Home Blog Page 203

ભોજશાળા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય: વસંત પંચમીના દિવસે પૂજા–નમાઝ માટે સમય નક્કી

0

મધ્ય પ્રદેશના ધાર શહેરમાં ઐતિહાસિક ભોજશાળા આવેલી છે. જ્યાં મુસ્લિમ સમુદાય દ્વારા દર શુક્રવારે જુમ્માની નમાઝ પઢવામાં આવે છે. આ સિવાય વસંત પંચમી જેવા દિવસ નિમિત્તે હિંદુઓ પણ અહીં ભેગા થઈને સરસ્વતી પૂજા કરતા હોય છે. પરંતુ આ વર્ષે વસંત પંચમી શુક્રવારના દિવસે આવી રહી છે. જેને લઈને મામલો ગૂંચવાયો હતો. હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ભોજશાળામાં ફક્ત હિંદુઓને સરસ્વતી પૂજા કરવાની મંજૂરી આપવાની અને મુસ્લિમ સમુદાયને નમાઝ પઢતા રોકવાની માંગ કરી હતી. આ અરજીને લઈને આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી.

ધાર શહેરમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા સરસ્વતી પૂજા અને નમાઝ પઢવાની બાબતે અવારનવાર વિવાદમાં આવતી રહી છે. જેથી વિવાદ ન સર્જાય તે માટે હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે સુનાવણી કરી હતી.

સરસ્વતી પૂજા માટે શુક્રવારે મુસ્લિમ સમુદાયને નમાઝ પઢતા રોકવાની માંગને લઈને સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, બપોરે 1થી 3 વાગ્યાની વચ્ચે નમાઝ પઢવામાં આવશે, ત્યારબાદ ભોજશાળાનું પરિસર ખાલી કરી દેવામાં આવશે. જોકે, હિંદુ પક્ષે સૂચન કરતા જણાવ્યું હતું કે, સાંજે 5 વાગ્યા બાદ નમાઝ પઢવામાં આવે. જેથી એકધારી પૂજ ચાલી શકે. હિંદુ પક્ષના આ સૂચનને લઈને મુસ્લિમ પક્ષના વકીલ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે, અન્ય નમાઝોનો સમય બદલી શકાય તેમ છે, પરંતુ જુમ્માની નમાઝનો સમય બદલી શકાય તેમ નથી.

અમે 3 વાગ્યા સુધી જગ્યા ખાલી કરી દઈશુ
વકીલ સલમાન ખુર્શીદે ઉમેર્યુ હતુ કે, અગાઉ ત્રણ વખત વસંત પંચમી શુક્રવારના દિવસે આવી ચૂકી છે. ત્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે હિંદુ પક્ષને ત્રણ કલાક પૂજા કરવાની મંજૂરી આપી છે. આનું પુનરાવર્તન કરવામાં આવે. જુમ્માની નમાઝ બપોરે એકથી ત્રણ વાગ્યાની વચ્ચે થાય છે. અમે 3 વાગ્યા સુધી જગ્યા ખાલી કરી દઈશુ. અમે મીનીમમ સમયની માંગણી કરી રહ્યા છીએ અને રાજીખુશીથી સહકાર આપવા માટે તૈયાર છીએ. પૂજા બહાર પણ ચાલુ રહી શકે છે.”

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે બંને પક્ષો અનુસરી શકે તેવો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વસંત પંચમીના દિવસે હિંદુ પક્ષને ભોજશાળામાં 12 વાગ્યા સુધી પૂજા કરવા કહ્યું છે. ત્યારબાદ મુસ્લિમ પક્ષ નમાઝ પઢશે. નમાઝ પૂરી થયા બાદ 4 વાગ્યાથી હિંદુ પક્ષ ફરીથી પૂજા શરૂ કરી શકશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ખાતરી આપી છે કે, સુપ્રીમ કોર્ટના આ આદેશના પાલન સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.

