ગુજરાત ATSએ પાકિસ્તાન બોર્ડર મારફતે પંજાબમાં હેરોઇન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ સપ્લાય કરનારા વોન્ટેડ આરોપી રહેમત અલી શેખને અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા એમ્બ્રોડરીના કારખાનામાંથી ઝડપી લીધો છે. આરોપી પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાંસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હેરોઇન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ સ્મગલિંગ કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર હતો અને પંજાબથી ભાગીને પહેલા બિહાર તથા ત્યારબાદ અમદાવાદ આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ગુજરાત ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પૂછપરછમાં ખુલ્યું છે કે આરોપી મોટા નાર્કોટિક્સ અને હથિયાર સપ્લાય નેટવર્કનો ભાગ છે અને તેણે જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનની પંજાબ બોર્ડર પરથી હેરોઇન, હેન્ડ ગ્રેનેડ તથા પિસ્તોલની કન્સાઇનમેન્ટ મેળવી પંજાબમાં અન્ય શખસોને પહોંચાડી હતી.
આ કેસમાં અગાઉ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 42 કિલો હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ અને 46 કારતૂસ જપ્ત કર્યા હતા, ત્યારબાદ રહેમત અલી ફરાર થઈ ગયો હતો અને પહેલા નેપાળ જઈ પછી બિહાર મારફતે ગુજરાત આવ્યો હતો. આરોપી રખિયાલમાં એમ્બ્રોડરીના કારખાનામાં કામના બહાને ત્યાં જ રહેતો હતો અને હવે ATS તેની મદદ કરનારા અન્ય શખસોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે તેમજ આગળની કાર્યવાહી માટે તેને પંજાબ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૮મા પદવીદાન સમારોહમાં ૧૨ વિદ્યાશાખાઓના ૯૯ અભ્યાસક્રમોના ૮,૭૨૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત કરાઈ હતી. ઉપરાંત મહાનુભાવોના હસ્તે ૧૪૯ પી.એચ.ડી. તથા ૧ એમ.ફિલ. ને પદવીઓ એનાયત કરાઈ હતી. આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી પરીક્ષાલક્ષી તમામ માહિતી આવરી લેતું VNSGU માટે એક્ઝામિનેશન મેન્યુઅલનું લોકાર્પણ કર્યું હતું.
આ સમારોહને દીપાવતા સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ શંખનાદ અને ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી. પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા સાંસદએ જીવનભરના સંભારણા સમાન પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે યુવાઓને પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ આપતા જણાવ્યું કે, પોતાની સાથે સમગ્ર પરિવાર માટે ગૌરવવંતી આ સફળતા જીવનના મુખ્ય ધ્યેય તરફનું પ્રથમ સોપાન છે. વિદ્યાર્થી જીવન પછીની સાચી કારકિર્દી અને ઓળખ ભવિષ્યના સારા કર્મો નક્કી કરશે.
જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં પ્રવેશવા તૈયાર નવયુવાઓને જીવનના દરેક પડકારને તકમાં રૂપાંતરિત કરી સત્ય, નિષ્ઠા અને પરિશ્રમ સાથે નિશ્ચિત પરિણામ પ્રાપ્ત કરવા ધોળકિયાએ આહ્વાન કર્યું હતું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.એન. ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે મળેલી રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ પૈકી રૂ.૬૦ કરોડના બહુવિધ શિક્ષણવિકાસના કામો પ્રગતિમાં છે.
આ પ્રસંગે કુલસચિવ આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડિજીલોકરમાં તમામ ૮ હજારથી વધુ ડિગ્રીઓ ડિજીટલી ઉપલબ્ધ બનશે ૫૮મા પદવીદાન સમારોહમાં એનાયત થયેલી તમામ ૮,૭૨૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજીલોકરમાં ઉપલબ્ધ બનશે, જે લોગઈન આઈડીથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. મહાનુભાવોએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝીટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝીટ કરી હતી.
વેસુ વિસ્તારમાં રહેતા એક ભરતકામના વ્યવસાયીને મુંબઈ લાવવાની લાલચ આપી, ડ્રગ્સ આપી અને હની ટ્રેપમાં ફસાવી દેવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે.આરોપીએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી અને તેની પત્નીના નામે ₹5.04 કરોડની કિંમતી મિલકત બળજબરીથી પોતાના નામે ટ્રાન્સફર કરી. પાંડેસરા પોલીસે મુંબઈ અને સુરતના ચાર વ્યક્તિઓ સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
વેપારી ફસાયો હની ટ્રેપમાં મુંબઈના ધવલ રમેશ અકબરી પર નોકરી માટે ₹2.28 કરોડ દેવાના હતા. ચુકવણી ટાળવા માટે, ધવલ અકબરી, તેના સહયોગી દીપક બુકટ, આશા હિરપરા અને એક અજાણી મહિલા સાથે મળીને કાવતરું ઘડ્યું.નાણાકીય સમાધાન માટે વેપારીને મુંબઈ લાવવામાં આવ્યો હતો અને ઠંડા પીણામાં નશીલો પદાર્થ નાખીને બેભાન કરવામાં આવ્યો હતો. આરોપીએ બેભાન વેપારીને કપડાં ઉતારી દીધા અને એક અજાણી મહિલા સાથે તેનો નગ્ન વીડિયો બનાવ્યો.
