Home Blog Page 346

બોલ માડી અંબે, જય જય અંબે: અંબાજી ભાદરવી પૂનમ મહામેળો આજથી શરુ, શું છે આરતી-દર્શનનો સમય?

ભાદરવો મહિનો શરૂ થયો છે. શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો યોજાયો છે. જેની શરૂઆત આજથી એટલે કે સોમવારથી શરુ થયો છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે માતાજીનો રથ ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મહામેળો 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. ભાદરવી પૂનમના દિવસે લાખો ભક્તો અંબાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તંત્ર દ્વારા પણ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને સુરક્ષાથી લઈને દરેક પ્રકારની વ્યવસ્થાઓ કરી છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં ગુજરાત સહિત દેશની વિવિધ જગ્યાઓથી ભક્તો અંબાજી આવે છે. લાખો ભક્તો ચાલીને પગપાળા સંઘ લઈને પણ આવે છે. આ દિવસોમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગૂંજી ઉઠે છે. અંબાજી ગબ્બર અને અંબાજી મંદિર દર્શન કરવા ભક્તોનું કીડિયારું ઊભરાય છે.

મહામેળા દરમિયાન દર્શન કરવાનો સમય
અંબાજી ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી મંદિર તંત્ર દ્વારા ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી સમયમાં ફેરફાર કર્યા છે. મહામેળા દરમિયાન આ પ્રમાણેનો સમય રહેશે.

  • સવારે 6થી 6.30ના આરતી
  • સવારે 6થી 11.30 વાગ્યા સુધી દર્શન
  • સવારે 1130થી 12.30ના દર્શન બંધ રહેશે
  • બપોરે 12.30થી સાંજના 5 વાગા સુધી દર્શન
  • સાંજે 5થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન
  • રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી દર્શન બંધ

અંબાજી ભાદરવી પૂનમ મેળો શું ખાસ રહેશે?

  • પ્રસાદ વિતરણ માટે કૂલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા
  • મેળા દરમિયાન 30 લાખથી વધારે પ્રસાદના પેકેટ વિતરણ કરાશે
  • યાત્રિકો માટે કૂલ ચાર સ્થળોએ નિઃશુક્લ ભોજન વ્યવસ્થા કરાઈ છે
  • સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે 5000 જવાનો તૈનાત
  • 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાશે
  • 1,83,855 ચોરસ મીટર એરિયામાં કૂલ 35 જેટલા પાર્કિંગ ઊભા કરાયા
  • 22541 કરતા વધારે વાહનો પાર્ક થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ
  • શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે show my parking એપ્લિકેશનની ઓનલાઈન સુવિધાન
  • પાર્કિંગથી મંદિર ખાતે જવા આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિના મૂલ્યે મીની બસ સેવા
  • ડ્રોન લાઈટ શો સહિતના આયોજનો કરાયા

સુરત સાયબર ક્રાઈમે મ્યાનમારમાં માનવ તસ્કરી કરનારી ગેંગનો પર્દાફાશ, 3 લોકોની ધરપકડ

સુરત સહિત દેશના અનેક રાજ્યોના લગભગ 40 યુવાનોને નોકરીની લાલચ આપીને મ્યાનમારમાં બંધક બનાવવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સુરત સાયબર ક્રાઈમની ટીમે એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં થાઈલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરીના બહાને યુવાનોને ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમને કપટપૂર્વક નદી માર્ગે બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જ્યાં તેમને એક ચાઈનીઝ ગેંગને સોંપી દેવાયા હતા.

આ ગેંગ યુવાનોને ગેરકાયદેસર કોલ સેન્ટરમાં ગોંધી રાખીને તેમની પાસે ફેક આઈડી દ્વારા ભારત અને વિદેશમાં રોકાણના નામે ઓનલાઈન ઠગાઈ કરાવતી હતી.

આ સમગ્ર રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 લોકોની સંડોવણી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સુરત સાયબર ક્રાઈમે આ મામલે કાર્યવાહી કરતાં પંજાબના બે અને સુરતના એક મળીને કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં નીપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી અને પ્રીત કમાણી (બંને પંજાબના) અને વિઝા એજન્ટ આશિષ રાણા (સુરત)નો સમાવેશ થાય છે. આરોપીઓ યુવાનોને વિદેશ મોકલવા માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 40 થી 50 હજાર કમિશન લેતા હતા. આ રેકેટ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું હોવાનું પણ જણાયું છે.

