Home Blog Page 229

અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે, બિઝનેસ મહાસંમેલન સહિત આ કાર્યક્રમમાં રહેશે હાજર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ડિસેમ્બર રવિવારે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી વિશ્વ ઉમિયા ધામના યુવા બિઝનેસ સંમેલનમાં હાજરી આપશે. આ સિવાય વિવિધ વિકાસ-લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે.

રવિવારે ગુજરાતના પ્રવાસે આવશે અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવારે ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ એક દિવસમાં વિવિધ સાત કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સવારે IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજીત રાષ્ટ્રીય કોન્ફરન્સ -IMA NATCON 2025 માં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે. ત્યારબાદ અમદાવાદના એસપી રિંગ રોડ પર ગોપાલ ફાર્મ પાસે એક કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે.

અમિત શાહ આ કાર્યક્રમમાં આપશે હાજરી

  • કાર્યક્રમ 1 (જાહેર કાર્યક્રમ)
  • IMA ગુજરાત બ્રાન્ચ દ્રારા આયોજીત રાષ્ટ્રીય કોન્ફરન્સ-IMA NATCON 2025 જાહેર કાર્યક્રમમાં આપશે હાજરી
  • સમય: સવારે 10:15 કલાકે
  • સ્થળ: ક્લબ 07, શેલા, અમદાવાદ
  • કાર્યક્રમ 2
    વૈષ્ણોદેવી સર્કલ થી ઓગણજ, શીલજ, શાંતિપુરા થઈને સનાથલ સાબરમતી નદી સુધી AMC દ્વારા નાખવામાં આવેલ નવી ટૂંક મેઈન લાઈનના કાર્યનું લોકાર્પણ
    સમય: સવારે 11:30 કલાકે |
    સ્થળ: ગોપાલ ફાર્મ પાસે, એસપી રિંગ રોડ, શેલા, અમદાવાદ
  • કાર્યક્રમ 3 (જાહેર કાર્યક્રમ)
    નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમ
    સમય: સવારે 11:45 કલાકે |
    સ્થળ: ભવાની ચોક, નવા વણઝર, અમદાવાદ
  • કાર્યક્રમ 4
    આઈકોનિક એસજી હાઇવે ના પ્રથમ તબક્કાના પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ
    સમય: બપોરે 12:45 કલાકે
    સ્થળ: પકવાન સર્કલ પાસે, એસજી ડાઈવે, બોડકદેવ,અમદાવાદ
  • કાર્યક્રમ 5
    ગુરુદ્વારા મંદિર ખાતે દર્શનાર્થે
    સમય: બપોરે 1:00 કલાકે । સ્થળ: ગુરુદ્વારા, એસજી ડાઈવે, થલતેજ, અમદાવાદ
  • કાર્યક્રમ 6 (જાહેર કાર્યક્રમ)
    વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મડાસંમેલન 2025 નો ઉદ્ઘાટન સમારોડ
    સમય: બપોરે 3:45 કલાકે |
    સ્થળ: વિશ્વ ઉમિયાધામ, વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ
  • કાર્યક્રમ 7 (જાહેર કાર્યક્રમ)
    સંસ્કાર ધામ અમદાવાદ આયોજિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ “નમોત્સવ”
    સમય: સાંજે 5:45 કલાકે |
    સ્થળ: સંસ્કાર ધામ, ગોધાવી, અમદાવાદ

તિરુવનંતપુરમમાં ઈતિહાસ રચાયો: પ્રથમ વખત BJPના મેયર બન્યા વી.વી. રાજેશ

0

વી.વી. રાજેશ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ BJP મેયર બન્યા છે. આ પદ પર પાર્ટીએ પ્રથમ વખત જીત મેળવી છે, જેનાથી 45 વર્ષના વામપંથી શાસનનો અંત આવ્યો છે. જણાવી દઈએ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના નવ-નિર્વાચિત BJP પાર્ષદો અને પાર્ટીના જિલ્લા નેતાઓની બેઠકમાં પાર્ટીના રાજ્ય મહાસચિવ એસ. સુરેશે આ નામની જાહેરાત કરી છે. આ નિર્ણય પાર્ટીના રાજ્ય અને જિલ્લા નેતૃત્વ વચ્ચે લાંબી ચર્ચાઓ પછી લેવામાં આવ્યો છે.