ત્યારબાદ તેઓએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું, વીડિયો વાયરલ કરવાની અને બળાત્કારના કેસમાં જેલમાં મોકલવાની ધમકી આપી. કૌભાંડના ડરથી, આરોપીઓએ ઉદ્યોગપતિ પાસેથી કુલ ₹5.04 કરોડની કિંમતની ત્રણ મિલકતોના દસ્તાવેજો બળજબરીથી મેળવી લીધા. આરોપીઓ એટલા ચાલાક હતા કે તેમણે મિલકતના દસ્તાવેજો માટે વળતર આપવાના બહાને ઉદ્યોગપતિની પત્નીના ખાતામાં પૈસા જમા કરાવ્યા. જોકે, પાછળથી, દબાણ હેઠળ, તેઓએ આખા પૈસા ઉદ્યોગપતિના HUF ખાતામાં અને ત્યાંથી તેમના પોતાના વરાછા બેંક અને IDFC બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા.
આરોપીઓ વધુ પૈસા માંગવાનું અને ધમકી આપવાનું ચાલુ રાખ્યું. તાજેતરમાં, જ્યારે તેની પુત્રીના લગ્ન થયા, ત્યારે ઉદ્યોગપતિએ હિંમત ભેગી કરીને તેના પરિવારને ઘટના વિશે જણાવ્યું. અંતે, તેણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ધવલ અકબરી સહિતની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. વસાવાએ તપાસ શરૂ કરી છે.
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક શાળામાં બોર્ડની પરીક્ષા દરમિયાન 10મા ધોરણની વિદ્યાર્થીનીએ બાથરૂમમાં બાળકને જન્મ આપતાં હંગામો મચી ગયો હતો. આ વાતની જાણ થતાં જ શાળામાં અફરાતફરી મચી ગઈ. વિદ્યાર્થીની અને તેના નવજાત શિશુને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે શૂન્ય એફઆઈઆર નોંધી છે અને કેસ ટ્રાન્સફર કરી રહી છે.
ધાર જિલ્લાના પીથમપુરમાં બોર્ડની પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની છે. મંગળવારે સેક્ટર-૧ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં ગણિતની પરીક્ષા આપવા માટે એક વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. વિદ્યાર્થીની લગભગ દોઢ કલાક સુધી પરીક્ષા આપી રહી હતી. આ દરમિયાન તેને પેટમાં દુખાવાની ફરિયાદ કરી અને બાથરૂમમાં ગઈ. થોડીવાર પછી, ટોઇલેટમાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો. એક મહિલા કર્મચારીને અંદર મોકલવામાં આવી અને ખબર પડી કે વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યો છે.
પરિવારને આખી ઘટનાની જાણ નહોતી તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને વિદ્યાર્થી અને નવજાત શિશુને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. બાળકનું વજન બે કિલોગ્રામ છે. માહિતી આપતાં, સેક્ટર-૧ પોલીસ સ્ટેશન વિસ્તારની મહિલા એસઆઈ ચાંદની સિંગરે જણાવ્યું કે આ કેસમાં શૂન્ય એફઆઈઆર નોંધવામાં આવી છે અને તેને બેટમા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. પરિવારને વિદ્યાર્થીની ગર્ભાવસ્થા વિશે ખબર નહોતી. જોકે, વિદ્યાર્થીની હવે સગાઈ થઈ ગઈ છે.
વિદ્યાર્થીનીએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો. તેણીએ એવી શક્યતા વ્યક્ત કરી કે નવજાત બાળક તેના જમાઈનું છે. પૂછપરછ દરમિયાન, વિદ્યાર્થીનીએ ખુલાસો કર્યો કે આ કેસનો આરોપી તેનો મંગેતર નહીં, પરંતુ બેટમાનો એક યુવાન હતો, જેની સાથે તેણી ગરબા રમતી વખતે મિત્રતા કરી હતી. આ સમય દરમિયાન તેઓ વાતચીત કરવા લાગ્યા, અને તેઓ સતત સંપર્કમાં રહ્યા. તેણી 2024 માં યુવાનને પહેલી વાર મળી હતી. આરોપી પુરુષને હવે કસ્ટડીમાં લેવામાં આવશે અને પૂછપરછ કરવામાં આવશે. આ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે અને તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગઈકાલે મોડીરાત્રે ગૌહત્યા અટકાવવા ગયેલી કોસંબા પોલીસની ટીમ પર અસામાજિક તત્ત્વોએ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મી તથા એક ગૌરક્ષક ઘાયલ થયા હતા. બનાવ બાદ આજે સમગ્ર ગામમાં પોલીસનો મોટો કાફલો ઉતારવામાં આવ્યો છે.
