Home Blog Page 257

200 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! 19 વર્ષના દેવવ્રત રેખેએ 50 દિવસમાં ‘દંડક્રમ પારાયણ’ કરી ઇતિહાસ સર્જ્યો

0

દંડક્રમ પારાયણ એક કઠોર પરીક્ષા છે. જેને 200 વર્ષ પહેલા નાસિક ખાતે વેદમૂર્તિ નારાયણ શાસ્ત્રી દેવ પાસ કરી હતી. 200 વર્ષ બાદ હવે એક 19 વર્ષના યુવાને માત્ર 50 દિવસમાં દંડક્રમ પારાયણ કરીને ઇતિહાસ સર્જ્યો છે. આ યુવાન કોણ છે અને દંડક્રમ પારાયણ શું છે, આવો જાણીએ.

દંડક્રમ પારાયણ શું છે
મહાદેવની પ્રિય નગરી કાશીના વલ્લભરામ શાલિગ્રામ સાંગવેદ વિદ્યાલય, રામઘાટ ખાતે 2 ઓક્ટોબર, 2025થી દંડક્રમ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. દંડક્રમ પારાયણ એ વેદ પઠનના 8 પ્રકારો પૈકીનો એક પ્રકાર છે, જેને સૌથી અઘરો માનવામાં આવે છે. શુક્લ યજુર્વેદની માધ્યંદિનિ શાખાના લગભગ 2000 મંત્રોને દંડક્રમ પારાયણ કહેવામાં આવે છે. આ 2000 મંત્રોને પહેલા મોઢે કરીને તેને સંભળાવવાના હોય છે. તેથી તે એક કઠોર પરીક્ષા છે.

19 વર્ષીય યુવાને સર્જ્યો ઇતિહાસ
જોકે, આ પરીક્ષામાં 19 વર્ષીય વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ સફળતા મેળવી છે. વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખેએ માત્ર 50 દિવસમાં દંડક્રમ પારાયણ પૂરૂ કરીને રેકોર્ડ સર્જ્યો છે. 50 દિવસમાં દંડક્રમ પારાયણ જેવી કઠોર પરીક્ષામાં અભૂતપૂર્વ સફળતા મેળવવા બદલ શૃંગેરી શંકરાચાર્ય દ્વારા સોનાનું કડું અને રૂ. 1,01,116 આપીને વેદમૂર્તિ દેવવ્રત રેખેનું સન્માન કરવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર દેવવ્રત મહેશ રેખેને શુભેચ્છાઓ પાઠવી છે.

નિયમિત 4 કલાક અભ્યાસનું પરિણામ
વેદમૂર્તિ દેવવ્રત રેખે મહારાષ્ટ્રના અહિલ્યા નગરનો રહેવાસી છે. તેના પિતાનું નામ વેદબ્રહ્મશ્રી મહેશ ચંદ્રકાંત રેખે છે. દેવવ્રત રેખે સાંગવેદ વિદ્યાલય વારાણસીના બટુક છે. દંડક્રમ પારાયણ જેવી કઠોર પરીક્ષા માટે દેવવ્રત રેખે નિયમિતપણે 4 કલાક અભ્યાસ કરતા હતા. મળતી માહિતી મુજબ તે દરરોજ સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી અભ્યાસ કરતા હતા.

દિલ્હી યુનિવર્સિટીના બે કોલેજોને બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો

0

દિલ્હી યુનિવર્સિટીના બે કોલેજોને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. દિલ્હીના રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજમાં ધમકીભર્યા ઈમેલ આવ્યા છે. ઈમેલ મળતાં જ દિલ્હી પોલીસ બોમ્બ સ્ક્વાડ અને ડોગ સ્ક્વાડ સાથે સ્થળ પર પહોંચી અને બંને કેમ્પસને ખાલી કરાવ્યા, પરંતુ હાલ સુધી સર્ચ ઓપરેશનમાં કોઈ સંદિગ્ધ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. કોલેજોની આખી ઇમારતોને ખાલી કરીને એક-એક ખૂણો તપાસવામાં આવ્યો છે.