વી.વી. રાજેશનું મેયર બનવું કેરળની રાજધાનીમાં BJP માટે એક પ્રતીકાત્મક સિદ્ધિ ગણાઈ રહ્યું છે. તેને રાજ્યની શહેરી રાજનીતિમાં મોટા ફેરફાર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

વી.વી. રાજેશ કોણ છે?
આ પહેલાં નિવૃત્ત પોલીસ મહાનિદેશક (DGP) આર. શ્રીલેખાને મેયર પદના સંભવિત ઉમેદવાર તરીકે ધારીને ચલાવવામાં આવતી હતી, પરંતુ પાર્ટીના એક વર્ગે તેમની નિમણૂકનો વિરોધ કર્યો. અંતે BJPના રાષ્ટ્રીય નેતૃત્વના હસ્તક્ષેપ પછી રાજેશના નામ પર સહમતિ બની. વી.વી. રાજેશ બે વખત પાર્ષદ, રાજ્ય સચિવ, પૂર્વ યુવા મોરચા રાજ્ય અધ્યક્ષ અને પૂર્વ BJP તિરુવનંતપુરમ જિલ્લા અધ્યક્ષ રહી ચૂક્યા છે. અગાઉની વિધાનસભામાં તેઓ વિપક્ષના વાસ્તવિક નેતા હતા. તેમણે CPIM શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું.

કોણે કેટલી સીટો જીતી?
જણાવી દઈએ કે BJPએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 50 સીટો જીતીને પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે અને ચાર દાયકાઓથી ચાલતા વામપંથી ગઢને તોડી નાખ્યો છે. કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત લોકતાંત્રિક મોરચા (UDF)એ પણ પોતાની સીટોની સંખ્યા બમણી કરીને મહત્વની આગળ વધી છે. 100 વોર્ડોમાંથી LDFને 29 સીટો મળી છે, જ્યારે UDF 19 સીટો પર સીમિત રહ્યું છે. બે સીટો પર નિર્દલિય ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે એક વોર્ડમાં નિર્દલિય ઉમેદવારના મૃત્યુને કારણે મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું.

જાપાનની રબર ફેક્ટરીમાં ચાકુથી હુમલો: 14 લોકો ઘાયલ, હુમલાખોર ઝડપાયો

આજે શુક્રવારે સાંજે જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરના મિશિમા શહેરમાં આવેલી એક રબર ફેક્ટરીમાં એક શખ્સે ચાકુ વડે હુમલો કર્યો હતો, જેમાં 14 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન લોકો પર પ્રવાહી પણ છાંટવામાં આવ્યું હતું, હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરને ફેક્ટરીમાંથી જ પકડી પાડવામાં આવ્યો છે.

જાપાનની ઈમરજન્સી સર્વિસના જણાવ્યા મુજબ આ હુમલામાં 14 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ઘાયલોની સ્થિતિ અંગે હજુ જાણકારી આપવામાં આવી નથી. હુમલાખોરની ઓળખ અને હુમલા પાછળના હેતુ અંગે તાપસ કરવામાં આવી રહી છે. યોકોહામા રબર કંપનીની મિશિમા શહેરમાં આવેલી ફેક્ટરીમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, આ ફેક્ટરીમાં ટ્રક અને બસો માટે ટાયર બનાવવામાં આવે છે.

શાંત ગણાતા જાપાનમાં ગુનાખોરી વધી:
નોંધનીય છે કે જાપાનમાં મર્ડર રેટ ખુબ જ ઓછો છે અને બંદુક પર અત્યંત કડક કાયદાઓ છે. જાપાનમાં આવી હિંસક ઘટના દુર્લભ છે, છતાં છેલ્લા કેટલાક વર્ષોથી આવી ઘટનાઓ બની રહી છે.

2022 માં ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની એક જાહેર સભામાં ગોળી મારીને હત્યા કરવમાં આવી હતી. 2023 માં ગોળીબાર અને છરા વડે થયેલા હુમલામાં બે પોલીસ અધિકારીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા, બાદમાં હુમલાખોરને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ વર્ષે મે મહિનામાં ટોક્યોના ટોડા-મે મેટ્રો સ્ટેશન પર છરી વડે હુમલો થયો હતો, જેમાં 43 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

એસ.ટી નિગમનો નવતર અભિગમ, વિમાન અને રેલવે જેવી આ સુવિધા હવે ગુજરાતની બસમાં અપાશે

રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે.

એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે.

આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થાય તે હેતુથી આ નવીન પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

પાયલોટ પ્રોજેકટ આ સ્ટેશનોથી શરુ થશે
આ સેવા પાયલોટ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદથી પાલડી, સી.ટી.એમ, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ, જશોદાનગર પોઈન્ટ તેમજ પિકઅપ સ્ટેન્ડ ખાતેથી ફૂડ ડીલીવરી આપવામાં આવશે.

આ પ્રોજેકટ હેઠળ મુસાફરો ઓનલાઈન ફૂડ ઓર્ડર-ફૂડ ઓન બસ મેળવવા માટે નિગમની ઓનલાઇન OPRS (Online Passenger Reservation System) સિસ્ટમ પર બસ ટીકીટની સાથે સાથે ફૂડ પણ અગાઉથી બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ જે સ્થળે ફૂડ મેળવવાનું હોય તે સ્થળે પહોંચવાના ત્રણ કલાક પહેલા ઓર્ડર કરવાનો રહેશે.

મુસાફર ઓનલાઈન એડવાન્સમાં તેમજ મુસાફરી દરમિયાન પણ ફૂડ ઓનલાઇન બુકિંગ કરી શકશે. આ સુવિધાઓ પૂરી પાડવા માટે એસ.ટી નિગમ દ્વારા ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ થી અલગ અલગ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવો મંગાવવામાં આવ્યા છે.

સમયસર ફૂડસપ્લાય ન કરવાના કિસ્સામાં દંડની જોગવાઈ
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યું છે કે નક્કી થયેલ એજન્સી તમાકુ, બિડી, ગુટકા, નોન વેજ તેમજ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બસમાં આપી શકશે નહીં. બસમાં ફૂડ આપવામાં અનિયમિતતા અને સમયસર ફૂડસપ્લાય ન કરવાના કિસ્સામાં 5000 થી 10,000 રુપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

નવા વર્ષમાં ગ્લોઈંગ સ્કિન માટે માત્ર આટલું કરો, સ્કિન ગ્લાસ જેવી ચમકશે !

નવા વર્ષની પાર્ટી માટે તૈયારીઓ ચાલી રહી છે અને જો તમે સુંદર અને અન્ય લોકોથી અલગ દેખાવા માંગતા હો તો ચમકતો ચહેરો ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે કેટલીક સરળ સ્કિન કેર ટિપ્સ શોધી રહ્યા છો જેને અપનાવીને તમે નવા વર્ષ નિમિત્તે ગ્લોઈંગ સ્કિન સાથે પાર્ટીનો આનંદ માણી શકો છો. વાસ્તવમાં આજકાલ બીઝી લાઈફ અને મોડી રાત સુધી જાગવાને કારણે નિસ્તેજ, થાકેલી અને નિર્જીવ દેખાવા લાગે છે.

સ્કિન કેર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્કિન કેર એક્સપર્ટ હાયાવીએ કેટલીક સરળ અને અસરકારક સ્કિન કેર હેક્સ જણાવી છે, જે ગ્લોઈંગ સ્કિન મેળવવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

ડૉ. હાયાવીના મતે નવા વર્ષ પહેલા તમારી સ્કિનને ઊંડાણપૂર્વક હાઇડ્રેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. પહેલા હાયલ્યુરોનિક એસિડ ધરાવતું હાઇડ્રેટિંગ સીરમ લગાવોપછી તેને સમૃદ્ધ મોઇશ્ચરાઇઝરથી બંધ કરો. આ તમારી સ્કિનને અંદરથી હાઈડ્રેટ કરે છે.

ન્યુ યર ગ્લોઈંગ સ્કિન

  • માસ્કનો ઉપયોગ : નિયમિત નાઇટ ક્રીમને બદલે ઓવરનાઈટ માસ્કનો ઉપયોગ કરો. રાતોરાત માસ્ક તમારી સ્કિનને ઊંડે સુધી પોષણ આપે છે, તેને ચમકદાર બનાવે છે. ઓવરનાઈટ માસ્ક તમારી સ્કિનને સ્પા જેવો અનુભવ આપે છે. તેમાં સક્રિય ઘટકોની ઉચ્ચ સાંદ્રતા હોય છે જે તમે સૂતી વખતે સ્કિનમાં ઊંડે સુધી જઈને કામ કરે છે, અને તેજ માટે નિયાસીનામાઇડ ધરાવતા માસ્ક અથવા મજબૂતાઈ માટે પેપ્ટાઇડ્સ પસંદ કરો.
  • એક્સફોલિએટ કરો : ગ્લોઈંગ સ્કિન માટે એક્સફોલિએશન જરૂરી છે. એક્સફોલિએટિંગ ડેડ સ્કિનના કોષોને દૂર કરે છે અને તમારી સ્કિનને એક નવો ગ્લો આપે છે, પરંતુ તે કરવા માટે યોગ્ય સમય પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • શીટ માસ્કનો ઉપયોગ : શીટ માસ્ક તમારી સ્કિનને તરત જ હાઇડ્રેટ અને પોષણ આપે છે. શીટ માસ્ક એક બેસ્ટ ઓપ્શન છે કારણ કે તે ગંદકી-મુક્ત અને ઉપયોગમાં સરળ છે.
  • આંખની ક્રીમનો ઉપયોગ : આઈ ક્રીમ તમારી આંખો નીચેની સ્કિનને હાઇડ્રેટ અને પોષણ આપે છે. આઈ ક્રીમ તમારી આંખોને તાજી અને ચમકતી બનાવે છે.

