Home Blog Page 204

જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાન શહીદ

0

પહાડી વિસ્તારોમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના એક વાહન સાથે મોટી દુર્ઘટના ઘટી છે. આજે બપોરે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક અત્યંત દુખદ અકસ્માત સર્જાયો છે. ભારતીય સેનાના જવાનોને લઈ જઈ રહેલા એક વાહને અચાનક કાબૂ ગુમાવતા તે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં સેનાના 10 જેટલા જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય 7 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.

સેનાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ અકસ્માત ડોડાના પહાડી વિસ્તારમાં સર્જાયો હતો. સેનાના 17 જવાનોને બેસાડીને એક ગાડી પહાડી વિસ્તારમાં આવેલી ચેક પોસ્ટ પર જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા ગાડી 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.

દુર્ઘટના બાદ તુરંત જ સ્થાનિક લોકો અને સેનાની અન્ય ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત જવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, ઈજાગ્રસ્ત જવાનમાં ત્રણની હાલત ગંભીર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ ત્રણ જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં થયેલી આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરી ચૂક્યા છે. જેને લઈને સમગ્ર દેશમાં અને સેનાના છાવણીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પહાડી રસ્તાઓ પર બરફ અથવા લપસણી હોવાને કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને લીધે વાહન ખાઈમાં પડ્યું છે કે કેમ, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આર્મીના અધિકારીએ કહ્યું કે આ બનાવ ભદ્રવાહ-ચંબા ઈન્ટરસ્ટેટ ખાતેની ખન્ની ટોપ ખાતે બન્યો હતો. ખાઈમાં ખાબકેલી ગાડી બુલેટ પ્રુફ છે, જેમાં 17 જવાન સવાર હતા. ઊંચાઈ પરની પર્વતીય પોસ્ટ ખાતે વાહન જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવ્યો હતો, જેથી 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. આ બનાવની તપાસ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે મૃતકના પરિવારને પણ જાણ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યના રાજ્યપાલ મનોજ સિંહાએ ડોડા અકસ્માતમાં શહીદ જવાન પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. એક્સ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે સેનાના 10 બહાદુર જવાનની શહીદીથી બહુ દુખ થયું છે. દેશ તેમની શ્રેષ્ઠ સેવા અને સર્વોચ્ચ બલિદાન હંમેશા યાદ રાખશે. દરમિયાન ઘાયલ સૈનિકોને ઝડપથી એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવાની સાથે શ્રેષ્ઠ મેડિકલ સર્વિસ પૂરી પાડવાનો પ્રયાસ કરવાનું પણ જણાવ્યું છે.

પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી બાદ ભોજપુરી ગાયક સામે પોલીસ કાર્યવાહી

0

ઉત્તર પ્રદેશના વારાણસીમાં પોલીસે લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને 2025 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ નોંધાયેલા કેસના સંદર્ભમાં નોટિસ ફટકારી છે, પોલીસ અધિકારીઓએ ગુરુવારે પુષ્ટિ આપી. લંકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજકુમાર શર્માએ જણાવ્યું હતું કે નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ 2025 માં કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં તેમના પર વડા પ્રધાન વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયાના ભાગ રૂપે બુધવારે રાઠોડને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આ નોટિસ કાનૂની પ્રક્રિયાનો સખત ભાગ છે અને તે કોઈ વધારાની કે અસાધારણ કાર્યવાહી નથી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે કાયદા મુજબ આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, નેહા સિંહ રાઠોડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેણીએ દાવો કર્યો હતો કે લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશન તરફથી સમન્સ મળ્યા બાદ, વારાણસીના લંકા પોલીસ સ્ટેશનની પોલીસ પણ તેના ઘરે ગઈ હતી.

રાઠોડે પોતાની પોસ્ટમાં લખ્યું છે, “હું ઈચ્છું છું કે મને હેરાન કરવા માટે જે ખંત અને ઉતાવળ બતાવવામાં આવી રહી છે તે જ ખંત અને ઉતાવળનો ઉપયોગ પટનાની પુત્રી માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે.” તેણીએ વધુમાં ઉમેર્યું, “આ રીતે દીકરીઓનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે તે શરમજનક છે.” તેણીની ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પોલીસ અધિકારીઓએ પુનરોચ્ચાર કર્યો કે નોટિસ 2025 માં નોંધાયેલા કેસ સાથે સંબંધિત છે અને કાયદાના દાયરામાં જારી કરવામાં આવી હતી. પોલીસ કહે છે કે આ કાર્યવાહીનો હેતુ ફક્ત કાનૂની પ્રક્રિયાને આગળ વધારવાનો છે.

