રેખાંશ પર હતું, જેની ઊંડાઈ જમીનથી 10 કિલોમીટર નીચે હતી. ભૂકંપની તીવ્રતા ઓછી હતી, પરંતુ કેટલાક વિસ્તારોમાં તેના આંચકા અનુભવાયા હતા.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા
આ પહેલાં, બુધવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 હતી, જેના આંચકા સમગ્ર હિન્દુકુશ ક્ષેત્રમાં અનુભવાયા હતા. ભારતીય સમય મુજબ, ભૂકંપ સાંજે 6:57 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર 36.32° ઉત્તર અક્ષાંશ અને 71.33° પૂર્વ રેખાંશ પર હતું, જેની ઊંડાઈ 138 કિલોમીટર હતી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ રાજ્યમાં ગણેશ અને નવરાત્રી ઉજવણી માટે મફત વીજળીની જાહેરાત કરી

0

તેલંગાણા સરકારે આ વર્ષે ગણેશ ચતુર્થી અને દુર્ગા નવરાત્રી ઉજવણી દરમિયાન પંડાલો માટે મફત વીજળીની જાહેરાત કરી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી માટે આ પહેલ 11 દિવસ અને દુર્ગા નવરાત્રી ઉજવણી માટે 9 દિવસ ચાલશે.

આ યોજના હેઠળ, સરકાર ગણેશ ચતુર્થીના 11 દિવસ અને દુર્ગા નવરાત્રીના ૯ દિવસ માટે પંડાલોમાં વપરાતી વીજળીનું બિલ વસૂલશે નહીં. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીનો તહેવાર, જેને વિનાયક ચવિથી તરીકે પણ ઓળખવામાં આવે છે, બુધવારે તેલંગાણામાં સમગ્ર રાજ્યમાં ભક્તિ અને ઉત્સાહ સાથે શરૂ થયો હતો. હૈદરાબાદ સહિત રાજ્યના ગામડાઓ અને શહેરોમાં લાખો ભગવાન ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે, તેલંગાણા અને પડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં વરસાદ હોવા છતાં, મોટી સંખ્યામાં લોકોએ મંદિરોમાં મુલાકાત લીધી હતી અને તેમના ઘરોમાં ગણપતિની મૂર્તિઓ પણ સ્થાપિત કરી હતી અને પૂજા કરી હતી.

ખૈરતાબાદમાં ‘વિશ્વ શાંતિ મહાશક્તિ ગણપતિ’
આ વર્ષે પણ હૈદરાબાદનો ખૈરતાબાદ પંડાલ રાજ્યમાં સૌથી મોટું આકર્ષણ રહ્યું છે. અહીં 69 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રતિમાને ‘વિશ્વ શાંતિ મહાશક્તિ ગણપતિ’ નામ આપવામાં આવ્યું છે, જેનો હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિની કામના કરવાનો છે.

ગણેશોત્સવ સુચારુ રીતે યોજાય તે માટે સરકાર અને પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ઉત્સવના છેલ્લા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. હૈદરાબાદમાં, હજારો મૂર્તિઓનું હુસૈન સાગર તળાવ અને અન્ય તળાવો અને તળાવોમાં વિસર્જન કરવામાં આવશે.

પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે, પીએમ શિગેરુ ઇશિબા સાથે યોજશે શિખર બેઠક

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 ઓગસ્ટ બે દિવસના જાપાન પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી જાપાનના વડા પ્રધાન શિગેરુ ઈશિબા સાથે મુલાકાત કરશે અને 15માં ભારત-જાપાન શિખર સંમેલનમાં સામેલ થશે. આ પીએમ મોદીની આઠમી જાપાન યાત્રા છે તેમજ શિગેરુ ઈશિબા સાથે પ્રથમ શિખર મુલાકાત થશે.

વૈશ્વિક ભાગીદારી કરાશે મજબૂત
આ મુલાકાતમાં પીએમ મોદી અને શિગેરુ ઇશિબા ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની સમીક્ષા કરશે. આ સમીક્ષામાં સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, ટેકનોલોજી અને નવીનતા, તેમજ મુખ્ય ક્ષેત્રોને આવરી લેવાશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. આમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને નિયમો-આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. તેઓ 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં હાજરી આપશે. બંને દેશો વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની આ એક મહત્વપૂર્ણ તક હશે. અને ત્યાર બાદ તેઓ ચીનની મુલાકાત લેશે.