છત્તીસગઢમાં એક લોખંડની ફેક્ટરીમાં ભયંક બ્લાસ્ટ, આગ લાગતા 6 લોકોના મોત, અનેક ઘાયલ

0

છત્તીસગઢના બાલોદાબજારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 કામદારોના મોત થયા છે અને 10 થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટના ભાટાપારા વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્ટીલ સ્પોન્જ આયર્ન ફેક્ટરીમાં બની હતી. આજે (ગુરુવારે) સવારે લગભગ 10 વાગ્યે ફેક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના પછી ફેક્ટરીમાં આગની જ્વાળાઓ વધવા લાગી હતી. થોડી જ વારમાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી અને આ આગમાં ઘણા કામદારો બળી ગયા હતા.

ફેક્ટરીના સ્પોન્જ આયર્ન પ્લાન્ટના કોલસાના ભઠ્ઠામાં વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટ એટલો વિનાશક હતો કે નજીકમાં કામ કરતા લોકોને બચવા માટેનો ટાઈમ પણ નહોતો મળ્યો.

ઘટનાની માહિતી મળતા જ ફાયર ફાઇટર, પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત નાજુક છે.

પોલીસે કેસ નોંધીને સત્તાવાર તપાસ શરૂ કરી છે. પ્રારંભિક તપાસમાં એવું જણાય છે કે વિસ્ફોટ ફેક્ટરીમાં ટેકનિકલ ખામી અથવા મશીનરીમાં દબાણ વધવાને કારણે થયો હતો. અધિકારીઓએ મૃતકોના પરિવારોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવાનું વચન આપ્યું છે.

Ahemdabad: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી આપઘાત કર્યો

અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત થયું છે, જેમાં પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે, ત્યારબાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને બોડકદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત

પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, બોડકદેવ વિસ્તારમાં દંપતિનું ફાયરિંગથી મોત થતા આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા, જજીસ બંગલો ચાર રસ્તા પાસે NRI ટાવરમાં આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે અને મૃતક દંપતિના બે મહિના અગાઉ લગ્ન થયા હતા અને પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.

પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી

પરિવારમાં અન્ય સભ્યોના પણ પોલીસે નિવેદન લીધા છે અને જે પિસ્તલથી ફાયરિંગ કરવામાં આવ્યું છે તેનું લાયસન્સ છે કે નહી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમગ્ર ઘટનામાં બન્ને મૃતકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, અને એફએસેલની ટીમ પણ સ્થળ પર છે.

શહેરમાં વધુ એક હત્યા

અમદાવાદના અસલાલી વિસ્તારમાં પીરાણા રોડ ઉપર ક્રોંકીટ પ્લાન્ટમાં રૂપિયા લેતી દેતીમાં તકરાર થઇ હતી. જેમાં સહ કર્મચારીએ માથામાં ટિફીન મારતાં ગંભીર હાલતમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવાનું કામ ચાલું છે. શીલજ ગામમાં રહેતા અને કમોડ-પીરાણા રોડ ઉપર કોમનપ્લસ નામના ક્રોકીટ પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે અસલાલી પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના યોગેશકુમાર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ મોડી રાતે આરોપી અને ઉત્તર પ્રદેશના વતની અને સાથે નોકરી કરતા સુનિલકુમાર વચ્ચે ખર્ચના રૂપિયા લેવા બાબતે તકરાર થઇ હતી.

