Home Blog Page 289

તેલંગાણામાં રેડ્ડી સરકારનો મોટો નિર્ણય: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મંત્રી બન્યા

0

કોંગ્રેસના સીનિયર નેતા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનને તેલંગાણા સરકારે પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યા છે. મોહમ્મદ અઝગરૂદ્દીને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્ત્વ ધરાવતી તેલંગાણા સરકારના મંત્રીમંડળમાં મંત્રી પદના શપથ લીધા છે.

તેલંગાણા રાજભવનમાં આયોજિત એક સમારંભમાં રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ મુખ્યમંત્રી સહિત કેટલાક મહત્ત્વપૂર્ણ નેતાઓની હાજરીમાં મોહમ્મદ અઝહરૂદ્દીનને મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. અઝહરૂદ્દીનના સામેલ થવાથી મંત્રી મંડળમાં કુલ 16 સભ્ય થઇ ગયા છે. હજુ બે સભ્ય સામેલ થઇ શકે છે. તેલંગાણા વિધાનસભામાં સભ્યોની સંખ્યા અનુસાર, 18 મંત્રી બની શકે છે.

મુસ્લિમ મતદારો નીભાવી શકે છે નિર્ણાયક ભૂમિકા
પૂર્વ ક્રિકેટરના મંત્રી પદ પર નિયુર્તિને એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે કારણ કે કોંગ્રેસ પાર્ટી જ્યુબલી હિલ્સ પેટા ચૂંટણીમાં મહેનત કરી રહી છે, જ્યાં એક લાખ કરતા વધારે મુસ્લિમ મતદાર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ વર્ષે જૂનમાં BRSના ધારાસભ્ય મગંતી ગોપીનાથનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું જેને કારણે આ બેઠક ખાલી પડી છે અને ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે.

MLC માટે નોમિનેટ થયા હતા અઝહરૂદ્દીન
તેલંગાણા સરકારે અઝહરૂદ્દીનને રાજ્યપાલ કોટા હેઠળ વિધાન પરિષદ સભ્ય (MLC)ના રૂપમાં નોમિનેટ કર્યો હતો. અઝહરૂદ્દીને 2023ની ચૂંટણીમાં જ્યુબિલી હિલ્સ બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

કમોસમી વરસાદ વચ્ચે જૂનાગઢ લીલી પરિક્રમા અંગે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય

પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય ‘લીલી પરિક્રમા’ ને ભારે વરસાદને કારણે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળી પછી સતત કમોસમી વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે પરિક્રમાના રૂટ પર માઠી અસર જોવા મળી હતી. જેના ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો હતો.

સાધુ-સંતોની સંમતિથી લેવાયો નિર્ણય
લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠકમાં લેવામાં આવ્યો છે. દેવ-દિવાળી પછીથી લીલી પરિક્રમા’ની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ આ વખતે દિવાળી પછીથી જ કમોસમી વરસાદ પડતા આખરે પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે. આ પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર સાધુ-સંતો જ જોડાશે અને સામાન્ય શ્રદ્ધાળુઓનો આ રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રાખી દેવામાં આવ્યો છે.

ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. આ વર્ષે 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે.

અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. 36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે. બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથો પડવા આઠ કિમીએ ભવનાથમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.

અમદાવાદમાં સરદાર પટેલને પુષ્પાંજલિ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલનો પગ લપસ્યો, સુરક્ષિત

0

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસતા પડ્યા હતા. જોકે, સદનસીબે તે સુરક્ષિત છે તેમને કોઇ વધારે ઇજા થઇ નથી. સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસ્યો હતો અને તે સીડી ઉપરથી નીચે ઉતરતા દરમિયાન પગ લપસ્યો હતો.

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પગ લપસતા પડ્યા
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસતા નીચે પડ્યા હતા.જોકે, ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓ સહિતના લોકોએ મુખ્યમંત્રીને સંભાળ્યા હતા.સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસ્યો હતો અને નીચે પડ્યા હતા.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલું જોવા મળે છે. નારણપુરામાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પગ લપસ્યો હતો.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું “મારો અંગત અભિપ્રાય એ છે કે RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ”

0

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે એક મોટું નિવેદન આપતાં કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ફરી પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે દેશના મોટાભાગના કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો માટે RSS જવાબદાર છે. ખડગેએ સ્પષ્ટ કર્યું કે આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે, પરંતુ દેશની શાંતિ અને લોકશાહી માટે RSS પર પ્રતિબંધ જરૂરી છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન પર પ્રતિસાદ આપતાં ખડગેએ કહ્યું, “મારું માનવું છે કે RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણ કે તે દેશના કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે.” તેમણે આક્ષેપ કર્યો કે RSS અને BJP બંને સંગઠનો દેશમાં વિવાદ અને અશાંતિ ફેલાવવા માટે જવાબદાર છે.

