Home Blog Page 219

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં IAS અધિકારીના ઘરમાં સેક્સ રેકેટ ઝડપાયું

0

પ્રયાગરાજમાં એક IAS અધિકારીના ઘરમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. રવિવારે પોલીસ દરોડા દરમિયાન ચાર છોકરીઓ અને પાંચ છોકરાઓ આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. પોલીસે તે બધાને કસ્ટડીમાં લીધા છે અને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર ત્રણ મહિના પહેલા 15,000 રૂપિયા પ્રતિ માસના ભાડે લેવામાં આવ્યું હતું.

ઘટનાસ્થળેથી કેટલીક ગુનાહિત સામગ્રી અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. પોલીસ આ રેકેટ કેટલા સમયથી કાર્યરત છે અને તેમાં સામેલ લોકોની ઓળખની તપાસ કરી રહી છે. દરોડો કિડગંજની નવી કોલોનીમાં પડ્યો હતો.

કિડગંજની નવી કોલોનીમાં એક IAS અધિકારી બે માળનું ઘર ધરાવે છે. છેલ્લા ઘણા મહિનાઓથી, છોકરાઓ અને છોકરીઓ રાત્રે પણ ઘરમાં વારંવાર આવતા હતા. આનાથી નજીકમાં રહેતા રહેવાસીઓમાં શંકા જાગી અને રવિવારે કિડગંજ પોલીસ સ્ટેશનને જાણ કરી.

ઘટનાની જાણ થતાં, સ્ટેશન ઇન્ચાર્જ વીરેન્દ્ર સિંહ અને ACP રાજીવ યાદવે રવિવારે બપોરે 2 વાગ્યે ઘર પર દરોડો પાડ્યો. દરોડાની જાણ થતાં, અંદર રહેલા છોકરાઓ અને છોકરીઓએ દરોડો ખોલ્યો નહીં. ત્યારબાદ પોલીસે દરોડો તોડી નાખ્યો. જ્યારે પોલીસ અંદર ગઈ, ત્યારે તેમને જુદા જુદા રૂમમાં છોકરાઓ અને છોકરીઓને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા.

પોલીસને જોતાં જ, આસપાસના બધા લોકો ચાદર કે અન્ય કપડાંથી પોતાને ઢાંકવા લાગ્યા. પોલીસને રૂમમાંથી વાંધાજનક સામગ્રી પણ મળી. તેમણે બે રૂમમાંથી ચાર છોકરીઓ અને ચાર છોકરાઓની અટકાયત કરી. તેમણે ગેંગલીડરને પણ પકડી લીધો, જે બહાર બેઠો હતો અને ચોકી કરી રહ્યો હતો.

ગેંગલીડરનું નામ સર્વેશ દ્વિવેદી છે. તે પ્રયાગરાજના દરિયાબાદના અત્રાસુઇયાનો રહેવાસી છે. સર્વેશે પોલીસને જણાવ્યું, “મેં ત્રણ મહિના પહેલા એક IAS અધિકારી પાસેથી 15,000 રૂપિયા પ્રતિ માસના ભાવે ઘર ભાડે લીધું હતું. મેં મારા પરિવાર સાથે રહેવા માટે કરાર પણ કર્યો હતો.

”સ્થાનિક લોકો કહે છે કે સર્વેશે તેના પરિવારને 10-15 દિવસ માટે ઘરમાં ખસેડ્યો હતો. ત્યારબાદ, શંકાસ્પદ પ્રવૃત્તિઓ શરૂ થઈ, જેના કારણે પડોશમાં સમસ્યાઓ ઊભી થઈ. બાળકો પર પણ પ્રતિકૂળ અસર પડી રહી હતી.

શિવભક્તિનો મહાસંગમ: સુરતમાં પંડિત પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણ સાથે ‘હરિત શિવરાત્રિ’નો સંદેશ

ગુજરાતની ઔદ્યોગિક રાજધાની સુરત શહેરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ સર્જવા જઈ રહ્યો છે. સુરતના પલસાણામાં આગામી 4 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન મોટી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-4 ખાતે આયોજિત આ કથામાં પ્રખ્યાત કથાવચક પંડિત પ્રદીપ મિશ્રા (સિહોરવાળા) દ્વારા શ્રી શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ઉમટીવાની શક્યતા છે.