ધમકીની વિગતો અને પોલીસની કાર્યવાહી
બુધવારે સવારે બંને કોલેજોને અજ્ઞાત સ્ત્રોતથી ઈમેલ દ્વારા ધમકી મળી, જેમાં બોમ્બથી કેમ્પસને ઉડાડવાની ચેતવણી આપવામાં આવી હતી. આ ઘટના વચ્ચે કેમ્પસમાં હડબડાટ મચી ગઈ, અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. દિલ્હી પોલીસની ટીમો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ (BDDS) અને ડોગ સ્ક્વાડ તરત જ સ્થળ પર પહોંચી અને વ્યાપક તપાસ શરૂ કરી. તપાસમાં હજુ સુધી કોઈ વિસ્ફોટક મળ્યું નથી, અને તપાસ ચાલુ છે.

રામજસ કોલેજ અને દેશબંધુ કોલેજ દિલ્હી યુનિવર્સિટીના જાણીતા કોલેજો છે, અને આ ધમકીઓથી વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ છે. પોલીસે ઈમેલના સ્ત્રોતની તપાસ શરૂ કરી છે, અને આ પહેલાં પણ દિલ્હીમાં સમાન પ્રકારની હુઅ (hoax) ધમકીઓના કેસો જોવા મળ્યા છે.

ભાવનગરની પેથોલોજી લેબોરેટરીમાં ભયાનક આગ, બાળકો-વૃદ્ધોનું રેસ્ક્યૂ

ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી દેવ પેથોલોજી લેબોરેટરીમાં ભયંકર આગ ફાટી નીકળી છે. હાલમાં સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું છે. ચારેતરફ અફરાતફરીનો માહોલ છે.

ભાવનગરના કાળુભાર રોડ પર સ્થિત સમીપ કોમ્પલેક્ષમાં આજે સવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કોમ્પલેક્ષમાં અંદાજે 10 થી 12 જેટલી ખાનગી હોસ્પિટલો કાર્યરત હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આગની શરૂઆત કોમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં થઈ હતી અને થોડી જ વારમાં તે ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા કોમ્પલેક્ષમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ભય ફેલાયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક રેસ્ક્યુ તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇજાગ્રસ્તો અને અન્ય દર્દીઓને સલામત સ્થળે ખસેડવા માટે 25 થી 30 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સો દ્વારા તમામ દર્દીઓને યુદ્ધના ધોરણે અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.

આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી: મનપા કમિશનર ભાવનગરના કમિશનર એન.વી.મીનાએ જણાવ્યું કે કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર કચરામાં આગ લાગી હતી. એના ધુમાડાથી હોસ્પિટલના દર્દીઓને અસર થતાં તેમને અન્ય જગ્યાએ ખસેડાયા હતા. આગને લઈ કોઈ જાનહાનિ થઈ નથી. ક્યાં કારણસર આગ લાગી હતી તેની યોગ્ય તપાસ કરી પગલાં લઈશું.

પ્રધાનમંત્રી કાર્યાલય હવે ‘સેવા તીર્થ’, દેશભરના રાજભવનો બનશે ‘લોકભવન’

0

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)નું નામ બદલીને સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. હવે તે સેવા તીર્થ તરીકે ઓળખાશે. દેશભરના રાજભવનોના નામ પણ બદલવામાં આવ્યા છે. આ હવે લોકભવન તરીકે ઓળખાશે.

આ પરિવર્તન ફક્ત વહીવટી નથી, તે સાંસ્કૃતિક પણ છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે ભારતની જાહેર સંસ્થાઓમાં ગહન પરિવર્તન થઈ રહ્યું છે. શાસનનો વિચાર સત્તામાંથી સેવા તરફ અને સત્તામાંથી જવાબદારી તરફ બદલાઈ રહ્યો છે. આ પરિવર્તન માત્ર વહીવટી જ નહીં, પણ સાંસ્કૃતિક પણ છે.