કોંગ્રેસ પ્રમુખે એવો પણ દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂઠાણાને સત્યમાં ફેરવવામાં માહિર છે. તેમણે કહ્યું કે પટેલે ભારતના ધર્મનિરપેક્ષ અને લોકશાહી પાત્રને બચાવવા માટે RSS પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું, “જો તમે (ભાજપ) દરેક વસ્તુ માટે કોંગ્રેસને દોષ આપો છો, તો તમારા પોતાના કાર્યો જુઓ.” ખડગેએ કહ્યું, “તમે સત્યને ભૂંસી નાખવાનો ગમે તેટલો પ્રયાસ કરો, તે ભૂંસાઈ શકશે નહીં.”

નહેરુ અને પટેલ વચ્ચે સારા સંબંધો હતા
તેમણે કહ્યું, “તેઓ (વડાપ્રધાન અને ભાજપ) હંમેશા સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચે અણબનાવ દર્શાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે નહેરુ અને પટેલ વચ્ચે ખૂબ સારા સંબંધો હતા, અને પટેલે નહેરુને લોકોના નેતા તરીકે વર્ણવ્યા હતા.” તેમણે કહ્યું, “હું ભાજપને કહેવા માંગુ છું કે દહીંમાં કાંકરા ન શોધો. બધા તમારો ઇતિહાસ જાણે છે. ગુજરાતમાં પટેલની પ્રતિમાનું અનાવરણ કરનારા અને સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ કરનારા નહેરુ સૌપ્રથમ હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે સરદાર પટેલ અન્ય રજવાડાઓની જેમ આખા કાશ્મીરને ભારત સાથે જોડવા માંગતા હતા, પરંતુ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આવું થતું અટકાવ્યું હતું. ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ બાદ સભાને સંબોધતા મોદીએ કહ્યું, “સરદાર પટેલ માનતા હતા કે ઇતિહાસ લખવામાં સમય બગાડવો જોઈએ નહીં પરંતુ ઇતિહાસ રચવા માટે સખત મહેનત કરવી જોઈએ.”

મોદીએ કહ્યું, “સરદાર પટેલ અન્ય રજવાડાઓની જેમ આખા કાશ્મીરને એક કરવા માંગતા હતા. પરંતુ નહેરુજીએ તેમની ઇચ્છા પૂર્ણ થવા દીધી નહીં. કાશ્મીરનું વિભાજન થયું, એક અલગ બંધારણ અને એક અલગ ધ્વજ આપવામાં આવ્યો, અને કોંગ્રેસની આ ભૂલને કારણે દેશ દાયકાઓ સુધી પીડાતો રહ્યો.”

નર્મદા પરિક્રમા માટે જતી શ્રદ્ધાળુઓની બસ પલટી, એકનું મોત, 55 શ્રદ્ધાળુ ઘાયલ

0

મધ્યપ્રદેશમાં નર્મદા પરિક્રમા માટે જતી એક બસ અકસ્માતનો શિકાર બની હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 55 શ્રદ્ધાળુ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રીએ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

મધ્યપ્રદેશમાં બસ પલટી
આ દુર્ઘટના મધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના વિસ્તારમાં ખેતિયા-પાટી માર્ગ પર બની હતી. મળતી માહિતી અનુસાર, બસ ઇન્દોરથી ઓમકારેશ્વર થઇને બડવાનીના રસ્તે મહારાષ્ટ્રના પ્રકાશા જતી હતી. બસમાં 55 મુસાફર સવાર હતા જે નર્મદા પરિક્રમા માટે નીકળ્યા હતા. કહેવામાં આવે છે કે ઘાટ વિસ્તારમાં પહોંચતા જ બસનું નિયંત્રણ બગડી ગયું હતું અને બસ પલટી મારી ગઇ હતી.

પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી બચાવકામગીરી હાથ ધરી
દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર અફરા તફરી મચી ગઇ હતી અને મુસાફરોએ બુમરાણ કરી મુકી હતી. દુર્ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામીણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. બે મુસાફર બસ નીચે દબાઇ ગયા હતા જેમણે ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતા જ ફૈલી,ફેતિયા, પાનસેમલ અને પાટી પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્વાસ્થ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

સુરતમાં ફરી એકવાર કુટણખાણું ઝડપાયું, 4 આરોપી ઝડપાયા અને 4 યુવતીઓ મુક્ત

સુરતમાં દેહવ્યાપારના કિસ્સાઓ અટકતા નથી. તાજેતરમાં સરથાણાની એક હોટલમાંથી વધુ એક કુટણખાણું ઝડપાયું છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે IUCAWની ટીમે હોટલમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બે ગ્રાહકોને કઢંગી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. હોટલના મેનેજર તેમજ યુવતીઓ સપ્લાય કરનારા સહિત 4 પકડાયા છે. હોટલમાંથી 2 થાઈલેન્ડ, 1 યુગાન્ડા અને મુંબઈની 1 યુવતીને મુક્ત કરાવાઈ છે.

પોલીસે હોટલમાંથી ચાર યુવતીઓને મુક્ત કરાવી છે, જેમાં બે થાઈલેન્ડની, એક યુગાન્ડાની અને એક મુંબઈની યુવતીનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ સરથાણાના સીતારામ ચોક નજીક આવેલી આ હોટલમાં વિદેશી યુવતીઓ મારફતે દેહવ્યાપાર ચલાવવામાં આવતો હતો. પોલીસે આ બાતમી મળતાં જ તાત્કાલિક ધોરણે દરોડો પાડ્યો હતો.

તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ વિદેશી યુવતીઓની મદદથી દરરોજ આશરે એક લાખ રૂપિયાની કમાણી કરતા હતા. પોલીસે હોટલ મેનેજર અને યુવતીઓ સપ્લાય કરનારા ચાર આરોપીઓને પકડી પાડ્યા છે, જ્યારે હોટલ માલિક પાસોદરાનો સંદીપ ઉર્ફે સેન્ડી પટેલ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત મહાપાલિકામાં મુખ્ય વહીવટી પોસ્ટો ખાલી, ઇન્ચાર્જથી ગાડું ગબડ્યું

સુરત: છેલ્લા દોઢથી લઈને ત્રણ વર્ષથી વધુ સમયથી સુરત મહાપાલિકામાં અનેક મહત્વની પોસ્ટો ખાલી છે. સિટી એન્જિનિયર, ચીફ ફૂડ ઇન્સપેક્ટર, મ્યુનિસિપલ સેક્રેટરી, ટાઉન પ્લાનર, ડેપ્યુટી કમિશનર (પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ) જેવી મુખ્ય વહીવટી જગ્યા લાંબા સમયથી ખાલી હોવાને કારણે મહાપાલિકાની કામગીરી પર સીધી અસર પડી રહી છે.

મહેકમ તથા રિક્રૂટમેન્ટ વિભાગો વચ્ચે સંકલનના અભાવે ભરતી પ્રક્રિયા અટવાઈ ગઈ છે. બેઠક યોજાઈ હોવા છતાં નિર્ણય લેવાઈ શક્યો નથી. હાલ અનેક વિભાગોમાં ઇન્ચાર્જ અધિકારીઓથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે એક વ્યક્તિએ બે-ત્રણ વિભાગોની જવાબદારી સંભાળવી પડી રહી છે.આ સ્થિતિને કારણે નાગરિકોના કામો અટવાઈ રહ્યા છે અને 10 હજાર કરોડનું બજેટ ધરાવતી મહાપાલિકા વ્યવસ્થાપનના અભાવે ગેરવ્યવસ્થાની ધાર પર પહોંચી છે. આશ્ચર્યની વાત એ છે કે, ડેપ્યુટી કમિશનરથી લઈને આસિસ્ટન્ટ કમિશનર સુધીની 26 પોસ્ટોમાંથી મોટાભાગની ખાલી છે — કેટલીક જગ્યા 6 મહિનાથી લઈને 5 વર્ષથી ખાલી છે.

શિક્ષણ સમિતિની સ્થિતિ પણ સમાન છે. 360 સ્કૂલોમાં 1.85 લાખ વિદ્યાર્થીઓ અને 4500 શિક્ષકો હોવા છતાં છેલ્લા બે વર્ષથી શાસનાધિકારી તથા ઉપશાસનાધિકારીની પોસ્ટ ખાલી છે. સ્થિતિ એવી છે કે ભરતી માટે બેઠકો યોજાય છે, પરંતુ કામ થતું નથી — ઇન્ચાર્જથી ગાડું આગળ વધતું નથી.