પંડિત પ્રદીપ મિશ્રાની કથા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ તે જીવનમાં સકારાત્મકતા અને સંસ્કારનો સંદેશ આપે છે. તેમની શિવ મહાપુરાણ કથામાં હંમેશા વિશાળ સંખ્યામાં ભક્તો હાજરી આપે છે અને ભક્તિરસમાં તણાઈ જાય છે. સુરતમાં પણ ભક્તોની સુવિધા માટે વિશાળ પંડાલ, સુવ્યવસ્થિત પાર્કિંગ તેમજ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કથા સ્થળ બારડોલી રેલવે સ્ટેશનથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું છે.

ભક્તિ સાથે પર્યાવરણનો સંદેશ: ‘હરિત શિવરાત્રિ’

આ શિવ મહાપુરાણ કથાની વિશેષતા એ છે કે તેમાં ધાર્મિક અનુષ્ઠાન સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવશે. પંડિત પ્રદીપ મિશ્રાના માર્ગદર્શન હેઠળ ભક્તોને ‘હરિત શિવરાત્રિ’નો સંકલ્પ અપાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત પ્રદૂષણ ઘટાડવા અને પ્રકૃતિના સંરક્ષણ માટે દરેક પરિવારને 12 જ્યોતિર્લિંગોના પ્રતિકરૂપે 12 વૃક્ષો રોપવાનો સંકલ્પ કરાવવામાં આવશે.

શ્રી શિવ મહાપુરાણ કથામાં “દરેક વૃક્ષમાં જીવ છે અને દરેક જીવમાં શિવ છે” જેવા ગહન વિચાર દ્વારા ભક્તોને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનવાનો સંદેશ આપવામાં આવશે. સાથે સાથે અરાવલી પર્વતમાળા જેવી પ્રાચીન કુદરતી ધરોહરોના સંરક્ષણ પર પણ વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. “વૃક્ષ લગાવો, શિવને પાવો”ના નારા સાથે ભક્તોને પ્રકૃતિ રક્ષા માટે પ્રેરિત કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર પર ઈડી બાદ ગુજરાત સરકારની કાર્યવાહી, સસ્પેન્ડ કરાયા

કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં ફસાયેલા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલ સામે મોટી કાર્યવાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા છે. EDએ ધરપકડ કરતાં રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શન ઓર્ડર બહાર પાડ્યો છે.

સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટરે સરકારી બંગલો ખાલી કરાવ્યો છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને તપાસ બાદ ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં પૂર્વ કલેક્ટરના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કલેક્ટરના બંગલે નેમ પ્લેટ બાદ સરકારી બંગલો પણ ખાલી કરવામાં આવ્યો છે. પૂર્વ કલેક્ટરનો સામાન વાહનોમાં ભરી અમદાવાદ ખાતે તેમના ફ્લેટ પર લઈ જવામાં આવ્યો હતો.

એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

કેવો કાંડ કર્યો હતો
સરકારી નીતિ-નિયમોને નેવે મૂકીને કરોડોની કિંમતની જમીનોને પાણીના ભાવે ખેતીમાંથી બિનખેતીમાં ફેરવી દેવામાં આવી હતી. રાજેન્દ્ર પટેલ જ્યારે કલેક્ટર પદે હતા. ત્યારે એક જ દિવસમાં અનેક ફાઈલો પર સહીઓ કરીને તિજોરી ભરી લેવામાં આવી હોવાના પુરાવા પણ ઈડીના હાથમાં લાગ્યા છે. એવી શંકા સેવાઈ રહી છે કે, આ નાના કર્મચારીઓએ પણ ભ્રષ્ટાચારની કમાણીમાંથી અઢળક સંપત્તિ વસાવી છે. તો અન્ય અધિકારીઓના નામ પણ ખૂલે તો નવાઈ નહિ.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહાયો સ્થિત સિનસિનાટીના ઘરમાં હુમલો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહાયો રાજ્યના સિનસિનાટીમાં આવેલા ઘરમાં હુમલો થયો છે. CNNના રિપોર્ટ અનુસાર તેમના ઘરની બારીઓ તૂટી છે. આ મામલે પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.

વેન્સના ઘર પાસે રવિવારે રાત્રે 12:15 વાગ્યે કોઈને ભાગતા જોવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે જેડી વેન્સ અને તેમનો પરિવાર ઘરમાં હાજર નહોતો. પ્રારંભિક માહિતીમાં એ પણ સામે આવ્યું છે કે કસ્ટડીમાં લેવાયેલ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસવામાં સફળ થયો ન હતો.

તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ઘટના જાણી જોઈને જેડી વેન્સ અથવા તેમના પરિવારને નિશાન બનાવીને કરવામાં આવી હતી કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે.

આ મામલે વ્હાઇટ હાઉસ અને સિક્રેટ સર્વિસ પાસેથી પણ માહિતી માંગવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

વેન્સ છેલ્લા એક અઠવાડિયાથી સિનસિનાટીમાં હતા, પરંતુ રવિવારે બપોરે શહેરથી રવાના થઈ ગયા. તેમણે ઘર પર લગભગ 14 લાખ ડોલર ખર્ચ કર્યા અને તે લગભગ 23 લાખ એકરમાં ફેલાયેલું છે.

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટની કામગીરી સ્થગિત

ઈન્કમ ટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ઈમેલ મારફતે કોર્ટના ઈમેલ પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી હતી. ઈમેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ દ્વારા કોર્ટમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. પોલીસે હાલ સાયબર ટીમોની મદદથી ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો તેની પણ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 17 ડિસેમ્બરના રોજ અમદાવાદની 8 સ્કૂલમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ત્યાર બાદ શાળામાં શિક્ષણ કાર્ય મુલતવી રાખવામાં આવ્યું હતું. જોકે તપાસમાં કઈ મળ્યું ન હતું.

ધમકીભર્યા મેલનો સિલસિલો યથાવત
ગુજરાતમાં આ પહેલા સરકારી કચેરીઓ,એરપોર્ટ,સ્કૂલો જેવા સ્થળોએ બોમ્બ કે આરડીએક્સ મૂકવામાં આવ્યા છે તેવી ધમકી આપતા મેલ અવારનવાર મળ્યા હતા. મેલ બોગસ હોવા છતાં પોલીસ દ્વારા ગંભીર નોંધ લઇને તપાસ કરવામાં આવતી હોય છે. ધમકીના મોટાભાગના મેલનું આઇપી એડ્રેસ વિદેશનું હોય છે. જેને કારણે પોલીસની તપાસમાં અડચણ આવતી હોય છે. છેલ્લે ધમકી આપનારાનો ઇરાદો માત્ર હેરાનગતિ કરવા સિવાય કોઈ નહીં હોવાનું ખૂલે છે. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળતી નથી.

મકરસંક્રાંતિ પર્વ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું: નાયલોન-ચાઈનીઝ દોરી અને મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

0

આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર સુરત ગ્રામ્યમાં કોઇ પણ વ્યકિતએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ રસ્તા/ફૂટ પાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર, પતંગ ચગાવવા વપરાતી નાયલોન, સેન્થટીક મટીરીયલ, સેન્થેટીક પદાર્થથી કોટેડ કરેલી કે નોન-બાયોગ્રેડીબલ ચાઇનીઝ દોરી મેળવવા/સંગ્રહ/વેચાણ અને પતંગ ચગાવવા પર કે કપાયેલ પતંગ/દોરી પકડવા પર, લોખંડનો પાઉડર કે કાચનો ભુકો/પાઉડર સહિતના નુકશાનકારક પદાર્થ ચઢાવી બનાવેલા દોરા મેળવવા પર, સેન્થેટીક મટીરીયલ કોટીંગ થ્રેડ ખરીદવા/સંગ્રહ/વેચાણ/ઉપયોગ/ઉત્પાદન કરવા કે તેનાથી પતંગ ચગાવવા/ઉડાવવા પર, ઓનલાઇન વેચાતા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી/ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ/ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન(તુક્કલ) વેચવા/આયાત પર, સવારના ૦૬થી ૦૮ વાગ્યા દરમિયાન પતંગ ઉડાવવા પર, રેલ્વેટ્રેક નજીક તથા ઉપરથી પતંગ ઉડાવવા પર, ચાઇનીઝ તુક્કલ ઉડાવવા/ ખરીદવા,/આયાત/વેચાણ/કબજા કે સંગ્રહ કરવા પર તેમજ લોકોને ત્રાસ થાય તે રીતે ખુબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર અને લોકોની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામું પતંગ ઉડાડવા/ચગાવવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર સહિતના કુદરતી ઘટકોની મદદથી કોટિંગ કરેલો ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતો કોટનનો સંપૂર્ણપણે તૂટી શકે તેવો, પરંપરાગત રીતે બનાવાતા તથા તમામ બાયો-ડિગ્રેડેબલ પદાર્થો વાળો માંજો તથા કોટનના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર ૧૦% કે તેથી ઓછો, જ્યારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦%, મેંદો ૩૬%, કુદરતી ગુંદર અને રંગ ૨૪% કોટેડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર, જે કોટિંગ પદાર્થનો ૧૦% હોઈ શકે છે, પરંતુ, તે કોટનના માંજાના કુલ વજનના ૦.૫% થી વધુ ન હોય તેવો કોટનનો માંજો/દોરી વાપરવા પર અમલ કરાશે નહીં. આ જાહેરનામાનો તા. ૧૬/૧/૨૦૨૬ સુધી અમલ કરાશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ઘી ખાતા પહેલા સાવધાન! સુરતમાં તબેલાની આડમાં નકલી ઘીનો કારખાનો પકડાયો