નેહા સિંહ રાઠોડ બીજા પણ એક કેસમાં લખનૌ પોલીસ દ્વારા તપાસનો સામનો કરી રહી છે. આ કેસ 2025માં પહેલગામ આતંકવાદી હુમલા અંગે તેમણે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ સાથે સંબંધિત છે, જેમાં જમ્મુ અને કાશ્મીરમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં 27 એપ્રિલે FIR નોંધવામાં આવી હતી, ત્યારબાદ રાઠોડે તેને કોર્ટમાં પડકાર્યો હતો. કેસની સુનાવણી બાદ, સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરીએ નેહા સિંહ રાઠોડને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. હાલમાં, બંને કેસમાં કાનૂની કાર્યવાહી ચાલુ છે.

બેંગ્લુરુ એરપોર્ટ પર ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી, સ્ટાફકર્મીની ધરપકડ

0

બેંગ્લુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિદેશી મહિલા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. અહીં એર ઈન્ડિયા એસએટીએસના ગ્રાઉન્ડ સ્ટાફકર્મી મોહમ્મદ અફ્ફાનની કોરિયન મહિલાની છેડતી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.આરોપીએ મહિલાને કથિત રીતે ફ્લાઈટ ચૂકી જવાનો ડર દેખાડ્યો અને સામાનમાં ગડબડના બહાને તેને એકાંતમાં લઈ ગયો અને તેની છેડતી કરી. એરપોર્ટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ કંપનીએ કાર્યવાહી કરતા તેને તાત્કાલિક અસરથી બરતરફ કર્યો છે.

કોરિયન મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સોમવારે 19 જાન્યુઆરીના રોજ કોરિયા જતી ફ્લાઈટમાં સવાર થવા માટે એરપોર્ટ પર હતી. ઈમિગ્રેશન તપાસ પૂર્ણ કર્યા બાદ હું ટર્મિનલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન મોહમ્મદ અફ્ફાન નામના એક પુરુષ કર્મચારીએ મારી સાથે સંપર્ક કર્યો અને મને ફ્લાઈટ ટિકિટ બતાવવા માટે કહ્યું. પછી તેણે દાવો કર્યો કે મારા ચેક-ઈન સામાનમાં કોઈ સમસ્યા છે અને તેમાંથી બીપનો અવાજ આવી રહ્યો છે.

અફ્ફાને કથિત રીતે મહિલાને કહ્યું કે, નિયમિત સ્ક્રીનિંગ કાઉન્ટર પર પાછા જવામાં સમય લાગશે અને તમે ફ્લાઈટ ચૂકી જશો. તેણે ભાર મૂકીને કહ્યું કે, તેની અલગથી તપાસ થવી જોઈએ અને તે મહિલાને પુરુષોના વોશરૂમ પાસે લઈ ગયો. મહિલાએ વાંધો ઉઠાવ્યો છતાં અફ્ફાને તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેણે કથિત રીતે તેને ગળે લગાવી અને ચાલ્યો ગયો.

આ ઘટના બાદ તરત જ મહિલાએ તેની જાણ એરપોર્ટ સુરક્ષાકર્મીઓને કરી. ત્યારબાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન અફ્ફાનની આ ઘૃણાસ્પદ હરકત જોઈ. કોરિયન મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ ચાલી રહી છે.