મોડાસામાં નશામાં ધૂત શિક્ષકે બાઈકને ઉડાવીને બે વ્યક્તિને કિલોમીટર સુધી ઢસડ્યા

ગુજરાતના મહીસાગર જિલ્લાના મોડાસામાં એક ભયાનક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં કાર ચલાવતા શિક્ષકે બાઈકને ટક્કર મારી હતી અને દોઢ કિલોમીટર સુધી બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઢસડ્યા હતા. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર દિનેશભાઈ (50) અને સુનીલ (21) ગંભીર રીતે ઘાયલ થયા છે, અને હાલ લુણાવાડા તેમજ ગોધરા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટના મોડાસાના લુણાવાડા રોડ પાસે નેશનલ હાઈવે 48 પર બની હતી. માહિતી મુજબ, કાર ચલાવતો શિક્ષક મનીષ પટેલ પોતાના ભાઈ મેહુલ પટેલ સાથે કારમાં મુસાફરી કરી રહ્યો હતો. બંને નશાની હાલતમાં હતા. અકસ્માત પછી પોલીસે બંનેને ઝડપી લીધા છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી છે અને કારને પણ જપ્ત કરી લેવામાં આવી છે.

આ સમગ્ર ઘટના 33 સેકન્ડના વીડિયોમાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટપણે કાર બાઈકને ઢસડતી જોવા મળે છે. વીડિયોમાં બાઈક સવારના હાથને કારના વ્હીલમાં ફસાતો દેખાયો છે, જે ઘટનાની ભયાનકતા દર્શાવે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ તપાસમાં સહાય કરી રહી છે. સાથે જ શિક્ષકનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ પ્રકારની બેદરકારીને કોઈ રીતે સહન નહીં કરવામાં આવે.

ભારત-અમેરિકા રક્ષા કરારથી નવી ભાગીદારીનો આરંભ: રાજનાથસિંહ

0

ભારત અને અમેરિકાએ આગામી 10 વર્ષ માટે સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ અંગે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તેમના યુએસ સમકક્ષ પીટ હેગસેથ વચ્ચે કુઆલાલંપુરમાં થયેલી બેઠક દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 10 વર્ષના યુએસ-ભારત સંરક્ષણ માળખા કરાર પર બોલતા, હેગસેથે કહ્યું, “આ આપણી સંરક્ષણ ભાગીદારીને આગળ ધપાવે છે, જે પ્રાદેશિક સ્થિરતા અને અવરોધ માટે પાયાનો પથ્થર છે.” તેમણે કહ્યું, “અમે અમારા સંકલન, માહિતી શેરિંગ અને ટેકનોલોજી સહયોગને મજબૂત બનાવી રહ્યા છીએ. અમારા સંરક્ષણ સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત છે.”

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શું કહ્યું?
આ કરાર અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, “કુઆલાલંપુરમાં મારા યુએસ સમકક્ષ પીટ હેગસેથ સાથે ફળદાયી બેઠક થઈ. અમે 10 વર્ષના ‘યુએસ-ભારત મુખ્ય સંરક્ષણ ભાગીદારી માળખા’ પર હસ્તાક્ષર કર્યા. આ અમારી પહેલાથી જ મજબૂત સંરક્ષણ ભાગીદારીમાં એક નવા યુગની શરૂઆત કરશે. આ સંરક્ષણ માળખા ભારત-યુએસ સંરક્ષણ સંબંધોના સમગ્ર ક્ષેત્રને નીતિ દિશા પ્રદાન કરશે. તે અમારા વધતા વ્યૂહાત્મક સંકલનનો સંકેત આપે છે અને ભાગીદારીના નવા દાયકાની શરૂઆત કરશે. સંરક્ષણ અમારા દ્વિપક્ષીય સંબંધોનો મુખ્ય આધારસ્તંભ રહેશે. મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સુનિશ્ચિત કરવા માટે અમારી ભાગીદારી મહત્વપૂર્ણ છે.”