ગુજરાત પોલીસની 1,35,91 જગ્યાઓ માટે આજથી શારીરિક કસોટીનો પ્રારંભ…

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલી 13591 ખાલી જગ્યાઓ માટે 10 લાખથી વધુ અરજીઓ મળી છે. જેમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પો.સ.ઇ. કેડરની 858 જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ મળી કુલ 13591 જગ્યાઓની ભરતી માટેની શારીરિક કસોટીનો આજથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરના 15 સ્થળોએ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉમેદવારોને રાજયના નિર્ધારીત 15 શહેર/જીલ્લા/SRP જુથ/તાલીમ કેન્દ્રના પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી આજથી બોલાવવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલની મળીને કુલ 13591 ખાલી જગ્યાઓ માટે રાજ્યના 15 સ્થળોએ આજથી શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુલ 15 ગ્રાઉન્ડ પૈકી અગિયાર ગ્રાઉન્ડ ખાતે પુરૂષ ઉમેદવારોની તા. 21.01.2026 થી તા.13.03. 2026 સુધી તથા ચાર ગ્રાઉન્ડ ખાતે મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારોની તા.21 .01. 2026 થી તા. 06.03.2026 સુધી શારીરિક કસોટી યોજવામાં આવશે.

જેમાં દરેક ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક / પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી અને તેઓની સાથે મદદમાં 90 કરતા વધુ પોલીસ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત દરેક ગ્રાઉન્ડ ના સુપરવિઝન અધિકારી તરીકે DIGP/IGP કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. શારીરિક કસોટીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. શારીરિક કસોટીની તમામ પ્રક્રિયા CCTV કેમેરાની નજર હેઠળ કરવામાં આવશે.

આ ઉપરાંત પુરૂષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ 25 મીનીટમાં, મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મીનીટ 30 સેકન્ડમાં અને માજી સૈનિક ઉમેદવારોએ 2400 મીટરની દોડ 12 મીનીટ 30 સેકન્ડમાં પુરી કરવાની રહેશે. જ્યારે અનુસુચિત જનજાતિ(ST)ના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 162 સે.મી. અને અનુસુચિત જનજાતિ(ST) સિવાયના પુરૂષ ઉમેદવારની ઉંચાઇ 165 સે.મી. હોવી જોઇએ.

Share Market Crash: સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો, નવ લાખ કરોડનું જોરદાર ધોવાણ

0

મંગળવારે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ અને નિફ્ટી 50 બંનેમાં ભારે ઘટાડો થયો હતો. સેન્સેક્સ 1065.71 પોઈન્ટ 1000 points ઘટીને 82,180.47 પર બંધ થયો હતો. નિફ્ટી 50 353 પોઈન્ટ ઘટીને 25,232.50 પર બંધ થયો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોએ એક જ દિવસમાં લગભગ ₹9 લાખ કરોડ ગુમાવ્યા હતા.

શેરબજારમાં સવારથી જ ઘટાડો ચાલુ હતો. સવારના સત્રમાં વેચાણનું દબાણ વધ્યું હતું અને મુખ્ય સૂચકાંકો બે મહિનાના નીચલા સ્તરે આવી ગયા હતા. માહિતી ટેકનોલોજી (IT) કંપનીઓના મિશ્ર પરિણામો અને વૈશ્વિક વેપાર અંગેની અનિશ્ચિતતા, તેમજ વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે બજારની ગતિ ધીમી પડી હતી. BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું માર્કેટ કેપ ₹9 લાખ કરોડ ઘટીને ₹456 લાખ કરોડ થયું હતું. આ સતત બીજા દિવસે થયેલો ઘટાડો હતો, જે કંપનીઓના મિશ્ર પરિણામો, વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ અને વૈશ્વિક વેપાર સંબંધિત ચિંતાઓ વચ્ચે બજારની નાજુક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.