અમિત શાહે હરિદ્વારમાં ‘પતંજલિ ઇમરજન્સી અને ક્રિટિકલ કેર હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કર્યું

0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિદ્વારના પતંજલિ યોગપીઠ ખાતે ‘પતંજલિ ઇમરજન્સી અને ક્રિટિકલ કેર હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કર્યું. આ હોસ્પિટલ યોગ, આયુર્વેદ, પ્રાકૃતિક ચિકિત્સા અને આધુનિક તબીબી પદ્ધતિઓને એકીકૃત કરીને લોકોને વિશ્વસ્તરીય આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડશે. ઉદ્ઘાટન સમારોહમાં યોગ ગુરુ સ્વામી રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, સાંસદ ત્રિવેન્દ્ર સિંહ રાવત, શિક્ષણ મંત્રી ધન સિંહ રાવત સહિત અનેક અગ્રણી લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે પણ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું. તેમણે ઇન્ટિગ્રેટેડ મેડિસિન સિસ્ટમની આ પહેલની ખૂબ પ્રશંસા કરી.

પતંજલિ ઇમરજન્સી અને ક્રિટિકલ કેર હોસ્પિટલ હૃદય, મગજ અને કરોડરજ્જુની સર્જરી માટે સર્જરી સુવિધાઓ પ્રદાન કરે છે. તે નાગરિકોને કટોકટી અને ગંભીર બીમારીઓ માટે ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળ પૂરી પાડશે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાત્રે પતંજલિ યોગપીઠ કેમ્પસમાં રાત્રિ રોકાણ કર્યું. તેમણે યોગ ગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મહારાજ સાથે દવા, શિક્ષણ, સનાતન જીવનશૈલી અને ઋષિઓના જ્ઞાન વારસાની વૈશ્વિક માન્યતા જેવા વિષયો પર વ્યાપક ચર્ચા કરી.

ચર્ચા દરમિયાન, શાહે ભવિષ્યમાં પતંજલિ આ દિશામાં શું અગ્રણી ભૂમિકા ભજવશે તે અંગે પણ પૂછપરછ કરી. ગૃહમંત્રીના આગમનથી પતંજલિ પરિવારમાં ગૌરવ, પ્રેરણા અને નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું કહેવાય છે. પતંજલિ યોગપીઠ પરિવાર વતી, યોગ ગુરુ સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ, પતંજલિ ગુરુકુલમ અને આચાર્યકુલમના ઘણા સંતો, ભક્તો, શિષ્યો, વિદ્યાર્થીઓએ ગૃહમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને અભિનંદન પાઠવ્યા. આ કાર્યક્રમને ભારતીય પરંપરા અને આધુનિકતાના મિશ્રણને આરોગ્ય સેવાઓ સાથે મજબૂત બનાવવા તરફ એક પ્રશંસનીય પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

Breaking News: જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું, 4 જવાન શહીદ, 12 ઘાયલ

0

જમ્મુ અને કાશ્મીરના ડોડામાં એક ભયાનક ઘટના બની છે. આર્મી કેસ્પર વાહન ઉંડી ખીણમાં પડી ગયું, જેમાં 4 સૈનિકોના મોત થયા અને 12 અન્ય ઘાયલ થયા. કેસ્પર વાહન ડોડામાં ભદરવાહ-ચંબા રોડ પર મુસાફરી કરી રહ્યું હતું, જે પહેલાથી જ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. કેસ્પર વાહન લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. સૈનિકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે, અને બચાવ ટીમો ઝડપી ગતિએ કામ કરી રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે અજ્ઞાત કારણોસર વાહન રસ્તા પરથી લપસી ગયું. ઘટના બાદ તાત્કાલિક બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઘાયલ સૈનિકોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકના તબીબી કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ સૈનિકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ભોજશાળા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય: વસંત પંચમીના દિવસે પૂજા–નમાઝ માટે સમય નક્કી

0

મધ્ય પ્રદેશના ધાર શહેરમાં ઐતિહાસિક ભોજશાળા આવેલી છે. જ્યાં મુસ્લિમ સમુદાય દ્વારા દર શુક્રવારે જુમ્માની નમાઝ પઢવામાં આવે છે. આ સિવાય વસંત પંચમી જેવા દિવસ નિમિત્તે હિંદુઓ પણ અહીં ભેગા થઈને સરસ્વતી પૂજા કરતા હોય છે. પરંતુ આ વર્ષે વસંત પંચમી શુક્રવારના દિવસે આવી રહી છે. જેને લઈને મામલો ગૂંચવાયો હતો. હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ભોજશાળામાં ફક્ત હિંદુઓને સરસ્વતી પૂજા કરવાની મંજૂરી આપવાની અને મુસ્લિમ સમુદાયને નમાઝ પઢતા રોકવાની માંગ કરી હતી. આ અરજીને લઈને આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી.