ભારત અને અમેરિકા વચ્ચે બદલાતા સંબંધો
એ નોંધવું યોગ્ય છે કે તાજેતરના સમયમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. પહેલા ટેરિફ વિવાદો અને પછી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના મુદ્દાએ બંને દેશોને સંઘર્ષમાં લાવી દીધા છે. હવે, પરિસ્થિતિ બદલાઈ રહી છે, અને ભારત અને અમેરિકા વચ્ચેનો આ સંરક્ષણ કરાર આ વાતનો સંકેત આપે છે.

એસ જયશંકર માર્કો રુબિયોને મળ્યા
રાજનાથ સિંહ અને પીટ હેગસેથ વચ્ચેની આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકરે કુઆલાલંપુરમાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. જયશંકર અને રુબિયોએ ભારત-અમેરિકા સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

NDAના ઢંઢેરાના 25 મુખ્ય મુદ્દા: જાણો સરળ ભાષામાં શું છે ખાસ

0

બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે. મહાગઠબંધને થોડા દિવસો પહેલા પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, અને હવે NDAએ પણ પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રી અને HAM(S) નેતા જીતન રામ માંઝી, કેન્દ્રીય મંત્રી અને LJP-રામ વિલાસ પાસવાન રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન, RLM રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા અને અન્યોએ NDAનો “સંકલ્પ પત્ર” બહાર પાડ્યો. NDAના ઢંઢેરામાં 25 મુખ્ય સંકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. NDAના ઢંઢેરામાં જણાવવામાં આવ્યું છે કે:

1- દરેક યુવાનોને નોકરી અને રોજગાર
અમે 1 કરોડથી વધુ સરકારી નોકરીઓ અને રોજગાર પ્રદાન કરીશું, કૌશલ્ય વસ્તી ગણતરી કરીને કૌશલ્ય આધારિત રોજગાર પ્રદાન કરીશું અને દરેક જિલ્લામાં મેગા કૌશલ્ય કેન્દ્રો દ્વારા બિહારને વૈશ્વિક કૌશલ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરીશું.

2- મહિલા સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા
મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ મહિલાઓને ₹2 લાખ સુધીની સહાય પૂરી પાડશે. એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે. “મિશન કરોડપતિ” દ્વારા, અમે ઓળખાયેલી મહિલા ઉદ્યોગસાહસિકોને કરોડપતિ બનાવવા માટે કામ કરીશું.

3- સૌથી પછાત વર્ગોને આર્થિક અને સામાજિક મજબૂતી
અમે તંતી, તત્મા, નિષાદ, મલ્લાહ, કેવત, ગંગોટા, બિંદ, નોનિયા, તેલી, તમોલી, સુથાર, ધાનુક, લુહાર, કુંભાર, વાળંદ, કારીગર, થાથેરા, માલી, ચંદ્રવંશી, હલવાઈ, કાનુ, ડાંગી, તુર્હા, અમત, કેવર્ત, રાજવંશી, ગડેરિયા વગેરે જેવા અતિ પછાત વર્ગોના વિવિધ વ્યાવસાયિક જૂથોને ₹10 લાખની સહાય પૂરી પાડીશું અને અમે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરીશું, જે અતિ પછાત વર્ગોની વિવિધ જાતિઓની સામાજિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને સરકારને આ જાતિઓના સશક્તિકરણ માટે યોગ્ય પગલાં લેવાનું સૂચન કરશે.

4- ખેડૂત સન્માન અને MSPની ગેરંટી
કર્પૂરી ઠાકુર ખેડૂતોને વાર્ષિક ₹3,000, કુલ ₹9,000, કૃષિ-માળખાકીય સુવિધાઓમાં ₹1 લાખ કરોડનું રોકાણ અને પંચાયત સ્તરે તમામ મુખ્ય પાક (ડાંગર, ઘઉં, કઠોળ, મકાઈ) ની ખરીદી માટે કિસાન સન્માન નિધિ શરૂ કરશે.

5- મત્સ્ય-દૂધ મિશન દ્વારા ખેડૂતો સમૃદ્ધ
જુબ્બા સાહની માછીમાર સહાય યોજના શરૂ કરીને, દરેક માછીમારને ₹4,500, કુલ ₹9,000 આપવામાં આવશે, ‘મત્સ્યઉદ્યોગ મિશન’ દ્વારા ઉત્પાદન અને નિકાસ બમણી કરવામાં આવશે, ‘બિહાર દૂધ મિશન’ શરૂ કરીને, બ્લોક સ્તરે ઠંડક અને પ્રક્રિયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે, જેથી દરેક ગામમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

6- એક્સપ્રેસવે અને રેલ્વે બિહારને ગતિ આપે છે.
બિહાર ગતિ શક્તિ માસ્ટર પ્લાન રજૂ કરશે. 7 એક્સપ્રેસવે, 3,600 કિમી રેલ્વે ટ્રેકનું આધુનિકીકરણ, અને અમૃત ભારત એક્સપ્રેસ અને નમો રેપિડ રેલ સેવાઓનું વિસ્તરણ.