સુરત શહેરના લસકાણા વિસ્તારમાં શુદ્ધ ઘીના નામે ઝેર પીરસતા એક મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એક તબેલાની આડમાં ચાલતા આ નકલી ઘીના કારખાના પર પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો હતો, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, હાલમાં બજારમાં શુદ્ધ ઘી 1000-1200 રુપિયામાં વેચાય છે જ્યારે આ નકલી ઘી 300 રુપિયામાં વેચાતું હતું.

લસકાણા પોલીસને બાતમી મળી હતી કે લસકાણા સ્થિત આહીર સમાજની વાડી પાછળ આવેલા પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે મળીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તબેલાની આડમાં અત્યંત જોખમી રીતે નકલી ઘી બનાવવામાં આવતું હતું.

લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, લસકાણા ગામમાં આહીર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ ગંભીર માહિતીને આધારે આજે (5 જાન્યુઆરી) પોલીસે તુરંત એક્શન લીધા હતા અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પકડાયેલો આરોપી અલ્પેશ ઇશ્વરભાઇ સાંથલીયા (ઉં.વ.30, રહે. સાંઈનાથ સોસાયટી, કામરેજ ચાર રસ્તા) અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિશ્રિત કરતો હતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજનલ ઘી બનતું, તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો હતો.

મુદ્દામાલની વિગત
દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી સામાન જપ્ત કર્યો છે. જેમાં ભેળસેળયુક્ત ઘી 319.54 કિલો (કિંમત રૂ. 79,885), વેજીટેબલ/સોયાબીન ઓઈલ 856 કિલો (કિં.રૂ. 1,25,600), એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી કિં.રૂ. 6,380નો સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલ રૂ. 2,11,865નો પોલીસે જપ્ત કર્યો છે.

તો બીજી તરફ પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ, પકડાયેલો આરોપી અલ્પેશ ઇશ્વરભાઇ સાંથલીયાની ઉંમર 30 વર્ષની છે અને તે સુરતના કામરેજ પાસે આવેલ સાંઈનાથ સોસાયટીમાં રહે છે. આરોપી અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો. તે વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિક્સ કરીને નકલી ઘી તૈયાર કરતો હતો. આ ઉપરાંત કોઈને ખબર ન પડે અને સાચા ઘી જેવી જ સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ પણ ઉમેરતો હતો.

ઓઇલ મુદ્દે સહકાર નહીં અપાય તો ભારત પર ટેરિફ વધારાશેઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ધમકી

0

જો રશિયન તેલને મુદ્દે ભારત સહકાર નહીં આપે તો અમેરિકા ભારતમાંથી આવતા માલ પર ટેરિફ વધારે એવી શક્યતા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જાહેર ભાષણ દરમિયાન આ વાત કહી હતી. ટ્રંપે ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈચ્છે છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે. ટ્રંપે આ ચેતવણીને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વાતચીત સાથે જોડીને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે તેઓ ખરેખર મને ખુશ કરવા માગતા હતા. વડા પ્રધાન મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ સારી વ્યક્તિ છે. તેમને ખબર હતી કે હું ખુશ નહોતો. મને ખુશ કરવું જરૂરી હતું. તેઓ ટ્રેડ કરે છે અને અમે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ.

ટ્રંપ તરફથી આવેલી આ ટિપ્પણીઓ રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોને લઈને તણાવને ફરી એક વાર વધારી રહી છે. થોડા મહિના પહેલાં ટ્રંપે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દેશે, પરંતુ ભારતે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ટ્રંપ અને મોદી વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.