ધાર શહેરમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા સરસ્વતી પૂજા અને નમાઝ પઢવાની બાબતે અવારનવાર વિવાદમાં આવતી રહી છે. જેથી વિવાદ ન સર્જાય તે માટે હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે સુનાવણી કરી હતી.

સરસ્વતી પૂજા માટે શુક્રવારે મુસ્લિમ સમુદાયને નમાઝ પઢતા રોકવાની માંગને લઈને સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, બપોરે 1થી 3 વાગ્યાની વચ્ચે નમાઝ પઢવામાં આવશે, ત્યારબાદ ભોજશાળાનું પરિસર ખાલી કરી દેવામાં આવશે. જોકે, હિંદુ પક્ષે સૂચન કરતા જણાવ્યું હતું કે, સાંજે 5 વાગ્યા બાદ નમાઝ પઢવામાં આવે. જેથી એકધારી પૂજ ચાલી શકે. હિંદુ પક્ષના આ સૂચનને લઈને મુસ્લિમ પક્ષના વકીલ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, અન્ય નમાઝોનો સમય બદલી શકાય તેમ છે, પરંતુ જુમ્માની નમાઝનો સમય બદલી શકાય તેમ નથી.

અમે 3 વાગ્યા સુધી જગ્યા ખાલી કરી દઈશુ
વકીલ સલમાન ખુર્શીદે ઉમેર્યુ હતુ કે, અગાઉ ત્રણ વખત વસંત પંચમી શુક્રવારના દિવસે આવી ચૂકી છે. ત્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે હિંદુ પક્ષને ત્રણ કલાક પૂજા કરવાની મંજૂરી આપી છે. આનું પુનરાવર્તન કરવામાં આવે. જુમ્માની નમાઝ બપોરે એકથી ત્રણ વાગ્યાની વચ્ચે થાય છે. અમે 3 વાગ્યા સુધી જગ્યા ખાલી કરી દઈશુ. અમે મીનીમમ સમયની માંગણી કરી રહ્યા છીએ અને રાજીખુશીથી સહકાર આપવા માટે તૈયાર છીએ. પૂજા બહાર પણ ચાલુ રહી શકે છે.”

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે બંને પક્ષો અનુસરી શકે તેવો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વસંત પંચમીના દિવસે હિંદુ પક્ષને ભોજશાળામાં 12 વાગ્યા સુધી પૂજા કરવા કહ્યું છે. ત્યારબાદ મુસ્લિમ પક્ષ નમાઝ પઢશે. નમાઝ પૂરી થયા બાદ 4 વાગ્યાથી હિંદુ પક્ષ ફરીથી પૂજા શરૂ કરી શકશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ખાતરી આપી છે કે, સુપ્રીમ કોર્ટના આ આદેશના પાલન સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.

છત્તીસગઢમાં એક લોખંડની ફેક્ટરીમાં ભયંક બ્લાસ્ટ, આગ લાગતા 6 લોકોના મોત, અનેક ઘાયલ

0

છત્તીસગઢના બાલોદાબજારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 કામદારોના મોત થયા છે અને 10 થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટના ભાટાપારા વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્ટીલ સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં બની હતી. આજે (ગુરુવારે) સવારે લગભગ 10 વાગ્યે ફેક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના પછી ફેક્ટરીમાં આગની જ્વાળાઓ વધવા લાગી હતી. થોડી જ વારમાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી અને આ આગમાં ઘણા કામદારો બળી ગયા હતા.

ફેક્ટરીના સ્પોન્જ આયર્ન પ્લાન્ટના કોલસાના ભઠ્ઠામાં વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટ એટલો વિનાશક હતો કે નજીકમાં કામ કરતા લોકોને બચવા માટેનો ટાઈમ પણ નહોતો મળ્યો.

ઘટનાની માહિતી મળતા જ ફાયર ફાઇટર, પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત નાજુક છે.

પોલીસે કેસ નોંધીને સત્તાવાર તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસમાં એવું જણાય છે કે વિસ્ફોટ ફેક્ટરીમાં ટેકનિકલ ખામી અથવા મશીનરીમાં દબાણ વધવાને કારણે થયો હતો. અધિકારીઓએ મૃતકોના પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવાનું વચન આપ્યું છે.