7- આધુનિક શહેરી વિકાસ
‘ન્યુ પટના’માં ગ્રીન ફિલ્ડ સિટી, મુખ્ય શહેરોમાં સેટેલાઇટ ટાઉનશીપ, માતા જાનકીના પવિત્ર જન્મસ્થળને વિશ્વ કક્ષાના આધ્યાત્મિક શહેર ‘સીતાપુરમ’ તરીકે વિકસાવવામાં આવશે.

8- બિહારથી સીધી વિદેશી ફ્લાઇટ્સ
અમે પટના નજીક ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, દરભંગા, પૂર્ણિયા અને ભાગલપુરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, 10 નવા શહેરોથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને 4 નવા શહેરોમાં મેટ્રો શરૂ કરીશું.

9- ગેરંટીકૃત ઔદ્યોગિક ક્રાંતિ
વિકસિત બિહાર ઔદ્યોગિક મિશન હેઠળ, અમે ₹1 લાખ કરોડના રોકાણ સાથે ઔદ્યોગિક ક્રાંતિ લાવીશું અને વિકસિત બિહાર ઔદ્યોગિક વિકાસ માસ્ટર પ્લાન તૈયાર કરીશું, જે ઔદ્યોગિકીકરણ અને લાખો નોકરીઓનો પાયો નાખશે.

10- દરેક જિલ્લામાં ફેક્ટરી, દરેક ઘરમાં રોજગાર
દરેક જિલ્લામાં અત્યાધુનિક ઉત્પાદન એકમો અને 10 નવા ઔદ્યોગિક ઉદ્યાનો વિકસાવવામાં આવશે.

11- નવા યુગના અર્થતંત્રનો યુગ
આગામી પાંચ વર્ષમાં, અમે બિહારમાં ‘નવા યુગની અર્થવ્યવસ્થા’નું નિર્માણ કરીશું, બિહારને ‘ગ્લોબલ બેક-એન્ડ હબ’ અને ‘ગ્લોબલ વર્કપ્લેસ’ તરીકે સ્થાપિત કરીશું. અમે ₹50 લાખ કરોડના રોકાણોને આકર્ષિત કરીશું.

12- ગરીબો માટે ‘પંચામૃત’ ગેરંટી
મફત રાશન, ૧૨૫ યુનિટ મફત વીજળી, ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર, ૫૦ લાખ નવા પાકા મકાનો અને સામાજિક સુરક્ષા પેન્શન આપવામાં આવશે.

13- કેજી થી પીજી સુધી મફત ગુણવત્તાયુક્ત શિક્ષણ
અમે બધા ગરીબ પરિવારોને મફત ગુણવત્તાયુક્ત શિક્ષણ, પૌષ્ટિક નાસ્તો અને મધ્યાહન ભોજન પૂરું પાડીશું અને શાળાઓમાં આધુનિક કૌશલ્ય પ્રયોગશાળાઓ સ્થાપિત કરીશું.

14- બિહાર ફોર ધ વર્લ્ડમાં બનાવેલ કૃષિ નિકાસ બમણી કરે છે
5 મેગા ફૂડ પાર્ક સ્થાપિત કરશે, કૃષિ નિકાસ બમણી કરશે, 2030 સુધીમાં કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરશે, બિહારને માખાના, માછલી અને અન્ય ઉત્પાદનો માટે વૈશ્વિક નિકાસ કેન્દ્ર તરીકે વિકસાવશે.

15- દક્ષિણ એશિયાનું કાપડ કેન્દ્ર
મિથિલા મેગા ટેક્સટાઇલ અને ડિઝાઇન પાર્ક અને આંગ મેગા સિલ્ક પાર્ક બિહારને દક્ષિણ એશિયાનું ટેક્સટાઇલ અને સિલ્ક હબ બનાવશે.

16- પૂર્વીય ભારતનું નવું ટેક હબ
ડિફેન્સ કોરિડોર, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પાર્ક, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, મેગા ટેક સિટી અને ફિનટેક સિટીની સ્થાપના કરવામાં આવશે.