નાતાલના દિવસે અમેરિકા દ્વારા નાઇજીરીયા પર મિસાઈલ હુમલો, ટ્રમ્પે કરી જાહેરાત

એક અંદાજ મુજબ છેલ્લા એક દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના 80થી વધુ દેશોમાં “આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ”ના નામે હુમલા કરી ચુક્યું છે, એવામાં ગઈ કાલે નાતાલના દિવસે આ યાદીમાં હજુ એક દેશનું નામ ઉમેરાયું છે. યુએસ સેનાના આફ્રિકા કમાન્ડે પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરીયામાં મિસાઈલ હુમલો કર્યો હતો. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાતની જાહેરાત કરી હતી.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા નાઇજીરીયામાં ઇસ્લામિક સ્ટેટ્સ(IS)ના આતંકવાદીઓને નિશાન બનાવીને એક ઘાતક હુમલો કરવમાં આવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે નાઇજીરીયામાં ખ્રિસ્તીઓની ઘાતકી હત્યાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

નાઇજીરીયાના ઉત્તર ભાગમાં મુસ્લિમો અને દક્ષિણમાં રહેતા ખ્રિસ્તીઓની બહુમતી છે. નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં 15 વર્ષથી વધુ સમયથી ઇસ્લામિક કટ્ટરપંથી જૂથ બોકો હરામ આતંકવાદી પ્રવૃતિઓ કરી રહ્યું છે, જેમાં બંને સુમુદાયના 40,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું.”આજે રાત્રે, કમાન્ડર ઇન ચીફ તરીકે મારા નિર્દેશો પર યુનાઇટેડ સ્ટેટ્સે ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISIS આતંકવાદી પર એક શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો હતો. આ આતંકવાદીઓ નિર્દોષ ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા છે અને તેમની ક્રૂરતા પૂર્વક હત્યા કરી રહ્યા હતાં.”

આતંકવાદીઓને મેરી ક્રિસમસ:
ટ્રમ્પે વધુ ચેતવણી આપતા કહ્યું કે તેઓ તેમના નેતૃત્વ હેઠળ યુએસ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને આગળ વધવા નહીં દે. જો ખ્રિસ્તીઓની કતલ ચાલુ રહેશે તો ઘણા આતંકવાદીઓ મોતને ભેટશે.

ટ્રમ્પે કહ્યું, “મેં અગાઉ આ આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ ખ્રિસ્તીઓની હત્યા કરશે, તો તેમને કિંમત ચૂકવવી પડશે. ડીપાર્ટમેન્ટ ઓફ વોરએ હુમલાઓ કર્યા, કેમ કે યુએસ જ આવું કરી શકે એમ છે. ભગવાન આપણી સેનાને આશીર્વાદ આપે, માર્યા ગયેલા આતંકવાદીઓ સહિત બધાને મેરી ક્રિસમસ.”

નાઇજીરીયાની સરકારે જણાવ્યું કે તેમના દેશના સશસ્ત્ર જૂથો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંનેને નિશાન બનાવે છે, ખ્રિસ્તીઓ પર અત્યાચાર થાય છે એવા ટ્રમ્પના દાવા ભૂલ ભરેલા છે. ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ આતંકવાદી જૂથો લડાઈ માટે યુએસ સાથે કામ કરવા નાઇજીરીયાન સરકારે સંમતી દર્શાવી છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક માર્ગ અકસ્માત, ગુજરાતના બે યુવાનોના મોત

0

રાજસ્થાનમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ-બરોડા એક્સપ્રેસવે પર ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. સવાઈ માધોપુર જિલ્લાના બાઉનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં ગુજરાતના બે યુવાનોના મોત થયા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ફુલ સ્પીડે આવતી કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને એક્સપ્રેસવે પર ખાડામાં પડી ગઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પિલર નંબર 246 પાસે થયો હતો, જ્યાં એક અજાણ્યા વાહને Kia Sonet કારને ટક્કર મારી હતી. ટક્કર લાગતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને કાર બે લેન વચ્ચે ખાડામાં જઈને પડી. ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ.

