Home Blog Page 231

અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં માઇનિંગ મુદ્દે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

0

અરવલ્લી ક્ષેત્રમાં કોઈ નવું ખનન નહીં થાય. સરકારે આ સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ નવા ખનનને પરવાનગી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC)એ આ સંદર્ભમાં રાજ્યોને નિર્દેશો આપ્યો. છે. આ ઉપરાંત, મંત્રાલયે પ્રોટેકટેડ વધારવાનો પણ નિર્ણય લીધો છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની પ્રેસ રીલિઝ જાહેર કરી
ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ (ICFRE)ને અરવલ્લી ક્ષેત્રમાં વધારાના વિસ્તારો/ઝોન ઓળખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જ્યાં ખનન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ તે વિસ્તારો ઉપરાંત હશે જ્યાં કેન્દ્ર સરકારે પહેલાથી જ ખનન પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ઇકોલોજીકલ, ભૂસ્તરશાસ્ત્રીય અને લેન્ડસ્કેપ-સ્તરના વિચારણાઓના આધારે લેવામાં આવશે.

બુધવાર, 24 ડિસેમ્બરના રોજ મંત્રાલયે એક પ્રેસ રીલિઝ જાહેર કરી હતી. તેમાં મંત્રાલયે જણાવ્યું હતું કે દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળાને ગેરકાયદેસર ખનનથી બચાવવા અને સાચવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી ક્ષેત્રમાં સમાન રીતે લાગુ થશે. આ પર્વતમાળાના અસ્તિત્વને જાળવવાનો હેતુ છે.

આ નિર્દેશો દ્વારા સરકારનો ઉદ્દેશ્ય અરવલ્લી પ્રદેશને ગુજરાતથી દિલ્હી સહિત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) સુધી ફેલાયેલા સતત ભૂસ્તરશાસ્ત્રીય પર્વતમાળા તરીકે સુરક્ષિત કરવાનો છે. આ પગલાથી બધી અનિયંત્રિત ખનન પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

હાલમાં, કેન્દ્ર સરકારે અરવલ્લી પ્રદેશના ઘણા વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ માટે વધારાના વિસ્તારો પસંદ કરવામાં આવશે. ICFREને સમગ્ર અરવલ્લી પ્રદેશ માટે એક વ્યાપક, વિજ્ઞાન-આધારિત ટકાઉ ખનન વ્યવસ્થાપન યોજના (MPSM) તૈયાર કરતી વખતે આ વિસ્તારો પસંદ કરવાની જવાબદારી આપવામાં આવી છે.

આ યોજના આરાવલિ સાથે જોડાયેલા લોકો અને સામાન્ય જનતા વચ્ચે રાખવામાં આવશે. તેમાં પર્યાવરણીય અસરો અને ઇકોલોજીકલ વહન ક્ષમતાનું મૂલ્યાંકન કરશે. ઇકોલોજીકલ રીતે સંવેદનશીલ અને સંરક્ષણ-નિર્ણાયક વિસ્તારોને ઓળખવામાં આવશે, અને પુનઃસ્થાપન અને પુનર્વસન માટે ઉકેલો સૂચવવામાં આવશે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ પગલું સ્થાનિક ભૂગોળ, ઈકોલોજી અને જૈવવિવિધતાને ધ્યાનમાં લેતા અરવલ્લી પ્રદેશમાં સંરક્ષિત અને પ્રતિબંધિત ખનન વિસ્તારોના વ્યાપને વધુ વિસ્તૃત કરશે. સરકારે રાજ્યોને તેમના પ્રદેશોમાં હાલની ખાણો પર પર્યાવરણીય સંરક્ષણ પગલાંનું કડક પાલન કરવા જણાવ્યું છે.

આ ઉપરાંત રાજ્યોને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ ખનન પદ્ધતિઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે, ચાલુ ખનન પ્રવૃત્તિઓને અલગ નિયંત્રણો લાદીને કડક રીતે નિયંત્રિત કરવામાં આવશે.

ભારત સરકારે જણાવ્યું હતું કે તે અરવલ્લી ઇકોસિસ્ટમના રક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તે રણીકરણ સામે લડવા, જૈવવિવિધતાનું સંરક્ષણ અને પાણીના સ્ત્રોતોને રિચાર્જ કરવા વગેરેમાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને જાણે છે.