રાજપથ અને પીએમ નિવાસસ્થાનનું પણ નામ બદલવામાં આવ્યું.
અગાઉ, કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખ્યું હતું. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અનુસાર, આ રસ્તો હવે સંદેશ આપે છે: સત્તા એ અધિકાર નથી; તે એક ફરજ છે. 2016 માં પ્રધાનમંત્રી નિવાસસ્થાનનું નામ પણ બદલવામાં આવ્યું હતું. અગાઉ, પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનને રેસકોર્સ રોડ કહેવામાં આવતું હતું, પરંતુ 2016 માં, તેને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું. આ નામ જન કલ્યાણની ભાવનાને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તેના 78 વર્ષ જૂના સાઉથ બ્લોક નિવાસસ્થાનમાંથી બહાર નીકળીને “સેવા તીર્થ” નામના નવા અદ્યતન કેમ્પસમાં સ્થળાંતર કરી રહ્યું છે. આ ફેરફાર સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પ્રોજેક્ટનો એક મુખ્ય ભાગ છે.

રાજભવનોના નામ પણ બદલાયા
તે જ સમયે, દેશભરના રાજભવનોના નામ પણ લોક ભવન રાખવામાં આવ્યા છે. ગયા વર્ષે રાજ્યપાલોના પરિષદમાં થયેલી ચર્ચાને ટાંકીને, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે રાજભવન નામ એક વસાહતી માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. તેથી, રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરોના કાર્યાલયો હવે લોક ભવન અને લોક નિવાસ તરીકે ઓળખાશે.

પીપાવાવ પોર્ટના વિસ્તરણને NGT ની લીલી ઝંડી: પર્યાવરણીય મંજૂરી સામેની અરજી ફગાવી!

0

પુણે સ્થિત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પશ્ચિમી ઝોન બેન્ચે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડના અમરેલી જિલ્લામાં ચાલી રહેલા વિસ્તરણ પ્રોજેક્ટને મોટી રાહત આપી છે. NGT એ પ્રોજેક્ટને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરી (EC) અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ક્લીયરન્સને પડકારતી અરજીને ફગાવી દીધી છે.

ન્યાયમૂર્તિ દિનેશ કુમાર સિંહ અને નિષ્ણાત સભ્ય સુજીત કુમાર બાજપેયીની બેન્ચે 26 નવેમ્બરના તેના આદેશમાં જણાવ્યું હતું કે રેકોર્ડ્સની સમીક્ષા કર્યા પછી તેમને ક્લીયરન્સમાં દખલ કરવા માટે “કોઈ પૂરતો આધાર મળ્યો નથી” અને પ્રવેશના તબક્કે જ અરજીને નામંજૂર કરી હતી. આ નિર્ણયથી ગુજરાત પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટેનો માર્ગ મોકળો થયો છે.

ટ્રિબ્યુનલે પ્રોજેક્ટના પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) અહેવાલ નો સંદર્ભ લીધો હતો. આ અહેવાલમાં પ્લાન્ટની વિવિધતા, દરિયાઈ ઇકોલોજી અને જૈવવિવિધતા, જેમાં પક્ષીઓની વિવિધતા પરના વિગતવાર અભ્યાસોનો સમાવેશ થાય છે, તેમાં કોઈ નોંધપાત્ર પ્રતિકૂળ અસર જોવા મળી નથી.

EIA અભ્યાસમાં તો પોર્ટ વિસ્તારને ‘પક્ષીઓની વિવિધતા માટેનું સ્વર્ગ’ તરીકે પણ વર્ણવવામાં આવ્યો હતો. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે જુલાઈની મંજૂરી અમાન્ય હતી, કારણ કે તે 2012ની મુદત પૂરી થઈ ગયેલી ક્લીયરન્સ પર આધારિત હતી. વધુમાં, વિસ્તરણથી દરિયાઈ સસ્તન પ્રાણીઓ, ઓલિવ રિડલે કાચબા, પક્ષીઓની પ્રજાતિઓ અને મેન્ગ્રોવ્સને જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.

જોકે, NGT એ તમામ દલીલોને કાયદેસર રીતે કોઈ આધાર ન હોવાનું ઠેરવીને ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું હતું કે અગાઉની મંજૂરીની મુદત પૂરી થવાથી નવી મંજૂરી અમાન્ય થતી નથી, સિવાય કે કાયદા દ્વારા સ્પષ્ટપણે પ્રતિબંધિત હોય. તેમજ EIA અહેવાલ અધૂરો હોવાના અથવા જાહેર સુનાવણી અમાન્ય હોવાના દાવાઓને પણ નામંજૂર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 6 દિવસ બાદ ઠંડીનું જોર વધશે, 18થી 25 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા

0

ગુજરાતમાં શિયાળીની શરૂઆત થઈ ગઈ છે. જોકે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી શિયાળો અસલ મિજાજ બતાવશે અને તાપમાન 10 ડિગ્રી જેટલું ઘટી શકે છે. ગઈકાલે અમદાવાદમાં 18.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 4.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે રાત્રે 17.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.

