Home Blog Page 322

વાયુસેનાને પ્રોત્સાહન: સરકાર 97 LCA Mk1A વિમાન ખરીદશે, HAL સાથે રૂ. 62,370 કરોડનો સોદો થયો

0

સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે ભારતીય વાયુસેના (IAF) માટે 97 LCA Mk1A વિમાન ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે રૂ. 62,370 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા, જેમાં 68 લડાયક વિમાનો અને 29 ટ્વીન-સીટર્સ, તેમજ સંલગ્ન સાધનોનો સમાવેશ થાય છે.

આ વિમાનોની ડિલિવરી 2027-28 દરમિયાન શરૂ થશે અને છ વર્ષના સમયગાળામાં પૂર્ણ થશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ વિમાનમાં 64% થી વધુ સ્વદેશી સામગ્રી હશે, જેમાં જાન્યુઆરી 2021 માં હસ્તાક્ષર કરાયેલા અગાઉના LCA Mk1A કરાર ઉપરાંત 67 વધારાની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે.

UTTAM એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે (AESA) રડાર, સ્વયં રક્ષા કવચ અને કંટ્રોલ સરફેસ એક્ટ્યુએટર્સ જેવી અદ્યતન સ્વદેશી રીતે વિકસિત સિસ્ટમોનું એકીકરણ આત્મનિર્ભરતા પહેલને વધુ મજબૂત બનાવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને સીધી રીતે સંકળાયેલી લગભગ 105 ભારતીય કંપનીઓના મજબૂત વિક્રેતા આધાર દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે.

HAL ને તાજેતરમાં LCA-MK1A (Tejas Mk1A) માટે ત્રીજું GE-404 એન્જિન પણ પ્રાપ્ત થયું છે અને બીજું એન્જિન ટૂંક સમયમાં ડિલિવર થવાની અપેક્ષા છે. LCA ના MK1A વેરિઅન્ટમાં કોમ્બેટ એવિઓનિક્સ અને એર-ટુ-એર રિફ્યુઅલિંગ ક્ષમતાઓમાં સુધારાનો સમાવેશ થાય છે.

HAL ના નાસિક વિભાગમાં કુલ 2,207 કર્મચારીઓ છે, જેમાં 1,188 ટેકનિકલ નિષ્ણાતો, ટેકનિકલ સપોર્ટ માટે 624 નિષ્ણાતો અને 395 એન્જિનિયરોનો સમાવેશ થાય છે.

નવસારીમાં આદિવાસી યુવતી સાથે દુષ્કર્મકાંડ, ભાજપ કાર્યકરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

નવસારીમાં લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ આચરવા અને તેને ગર્ભપાત કરાવવાના ગંભીર આરોપો સાથે સંકળાયેલા ભાજપના કાર્યકર અને ટેટૂ આર્ટિસ્ટ જય સોનીની આખરે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જય સોની લાંબા સમયથી ભૂગર્ભમાં હતો. તેણે નવસારી કોર્ટ બાદ ગુજરાત હાઈકોર્ટમાંથી પણ રાહત ન મળતા પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી હતી અને પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી

આરોપી જય સોની પર આક્ષેપ છે કે તેણે એક યુવતીને પોતાની વર્તમાન પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતી આ સંબંધ દરમિયાન ગર્ભવતી બની, ત્યારે આરોપીએ તેને ધમકાવીને ગર્ભપાત કરાવી દીધો હતો. આ દુષ્કર્મમાં આરોપીના માતા-પિતાએ પણ પીડિતાનું અપમાન કર્યું હતું અને તેને ધમકાવી હતી. પીડિતાએ આ અંગે લગભગ સાત મહિના પહેલાં નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં જય સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

આખરે પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ
પોલીસથી બચવા માટે જય સોનીએ પહેલા નવસારી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી, જે રદ થઈ હતી ત્યારબાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ ત્યાં પણ તેને રાહત મળે તેમ ન લાગતા તેણે પોતાની અરજી પાછી ખેંચી લીધી અને પોલીસ સામે સરેન્ડર કરવું પડ્યું હતું. જય સોની ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે પણ કામ કરતો હતો. તેની ધરપકડથી રાજકીય અને સામાજિક સ્તરે ચકચાર મચી ગઈ છે.