ક્રિસમસ પર વોટ્સએપ ગિફ્ટ લિંકથી સાવધાન, ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ

0

આખા વિશ્વમાં આજે ક્રિસમસના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર પર લોકો એક બીજાને ભેટ સોગાદો આપવા માટે જાણીતો છે. ત્યારે સાયબર ગુનેગારો પણ મોકો શોધીને બેઠા છે. તહેવારોની સિઝનમાં લોકોને આકર્ષક ઓફર્સ અને મોંઘી ભેટના નામે ફસાવવા માટે ઠગ ટોળકીએ જાળ બિછાવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર આવા ફેક મેસેજીસનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ ‘ક્રિસમસ વોટ્સએપ સ્કેમ’ થી સાવધ રહેવા ચેતવણી જાહેર કરી છે.

નિષ્ણાતોના મતે, છેલ્લા માત્ર બે સપ્તાહમાં 33,000થી વધુ ફિશિંગ ઇમેલ અને ફેક હોલિડે એડ્સ પકડાયા છે. સાયબર ઠગ સોશિયલ મીડિયા પર એવી જાહેરાતો ફેલાવી રહ્યા છે જે જોવામાં એકદમ અસલી લાગે છે. આ સ્કેમમાં ગુનેગારો ગિફ્ટ પાર્સલના નામે મેસેજ મોકલે છે અને કહે છે કે તમારા નામે એક સરપ્રાઈઝ ગિફ્ટ આવ્યું છે, જે મેળવવા માટે તમારે આપેલી લિંક પર ક્લિક કરવું પડશે. ગિફ્ટ મેળવવાની લાલચમાં લોકો ઘણીવાર આવી શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરી બેસે છે.

જેવી કોઈ વ્યક્તિ આ ફેક લિંક પર ક્લિક કરે છે, તે લિંક તેમને એક જોખમી વેબ પોર્ટલ પર લઈ જાય છે અથવા ફોનમાં ગુપ્ત રીતે ‘મૅલવેર’ (ખતરનાક સોફ્ટવેર) ઇન્સ્ટોલ કરી દે છે. આ મૅલવેર દ્વારા ઠગ તમારા ફોનનો કંટ્રોલ મેળવી શકે છે અને તમારી સંવેદનશીલ વિગતો જેવી કે ફોટા, કોન્ટેક્ટ્સ અને બેંકની વિગતો ચોરી શકે છે. આ રીતે અજાણ્યા નંબર પરથી આવેલી એક નાની લિંક તમારું આખું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે અને તમને મોટું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

આવા સાયબર ફ્રોડથી બચવા માટે સૌથી જરૂરી છે કે અજાણ્યા નંબર પરથી આવતા કોઈ પણ મેસેજ કે લિંક પર વિશ્વાસ ન કરવો. ખાસ કરીને જો કોઈ લિંક ક્લિક કરવા માટે ખૂબ દબાણ કરતું હોય અથવા ઉતાવળ બતાવતું હોય, તો તે ચોક્કસપણે સ્કેમ હોઈ શકે છે. આ સિવાય, કોઈપણ સંજોગોમાં તમારા બેંકિંગ આઈડી, પાસવર્ડ કે OTP (વન ટાઈમ પાસવર્ડ) અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવા જોઈએ. તમારી ડિજિટલ જાગૃતિ જ તમને આવા ગુનાઓનો શિકાર બનતા બચાવી શકે છે.

યાદ રાખો કે કોઈ પણ પ્રતિષ્ઠિત કંપની તમને વોટ્સએપ પર લોટરી કે મફત ગિફ્ટ માટે લિંક મોકલીને અંગત વિગતો માંગતી નથી. જો તમને આવો કોઈ મેસેજ મળે, તો તેને તુરંત રિપોર્ટ અને બ્લોક કરો. તમારા સ્માર્ટફોનમાં એન્ટિ-વાયરસ સોફ્ટવેર અપડેટ રાખો અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરો જેથી તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે.