બજારમાં ઘટાડા માટે 5 કારણો

  1. આઈટી શેરોમાં ઘટાડો
    ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) શેરોમાં વેચાણ દબાણનો સૌથી વધુ પ્રભાવ પડ્યો, જેના કારણે મુખ્ય સૂચકાંકો બે મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયા. નિફ્ટી આઇટી ઈન્ડેક્સ 2% ઘટ્યો અને દિવસનો સૌથી ખરાબ પ્રદર્શન કરતું ક્ષેત્ર રહ્યું. આ ક્ષેત્રના બધા શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. વિપ્રોના શેર લગભગ ૩% ઘટ્યા. LTIMindtreeના શેર લગભગ 6% ઘટ્યા. કંપનીએ ત્રિમાસિક નફામાં ઘટાડો નોંધાવ્યો, જે તેણે નવા શ્રમ કાયદાઓની એક વખતની અસરને આભારી છે.
  2. વૈશ્વિક અનિશ્ચિતતા અને ટેરિફ
    વૈશ્વિક અનિશ્ચિતતા અને ટેરિફને કારણે વિશ્વભરના બજારોમાં પણ ઘટાડો થયો હતો. આનાથી ભારતીય બજાર પર પણ દબાણ આવ્યું. જાપાન સિવાય MSCI ના એશિયા-પેસિફિક શેરનો સૌથી વ્યાપક સૂચકાંક 0.3% ઘટ્યો. આ ઘટાડો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આઠ EU સભ્ય દેશો પર નવા ટેરિફ લાદવાની ધમકી આપ્યા પછી આવ્યો હતો. યુએસના આ પગલાને ગ્રીનલેન્ડ પર વધુ નિયંત્રણ મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેને રોકાણકારો યુએસ અને યુરોપ વચ્ચેના વેપાર સંબંધોમાં નવી તિરાડ તરીકે જોઈ રહ્યા છે.
  3. વિદેશી રોકાણકારોની વેચવાલી
    વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ના સતત દસમા સત્રમાં ઈક્વિટીના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા. 19 જાન્યુઆરીના રોજ FIIs એ આશરે ₹3,263 કરોડના શેર વેચ્યા, જે વૈશ્વિક વેપાર અને ભૂ-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે તેમની સાવચેતી દર્શાવે છે.
  4. સલામત સંપત્તિ તરફ સ્થળાંતર
    કિંમતી ધાતુઓમાં તીવ્ર વધારો વૈશ્વિક બજારોમાં વધતા જોખમ પ્રત્યેનો અણગમો દર્શાવે છે. વેપાર તણાવ વધતાં રોકાણકારો સલામત સંપત્તિ તરફ વળ્યા હતા. મંગળવારે સોનું પહેલી વાર ઔંસ દીઠ $4,700 ને પાર કરી ગયું હતું, જ્યારે ચાંદી રેકોર્ડ ઊંચાઈની નજીક રહી. ટ્રમ્પ દ્વારા યુરોપિયન સાથીઓ પર વધારાના ટેરિફ લાદવાની ધમકી આપ્યા પછી આ બન્યું હતું. જેનાથી વૈશ્વિક ભાવના વધુ ખરાબ થઈ ગઈ હતી.
  5. ટેકનિકલ સૂચકાંકો
    ટેકનિકલ સૂચકાંકો સૂચવે છે કે નજીકના ગાળામાં મુખ્ય સૂચકાંકોને થોડો ટેકો મળ્યો હોવા છતાં એકંદર બજાર માળખું નબળું રહે છે. વિશ્લેષકોએ મુખ્ય સ્તરો પ્રકાશિત કર્યા છે જે નક્કી કરી શકે છે કે તાજેતરનો ઘટાડો સ્થિર થશે કે વધુ ઊંડો થશે.

નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

0

ભારતીય જનતા પાર્ટીને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા છે. વરિષ્ઠ નેતા નીતિન નબીને સત્તાવાર રીતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. નીતિન નબીને ભાજપના 12મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે શપથ લીધા છે.

પાર્ટીની આંતરિક ચૂંટણીમાં 37 ઉમેદવારી પત્રો સાથે નીતિન નવીન બિનહરીફ ચૂંટાયા હતાં. 45 વર્ષીય નીતિન નબીને જગત પ્રકાશ નડ્ડાનું સ્થાન લીધું છે, તેઓ ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. વડાપ્રધાન મોદી અને જેપી નડ્ડાએ તેમને અભિનંદન પાઠવ્યા. નીતિન નવીનને ‘Z’ કેટેગરીની CRPF સિક્યોરિટી આપવામાં આવી છે.

ભાજપ મુખ્યાલયમાં તેમના સમારોહ દરમિયાન વડા પ્રધાન મોદી, જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતાં.

વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા:
નીતિન નબીને પદભાર સાંભળ્યા બાદ સમારોહમાં હાજર વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું, “વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ ભાજપના અધ્યક્ષ બનવા બદલ હું નીતિન નબીનને અભિનંદન પાઠવું છું. પક્ષને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ હું ભાજપના તમામ ભૂતપૂર્વ અધ્યક્ષોનો આભાર માનું છું.”

નીતિન નવીન પર મોટી જવાબદારીઓ:
આ વર્ષે અને આગામી વર્ષે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાન સભા ચૂંટણી યોજાવાની છે અને વર્ષ 2029માં લોકસભા ચૂંટણી યોજાવાની છે, એવામાં નીતિન નવીન પર પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવવા અને ચૂંટણીઓ માટે રણનીતિ બનાવવાની મોટી જવબદારીઓ હશે.

ભાજપમાં નીતિન નબીનની છબી એક મહેનતુ અને રાજકીય રીતે જિજ્ઞાસુ વ્યક્તિ તરીકેની છે. તેઓ લોકો સાથે સતત સંપર્કમાં રહેતા માણસ છે. તેમને ‘સમન્વય’ના માણસ તરીકે ઓળખવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકીઓ સામે કાર્યવાહી ત્રીજા દિવસે યથાવત

0

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં મંગળવારે આતંકવાદ વિરોધી કાર્યવાહી ત્રીજા દિવસે પ્રવેશી. કેટલાક સ્થાનિક લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના ચતરૂ વિસ્તારના મંડલ-સિંહપોરાના સોન્નાર ગામમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલી રહી હતી. રવિવારે સુરક્ષા દળો સાથેના પ્રારંભિક સંપર્કમાં આતંકવાદીઓએ સંયુક્ત દળોની ટીમ પર ગોળીબાર કર્યા બાદ એક સેનાના પેરાટ્રૂપરનું મોત થયું હતું. તે એન્કાઉન્ટરમાં અન્ય સાત સૈનિકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

“આતંકવાદીઓ જંગલ વિસ્તારમાં ભાગી ગયા હતા, પરંતુ તેમના સુરક્ષિત છુપાયેલા સ્થાન, ખાદ્ય પદાર્થો, ધાબળા અને વાસણો સહિત શિયાળાના મોટા જથ્થાથી ભરેલા, ભાંગી પડ્યા હતા,” અધિકારીઓએ જણાવ્યું. વરિષ્ઠ અધિકારીઓ, આઈ.જી.પી. જમ્મુ ઝોન ભીમ સેન તુતી અને આઈ.જી. સી.આર.પી.એફ. જમ્મુ આર. ગોપાલ કૃષ્ણ રાવ પણ એન્કાઉન્ટર સ્થળે પહોંચ્યા હતા અને ઓપરેશનનું નિરીક્ષણ કરવા માટે ઘણા સૈન્ય અધિકારીઓ સાથે ત્યાં કેમ્પિંગ કરી રહ્યા છે. આજે સવારે શહીદ સ્પેશિયલ ફોર્સ કમાન્ડો, હવાલદાર ગજેન્દ્ર સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સતવારીમાં પુષ્પાંજલિ અર્પણ સમારોહનું નેતૃત્વ વ્હાઇટ નાઈટ કોર્પ્સના કાર્યકારી ચીફ ઓફ સ્ટાફ બ્રિગેડિયર યુદ્ધવીર સિંહ સેખોન દ્વારા કરવામાં આવ્યું હતું અને બાદમાં, મૃતકોના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે ઉત્તરાખંડમાં તેમના વતન મોકલવામાં આવ્યા હતા. ડીઆઈજી જમ્મુ-કઠુઆ-સાંબા રેન્જ, શિવ કુમાર શર્મા, જમ્મુના ડેપ્યુટી કમિશનર રાકેશ મિન્હાસ અને ઘણા પોલીસ, સીઆરપીએફ અને બીએસએફ અધિકારીઓ પણ પુષ્પાંજલિ અર્પણ સમારોહમાં હાજર રહ્યા હતા. સોમવારે બપોરે, 12,000 ફૂટથી વધુ ઊંચાઈએ સ્થિત ગુપ્તચર સ્થળને તોડી પાડવાના સંદર્ભમાં કેટલાક વ્યક્તિઓને પૂછપરછ માટે લેવામાં આવ્યા હતા.