હવામાન નિષ્ણાતો અનુસાર, ગુજરાતમાં 18 થી 25 ડિસેમ્બર દરમિયાન માવઠાની સંભાવના છે. ત્યાં જ 7 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. અમદાવાદમા 6 ડિસેમ્બર સુધી તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેની ધારણા છે, અને 7 ડિસેમ્બર બાદ પારો ગગડવા લાગશે અને તાપમાન 15 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ત્યાં જ 18 થી 25 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યોમાં માવઠાની શક્યતા છે.

તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે. વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં દિત્વા વાવાઝોડાની અસર થશે. ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી છાંટા પડી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી નો ચમકારો વધશે. તથા ઉત્તર ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડી પડશે. તેમજ ઉત્તર ગુજરાતનું લઘુત્તમ ઉષ્ણતામાન 12 ડિગ્રીથી ઘટી શકે છે.

સંચાર સાથી એપ પર વિવાદ બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું આપ્યું મોટું નિવેદન?

0

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું હતું. સરકારે તમામ મોબાઇલ કંપનીને ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચવાનો આદેશ આપ્યો હતો. જે બાદ વિવાદ શરૂ થયો હતો. સંચાર સાથી એપના ચાલી રહેવા વિવાદ વચ્ચે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, આ એપ દ્વાર કોઈની જાસૂસી નહીં કરવામાં આવે, તેમજ ન તો કોલ મોનિટરિંગ કરવામાં આવશે.

સિંધિયાએ કહ્યું, જો તમે એપનો ઉપયોગ કરવા માંગતા હો તો એક્ટિવેટ કરો, જો ન ઈચ્છતા હો તો એક્ટિવેટ કરવાની જરૂર નથી તમે ઈચ્છો તો તેને ફોનમાંથી ડિલીટ પણ કરી શકો છો. સરકારની જવાબદારી એપને લોકો સુધી પહોંચાડવાનો છે. સરકારનો હેતુ નાગરિકોને છેતરપિંડી, ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઈમથી બચાવવાનો છે.

સિંધિયાએ કહ્યુ કે જ્યારે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. તે કંઈકને કંઈક શોધવાનો પ્રયાસ કરે છે, તો અમે તેની મદદ ન કરી શકીએ. અમારૂ કામ ગ્રાહકોની મદદ કરવાનું છે અને તેમની સુરક્ષાની ખાતરી કરવાનું છે. સંચાર સાથી એપ દરેક ગ્રાહકને પોતાની સુરક્ષાની ખાતરી કરવામાં સક્ષમ બનાવે છે. સંચાર સાથી એપ 1.5 કરોડથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી છે.

પ્રિયંકા ગાંધીએ જાસૂસીના આરોપો લગાવ્યા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે, આ એક જાસૂસી એપ છે. સરકાર દેશને તાનાશાહીમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે. નાગરિકોને તેમની ગોપનીયતાનો અધિકાર છે. દરેક વ્યક્તિને તેઓ તે સરકારની નજર વિના પરિવાર અને મિત્રોને સંદેશા મોકલી શકે તેવો ગોપનીયતાનો અધિકાર હોવો જોઈએ. આ માત્ર ટેલિફોન પર છૂપી રીતે નજર રાખવાની વાત નથી.

સંચાર સાથી એક સાઈબર સુરક્ષા એપ છે, જેને સરકારે મે 2023માં પોતાના પોર્ટલ બાદ લોન્ચ કરી હતી. જાન્યુઆરી 2024માં તે મોબાઈલ એપ એન્ડ્રોઈડ અને iOS બંને પર આવી ગઈ. તે યૂઝર્સને મોબાઈલ ચોરી, ફેક કોલ, ફેક સીમ, IMEI ફ્રોડ અને મેસેજ સ્કેમથી બચાવવા માટે બનાવવામાં આવી છે.