સુરત સાયબર ક્રાઈમને મળેલ બાતમીના આધારે પોલીસે પંજાબના પટિયાલામાં દરોડો પાડીને બે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં એ વાત સામે આવી કે યુવાનોને થાઈલેન્ડ લઈ જઈ ત્યાંથી નદી પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં આવતા હતા, જ્યાં તેમની પાસે સાયબર ફ્રોડ કરાવવામાં આવતું. જો કોઈ યુવાન કામ ન કરે તો તેને બીજા યુવાનને લાવવાની ફરજ પાડવામાં આવતી હતી. હાલ પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી શકાય. આ ઘટનાએ વિદેશમાં નોકરીની લાલચ આપતા એજન્ટોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

ચીનમાં મોદી-પુતિનની શાનદાર સવારી: જાણો કેટલી છે રૂસી Aurus Senat Limousineની કિંમત?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજકાલ ચીનમાં છે. ત્યાથી આવેલી પ્રધાનમંત્રીની એક તસ્વીરે મીડિયામાં હાહાકાર મચાવી દીધો છે. જેમા મોદી રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે એક જ કારમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. ચીનના તિયાનજિનમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO) ની બેઠક બાદ બંને નેતા દ્વિપક્ષીય યાત્રા માટે એક જ કારમાં બેસેલા જોઈ શઅકય છે.

આ રૂસી રાષ્ટ્રપતિની ખાસ કાર છે જેને રૂસની ઓટો કંપની ઑરસે બનાવી છે. આ કંપની પુતિનના નિર્દેશ પર જ બની છે. જાણો શુ છે આ ગાડીની વિશેષતા અને કેટલી છે આની કિમંત.

પુતિન Aurus Senat Limousine કારમાં મુસાફરી કરે છે. તેને રશિયાની રોલ્સ રોયસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના 2018 માં પુતિનના નિર્દેશ પર કરવામાં આવી હતી. ગયા વર્ષે પુતિને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને આ કંપનીની એક કાર ભેટમાં આપી હતી. પુતિન દ્વારા ઉપયોગમાં લેવાતી કાર સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે. આ કારનું વજન લગભગ 7,200 કિલો છે, જે એક કોમર્શિયલ બસના વજન જેટલું છે. તાજેતરમાં, મોસ્કોમાં પુતિનના કાફલામાં સામેલ એક કાર પર હુમલો થયો હતો.

કેટલી છે કિમંત
Aurus Senat ના સિવિલિયન વર્ઝનની કિમંત લગભગ $250,000 એટલે કે લગભગ 2.20 કરોડ રૂપિયા છે. વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલી આના આર્મર્ડ વર્ઝનની કિમંત લગભગ 15 લાખ ડોલર એટલે કે 13.23 કરોડ રૂપિયા છે. આ કાર ભારતમાં ઉપલબ્ધ નથી. કંપનીનો દાવો છે કે આ કાર ફક્ત 6 સેકંડમાં 100 કિમીની ગતિ પકડી શકે છે.

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: દેશમાં ફરજીયાત રહેશે 20% ઇથેનોલ પેટ્રોલ

0

સુપ્રીમ કોર્ટે પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવાનો વિરોધ કરતી અરજી ફગાવી દીધી છે. આ સાથે, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે દેશવાસીઓને ઇથેનોલ મુક્ત પેટ્રોલનો વિકલ્પ નહીં મળે. દેશમાં આ દિવસોમાં ઇથેનોલનો મુદ્દો ગરમાયો છે. દરમિયાન, એક અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશવાસીઓને ઇથેનોલ મુક્ત પેટ્રોલનો વિકલ્પ પણ મળવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને કે વિનોદ ચંદ્રને સમગ્ર કેસની સુનાવણી કરી અને સરકાર વતી ભારતના એટર્ની જનરલ આર. વેંકટરામણીનો પક્ષ સાંભળ્યા બાદ, અરજી ફગાવી દેવામાં આવી.