સુરક્ષા દળો એવા ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે જેમણે આતંકવાદીઓને મોટી માત્રામાં રાશન, કઠોળ, વાસણો અને અન્ય પુરવઠો મેળવવા અને પરિવહન કરવામાં મદદ કરી હતી, જે શિયાળાના મહિનાઓ દરમિયાન ઓછામાં ઓછા ચાર વ્યક્તિઓ માટે ભરણપોષણ પૂરું પાડવા માટે પૂરતા હતા.

સોમવારે X પર એક પોસ્ટમાં, આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સે જણાવ્યું હતું કે ચતરૂમાં ઓપરેશન ત્રશી-I ચાલુ છે. “સર્ચ ઓપરેશનનો વિસ્તાર કરીને ઘેરાબંધી વધુ કડક કરવામાં આવી છે. પોલીસ અને CRPF સાથે કોર્પ્સના સૈનિકો, વિસ્તાર પર પ્રભુત્વ મેળવવા માટે તૈનાત છે,” સેનાએ જણાવ્યું હતું.

અધિકારીએ વધુમાં નોંધ્યું હતું કે ડ્રોન અને સ્નિફર ડોગ્સ દ્વારા સમર્થિત આર્મી, પોલીસ અને અર્ધલશ્કરી દળોની અનેક ટીમો, ગાઢ વનસ્પતિ અને ઢોળાવવાળા પડકારજનક ભૂપ્રદેશ હોવા છતાં, દૃશ્યતા અને હિલચાલને મર્યાદિત કરતી હોવા છતાં, આ વિસ્તારમાં કોમ્બિંગ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા બે થી ત્રણ આતંકવાદીઓનું જૂથ આ વિસ્તારમાં ફસાયેલું હોવાનું માનવામાં આવે છે.

આ એન્કાઉન્ટર આ વર્ષે જમ્મુ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેનો ત્રીજો સંઘર્ષ છે. અગાઉ કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારમાં આવેલા કહોગ અને નજોટે જંગલોમાં અનુક્રમે 7 અને 13 જાન્યુઆરીના રોજ એન્કાઉન્ટર થયા હતા. ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ, ઉધમપુર જિલ્લાના મજલતા વિસ્તારના સોન ગામમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા. આતંકવાદીઓ ગાઢ પાંદડા અને અંધારાનો લાભ લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં જમ્મુ પ્રદેશના જંગલ પટ્ટામાં લગભગ ત્રણ ડઝન છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે શરૂ કરાયેલા મોટા આતંકવાદ વિરોધી ઓપરેશન બાદ આ એન્કાઉન્ટર થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ દ્વારા આ પ્રદેશમાં વધુ આતંકવાદીઓને ધકેલવાના ભયાવહ પ્રયાસો અંગે ગુપ્ત માહિતી વચ્ચે, શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે પ્રજાસત્તાક દિવસ પહેલા કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી છે.

કઠુઆ, પૂંછ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા, ઉધમપુર અને રિયાસી સહિત જમ્મુ વિભાગના પર્વતીય જિલ્લાઓ સુરક્ષા દળોના સ્કેનર પર છે, કારણ કે ગુપ્તચર અહેવાલો અનુસાર પાકિસ્તાની આતંકવાદીઓ આ જિલ્લાઓના ખૂબ જ જંગલવાળા પર્વતીય પ્રદેશમાં ઘૂસી રહ્યા છે. ઘણી વખત, સંયુક્ત દળોએ કઠુઆ, ઉધમપુર અને અન્ય જિલ્લાઓમાં આતંકવાદીઓ સાથે સતત એન્કાઉન્ટર કર્યા છે, પરંતુ કોઈક રીતે આતંકવાદીઓ ઘેરાયેલા વિસ્તારમાંથી ભાગી જવામાં સફળ રહ્યા, રાત્રિ દરમિયાન ગીચ જંગલો અને અંધારામાં છટકી ગયા.