આ એપ શું કામ કરે છે?
સંચાર સાથી એપ અનેક પ્રકારની સુરક્ષા સુવિધાઓ આપે છે. જેમ કે…

  • ચોરી કે ખોવાયેલા મોબાઈલને સંપૂર્ણ દેશમાં બ્લોક કરી શકે છે.
  • પોલીસ અને એજન્સીઓને ફોનના લોકેશન ટ્રેસ કરવામાં મદદ કરી શકે છે.
  • “Chakshu” ફીચર દ્વારા ફેક કોલ, એસએમએસ કે વોટ્સએપ મેસેજ રિપોર્ટ કરી શકાય છે.
  • તમારા નામ પર કેટલા મોબાઈલ રજિસ્ટર્ડ છે, તે ચેક કરી શકાય છે.
  • “Know Your Mobile (KYM)” ફીચર ફોનની ઓથેન્ટિસિટી જણાવે છે કે ફોન નકલી છે કે અસલી.

પાંચ વર્ષમાં બે લાખથી વધુ કંપનીઓ બંધ, કર્મચારીઓના પુનર્વસન અંગે સરકારે શું કહ્યું?

0

દેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓના શટડાઉનનો સિલસિલો ઝડપથી વધ્યો છે. સરકારે સોમવારે લોકસભામાં તેના આંકડા રજૂ કર્યા હતા. કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં દેશભરમાં 2,04,268 ખાનગી કંપનીઓ બંધ થઈ ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે આમાંથી ઘણી કંપનીઓને નિયમો મુજબ રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે. તેમાં મર્જર, કન્વર્ઝન, સ્વૈચ્છિક બંધ અને લાંબા સમયથી નિષ્ક્રિય રહેવાની સ્થિતિ પણ કારણ તરીકે સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે 2022-2023 વર્ષ કોર્પોરેટ સફાઈ માટે સૌથી મહત્વનું હતું, જેમાં રેકોર્ડ 83,452 કંપનીઓ શટડાઉન થઈ હતી. તેમનું કહેવું હતું કે આનું મુખ્ય કારણ સરકાર દ્વારા ડોરમેન્ટ કંપનીઓને દૂર કરવા માટે ચલાવવામાં આવેલા સ્ટ્રાઈક-ઓફ અભિયાન છે.

કયા વર્ષે કેટલી કંપનીઓ બંધ થઈ?

  • 2020-21: 15,216 કંપનીઓ
  • 2022-23: 83,452 કંપનીઓ
  • 2023-24: 21,181 કંપનીઓ
  • 2024-25: 20,365 કંપનીઓ

કર્મચારીઓના પુનર્વસન માટે સરકારનું પગલું
બંધ કંપનીઓના કર્મચારીઓના પુનર્વસન માટે કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ તે પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર પાસે આવી કોઈ દરખાસ્ત નથી. સરકારી માહિતી અનુસાર, 2021-22 થી શરૂ થતા પાંચ નાણાકીય વર્ષોમાં કુલ 185,350 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરવામાં આવી છે.

8648 કંપનીઓને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવી
આમાંથી, 16 જુલાઈ સુધીમાં, ફક્ત આ નાણાકીય વર્ષમાં જ 8,648 કંપનીઓના રેકોર્ડ રદ કરવામાં આવ્યા છે. કંપની અધિનિયમ, 2013 મુજબ, જો કોઈ કંપની લાંબા સમય સુધી વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલુ રાખવાનું બંધ કરે છે અથવા જો કંપની પોતે નિયમનકારી આવશ્યકતાઓનું પાલન કર્યા પછી સ્વેચ્છાએ રેકોર્ડ રદ કરવાનું પસંદ કરે છે, તો તેને સત્તાવાર રેકોર્ડ રદ કરી શકાય છે.

ગુજરાતના 6 IPS અધિકારીઓને બઢતી, રાજુ ભાર્ગવ-મનોજ શશિધર DGP બન્યા

ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા સોમવારે 01 ડિસેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રમોશનમાં બે સિનિયર અધિકારીઓને DGP તરીકે બઢતી આપવામાં આવી છે, જ્યારે ચાર અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન મળ્યું છે.