સુનાવણી દરમિયાન, અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સદન ફરાસતે કર્યું. નીતિ આયોગના 2021ના અહેવાલને ટાંકીને, તેમણે કહ્યું કે 20 ટકા ઇથેનોલ ધરાવતું પેટ્રોલ 2023 પહેલા દેશમાં ઉત્પાદિત વાહનો માટે યોગ્ય નથી. આનાથી વાહનોનું માઇલેજ છ ટકા સુધી ઘટે છે. વકીલે એમ પણ કહ્યું કે અરજદાર ઇથેનોલ ધરાવતા પેટ્રોલની વિરુદ્ધ નથી. તેઓ ફક્ત જૂના વાહનો માટે ઇથેનોલ વિના પેટ્રોલનો વિકલ્પ ઇચ્છે છે.

સરકારનો પક્ષ
ભારતના એટર્ની જનરલ આર. વેંકટરામણીએ કહ્યું કે અરજદાર ફક્ત એક નામ છે. તેમની પાછળ એક મોટી લોબી કામ કરી રહી છે. સરકારે આ નીતિ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને બનાવી હતી. શેરડીના વેપારીઓને આનો ફાયદો થઈ રહ્યો છે. દેશની બહાર બેઠેલા લોકો નક્કી કરી શકતા નથી કે દેશમાં કેવા પ્રકારનું પેટ્રોલ ઉપલબ્ધ થશે. આ પછી, સીજેઆઈએ અરજી ફગાવી દીધી.

શું મામલો છે?
ભારતમાં, સરકાર પેટ્રોલમાં 20 ટકા સુધી ઇથેનોલ ઉમેરે છે. આનાથી શેરડીના ખેડૂતોને ફાયદો થાય છે અને તેમની શેરડી વધુ કિંમતે વેચાય છે. જોકે, તે વાહનોના માઇલેજને અસર કરે છે. કેટલાક અહેવાલો કહે છે કે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાથી વાહનોનું માઇલેજ ઓછું થાય છે અને ઘણા વાહનોમાં પણ સમસ્યા ઊભી થાય છે. જોકે, સરકારે આ અહેવાલોને નકારી કાઢ્યા છે.

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા, 610 થી વધુ લોકોના મોત

અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 610 થી વધુ લોકોના મોત જ્યારે 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. આ માહિતી ત્યાંના આંતરિક બાબતોના મંત્રાલયના હવાલાથી મળી રહી છે.

અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અત્યાર સુધીના આંકડા પ્રમાણે 612થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોનો આંકડો 1000ને વટાવી ગયો છે. નાંગરહાર સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા અજમલ દવાઈશે જણાવ્યું કે જલાલાબાદ અને આજુબાજુના વિસ્તારોમાં એક પછી એક ત્રણ ભૂકંપ આવ્યા હતા. પહેલા ભૂકંપની તીવ્રતા 6.3, બીજાની 4.5 અને ત્રીજાની 5.2 તીવ્રતા રહી હતી જેના લીધે મોટી જાનહાનિ સર્જાઇ હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું?
USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ, રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ પછી, ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો, જેની તીવ્રતા 4.5 માપવામાં આવી. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. ત્યારબાદ ત્રીજો ભૂકંપ પણ આવ્યો હતો.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

સુરતની નેશનલ રનર વિધિનું કરુણ મોત

0

સુરત શહેર આજે એક હૃદયદ્રાવક ઘટના સાથે હચમચી ઉઠ્યું. પનાસ વિસ્તારમાં સવારે નેશનલ લેવલ રનર વિધિ સંતોષભાઈ કદમ  ને સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત થયું. વિધિ મોપેડ પર ભટાર જિમ જતી હતી ત્યારે પનાસ કેનાલ રોડ પર પાલિકાની ટેમ્પોએ ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજા થતાં તેને ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