સુરત ગ્રામ્ય DySP બી.કે. વનારની આગેવાની હેઠળ 7 PI, 15 PSI સહિત કુલ 15 ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે. દરમિયાન કેટલાક શંકાસ્પદોને ઝડપી વધુ પૂછપરછ માટે કોસંબા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.
પોલીસ અનુસાર, કોસંબા નજીક આવેલા હથોડા ગામમાં ગૌહત્યા થવાની બાતમીના આધારે પોલીસ અને ગૌરક્ષકો રેડ માટે પહોંચ્યા હતા. તે સમયે હાજર રહેલા શખસોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘાયલ પોલીસકર્મી કીમ-કોસંબાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ મામલે સુરત જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે રાત્રે દોઢથી બે વાગ્યાના સમયગાળામાં પોલીસ સ્ટાફ સર્ચમાં હતો ત્યારે બે બાઈક પર આવેલા શખસોએ બોલાચાલી કર્યા બાદ ફોન કરીને અંદાજે 50 જેટલા લોકોને બોલાવી લીધા હતા અને બાદમાં ટોળાએ પોલીસ તથા બાતમીદાર પર જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસે હત્યાના પ્રયાસ, રાયોટિંગ તથા ફરજમાં અડચણના ગુનાઓ નોંધ્યા છે. અત્યાર સુધીમાં કેટલાક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને એફએસએલની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈને છોડવામાં આવશે નહીં.
આ તરફ ગૌરક્ષક સાજન ભરવાડ અને સુરત જિલ્લા બજરંગ દળ સંયોજક જય પટેલે પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે હથોડા સહિત આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં અવારનવાર ગૌહત્યાની ઘટનાઓ બને છે છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી થતી નથી.
સુરત જિલ્લા બજરંગ દળ સંયોજક જય પટેલે જણાવ્યું હતું કે સાજન ભરવાડને બાતમી મળી હતી કે કોસંબાના હથોડા ગામમાં મોટા પ્રમાણમાં ગૌહત્યા થવાની છે. આ બાતમીના આધારે પોલીસને જાણ કરીને એક ગૌરક્ષક અને પાંચ પોલીસ સાથે મળીને એ જે સ્થળે ગૌહત્યા થવાની હતી એ સ્થળ પર રેડ કરવા ગયા હતા.એ સ્થળ પર પહોંચે એની પહેલાં જ ત્યાંના સ્થાનિકોએ ગૌરક્ષકોને અને પોલીસને ઘેરીને પોલીસ પર હુમલો કર્યો હતો. એમાં અમારા એક ગૌરક્ષકના માથા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો છે, એને માથા પર હેમરેજ છે અને એક પોલીસકર્મીનો હાથ ભાંગી ગયો છે.
પાણીપતમાં એક કર્મચારીના મોતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તેની ઘેરી અસર સુરતના હજીરા સ્થિત L & T કંપનીમાં જોવા મળી છે. SMP-3 પ્લાન્ટના પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ અચાનક કામ બંધ કરીને ઉગ્ર હોબાળો મચાવ્યો હતો.
પાણીપતની ઘટનાના આક્રોશ વચ્ચે હજીરાના પ્લાન્ટમાં પણ કર્મચારીઓ એકઠા થઈ હડતાલ પર ઉતરી આવ્યા હતા. પગાર વધારાની લાંબા સમયથી પડતર માંગણી તેમજ કામના કલાકોમાં કરાયેલા વધારાને લઈને શ્રમિકોએ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
આ દરમિયાન 10થી વધુ વાહનોમાં તોડફોડ કરી કેટલાક વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. શ્રમિકોએ કાર, બાઈક સહિત કંપનીની મિલકતોને નિશાન બનાવતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
પગાર વધારાની માંગને લઈને વહેલી સવારે કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટ ખાતે અંદાજે 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા. આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની માંગ અને કામના કલાકોમાં વધારો હોવાનું જાણવા મળ્યું છે.