જેમાં આઈપીએસ ઓફિસરને ડીજીપી તરીકેનું પ્રમોશન મળ્યું છે. જેમાં 1994 બેચના IPS અધિકારી મનોજ શશીધરને DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેઓ હાલમાં કેન્દ્રીય ડેપ્યુટેશન પર CBIમાં કાર્યરત છે. તેમજ 1995ની બેચના સિનિયર IPS અધિકારી રાજુ ભાર્ગવને પણ DGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

4 IPS અધિકારીઓને IG તરીકે મળી બઢતી
આ ઉપરાંત 4 IPS અધિકારીઓને DIGમાંથી IG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં 2007ની બેચના દિવ્યા મિશ્રા, 2007ની બેચના દીપન ભદ્રન, 2007ની બેચના સૌરભ તોલંબિયા અને 2007ની બેચના પરીક્ષિતા રાઠોડને IG તરીકે બઢતી આપવામાં આવી છે. આ પ્રમોશનના રાઉન્ડમાં સમાન બેચના હોવા છતાં મકરંદ ચૌહાણને પ્રમોશન મળ્યું નથી.

દક્ષિણ ગુજરાતમાં 76 લાખની પહેલી ટેસ્લા કાર સુરત આરટીઓમાં નોંધાઈ

0

દક્ષિણ ગુજરાતની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પૈકી પહેલી ઈલેકટ્રીક ટેસ્લા કાર સુરત આરટીઓમાં નોંધાઈ થઇ છે. સુરતના એક શાળા સંચાલક અને મિલમાલિકે 76 લાખની ટેસ્લા કર ખરીદી છે. ટેસ્લા કર ખરીદવા માટે કાર માલિકે છ મહિના પહેલા ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું. છ મહિનાના વેટીંગ માટે કારમાલિકે ટેસ્લાની ડિલિવરી મળી છે. ગુજરાતમાં ટેસ્લાનું શો રૂમ નહીં હોવાની કરમાલિકે મુંબઈ જઈને ટેસ્લા કાર લીધી હતી.

મુંબઈમાં પણ ટેસ્લા કારની ટેસ્ટ દરા દ્રાઇવ અને ફીચર્સ જોઈ અને જાણી શકાય છે. આ શો રૂમ પાર ટેસ્લા કારનું સ્પોટ બુકિંગ કરાવી શકાતું નથી. કારમાલિકે બુકિંગ સહિતની તમામ પ્રક્રિયા ફરજિયાતપણે ઓનલાઇન જ કરાવી પડે છે. સુરત આરટીઓમાં રજિસ્ટ્રેશન માટે આવેલી ટેસ્લા આકર્ષકનું કેન્દ્ર બની હતી. કારનું ઇન્સ્પેક્શન કરનારા આરટીઓ ઈન્સ્પેક્ટરે પણ ટેસ્લાનું મોડલ જોઈને અચંબિત થઇ ગયા હતા. કારનું 360 ડિગ્રી એંગલથી નિરીક્ષણ કરવા સાથે તેના એડવાંશ ફિચર્સથી વાકેફ થયા હતા.

લાલા કલર માટે 1.80 લાખ એક્સટ્રા ચૂકવ્યા
સુરત આરટીઓમાં ચોપડે પહેલી નોંધણી થયેલા ટેસ્લા કાર લાલ કલરની છે. કાર ખરીદનાર માલિકે લાલ કલરની કર ખરીદવા માટે કંપનીને 1.80 લાખ રૂપિયા એક્સટ્રા યુકવ્યા છે. જયારે વાહનમાલિકે આરટીઓનો અંદાજિત 1.40 લાખ રૂપિયા ટેક્સ યુકવ્યા છે.

સુરતના હીરા વેપારી પાસે મહારાષ્ટ્ર પાર્સીંગની ટેસ્લા કાર
સુરતની એક ડાયમંડ કંપનીના મલિક પાસે ટેસ્લા કાર છે. પરંતુ તેમની પાસે મહારાષ્ટ્ર પાર્સીંગનો ટેસ્લા કર છે. આ કાર તેમણે એકાદ વર્ષ પહેલા ખરીદી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેઓએ મુંબઈથી કાર ખરીદીને ત્યાં જ નોંધણી કરાવી હતી.