આ અકસ્માતમાં ગુજરાતના બરોડાના રહેવાસી કમલ ગોહિલ(35) નું ઘટનાસ્થળે જ મોત થયું છે. કારમાં સવાર ભાવનગરના રહેવાસી 32 વર્ષીય તેજસ્વી સોલંકી ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતાં, બાઉનલી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને ક્ષતિગ્રસ્ત વાહનમાંથી બહાર કાઢ્યા અને બાઉનલી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ. ડોક્ટરોએ કમલ ગોહિલને મૃત જાહેર કર્યો, જ્યારે તેજસ્વી સોલંકીને પ્રાથમિક સારવાર બાદ જયપુર રિફર કરવામાં આવ્યો હતો. જોકે, તેનું પણ જયપુર જતા રસ્તામાં જ મૃત્યુ થયું.

પોલીસે બંનેના મૃતદેહને સીએચસી બાઉનલી ખાતેના શબઘરમાં સુરક્ષિત રીતે રાખ્યા છે. પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરવામાં આવી છે. સવાઈ માધોપુર પહોંચ્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ મૃતદેહ પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.

અકસ્માત બાદ, ટ્રાફિકમાં અવરોધ ન આવે તે માટે ક્રેશ થયેલી સોનેટ કારને એક્સપ્રેસવે પરથી હટાવીને રેસ્ટ એરિયામાં પાર્ક કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી છે. અકસ્માતનું કારણ જાણવા માટે એક્સપ્રેસ વે પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને આરોપી ડ્રાઇવરને ઓળખીને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA-National Tiger Conservation Authority) દ્વારા ગુજરાતને ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. આશરે 33 વર્ષ બાદ ગુજરાતને આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જેને કારણે રાજ્યના વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 9 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે, જેના કારણે રાજ્યમાં વાઘની હાજરી સત્તાવાર રીતે માન્ય બની છે. આ વાઘ મુખ્યત્વે રતનમહાલ વન્યજીવન અભયારણ્ય સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો છે. વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને વાઘની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે વાઘની વસ્તી વધારવા માટે એક વાઘણની માગ પણ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો પરિવાર વસાવી શકાય. સરકારનું માનવું છે કે અનુકૂળ પર્યાવરણ અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વાઘના કુટુંબ માટે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે. વાઘ માટે રહેઠાણ, શિકાર માટે પૂરતું આહાર, પાણીની વ્યવસ્થા અને સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં વન્યજીવન વૈવિધ્ય
ઉલ્લેખનીય છે કે સિંહ, દીપડા અને વાઘ – ત્રણેય મોટા બિલાડી પ્રજાતિ ધરાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. ગીરના સિંહ, વિવિધ વિસ્તારોમાં દીપડા અને હવે વાઘની હાજરી ગુજરાતના વન્યજીવન વૈવિધ્યને વધુ સમૃદ્ધ બનાવે છે.

આ સંદર્ભે ગુજરાત સરકારે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA)ને પત્ર લખી રાજ્યમાં વાઘ સંરક્ષણ અને વસવાટ માટેની તૈયારી વિશે માહિતી આપી હતી. ત્યારબાદ NTCAની ટીમે ગુજરાતની મુલાકાત લઈ રતનમહાલ અભયારણ્યનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંની પરિસ્થિતિને વાઘ માટે અનુકૂળ ગણાવી હતી.