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ટ્રેનની અડફેટે આવતા પતિ-પત્ની અને બે બાળકો સહિત 5ના મોત

0

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં દુઃખદ ઘટના ઘટી છે. રેલવે ક્રોસિંગ પાર કરતી વખતે પાંચ લોકો ટ્રેનની અડફેટે આવ્યા છે. આ દુ:ખદ અકસ્માત શાહજહાંપુરના રોઝા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અતસાલિયા ક્રોસિંગ પર થયો છે. ટ્રેનની ગતિ એટલી વધુ હતી કે ક્રોસિંગ પાર કરી રહેલા લોકોને સ્વસ્થ થવાનો મોકો પણ મળ્યો નહીં, અને પાંચેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટનાના કારણે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે અને સ્થાનિક સિવિલ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ભયાનક દ્રશ્યે બધાને સ્તબ્ધ કરી દીધા હતા. પોલીસ અને રેલવે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. રેલવે ટ્રેક પર સુરક્ષાને લઈને અત્યારે ગંભીર સવાલો થઈ રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એક બાઇક ક્રોસિંગ પર રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતું. આ દરમિયાન લખનઉથી આવતી ગરીબ નવાઝ એક્સપ્રેસ ટ્રેને બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક પર સવાલ બે પુરૂષ, એક મહિલા અને બે બાળકોનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું.

મૃતકોની વાત કરવામાં આવે તો, 40 વર્ષીય હરિઓમ (ઉચોલિયા, લખીમપુર), 38 વર્ષીય સેથપાલ ( વિક્રમપુર, પોલીસ સ્ટેશન નિગોહી, શાહજહાંપુર), 30 વર્ષીય મહિલા પૂજાબેન (નિગોહી, શાહજહાંપુર), 05 વર્ષીય પુત્ર સૂર્ય અને 04 વર્ષીય દીકરી નિધિનું આ અકસ્માતમાં મોત થયું છે. જીઆરપી રોઝાએ કાનૂની કાર્યવાહી શરૂ કરીને મૃતકોનું પંચાયતનામા દાખલ કરીને પોસ્ટમોર્ટમ પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ

0

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે (જેઠાભાઈ આહીર) પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું, જેને અધ્યક્ષે તાત્કાલિક સ્વીકાર કરી લીધો છે. આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને સોંપવામાં આવ્યું હતું.

જેઠાભાઈ ભરવાડે રાજીનામાનું કારણ અન્ય હોદ્દાઓ અને કાર્યોની વ્યસ્તતા ગણાવ્યું છે. તેઓ ઘણી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને પંચમહાલ ડેરીના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવે છે. આ ઉપરાંત, તેઓ શહેરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે અને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે પાર્ટીના કાર્યોમાં પણ સક્રિય છે.

જેઠાભાઈ ભરવાડ કોણ છે ?
જેઠાભાઈ ભરવાડ ભાજપના વરિષ્ઠ નેતા છે અને શહેરા બેઠક પરથી અનેક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 2022માં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. તેમની સહકારી ક્ષેત્રમાં મજબૂત પકડ છે અને તેઓ અનેક સંસ્થાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે.જેઠાભાઈ ભરવાડના રાજીનામાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

મધ્ય પ્રદેશમાં 28 વર્ષીય મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો, ચારેય નવજાતનું મોત

0

એક અત્યંત દુર્લભ તબીબી ઘટનામાં મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના જુન્નરદેવ ગામની 28 વર્ષીય મહિલાએ તાજેતરમાં એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જો કે પ્રસવના તુરંત બાદ ચારેય નવજાતના મોત થતા સાત લાખ પ્રસવમાંથી એકમાં બનતી આ અતિશય અસામાન્ય બાબતનો દુઃખદ અંત આવ્યો હતો. આ કેસ જોડિયા બાળકોના જન્મ સાથે સંકળાયેલી પ્રસવ સાથે સંકળાયેલા જોખમો પ્રત્યે લોકોનું તેમજ મેડિકલ નિષ્ણાંતોનું ધ્યાન ખેંચ્યું છે, ખાસ કરીને મર્યાદિત સ્રોત અને સંસાધનો હોય તેવા વિસ્તારમાં બાળકો તેમજ માતાના જીવ બચાવવાનું કાર્ય મુશ્કેલ હોય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જુન્નરદેવના રોરાઢેકનીમલ ગામની ગુન્નોબાઈ નામની 28 વર્ષીય મહિલાએ સમય પહેલા એક સ્થાનિક આરોગ્ય સેવા ખાતે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. અકાળે જન્મમાંથી ઉદ્ભવતી ગૂંચવણોને કારણે નવજાત બાળકોને તુરંત વધુ મેડિકલ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમાંથી બે બાળકોનું રસ્તામાં જ મોત થયું હતું જ્યારે બાકીના બે હોસ્પિટલમાં દાખલ થયાના ટૂંક સમયમાં જ અવસાન પામ્યા. હોસ્પિટલના સ્રોતોએ પુષ્ટી કરી કે નવજાત બાળકોના ફેફસા ગંભીર રીતે અવિકસીત હતા, જે એકસાથે વધુ બાળકોના જન્મ થવાની બાબતમાં સામાન્ય પણ ગંભીર સમસ્યા હોય છે.