વિધિ મૂળ મહારાષ્ટ્રની હોવા છતાં પનાસ ગામે પરિવાર સાથે રહેતી હતી. પિતા સિલાઈકામ કરે છે અને ભાઈ ફૂડ કોર્ટ ચલાવી પરિવારમાં સહયોગ આપી રહ્યો છે. હાલ તે બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી તથા નેશનલ લેવલની દોડમાં અનેક એવોર્ડ મેળવી ચૂકી હતી. થોડા સમયમાં ભોપાલમાં યોજાનારી નેશનલ ચેમ્પિયનશિપ માટે તે તૈયારી કરી રહી હતી.આ ઘટનાની ગંભીરતા એ છે કે અકસ્માત કરનાર ડ્રાઇવર પાસે પાકું લાઇસન્સ નહોતું. તે માત્ર લર્નિંગ લાઇસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો. પોલીસે ડ્રાઇવર ગિરીશ અડડ (22)ને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિધિનું મોત પરિવાર માટે સૌથી મોટો આઘાત છે. એક જ દીકરી ગુમાવનાર માતા–પિતા હાલ શોકમગ્ન છે. પરિવારજનોએ જણાવ્યું કે આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિધિએ નાનપણથી જ દોડમાં રસ લઈને અનેક મેડલ મેળવ્યા હતા, પરંતુ એક બેદરકારીના કારણે એક તેજસ્વી ખેલાડીનું ભવિષ્ય અધૂરું રહી ગયું.

 

16 જાપાનીઝ ગવર્નરો સાથે મોદીની મુલાકાત

0

અમેરિકા દ્વારા ભારત પર ભારે ટેરિફ લગાવવાને કારણે બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો છે. પરંતુ ભારત નમવાને બદલે નવા વિકલ્પો શોધવામાં લાગી ગયું છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસે આંતરરાષ્ટ્રીય સ્તરે હલચલ મચાવી દીધી છે. ભારત અને જાપાન વચ્ચે થનારી દરેક ડીલ અને સહયોગ પર હવે અમેરિકાની નજર છે.

16 જાપાનીઝ ગવર્નરો સાથે મુલાકાત
ટોક્યોમાં પીએમ મોદીએ જાપાનના 16 પ્રાંતોના ગવર્નરો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે ભારત અને જાપાન વચ્ચે રાજ્ય-પ્રાંત સહયોગ મિત્રતાનો એક મહત્વપૂર્ણ સ્તંભ છે. આ જ કારણોસર 15મા ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન દરમિયાન તેના પર એક વિશેષ પહેલ શરૂ કરવામાં આવી હતી. મોદીએ કહ્યું કે વેપાર, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી અને AI જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગની અપાર સંભાવનાઓ છે.

વિદેશ મંત્રાલયનું નિવેદન
ભારતીય વિદેશ મંત્રાલયે માહિતી આપી કે ગવર્નરો સાથેની બેઠકમાં ટેકનોલોજી, રોકાણ, કૌશલ્ય, MSME અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા થઈ. મંત્રાલયે જણાવ્યું કે આ પહેલથી માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પર્યટન અને સુરક્ષા સહયોગ પણ મજબૂત થશે.

અમેરિકાની ચિંતા
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને ચાલી રહેલો ઝઘડો હવે રાજકીય તણાવમાં ફેરવાઈ રહ્યો છે. અમેરિકાનું માનવું છે કે ભારત રશિયા સાથેના પોતાના સંબંધોને કારણે નમવા તૈયાર નથી. બીજી તરફ, ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે મુશ્કેલીમાં તક શોધીને પોતાના સહયોગીઓ સાથે નવા રસ્તા બનાવશે. જાપાન સાથે વધતી ભાગીદારીએ વોશિંગ્ટનને ચિંતામાં મૂક્યું છે.

જાપાનને મળશે ભારતીય ટેલેન્ટ
પીએમ મોદીએ જાપાનીઝ ગવર્નરોને અપીલ કરી કે તેઓ ભારતના વિવિધ રાજ્યો સાથે મળીને ઉત્પાદન, ગતિશીલતા, માળખાકીય સુવિધાઓ અને નવીનતાના ક્ષેત્રમાં સહયોગ વધારે. તેમણે કહ્યું કે દરેક જાપાની પ્રાંતની પોતાની તકનીકી અને આર્થિક તાકાત છે, જ્યારે ભારતીય રાજ્યો પાસે અદ્વિતીય સંસાધનો અને પ્રતિભા છે. જો તેમને જોડવામાં આવે તો બંને દેશોની પ્રગતિ ઝડપી બનશે.