8 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં જમ્મુ-કાશ્મીર પર યોજાયેલી ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં, જમ્મુ વિભાગના પહાડી જિલ્લાઓમાં આતંકવાદીઓની હાજરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

અમિત શાહે સ્પષ્ટ આદેશો આપ્યા હતા કે પર્વતીય વિસ્તારોમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે સંકલિત, સતત અને ગુપ્તચર આધારભૂત કામગીરી હાથ ધરવામાં આવે અને જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પારથી આતંકવાદીઓની શૂન્ય ઘૂસણખોરી સુનિશ્ચિત કરવામાં આવે. LoC 740 કિમી લાંબી છે, અને જમ્મુ અને કાશ્મીરમાં IB 240 કિમી લાંબી છે. સેના LoC ની રક્ષા કરે છે જ્યારે Border Security Force (BSF) IB ની રક્ષા કરે છે. LoC ખીણના બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા જિલ્લામાં અને અંશતઃ જમ્મુ જિલ્લામાં સ્થિત છે. IB જમ્મુ વિભાગના સાંબા, કઠુઆ અને જમ્મુ જિલ્લામાં સ્થિત છે.

મહીસાગર: ₹123 કરોડના નળ સે જળ કૌભાંડ કેસમાં 4 કર્મચારીઓની ધરપકડ

મહીસાગરમાં ₹123 કરોડના નળ સે જળ કૌભાંડ કેસમાં CID ક્રાઈમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા મળી. વાસ્મોની મહીસાગર કચેરીએ કામ કરતાં 4 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. 4 કર્મચારી પાસે 4 અલગ-અલગ તાલુકાઓનો ચાર્જ હતો. સોશિયલ કર્મચારી તરીકે ફરજ નિભાવતા હતા. સરપંચો પાસેથી કોરા લેટરપેડ લઈ ફંડની માગણી, ખોટી સહી કર્યાનો આરોપ છે. સમગ્ર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ થઇ છે.

કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

0

કર્ણાટકના ડીજીપી અને વરિષ્ઠ આઈપીએસ અધિકારી રામચંદ્ર રાવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો કથિત વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રામચંદ્ર રાવ કર્ણાટકમાં ડીજીપી (સિવિલ રાઈટ્સ એન્ફોર્સમેન્ટ) ના પદ પર તૈનાત હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં રામચંદ્ર રાવને અલગ અલગ મહિલાઓ સાથે અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવતા જ હડકંપ મચ્યો હતો. મામલાની ગંભીરતાને જોતા રાજ્ય સરકારે તાત્કાલિક રાવને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. રાવ ગત વર્ષે ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ઝડપાયેલી એકટ્રેસ રાન્યા રાવના પિતા છે.

જોકે રામચંદ્ર રાવે કહ્યું કે, આ વીડિયો બોગસ છે. કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરના ઘરની બહાર મીડિયા સાથે વાત કરતા રાવે કહ્યું, હું હેરાન છું. આ વીડિયો સાથે મારે કોઈ લેવા દેવા નથી. આજના સમયમાં કોઈનો પણ આવો વીડિયો બનાવી શકાય છે અને આ મારી છબી ખરાબ કરવાનું કાવતરું છે.