પીએમ મોદી અને ઇશિબા વચ્ચેની મુલાકાત મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે જાપાનની E10 શિંકનસેન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા પ્રાયોજિત છે અને ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને પ્રોત્સાહન આપશે. બંને નેતાઓ ટેકનોલોજી ટ્રાન્સફર અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા પર પણ વિચાર કરશે.

એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સમતોલ કરશે
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન સુરક્ષા અને રણનીતિક જોડાણની પણ ચર્ચા કરશે. જેમાં ભારત અને જાપાન 2008 સુરક્ષા સહયોગ પર સંયુક્ત જાહેરાત કરશે. તેની સાથે આ બંને દેશ નવી ઇકોનોમિક સિકયોરિટી પહેલ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં સેમીકંડર, ક્રિટિકલ મિનરલ્સ,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેલીકોમ્યુનિકેશન અને ક્લીન એનર્જી સેક્ટર સામેલ છે. તેમજ બંને દેશો વચ્ચેની ભાગીદારી એશિયા- પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સમતોલ કરવાની રીતે મહત્વની માનવામાં આવે છે.

જાપાન ભારતમાં 68 બિલિયન યુએસ ડોલરની રોકાણની જાહેરાત કરશે
આ ઉપરાંત સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદીની 2 દિવસના પ્રવાસ દરમિયાન જાપાન ભારતમાં 10 ટ્રિલિયન યેન (68 બિલિયન યુએસ ડોલર) ના રોકાણની જાહેરાત કરી શકે છે. આ વડા પ્રધાન મોદી અને ઇશિબા તેમના સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022 માં જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ફુમિયો કિશિદાએ પણ ભારતમાં 5 ટ્રિલિયન યેનનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

અમેરિકામાં ટ્રાન્સજેન્ડરનું અંધાધૂંધ ફાયરિંગ: ગુનેગારે હથિયાર પર કેમ લખ્યું ‘ન્યુક ઈન્ડિયા’?

અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેયાપોલિસ શહેરમાં આવેલી એનાનુંસિએશન કેથોલિક સ્કૂલમાં ફાયરિંગની એક દુ:ખદ ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે અહેવાલો સામે આવ્યા છે કે, હુમલાખોર રોબિન વેસ્ટમેન ભારતનો દુશ્મન હતો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ભારત પર બોમ્બ ફેંકવાનો મેસેજ પણ જોવા મળ્યો હતો.

અમેરિકામાં ટ્રાન્સજેન્ડરનું અંધાધૂંધ ફાયરિંગ Robin W નામની યુટ્યુબ ચેનલ પર કેટલાક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. બાદમાં પ્લેટફોર્મ દ્વારા જ આ ચેનલ બંધ કરી દેવામાં આવી હતી. યુટ્યુબ ચેનલ પર 10 મિનિટ લાંબા વીડિયો હથિયારો અને ગોળીઓથી ભરેલા મેગેઝિન જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેના પર મેસેજ પણ લખેલા હતા, જેમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ છે. બંદૂકો પર મેસેજ લખેલા હતા કે, ‘ટ્રમ્પને મારી નાખો, ઈઝરાયલને ખતમ કરી દેવું જોઈએ, ભારત પર પરમાણુ બોમ્બ ફેંકો.

‘ડોનાલ્ડ ટ્રમ્પે દુ:ખદ વ્યકિત કર્યોઆ અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં લખ્યું કે, ‘મિનેસોટાના મિનેયાપોલિસમાં થયેલા દુ:ખદ ફાયરિંગ વિશે મને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

FBIએ ઝડપથી પ્રતિક્રિયા આપી અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વ્હાઇટ હાઉસ આ ભયંકર પરિસ્થિતિ પર નજર રાખશે. શંકાસ્પદ વ્યક્તિને પકડવા શોધખોળ શરૂઆ ઘટના ત્યારે બની જ્યારે શાળામાં નિયમિત વર્ગો ચાલી રહ્યા હતા. ફાયરિંગના અવાજો સંભળાતા જ શાળાને તાત્કાલિક તાળાબંધી કરી દેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા અને વહીવટીતંત્રે વાલીઓને જાણ કરી હતી.