ભવિષ્યનો રોડમેપ
જાપાનીઝ ગવર્નરોએ પણ ઉપ-રાષ્ટ્રીય સહયોગની પ્રશંસા કરી અને કહ્યું કે તેનાથી દ્વિપક્ષીય વેપાર, શિક્ષણ, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો આગલા સ્તર પર પહોંચશે. મોદીએ યુવાનો અને કૌશલ્ય વિકાસમાં સંયુક્ત પ્રયાસોની વાત કરતાં કહ્યું કે જાપાની ટેકનોલોજી અને ભારતીય ટેલેન્ટ મળીને દુનિયા માટે એક નવો દાખલો બેસાડશે.

બારડોલીમાં ST બસ પલટી: ડ્રાઈવર ફરાર, મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો

0

સુરતના બારડોલીમાં ST બસે પલટી મારી હોવાની વાત સામે આવી છે, મુસાફરોથી ભરેલી એસટી બસે પલટી મારતા મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા અને લોકો બસમાથી બહાર કાચ તોડીને નીકળવા લાગ્યા હતા, રોડની સાઈડ પર જઈને બસે પલટી મારી હતી અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું છે.

બારડોલીના નાડીદા ગામ નજીક બસે પલટી મારી
સુરતના બારડોલીમાં એસટી બસને અકસ્માત થયો છે, બસે અચાનક પલટી મારતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા અને બારડોલીના નાડીદા ગામ પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, મુસાફરોનો આક્ષેપ છે કે, બસના ડ્રાઈવરે નશો કર્યો હતો અને નશો કરીને બસ ચલાવી રહ્યો હતો. તો ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને સ્થાનિકોએ મુસાફરોને બસની બહાર કાઢયા હતા, તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા
એસટી બસે પલટી મારી તો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો, લોકોએ બહાર નીકળવા માટે કાચ તોડયો અને પાછળના કાચથી લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા, તો જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, પોલીસે ફરાર ડ્રાઈવરને શોધવા માટે કવાયત શરૂ કરી છે.

સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ : સર્વેમાં ખુલાસો

0

ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથનું નામ હાલમાં દેશના સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રીઓની યાદીમાં ટોચ પર છે. તાજેતરના સર્વેના પરિણામોમાં આ વાત સામે આવી છે. દેશમાં વડાપ્રધાન પદ માટે નરેન્‍દ્ર મોદી હજુ પણ લોકોની પસંદ છે. તે જ સમયે, કેન્‍દ્રમાં ભાજપ સરકાર અંગે લોકોનો અભિપ્રાય પણ સામે આવ્‍યો છે.

સર્વે અનુસાર, 36 ટકા લોકોએ યોગી આદિત્‍યનાથને દેશના સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી ગણાવ્‍યા છે. તે જ સમયે, આ યાદીમાં બીજું નામ ભાજપના કટ્ટર હરીફ પક્ષના મુખ્‍યમંત્રીનું છે. 13 ટકા લોકોએ ટીએમસીના સ્‍થાપક અને પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીને સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી માન્‍યા છે. યાદીમાં ત્રીજું નામ આંધ્ર પ્રદેશના મુખ્‍યમંત્રી ચંદ્રાબાબુ નાયડુનું છે, જેમને 7 ટકા લોકોએ સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી ગણાવ્‍યા છે. ખાસ વાત એ છે કે ભારતભરના વિવિધ રાજ્‍યોના લોકોએ સર્વેમાં ભાગ લીધો હતો.

સર્વેમાં ફક્‍ત રાજ્‍યના લોકોના મંતવ્‍યો લેવામાં આવ્‍યા હતા, પરંતુ આસામના મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા શર્માને સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી જાહેર કરવામાં આવ્‍યા હતા. જો આપણે નાના રાજ્‍યોની વાત કરીએ તો, સિક્કિમના મુખ્‍યમંત્રી પ્રેમ સિંહ તમાંગ 54 ટકા મત સાથે સૌથી લોકપ્રિય મુખ્‍યમંત્રી હતા. અરુણાચલ પ્રદેશના મુખ્‍યમંત્રી પેમા ખાંડુ ૪૨ ટકા મત સાથે બીજા અને ત્રિપુરાના મુખ્‍યમંત્રી 40 ટકા મત સાથે ત્રીજા ક્રમે હતા.