જિલ્લા હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે નવજાત બાળકોનું વજન અત્યંત ઓછું હતું અને ગંભીર રીતે અવિકસીત હતા. હોસ્પિટલ સુધી પહોંચનાર એક બાળકીનું વજન 600 ગ્રામ હતું જ્યારે બાળકનું વજન માત્ર 350 ગ્રામ હતું. તેમના ફેફસા પણ અવિકસીત હોવાથી સ્વતંત્ર રીતે શ્વાસ લેવાનું અશક્ય હતું. રસ્તામાં જ અવસાન પામેલા બે અન્ય બાળકોના વજન પણ આશરે 600 ગ્રામ જેટલા હતા.

ડોક્ટરોએ જણાવ્યું કે જુન્નરદેવ વિસ્તારમાં જન્મ સમયે બાળકોના ઓછા વજન સામાન્ય બાબત છે અને નવજાત બાળકોના જન્મસમયના વજન આશરે બે કિલો હોય છે. આ ચાર બાળકોના જન્મની બાબતમાં માતાનું શરીર ચાર ગર્ભના વિકાસને પૂરતો ટેકો ન આપી શક્યું, જેના પરિણામે તેમના મહત્વના અવયવો અવિકસીત રહ્યા.

ડોક્ટરોએ વધુ માહિતી આપી કે ચાર બાળકોનો જન્મ થતો હોય તેવી પ્રસૂતિમાં વધુ જોખમ રહેલું હોય છે અને તેમાં પ્રસવ પછી સતત નિરીક્ષણ, વિશેષ પ્રસુતિ સંભાળ અને આધુનિક શ્વસન સપોર્ટની જરૂર હોય છે. આવા કેસોમાં સામાન્ય રીતે ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) સહિતનીરિપ્રોડક્ટીવ ટેકનોલોજીની મદદ લેવામાં આવતી હોય છે. જો કે અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રસૂતિ અચાનક હોવાથી પડકારજનક બની હતી જે મેડિકલ ક્ષેત્રમાં વધુ દુર્લભ અને પડકારજનક હોય છે. અકાળે થતી પ્રસૂતિ આવી ગર્ભાવસ્થામાં લગભગ અનિવાર્ય હોય છે જેના કારણે નવજાતના બચવાની તકો મર્યાદિત બને છે.

સુરતમાં માતાએ પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, માસૂમનું મોત

0

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પાંચ વર્ષના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે ઝંપ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈને કારણે બાળકને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું કે, આજે સવારે અંદાજે 10:30 વાગ્યે ભટાર ચોકી વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં આશરે 30 વર્ષની મહિલાએ પોતાના બાળક સાથે 14મા માળેથી ઝંપ લગાવ્યો હોવાની માહિતી મળી હતી. આ ઘટનામાં બાળકનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે મહિલાની હાલત ક્રિટિકલ છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા આ આવાસની રહેવાસી નથી. આવાસમાં રહેતા લોકોએ પણ મહિલાને ઓળખી ન હોવાનું જણાવ્યું છે. બાળકની ઉંમર આશરે પાંચ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મહિલા કોણ છે, ક્યાંથી આવી અને આ બનાવ પાછળ શું કારણ હોઈ શકે તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ તો પ્રાથમિક રીતે આ બનાવ આત્મહત્યાનો પ્રયાસ હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સાધનોના આધારે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ક્રિસમસ પર પીએમ મોદી દિલ્હીના સૌથી જૂના ચર્ચમાં પ્રાર્થનામાં જોડાયા

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નાતાલના અવસરે દિલ્હીના કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રાર્થના સેવામાં પણ ભાગ લીધો હતો. આ કેથેડ્રલ માત્ર સૌથી જૂના ચર્ચોમાંનું એક નથી પણ દિલ્હીનું સૌથી મોટું ચર્ચ પણ છે. પ્રધાનમંત્રીએ અહીં પ્રાર્થના સેવામાં પણ ભાગ લીધો હતો અને લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન પીએમ મોદીની સાથે ચર્ચમાં ઘણા અન્ય લોકો પણ હાજર હતા.