17- કુટીર અને MSMEનું નેટવર્ક
100 MSME પાર્ક અને 50,000 થી વધુ કુટીર સાહસો દ્વારા ‘વોકલ ફોર લોકલ’ ને પ્રોત્સાહન આપશે.

18- વિશ્વ કક્ષાનું શિક્ષણ માળખાગત સુવિધા
‘એજ્યુકેશન સિટી’, ₹5,000 કરોડથી મુખ્ય જિલ્લા શાળાઓનું નવીનીકરણ કરશે, બિહારને દેશના AI હબ તરીકે સ્થાપિત કરવા માટે ‘સેન્ટર્સ ઓફ એક્સલન્સ’ ની સ્થાપના કરીને દરેક નાગરિકને AI તાલીમ આપશે.

19- આરોગ્ય સેવાઓમાં બિહાર ટોચ પર
અમે વિશ્વ કક્ષાની મેડિસિટી બનાવીશું, દરેક જિલ્લામાં માન્ય મેડિકલ કોલેજોનું બાંધકામ સમયસર પૂર્ણ કરીશું, અત્યાધુનિક સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો અને બાળરોગ અને ઓટીઝમને સમર્પિત વિશેષ શાળાઓ સ્થાપિત કરીશું.

20- બિહારમાં રમતગમતને પ્રોત્સાહન
બિહાર સ્પોર્ટ્સ સિટીનું નિર્માણ, દરેક વિભાગમાં ઓળખાયેલી પ્રાથમિકતા ધરાવતી રમતો માટે સમર્પિત ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ ની સ્થાપના.

21- અનુસૂચિત જાતિનું કલ્યાણ
દરેક પેટા વિભાગમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને દર મહિને ₹2,000 અને ઉદ્યોગસાહસિકો માટે વિશેષ સાહસ ભંડોળ સ્થાપિત કરવામાં આવશે.

22- ગિગ વર્કર્સ અને ઓટો અને ઇ-રિક્ષા ડ્રાઇવરો માટે આદર
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને નાણાકીય સહાય, કૌશલ્ય તાલીમ આપવામાં આવશે, ઓટો-ટેક્સી અને ઈ-રિક્ષા ચાલકોને ₹4 લાખનો જીવન વીમો આપવામાં આવશે અને ગિગ વર્કર્સ અને ઓટો-ટેક્સી ચાલકોને લઘુત્તમ વ્યાજ દરે કોલેટરલ ફ્રી વાહન લોન આપવામાં આવશે.

23- આધ્યાત્મિક પર્યટનનું વૈશ્વિક કેન્દ્ર
મા જાનકી મંદિર, વિષ્ણુપદ અને મહાબોધિ કોરિડોરનું નિર્માણ અને રામાયણ, જૈન, બૌદ્ધ અને ગંગા સર્કિટનો વિકાસ, 1 લાખ ગ્રીન હોમ સ્ટે સ્થાપવા માટે લેટરલ ફ્રી લોનની સુવિધા.

24- બિહાર કલા, સંસ્કૃતિ અને સિનેમાનું નવું કેન્દ્ર બનશે.
ફિલ્મ સિટી અને શારદા સિંહા આર્ટ એન્ડ કલ્ચરલ યુનિવર્સિટીની સ્થાપના કરીને, બિહાર સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવશે.

25- 5 વર્ષમાં બિહાર પૂર મુક્ત
‘ફ્લડ ટુ ફોર્ચ્યુન’ મોડેલ હેઠળ પૂર વ્યવસ્થાપન બોર્ડની સ્થાપના અને નદી જોડાણ પ્રોજેક્ટ્સ, પાળા અને નહેરોનું વહેલા બાંધકામ કૃષિ અને મત્સ્યઉદ્યોગને પ્રોત્સાહન આપશે.

બિહારમાં ચૂંટણી શરૂ
નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. મહાગઠબંધનના નેતાઓ સત્તા જાળવી રાખવા માટે પ્રચાર કરી રહ્યા છે, ત્યારે NDAના નેતાઓ સત્તામાં પાછા ફરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. હાલમાં, બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે. બંને તબક્કા માટે પડેલા મતોની ગણતરી 14 નવેમ્બરે થશે. બિહારમાં આગામી સરકાર કોણ બનાવશે તે 14 નવેમ્બરે નક્કી થશે.