સર્વે મુજબ, વડાપ્રધાન મોદી આજે પણ લોકપ્રિય નેતા છે. સર્વેમાં ભાગ લેનારા ૫૨ ટકા લોકોએ તેમને આગામી વડાપ્રધાન માટે સૌથી યોગ્‍ય ગણાવ્‍યા છે. તે જ સમયે, દેશના 58 ટકા લોકો વડાપ્રધાન તરીકેના તેમના કાર્યને સારું અથવા ખૂબ સારું માને છે. લોકોએ બેરોજગારીને મોદી સરકારની સૌથી મોટી નિષ્‍ફળતા અને રામ મંદિરના નિર્માણને તેની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે.

IRS અધિકારી સમીર વાનખેડેના પ્રમોશન પર મોટો નિર્ણય, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અરજી ફગાવી

0

દિલ્હી હાઈકોર્ટે UPSC દ્વારા યોગ્ય જણાય તો IRS અધિકારી સમીર વાનખેડેને બઢતી આપવાના નિર્દેશ સામે કેન્દ્ર સરકારની અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશ નવીન ચાવલા અને મધુ જૈનની ડિવિઝન બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના આદેશને માન્ય રાખ્યો અને કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં નિર્દેશનું પાલન કરવા જણાવ્યું.

વાંધાજનક આદેશ હેઠળ, CAT એ સરકારને વાનખેડેના પ્રમોશન સંબંધિત માહિતી ધરાવતું સીલબંધ પરબિડીયું ખોલવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જો UPSC દ્વારા તેમના નામની ભલામણ કરવામાં આવે છે, તો તેમને 1 જાન્યુઆરી, 2021 થી એડિશનલ કમિશનર પદ પર બઢતી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે ટ્રિબ્યુનલ એ હકીકતને સમજવામાં નિષ્ફળ ગયું છે કે CBI અને ED દ્વારા વાનખેડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા અને નોકરી મેળવવા માટે તેમણે બનાવટી જાતિ પ્રમાણપત્ર રજૂ કર્યું હોવાનો આરોપ લગાવતી ફરિયાદ પણ મળી હતી.

હાઈકોર્ટે બીજું શું કહ્યું?
બેન્ચે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT) ના ડિસેમ્બર 2024 ના આદેશને યથાવત રાખતા આ આદેશ આપ્યો હતો, જેમાં સરકારને વાનખેડેના પ્રમોશન સંબંધિત સીલબંધ પરબિડીયું ખોલવાનો અને જો UPSC તેમના નામની ભલામણ કરે તો તેમને 1 જાન્યુઆરી, 2021 થી એડિશનલ કમિશનર પદ પર બઢતી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સરકારે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે વાનખેડે સામે નોંધાયેલા કેસોને કારણે તેમનો કેસ સીલબંધ પરબિડીયુંમાં રાખવામાં આવ્યો હતો. જોકે, બેન્ચે કહ્યું હતું કે, “હાલમાં પ્રતિવાદી (વાનખેડે) સામે એવો કોઈ વિભાગીય કેસ પેન્ડિંગ નથી જેમાં તેમની સામે કોઈ ચાર્જશીટ જારી કરવામાં આવી હોય.”

સરકારે CAT ના આદેશને પડકાર્યો હતો
બેન્ચે એમ પણ કહ્યું કે વાનખેડેને ન તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે ન તો તેમની સામે કોઈ ફોજદારી કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સરકારે CAT ના આદેશને આ આધાર પર પડકાર્યો હતો કે વાનખેડે સામે ગંભીર આરોપો છે જેના આધારે FIR દાખલ કરવામાં આવી હતી અને અગાઉ CVC એ પણ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાની સલાહ આપી હતી.

આર્યન ખાનની ધરપકડ બાદ સમીન વાનખેડે ચર્ચામાં આવ્યા હતા
વાનખેડે 2008 બેચના IRS અધિકારી છે. વર્ષ 2021 માં, NCB મુંબઈમાં તેમની પોસ્ટિંગ દરમિયાન, તેઓ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના પરિવાર પાસેથી ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપીને 25 કરોડ રૂપિયાની માંગણી કરવાના આરોપોને કારણે ચર્ચામાં આવ્યા હતા.