સોશિયલ મીડિયા પર ચર્ચની તસવીરો પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું, “દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશનમાં નાતાલની સવારની પ્રાર્થનામાં હાજરી આપી. આ પ્રાર્થના પ્રેમ, શાંતિ અને કરુણાના શાશ્વત સંદેશને પ્રતિબિંબિત કરે છે. મને આશા છે કે નાતાલની ભાવના આપણા સમાજમાં સંવાદિતા અને ભાઈચારો લાવશે.”

કેથેડ્રલ ચર્ચ તેના સુંદર સ્થાપત્ય માટે જાણીતું છે. દર વર્ષે નાતાલ માટે ખાસ સજાવટ કરવામાં આવે છે. દિલ્હીભરના લોકો ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરવા અને નાતાલની ઉજવણી કરવા માટે આ ચર્ચની મુલાકાત લે છે. પીએમ મોદીએ આ પહેલા પણ ચર્ચની મુલાકાત લીધી છે.

પીએમ મોદીએ એક વિડિઓ શેર કર્યો
બીજી પોસ્ટમાં, પીએમ મોદીએ ચર્ચની તેમની મુલાકાતનો વિડિઓ શેર કર્યો. તેમણે લખ્યું, “ક્રિસમસ નવી આશા, પ્રેમ અને દયા પ્રત્યે સહિયારી પ્રતિબદ્ધતા લાવે.” ધ કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે નાતાલની સવારની સેવાની કેટલીક ઝલક અહીં છે.

કર્ણાટકમાં સ્લીપર બસમાં ભીષણ આગ: ટ્રક સાથે ટક્કર બાદ 10 મુસાફરો જીવતા ભૂંજાયા

0

કર્ણાટકના ચિત્રદુર્ગમાં બુધવારે મોડી રાત્રે સ્લીપર બસમાં ટક્કર થયા બાદ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10થી વધુ લોકો જીવતા ભૂંજાયા છે. જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ આંકડો 12 અને 17 પણ બતાવવામાં આવી રહ્યો છે.

આ અકસ્માત NH-48 પર હિરિયૂર તાલુકા પાસે થયો હતો. બસ બેંગલુરુથી ગોકર્ણ જઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે રાત્રે 2:30 વાગ્યે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે ડિવાઈડર તોડીને બીજી બાજુ જઈ રહેલી ખાનગી કંપની ‘સીબર્ડ ટ્રાન્સપોર્ટ’ની બસને ટક્કર મારી હતી. બસમાં તરત જ આગ લાગી ગઈ હતી. તે સમયે મુસાફરો સૂઈ રહ્યા હતા, જેના કારણે તેમને બચવાની કોઈ તક મળી શકી નહોતી.

અરવલ્લી પર્વતમાળા મુદ્દે દેશને ગુમરાહ કરવાનો પ્રયાસ: કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર આક્ષેપ

0

દેશમાં અરવલ્લી પર્વતમાળા મુદ્દે રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને રાજધાની દિલ્હીમાં પ્રદર્શનો ચાલુ છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ પણ હવે મેદાનમાં આવી છે. તેમજ ફરી એકવાર અરવલ્લી મુદ્દા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમજ પ્રશ્ન કર્યો કે પર્વતમાળાની વ્યાખ્યામાં આટલા ખામીયુક્ત ફેરફારને આગળ વધારવા સરકાર શા માટે આગ્રહ કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આક્ષેપ લગાવ્યો કે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આ મુદ્દા પર દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કરાયેલા એક સમાચાર અહેવાલને ટાંકીને કહ્યું, હવે એ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી અરવલ્લી મુદ્દા પર સંપૂર્ણ સત્ય નથી કહી રહ્યા અને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેમણે કહ્યું કે, અરવલ્લીની વ્યાખ્યામાં મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ફેરફારોનો ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા, સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સેન્ટ્રલ પ્રિવિલેજ કમિટી અને સુપ્રીમ કોર્ટના એમિકસ ક્યુરી દ્વારા સ્પષ્ટ અને સખત વિરોધ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમ છતાં કેન્દ્ર સરકાર આ વ્યાખ્યાને અનુસરવા પર અડગ છે. કોંગ્રેસનો આરોપ છે કે નિષ્ણાત સંગઠનોના વાંધાઓને અવગણના કરતું આ પગલું પર્યાવરણ માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે.

આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ પણ આ મુદ્દે મોદી સરકારની આલોચના કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ખનન માફિયાઓને સંરક્ષણ આપી રહી છે. સુરજેવાલાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપની મિલીભગતને કારણે દક્ષિણ હરિયાણાના અનેક જિલ્લાઓમાં આ ગેરકાયદે ખાણકામનો વ્યવસાય માફિયાઓ માટે મોટા નફાનો સ્ત્રોત બની ગયો છે. તેમણે કહ્યું કે અરવલ્લી પર્વતમાળા, જે આપણા પર્યાવરણ અને પ્રાણવાયુ માટે પર્યાય છે. તેનું રક્ષણ કરવાને બદલે ભાજપ ખનન માફિયાઓને રક્ષણ આપીને ગેરકાયદે સંપત્તિનો પર્વત બનાવવામાં વ્યસ્ત છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પર્યાવરણ મંત્રાલયની ભલામણોને સ્વીકારીને અરવલ્લી ટેકરીઓ માટે એક નવી વ્યાખ્યા સ્વીકારી છે. જેમાં ફક્ત 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ સંરક્ષિત ગણવામાં આવશે. આ નિર્ણયથી અરવલ્લી ટેકરીઓમાંથી લગભગ 90 ટકાને સંરક્ષણમાંથી બાકાત રાખી શકાય છે. જેનાથી મોટા પાયે ખનનની શક્યતા વધી શકે છે.

સાબુ બજારમાં ‘સંતુર’નો દબદબો: લાઇફબોયને પછાડી બની નંબર-૧ બ્રાન્ડ, રૂ.2850 કરોડનું વેચાણ

0

વિપ્રો કન્ઝ્યુમર કેર એન્ડ લાઇટિંગ એ દાવો કર્યો છે કે તેની ફલેગશિપ સાબુ બ્રાન્ડ સંતૂર હવે હિન્દુસ્તાન યુનિલિવરના લાઇફબોયને પાછળ છોડીને ભારતની સૌથી મોટી સાબુ બ્રાન્ડ બની ગઈ છે.

કંપનીનો દાવો છે કે સંતૂત્રે 2025 માં રૂ.2,850 કરોડની આવક કરી હતી. જે લાઇફબોયને પાછળ છોડી દીધી હતી. જ્યારે લક્સ ત્રીજા સ્થાને છે. જો કે, કંપનીઓને તેમની બ્રાન્ડ્સ માટે વ્યક્તિગત આવક જાહેર કરવાની જરૂર નથી. તેથી આ આંકડા ચકાસવા મુશ્કેલ છે.

વિપ્રો કન્ઝ્યુમર કેર કહે છે કે તેણે અનેકસ્ત્રોતોમાંથી માહિતી એકત્રિત કરી છે અને તેના લીડ્સ પર વિશ્વાસ છે. WCCL ના CEO વિનીત અગ્રવાલે કહ્યું, અમારી અને લાઇફબોય વચ્ચે નોંધપાત્ર અંતર છે. જાન્યુઆરીથી નવેમ્બર સુધીના AC નીલ્સનના ડેટા અનુસાર, સંતૂરનો બજાર હિસ્સો 8.7% હતો. જ્યારે લાઇફબોયનો 12.2% અને લક્સનો 12.2% હતો.

પરંતુ અગ્રવાલે આ આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું. ગ્રામીણ વિસ્તારોમાં સંતૂર ખૂબ જ મજબૂત છે. જ્યારે AC નીલ્સન પેનલ ગ્રામીણ બજારોને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી. આંધ્રપ્રદેશ. તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સંતૂરનું વેચાણ વધુ છે. એવું લાગે છે કે AC નીલ્સન પેનલ આ રાજ્યોને પૂરતું વજન આપતું નથી.

દરમિયાન, હિન્દુસ્તાન યુનિલિવરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અમારી બ્રાન્ડ્સની સ્પર્ધાત્મકતાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ ડેટાસ્ત્રોતો જોઈએ છીએ. આમાં પ્રકાશિત કંપની પરિણામો અને નીલ્સન અને કાંતારના ડેટાનો સમાવેશ થાય છે.