વન્યજીવન નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી ગુજરાતમાં પર્યટનને પણ વેગ મળશે અને વન્યજીવન સંરક્ષણ અંગે જાગૃતિ વધશે. સાથે જ, રાજ્ય સરકાર માટે વાઘ સંરક્ષણ એક નવી જવાબદારી પણ બની છે. કુલ મળીને, NTCA દ્વારા ગુજરાતને ફરી ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવું રાજ્ય માટે ગૌરવની બાબત છે અને આવનારા સમયમાં ગુજરાત વાઘ સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વૈભવ સૂર્યવંશીને મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ, રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત

0

ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી દરેક પસાર થતા દિવસ સાથે નવી ઉપલબ્ધિઓ હાંસલ કરી રહ્યો છે. માત્ર 14 વર્ષની ઉંમરમાં જ વૈભવ સૂર્યવંશી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી ચૂક્યો છે અને અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. ક્રિકેટ પીચ પર તેની નોંધપાત્ર સફળતા માટે જ તેને ભારત સરકાર તરફથી સન્માનિત કરવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશીને દેશના સૌથી મોટા બાળ પુરસ્કાર, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ એક ખાસ સમારોહમાં બિહારના આ આશાસ્પદ બેટ્સમેનને વ્યક્તિગત રીતે આ પુરસ્કાર અર્પણ કર્યો હતો.

શુક્રવાર, 26 ડિસેમ્બરના રોજ જ્યારે બિહારની ટીમ વિજય હજારે ટ્રોફીમાં તેની બીજી મેચ માટે મેદાન પર હતી, ત્યારે ટીમનો સુપરસ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં હાજર હતો. પ્રસંગ હતો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના સન્માનનો. દર વર્ષની જેમ, આ વર્ષે પણ દેશભરના ઘણા યુવાનો અને બાળકોને તેમની સિદ્ધિઓ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, કેટલાકને તેમની બહાદુરી માટે, તો કેટલાકને રમતગમત, સંગીત અથવા વિજ્ઞાનમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

બિહારના સમસ્તીપુરના રહેવાસી વૈભવને ક્રિકેટની દુનિયામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ મૂર્મુએ વૈભવને તેની સિદ્ધિઓ માટે એવોર્ડ અર્પણ કર્યો હતો, જેમાં IPLમાં સૌથી નાની ઉંમરનો ખેલાડી અને સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બનવાનો સમાવેશ થાય છે. એવોર્ડ માટે વૈભવનું નામ બોલાવાતાની સાથે જ સમગ્ર વિજ્ઞાન ભવન તાળીઓના ગડગડાટ ગુંજી ઉઠ્યો. વૈભવ નારંગી બ્લેઝર અને સફેદ કુર્તા-પાયજામો પહેરીને પહોંચ્યો હતો.

પુરસ્કાર મેળવવો એ ફક્ત તેના માટે જ નહીં, પરંતુ તેના પરિવાર માટે પણ ખૂબ ગર્વની ક્ષણ હતી, અને તેના ભાઈએ આ ક્ષણને બધા સાથે શેર કરી. વૈભવના મોટા ભાઈ ઉજ્જવલ સૂર્યવંશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વૈભવને એવોર્ડ મેળવતાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે, આ અમારા માટે ગર્વની ક્ષણ છે. આજે આપણા દેશના રાષ્ટ્રપતિ દ્વારા વૈભવને બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. આપણા રાષ્ટ્રપતિએ વૈભવની પ્રશંસા પણ કરી.’

જયપુરમાં ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો-ઈન્ટરનેટ બંધ

0

રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળ્યો હતો. મસ્જિદ સંબંધી એક વિવાદને પગલે કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક જવાનો લોહીલુહાણ થયા હતા. હિંસક બનેલી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી, જોકે ભારે જહેમત બાદ થોડા જ કલાકોમાં સ્થિતિ થાળે પડી હતી.

મળતી માહિતી મુજબ, શુક્રવાર સાંજથી જ મસ્જિદ નજીક રસ્તા પર જમા થયેલા પથ્થરો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પથ્થરો લાંબા સમયથી અવરોધરૂપ બનતા હોવાથી ત્યાં વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જોકે, આ સફાઈ કામગીરીનો સ્થાનિકોએ વિરોધ કરતા જ જોતજોતામાં ત્યાં લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું.

વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક તોફાની તત્વોએ અચાનક પોલીસ ટુકડી પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યો અને લાઠીચાર્જ કર્યો હતો. આ હિંસક અથડામણમાં અનેક પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ, અધિક પોલીસ કમિશનર ડો. રાજીવ પચાર અને મનીષ અગ્રવાલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વરિષ્ઠ અધિકારીઓએ પોતે મોરચો સંભાળીને મામલો શાંત પાડ્યો હતો.

પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચોમૂ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ડ્રોન અને સીસીટીવીથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પ્રશાસને ચોમૂમાં 26 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.