આખરે, હાઈકોર્ટમાં પણ જામીન અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડતા બુધવારે જય સોનીએ નવસારી એસ.સી., એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. હરેશ યાંદુ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા અને વાવ-થરાદ હવેથી અલગ જિલ્લો: કયા તાલુકા કયા જિલ્લામાં જશે તે જાણો

0

ગાંધીનગરઃ 25 સપ્ટેમ્બર, 2025: ગુજરાત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લેતાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની સત્તાવાર જાહેરનામું જાહેર કર્યું છે. આ વિભાજનના પરિણામે, ગુજરાતના નકશા પર હવે બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા છે: બનાસકાંઠા અને વાવ-થરાદ. લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે આ વિભાજનનો નિર્ણય લીધો છે. આ પગલાથી ત્યાંના નાગરિકોને સરકારી સેવાઓ અને વિકાસ કાર્યોનો લાભ ઝડપથી અને સરળતાથી મળી શકશે.

નવા જિલ્લાઓનું માળખું અને તાલુકાઓનું વિભાજન
વિભાજન બાદ, બંને જિલ્લાઓમાં નીચે મુજબ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:

  1. બનાસકાંઠા જિલ્લો (મુખ્ય મથક: પાલનપુર)
    નવા બનાસકાંઠા જિલ્લાનું વહીવટી કેન્દ્ર પાલનપુર રહેશે. આ જિલ્લામાં કુલ 10 તાલુકાઓનો સમાવેશ થાય છે, જેમાં મુખ્યત્વે:
  • પાલનપુર
  • વડગામ
  • દાંતા
  • હદદ
  • અમીરગઢ
  • દાંતીવાડા
  • ડીસા
  • કાંકરેજ
  • ઓગદ
  • ધનેરા
  1. વાવ-થરાદ જિલ્લો (મુખ્ય મથક: થરાદ)
    નવગઠિત વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. આ જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ થાય છે:
  • દેવદર
  • લાખણી
  • થરાદ
  • વાવ
  • ધરણીધર
  • ભાભર
  • રાહ
  • સુઈગામ

વહીવટી તંત્રને સરળતા અને વિકાસને મળશે ગતિ
સરકારનો મુખ્ય હેતું આ જિલ્લા વિભાજન દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવાનો છે. બનાસકાંઠા એક મોટો જિલ્લો હોવાથી, વહીવટ કરવા માટે દૂરના વિસ્તારો સુધી સેવાઓ પહોંચાડવી મુશ્કેલ હતી. હવે વાવ-થરાદ એક સ્વતંત્ર જિલ્લા તરીકે કાર્ય કરશે, જેનાથી સરકારી યોજનાઓનો લાભ તેના દૂરસ્થ વિસ્તારો સુધી ઝડપથી પહોંચશે અને પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે. સુશાસન અને સ્થાનિક લોકોની સુવિધાની દૃષ્ટિએ આ નિર્ણય એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

વેનેઝુએલાના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ, કોલંબિયામાં અનુભવાયો

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે ઉત્તરપશ્ચિમ વેનેઝુએલામાં 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઇમારતો હચમચી ગઈ હતી અને લોકોને ઘણા રાજ્યો અને પડોશી કોલંબિયામાં ઘરો અને ઓફિસો ખાલી કરાવવાની ફરજ પડી હતી.

યુએસજીએસે જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ઝુલિયા રાજ્યમાં મેને ગ્રાન્ડેથી લગભગ 24 કિલોમીટર પૂર્વ-ઉત્તરપૂર્વમાં, કારાકાસથી 600 કિલોમીટરથી વધુ પશ્ચિમમાં, 7.8 કિલોમીટરની છીછરી ઊંડાઈએ સ્થિત હતું.