રશિયન તેલની ભારે ખરીદી માટે સજા તરીકે અમેરિકા ગયા વર્ષે ભારતીય માલના આયાત પર ટેરિફ બમણા કરીને 50 ટકા કરી દીધા હતા. બંને દેશ હાલમાં એક સંભવિત ટ્રેડ ડીલ પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી.

વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત ડિસ્કાઉન્ટેડ રશિયન સમુદ્રી કાચા તેલનો સૌથી મોટો ખરીદદાર બની ગયો. જોકે પશ્ચિમી દેશો તેનો વિરોધ કરે છે. તેમણે રશિયાના ઊર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેલમાંથી મળતી આવક રશિયાના યુદ્ધ પ્રયાસોને નાણાકીય મદદ પૂરી પાડે છે.

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતમાં મોત

ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહણનું અકસ્માતમાં મોત થયું છે. મોડી રાતે હેમાળ ગામ નજીક સિંહણ રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનએ ટક્કર મારી હતી. સિંહણને ગંભીર ઈજાઓ પહોચતા લોહીલુહાણ હાલતના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગ ઘટના સ્થળે પહોચી સિંહણનો મૃતદેહ પીએમ કરવા અર્થે કાર્યવાહી હાથ ધરી. જાફરાબાદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર રાતદિવસ સિંહ રોડ ક્રોસ કરવા દોડધામ કરે છે. દેશની શાન ગણાતા સાવજો સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં નોંધાયા છે.

અમેરિકામાં 27 વર્ષની ભારતીય યુવતીની હત્યા, 26 વર્ષનો પ્રેમી ગુમ થયાની ફરિયાદ કરી ભારત ફરાર

0

અમેરિકામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાથી લાપતા 27 વર્ષીય ભારતીય યુવતીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. 26 વર્ષનો પ્રેમી પ્રેમિકા ગુમ થયાની ફરિયાદ નોંધાવીને ભારત ભાગી આવ્યો હતો. પોલીસ મુજબ, મેરિલેન્ડના એલિસોટ સિટીમાં રહેતી નિકિતા ગોદિશાલા તેના પૂર્વ પ્રેમી અર્જુન શર્માને એપાર્ટમેન્ટમાં મૃત મળી આવી હતી. તેના શરીર પર ચપ્પુના સેંકડો નિશાન હતા. નિકિતા ડેટા અને સ્ટ્રેટેજી એનાલિસ્ટ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, યુવતીના પૂર્વ પ્રેમી અર્જુન શર્માએ તેની હત્ય કરી હતી. આ મામલે તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રેમી ગુમ થયાની ફરિયાદ કરીને ભારત ભાગી આવ્યો
અધિકારીઓ મુજબ, પ્રેમી અર્જુન શર્માએ 2 જાન્યુઆરીના રોજ પોલીસમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે, ગોદિશાલાને 31 ડિસેમ્બરે મેરીલેન્ડ શહેરમાં તેમના એપાર્ટમેન્ટમાં જોઈ હતી. 3 જાન્યુઆરીએ પોલીસે અર્જુન શર્માના એપાર્ટમેન્ટમાં સર્ચ વોરંટ આધારે દરોડો પાડ્યો ત્યારે તેણી મૃત હાલતમાં મળી આવી હતી. તેના શરીર પર ચપ્પુના અસંખ્ય ઘા હતા.

પોલીસે જણાવ્યું કે, ગોદિશાલાના લાપતા થયાની સૂચના આપ્યા બાદ અર્જુન શર્મા તે દિવસે જ ભારત ભાગી આવ્યો હતો. અર્જુને 31 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યા બાદ ગમે તે સમયે તેની હત્યા કરી હતી. હાલ હત્યાનું કારણ સામે આવ્યું નથી. હાવર્ડ કાઉન્ટી પોલીસ મુજબ, હત્યાના આરોપી પૂર્વ પ્રેમીની ભાળ મેળવવા અને ધરપકડ માટે એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

ભારતીય દૂતાવાસ ગોદિશાલાના પરિવાર સાથે સંપર્કમાં
ભારતીય દૂતાવાસે કહ્યું કે, તેઓ નિકિતા ગોદિશાલાના પરિવાર સાથે સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય કરી રહ્યા છીએ. દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે પણ આ મામલા પર નજર રાખી રહ્યું છે.