DGPનો બચાવ: ‘વીડિયો નકલી, આ ષડયંત્ર છે’
જોકે, 1993 બેચના આ IPS અધિકારી રામચંદ્ર રાવે આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને તેને મનઘડંત અને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું, “હું સ્તબ્ધ છું. આ બધું મનઘડંત અને ખોટું છે. વીડિયો સંપૂર્ણપણે નકલી છે.” તેમણે વધુમાં કહ્યું કે આ વીડિયો કદાચ આઠ વર્ષ જૂનો હોઈ શકે છે, જ્યારે તેઓ બેલગાવીમાં તૈનાત હતા. તેમણે આને પોતાની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સસ્પેન્ડ કરવામાં આવેલા આઈપીએસ રામચંદ્ર રાવ એક્ટ્રેસ રાન્યા રાવના પિતા છે. રાન્યા રાવની ગત વર્ષે ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. માર્ચ 2025માં તે દુબઈથી પરત ફરી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 14.8 કિલો સોનાની પેસ્ટ મેળી હતી. ધરપકડ બાદ એજન્સીઓ દ્વારા બેંગ્લુરુના લવેલ રોડ સ્થિત દરોડા પાડ્યા હતા અને ત્યાંથી પણ મોટી માત્રામાં સંપત્તિ મળી હતી.

અમદાવાદમાં SG હાઈવે પર AMTS બસમાં ભીષણ આગ, આગનું કારણ અકબંધ

અમદાવાદના એસજી હાઈવે પર AMTSની એક બસમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં થોડી જ મિનિટોમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના દ્રશ્યોમાં કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાતા જોવા મળ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વહેલી સવારનો સમય હોવાને કારણે બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હતી અને ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગની ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ ઘટનાએ શહેરી પરિવહનની સુરક્ષા અને બસોની જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બસ ગરમ થવા કે સ્પાર્ક થવાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોય છે, પરંતુ જ્યારે હાડ થીજવતી ઠંડી હોય અને વહેલી સવારે જ બસમાં આગ લાગે ત્યારે તે ટેકનિકલ ખામી તરફ સ્પષ્ટપણે ઇશારો કરે છે. આ બાબતની તપાસ થવી અનિવાર્ય છે કે બસના નિર્માણમાં કોઈ કંપની સ્તરે ફોલ્ટ છે કે કેમ કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવતી બસો ખાસ કરીને ઇલેક્ટ્રિક બસોમાં જો આવા બનાવો બને તો તેની જવાબદારી ઉત્પાદક કંપનીની બને છે?.

આ પ્રકારે અવારનવાર ઠંડી કે ચોમાસાની ઋતુમાં પણ બસોમાં આગ લાગવાની ઘટનાઓ બને છે, જે તપાસનો વિષય છે. જોકે કોર્પોરેશનના અધિકારીઓ માત્ર નવી બસોનો ઓર્ડર આપવામાં રસ ધરાવે છે, પરંતુ આવા બનાવોના મૂળ કારણ સુધી પહોંચીને તપાસ કરવામાં આજ દિન સુધી કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી. જો આ બસમાં વધુ સંખ્યામાં મુસાફરો સવાર હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, જે એક ગંભીર ચિંતાનો વિષય છે.

અધિકારીઓ આવી ઘટનાઓ બને ત્યારે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરવામાં આળસ દાખવે છે અને નીચેના સ્તરના કર્મચારીઓ પર બધું છોડી દે છે. હાલના તબક્કે બસને ઘટનાસ્થળેથી ખસેડીને ડેપોમાં મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ ઘટનાના કારણોની સ્થળ પર જ તપાસ થવી જોઈએ. કંપનીના જવાબદાર કર્મચારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓએ ટેકનિકલ નિષ્ણાતો સાથે ઘટનાસ્થળે હાજર રહીને આગ લાગવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આમ કરવાથી ભવિષ્યમાં આવા બનાવોને ટાળી શકાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આવા બનાવો ટાળવામાં રસ ન હોવાને કારણે જ માત્ર નવી બસોનો ઓર્ડર અપાય છે, પરંતુ કઈ કંપનીની બસોમાં આવી ઘટનાઓ બને છે તેની દરકાર કોઈ લેતું નથી. આ ઘટનાએ બસોની જાળવણી, ટેકનિકલ ખામીઓ અને તંત્રની બેદરકારી પર અનેક મોટા સવાલો ઉભા કર્યા છે, જેની ગંભીરતાપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી છે.