ભૂકંપના આંચકા કારાકાસ અને મારાકાઇબો સહિતના મુખ્ય શહેરોમાં તેમજ કોલંબિયાની સરહદ પાર અનુભવાયા હતા. કોલંબિયન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે ભૂકંપની તીવ્રતા 6.1 માપી હતી અને તેને “છીછરી ઊંડાઈ” તરીકે વર્ગીકૃત કરી હતી, જે અરુબા, કુરાકાઓ અને બોનેરમાં પણ અનુભવાઈ હતી.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
  • ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

જનરલ અનિલ ચૌહાણનો CDS તરીકેનો કાર્યકાળ લંબાયો, નિર્ધારિત તારીખ સુધી ચાલુ રહેશે

0

જુલાઈ મહિનામાં ઓપરેશન સિંદૂર હાથ ધરીને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યાર બાદ બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાની સેનાની કમર તોડી નાખી હતી, જેમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે તેમનો કાર્યકાળ 30 મે, 2026 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જનરલ અનિલ ચૌહાણને 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયના નિવેદન મુજબ સરકારે તેમનો કાર્યકાળ 30 મે સુધી અથવા આગામી આદેશો સુધી લંબાવવાની મંજૂરી આપી છે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, “કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટી (ACC) એ 24 સપ્ટેમ્બર 2025 ના રોજ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે જનરલ અનિલ ચૌહાણના સેવા લંબાવાની મંજૂરી આપી છે. તેઓ 30 મે 2026 સુધી અથવા આગામી આદેશો સુધી ભારત સરકારના લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કાર્ય કરશે.”

જનરલ બિપિન રાવત બાદ જનરલ અનિલ ચૌહાણ ભારતના બીજા સીડીએસ બન્યા.
અનિલ ચૌહાણ 1981માં ભારતીય સેનામાં સામેલ થયા હતા. તેમણે દેશની કરેલી સેવાઓ માટે તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી એનાયત કરવામાં આવ્યો છે.

ગાંધીનગર: અડાલજ લૂંટ અને હત્યા કેશના આરોપી વિપુલનું એન્કાઉન્ટર

0

ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં. ત્યારે લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખસે બંનેને માલમતા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી, જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો.

આરોપી વિપુલ પરમારને રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ ફાયરિંગ થયું હતું.જેમાં આરોપીનું મોત થઈ ગયું છે. આમ જ્યાં તેણે મર્ડર કર્યું ત્યાં જ તેનું પોલીસે ઢીમ ઢાળી દીધું છે. આ દરમિયાન ત્રણ પોલીસકર્મીને ઇજા થઈ હતી. આરોપીએ પોલીસની રિવોલ્વર ઝુંટવી ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું. જેમાં વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થયું છે.

આ ચકચારી લૂંટ-મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુખ્ય આરોપી વિપુલ પરમારને 23 સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી પાડ્યો હતો. આ કેસની વધુ તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને સોંપવામાં આવી હતી. આ બનાવના દિવસના કેનાલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપી બાઇક પર શિકારની શોધમાં ફરતો જોવા મળ્યો હતો.

છેલ્લા આઠ વર્ષથી વિપુલના પરિવારજનોએ તેની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી આ બાબતે તેઓએ છાપામાં જાહેરાત પણ આપી દીધી હતી. માનસિકતા ધરાવતો હતો અને તેનું વર્તન ખરાબ હોવાના કારણે તેની સાથે કોઈ સંબંધ રાખવામાં આવ્યા નહોતા. આરોપીના એન્કાઉન્ટરના આગલા દિવસે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ આરોપીના માતા સાથે વાતચીત કરી હતી. જેમાં કહ્યું હતું તમારે વિપુલ સાથે જે કરવું હોય એ કરો.

ભાઈ-ભાભીએ જણાવ્યું હતું કે નરોડા રોડ પર અશોક મિલ પાસે આવેલી બંસીની ચાલીમાં રહેતા તેના માતાના ઘરે પહોંચ્યું હતું. વિપુલના પિતા અગાઉ સીઆરપીએફમાં નોકરી કરતા હતા અને નિવૃત્ત થયા હતા. એક વર્ષ પહેલા જ તેમનું અવસાન થયું છે. પિતાની હયાતીમાં જ આરોપી વિપુલ પરમાર સાથે તેમના પરિવારજનો દ્વારા સંબંધ તોડી નાખવામાં આવ્યા હતા. જ્યારે આરોપી વિપુલ 6 મહિનાથી દહેગામના કડાદરા ખાતે આવેલા તેના મકાનમાં રહેતો હતો.

દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો: તિહાર જેલમાંથી અફઝલ ગુરુ-મકબૂલ ભટ્ટની કબરો હટાવવાની અરજી ફગાવી

0

દિલ્હી હાઈકોર્ટે તિહાર જેલની અંદર અફઝલ ગુરુ અને મકબુલ ભટની કબરોને દૂર કરવા અથવા સ્થાનાંતરિત કરવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી છે. આ અરજી વિશ્વ વૈદિક સનાતન સંઘ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી હતી કે જેલની અંદર આતંકવાદીઓની કબરોની હાજરી ખોટી છે, તેમને મહિમા આપે છે અને જેલના નિયમો અને નિયમનોનું ઉલ્લંઘન કરે છે.

કોર્ટ બેન્ચે શું કહ્યું?
મુખ્ય ન્યાયાધીશ ડીકે ઉપાધ્યાય અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બેન્ચે કહ્યું, “તમે અમને કહો કે કયા કાયદાનું ઉલ્લંઘન થયું છે, કોર્ટ ફક્ત લાગણીઓ કે ઇચ્છાઓના આધારે કોઈ આદેશ આપી શકતી નથી. દફનવિધિ 2013 માં થઈ હતી, 12 વર્ષ પછી હવે આ મામલો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે?”

કોર્ટે કહ્યું, “તમે કહ્યું હતું કે લોકો “ઝિયારત/તીર્થયાત્રા” માટે કબરોની મુલાકાત લે છે, પરંતુ કોઈ પુરાવા કે નક્કર માહિતી આપી નથી. આ મામલો અત્યંત સંવેદનશીલ છે. અંતિમ સંસ્કાર સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવ્યો હતો, તેથી આટલા વર્ષો પછી તેને પડકારવું સરળ નથી.”

અફઝલ ગુરુ કોણ હતો?
અફઝલ ગુરુ 2001 ના ભારતીય સંસદ હુમલા માટે દોષિત આતંકવાદી હતો. તેનો જન્મ જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના સોપોર નજીકના એક ગામમાં થયો હતો અને તેણે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો.

એ નોંધવું જોઈએ કે ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ પાંચ સશસ્ત્ર આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે ૧૫ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ અફઝલ ગુરુની ધરપકડ કરી હતી. તેના પર આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

મકબુલ ભટ કોણ હતા?
મકબુલ ભટ એક કાશ્મીરી અલગતાવાદી નેતા હતા, જેમને જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના સ્થાપક માનવામાં આવે છે. તેમનો જન્મ પણ જમ્મુ અને કાશ્મીરના કુપવાડાના એક ગામમાં થયો હતો. તેમને એક પોલીસ કર્મચારીની હત્યા અને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. તેમને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો ન હતો અને તેમને જેલ પરિસરમાં દફનાવવામાં આવ્યા હતા.

રામલીલા વખતે રાજા દશરથની ભૂમિકા ભજવતા કલાકારને આવ્યો હાર્ટ એટેક

0

હિમાચલ પ્રદેશના ચંબામાં શ્રી રામલીલા ચાલી રહી હતી ત્યારે એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. રામલીલા વખતે રાજા દશરથના અભિનય કરનાર કલાકાર અચાનક ઢળી પડ્યા હતા. કલાકારની ઓળખ અમરેશ મહાજન (73 વર્ષ) તરીકે કરવામાં આવી છે, જેઓ રાજા દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા. જોકે, ડાયલોગ બોલતી વખતે અચાનક સિંહાસન પરથી ઢળી પડ્યા અને તેમનું નિધન થયું હતું. આ ઘટનાએ ચંબાના ઐતિહાસિક ચૌગાનમાં ચાલતી રામલીલાની પરંપરાને શોકમગ્ન કરી દીધું, જ્યાંના દરેક રહેવાસીઓએ કલાકારના યોગદાનને બિરદાવ્યું હતું.

રામલીલા વખતે અચાનક ઢળી પડ્યા
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મંગળવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે શ્રી રામલીલાના બીજા દિવસે રાજા દશરથના દરબારનું દૃશ્ય ભજવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અમરેશ મહાજન, જેઓ દશરથની ભૂમિકા ભજવી રહ્યા હતા અચાનક બેભાન થઈને ઢળી પડ્યા. ઢળી પડ્યા બાદ સાથી કલાકારોએ તેને તાત્કાલિક પંડિત જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ડોક્ટરોએ જણાવ્યું કે તેમનું નિધન હૃદયની ગતિ બંધ થવાને કારણે થયું.