Ahemdabad: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી આપઘાત કર્યો

અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત થયું છે, જેમાં પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે, ત્યારબાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને બોડકદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત

પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, બોડકદેવ વિસ્તારમાં દંપતિનું ફાયરિંગથી મોત થતા આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા, જજીસ બંગલો ચાર રસ્તા પાસે NRI ટાવરમાં આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે અને મૃતક દંપતિના બે મહિના અગાઉ લગ્ન થયા હતા અને પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.

પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી

પરિવારમાં અન્ય સભ્યોના પણ પોલીસે નિવેદન લીધા છે અને જે પિસ્તલથી ફાયરિંગ કરવામાં આવ્યું છે તેનું લાયસન્સ છે કે નહી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમગ્ર ઘટનામાં બન્ને મૃતકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, અને એફએસેલની ટીમ પણ સ્થળ પર છે.

શહેરમાં વધુ એક હત્યા

અમદાવાદના અસલાલી વિસ્તારમાં પીરાણા રોડ ઉપર ક્રોંકીટ પ્લાન્ટમાં રૂપિયા લેતી દેતીમાં તકરાર થઇ હતી. જેમાં સહ કર્મચારીએ માથામાં ટિફીન મારતાં ગંભીર હાલતમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવાનું કામ ચાલું છે. શીલજ ગામમાં રહેતા અને કમોડ-પીરાણા રોડ ઉપર કોમનપ્લસ નામના ક્રોકીટ પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે અસલાલી પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના યોગેશકુમાર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ મોડી રાતે આરોપી અને ઉત્તર પ્રદેશના વતની અને સાથે નોકરી કરતા સુનિલકુમાર વચ્ચે ખર્ચના રૂપિયા લેવા બાબતે તકરાર થઇ હતી.

ગુજરાત પોલીસની 1,35,91 જગ્યાઓ માટે આજથી શારીરિક કસોટીનો પ્રારંભ…

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી 13591 ખાલી જગ્યાઓ માટે 10 લાખથી વધુ અરજીઓ મળી છે. જેમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પો.સ.ઇ. કેડરની 858 જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ મળી કુલ 13591 જગ્યાઓની ભરતી માટેની શારીરિક કસોટીનો આજથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરના 15 સ્થળોએ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15 શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી આજથી બોલાવવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલની મળીને કુલ 13591 ખાલી જગ્યાઓ માટે રાજ્યના 15 સ્થળોએ આજથી શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુલ 15 ગ્રાઉન્ડ પૈકી અગિયાર ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા. 21.01.2026 થી તા.13.03. 2026 સુધી તથા ચાર ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.21 .01. 2026 થી તા. 06.03.2026 સુધી શારીરિક કસોટી યોજવામાં આવશે.

જેમાં દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં 90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નજર હેઠળ કરવામાં આવશે.

આ ઉપરાંત પુરૂષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મીનીટમાં, મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મીનીટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મીનીટ 30 સેકન્ડમાં પુરી કરવાની રહેશે. જ્યારે અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 162 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 165 સે.મી. હોવી જોઇએ.

Share Market Crash: સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો, નવ લાખ કરોડનું જોરદાર ધોવાણ

0

મંગળવારે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી 50 બંનેમાં ભારે ઘટાડો થયો હતો. સેન્સેક્સ 1065.71 પોઈન્ટ 1000 points ઘટીને 82,180.47 પર બંધ થયો હતો. નિફ્ટી 50 353 પોઈન્ટ ઘટીને 25,232.50 પર બંધ થયો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં લગભગ ₹9 લાખ કરોડ ગુમાવ્યા હતા.