અમરેશ મહાજનનું યોગદાન અનન્ય રહ્યું
અમરેશ મહાજન, જેઓ શિબુ તરીકે ઓળખાતા હતા, છેલ્લા 40 વર્ષથી ચંબાના ચૌગાનમાં યોજાતી રામલીલામાં સક્રિય હતા. તેઓ દશરથ અને રાવણની ભૂમિકાઓ માટે જાણીતા હતા. આ વખતે તેમણે સાથી કલાકારોને કહ્યું હતું કે આ તેમની અંતિમ રામલીલા હશે, જેને લોકોએ મજાક માની હતી, પરંતુ આ શબ્દો દુખદ રીતે સાચા પડ્યા. તેમના નિધનથી સમગ્ર ચંબા શોકમાં ડૂબી ગયું છે.

IRCTC કૌભાંડમાં 13 ઓક્ટોબરે ચુકાદો: લાલુ, રાબડી અને તેજસ્વીને કોર્ટમાં હાજરી ફરજ

0

રાઉઝ એવન્યુ કોર્ટ IRCTC કૌભાંડ કેસમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, રાબડી યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો ઘડવા અંગે 13 ઓક્ટોબરે પોતાનો આદેશ જાહેર કરશે. કોર્ટે તે દિવસે તમામ આરોપીઓને રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે.

શું મામલો છે?
આ કેસ લાલુ પ્રસાદ યાદવના રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન એક કંપનીને બે IRCTC હોટલના જાળવણી માટે કોન્ટ્રાક્ટ આપવામાં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત છે. CBI એ લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચારના આરોપો દાખલ કર્યા છે. ત્રણેયે દલીલ કરી છે કે CBI પાસે કેસ ચલાવવા માટે પુરાવાનો અભાવ છે.

લેહમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, CRPF વાહનને આગ ચાંપી

લેહમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. વિદ્યાર્થીઓએ CRPF વાહનને આગ ચાંપી દીધી છે. તેઓ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે. આ માંગના સમર્થનમાં તેઓ કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન સોનમ વાંગચુકના સમર્થનમાં થઈ રહ્યા છે.

કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે લદ્દાખને કોઈપણ કિંમતે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે, પરંતુ વિદ્યાર્થીઓનો ગુસ્સો સૂચવે છે કે તેઓ તૈયાર થઈને આવ્યા છે.

રસ્તાઓ પર જ્યાં પણ જુઓ, વિદ્યાર્થીઓની ભીડ જોવા મળે છે. સુરક્ષા દળો સંપૂર્ણ સતર્ક છે અને ઘટનાસ્થળે તૈનાત છે, પરંતુ વિદ્યાર્થીઓનો ગુસ્સો શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. તેઓ સતત તેમના વિરોધને વધુ તીવ્ર બનાવી રહ્યા છે.

ભાજપ કાર્યાલય સામે આગચંપી, CRPF વાહનને આગ લગાવી
પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલયની બહાર પણ આગ લગાવી હતી. તેમનો ગુસ્સો સ્પષ્ટ છે. વિદ્યાર્થીઓના ગુસ્સાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે CRPFના વાહનને પણ આગ લગાવી દીધી હતી. તેઓ પોતાની માંગ પર અડગ છે. તેમનું કહેવું છે કે લદ્દાખને કોઈપણ સંજોગોમાં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ.

સોનમ વાંગચુક કોણ છે? એક ફિલ્મ બની છે.
સોનમ વાંગચુક એક ભારતીય એન્જિનિયર, ઇનોવેટર અને સામાજિક કાર્યકર્તા છે. તેઓ લદ્દાખમાં તેમના શૈક્ષણિક અને પર્યાવરણીય કાર્ય માટે જાણીતા અને ખૂબ જ આદરણીય છે. તેઓ SECMOL (સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ) ના સ્થાપક છે, જે ગ્રામીણ લદ્દાખમાં શિક્ષણ સુધારવા માટે કાર્ય કરે છે. તેઓ સામાજિક અને પર્યાવરણીય મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે.

ચાર માંગણીઓ શું છે:

  • લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ.
  • લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવો જોઈએ.
  • લદ્દાખ માટે બે લોકસભા બેઠકોની માંગણી કરવામાં આવી છે.
  • લદ્દાખના આદિવાસીઓને આદિવાસી દરજ્જો.