શેરબજારમાં સવારથી જ ઘટાડો ચાલુ હતો. સવારના સત્રમાં વેચાણનું દબાણ વધ્યું હતું અને મુખ્ય સૂચકાંકો બે મહિનાના નીચલા સ્તરે આવી ગયા હતા. માહિતી ટેકનોલોજી (IT) કંપનીઓના મિશ્ર પરિણામો અને વૈશ્વિક વેપાર અંગેની અનિશ્ચિતતા, તેમજ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે બજારની ગતિ ધીમી પડી હતી. BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું માર્કેટ કેપ ₹9 લાખ કરોડ ઘટીને ₹456 લાખ કરોડ થયું હતું. આ સતત બીજા દિવસે થયેલો ઘટાડો હતો, જે કંપનીઓના મિશ્ર પરિણામો, વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ અને વૈશ્વિક વેપાર સંબંધિત ચિંતાઓ વચ્ચે બજારની નાજુક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.

બજારમાં ઘટાડા માટે 5 કારણો

  1. આઈટી શેરોમાં ઘટાડો
    ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) શેરોમાં વેચાણ દબાણનો સૌથી વધુ પ્રભાવ પડ્યો, જેના કારણે મુખ્ય સૂચકાંકો બે મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયા. નિફ્ટી આઇટી ઈન્ડેક્સ 2% ઘટ્યો અને દિવસનો સૌથી ખરાબ પ્રદર્શન કરતું ક્ષેત્ર રહ્યું. આ ક્ષેત્રના બધા શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વિપ્રોના શેર લગભગ ૩% ઘટ્યા. LTIMindtreeના શેર લગભગ 6% ઘટ્યા. કંપનીએ ત્રિમાસિક નફામાં ઘટાડો નોંધાવ્યો, જે તેણે નવા શ્રમ કાયદાઓની એક વખતની અસરને આભારી છે.
  2. વૈશ્વિક અનિશ્ચિતતા અને ટેરિફ
    વૈશ્વિક અનિશ્ચિતતા અને ટેરિફને કારણે વિશ્વભરના બજારોમાં પણ ઘટાડો થયો હતો. આનાથી ભારતીય બજાર પર પણ દબાણ આવ્યું. જાપાન સિવાય MSCI ના એશિયા-પેસિફિક શેરનો સૌથી વ્યાપક સૂચકાંક 0.3% ઘટ્યો. આ ઘટાડો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આઠ EU સભ્ય દેશો પર નવા ટેરિફ લાદવાની ધમકી આપ્યા પછી આવ્યો હતો. યુએસના આ પગલાને ગ્રીનલેન્ડ પર વધુ નિયંત્રણ મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેને રોકાણકારો યુએસ અને યુરોપ વચ્ચેના વેપાર સંબંધોમાં નવી તિરાડ તરીકે જોઈ રહ્યા છે.
  3. વિદેશી રોકાણકારોની વેચવાલી
    વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ના સતત દસમા સત્રમાં ઈક્વિટીના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા. 19 જાન્યુઆરીના રોજ FIIs એ આશરે ₹3,263 કરોડના શેર વેચ્યા, જે વૈશ્વિક વેપાર અને ભૂ-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે તેમની સાવચેતી દર્શાવે છે.
  4. સલામત સંપત્તિ તરફ સ્થળાંતર
    કિંમતી ધાતુઓમાં તીવ્ર વધારો વૈશ્વિક બજારોમાં વધતા જોખમ પ્રત્યેનો અણગમો દર્શાવે છે. વેપાર તણાવ વધતાં રોકાણકારો સલામત સંપત્તિ તરફ વળ્યા હતા. મંગળવારે સોનું પહેલી વાર ઔંસ દીઠ $4,700 ને પાર કરી ગયું હતું, જ્યારે ચાંદી રેકોર્ડ ઊંચાઈની નજીક રહી. ટ્રમ્પ દ્વારા યુરોપિયન સાથીઓ પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપ્યા પછી આ બન્યું હતું. જેનાથી વૈશ્વિક ભાવના વધુ ખરાબ થઈ ગઈ હતી.
  5. ટેકનિકલ સૂચકાંકો
    ટેકનિકલ સૂચકાંકો સૂચવે છે કે નજીકના ગાળામાં મુખ્ય સૂચકાંકોને થોડો ટેકો મળ્યો હોવા છતાં એકંદર બજાર માળખું નબળું રહે છે. વિશ્લેષકોએ મુખ્ય સ્તરો પ્રકાશિત કર્યા છે જે નક્કી કરી શકે છે કે તાજેતરનો ઘટાડો સ્થિર થશે કે વધુ ઊંડો થશે.