શ્રમિકોએ પોતાની માંગણીઓ સંતોષાય તે માટે ભારે સૂત્રોચ્ચાર કરીને પ્લાન્ટનું કામકાજ સંપૂર્ણપણે અટકાવી દીધું હતું. વિરોધ દરમિયાન કંપનીની ત્રણ ફાયર ફાઈટર ગાડીઓમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે ચાર જેટલા બાઈકને આગના હવાલે કરી દેવામાં આવ્યા હતા.
પ્લાન્ટના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રવેશ માટે લગાવવામાં આવેલી આધુનિક મશીનો તોડી નાખવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભીડને વિખેરવા માટે પોલીસ દ્વારા 40થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ હિંસક તોડફોડ અને કાયદો-વ્યવસ્થાના ભંગ બદલ પોલીસે અત્યાર સુધીમાં 25થી વધુ શ્રમિકોની અટકાયત કરી છે. હાલમાં પ્લાન્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલો શાંત પાડવા માટે કંપનીના સત્તાધીશો અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્લાન્ટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ કંપનીના અધિકારીઓ અને શ્રમિક પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત કરીને મામલો શાંત પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
AM/NS (આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીના હઝીરા પ્લાન્ટ પ્રોજેકટ સાઈટ પર L&T દ્વારા નિયુક્ત કરાયેલા કામદારોનો એક જૂથ આજે તેમની સંસ્થા L&T સામે કેટલીક માંગણીઓ રજૂ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થઈ દેખાવો કર્યો હતો.
L&T મેનેજમેન્ટ કામદારો સાથે ચર્ચા કરીને પરિસ્થિતિને ઝડપથી સંભાળી રહ્યું છે. સ્થાનિક સત્તાવાળાઓ પણ સ્થળ પર પરિસ્થિતિનું સંચાલન કરવામાં જોડાયેલા છે.
AM/NS (આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીએ એક પરિપત્ર જારી કર્યો હતો કે કારીગરોની આ હડતાળ તોડફોડ AM/NS કંપનીમાં નહીં પરંતુ L&Tમાં થઈ હતી.
યૌન શોષણ અને પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધાયા બાદ શંકારાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલી વધી શકે છે. 2022માં શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદના વારાણસી મઠમાં બે મહિના રહી ચૂકેલી લેખિકા ભૂમિકા દ્વિવેદીએ ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે મઠની અંદર લક્ઝરી માહોલ, સ્વિમિંગ પુલ અને ગુપ્ત તથા રહસ્યમય રૂમ હોવાનો દાવો કર્યો છે. તેનો કંટ્રોલ સ્વામીની સખી પાસે હોવાનો પણ દાવો કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, 2022માં વારાણસીના વિદ્યા મઠમાં આશરે 2 મહિના રોકાઈ હતી. તેનો ઉદ્દેશ કાશી અને પ્રયાગ પર રિસર્ચ કરીને લખવાનો હતો આ માટે સ્વરૂપાનંદ સરસ્વતીએ પ્રોત્સાહિત કરી હતી. પરંતુ મઠની અંદરનો માહોલ જોતાં જ મારો અભિપ્રાય બદલાઈ ગયો હતો. તેણે દાવો કર્યો કે, મઠમાં કોઈ આધ્યાત્મિક કેન્દ્ર જેવી સાદગી કરતાં લક્ઝરી વધારે છે. ત્યાં એસી, એલઈડી ટીવીથી સજ્જ લક્ઝરી માહોલ છે.
મઠનું નિયંત્રણ સખી પાસે છે. એક મહિલાએ તેને સ્વામીની સખી ગણાવી હતી. જે ત્યાંની સર્વેસર્વા છે. મઠની અંદર પણ કેટલાક ગુપ્ત રૂમ છે, જ્યાં કોઈને જવાની મંજૂરી નથી. તેની દીદી લોકોનો વિસ્તાર કહેવાય છે. જ્યાં લિફ્ટથી જઈ શકાય છે અને અન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.
ભૂમિકા દ્વિવેદી મુજબ, મઠમાં રૂમો ઉપરાંત ગુપ્ત દરવાજો પણ છે. જેના પર સીસીટીવીથી નજર રાખવામાં આવે છે. સિક્યુરિટીનો એક્સેસ સખી પાસે છે. તેણે મઠ પરિસારમાં સ્વીમિંગ પુલ હોવાનો દાવો પણ કર્યો હતો. મઠમાં સામાન્ય રીતે સવારે 4 વાગ્યે ઉઠવાનો અને કડક નિયમોનું પાલન કરવાની પરંપરા હોય છે. પરંતુ ભૂમિકાના દાવા પ્રમાણે, મઠમાં લોકો પોતાની મરજીથી ઉઠે છે અને તેમની કોઈ ધાર્મિક દિનચર્યા નથી હોતી.
મે 2022માં બનારસ મઠમાંથી આવેલી ભૂમિકાએ દાવો કર્યો હતો કે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના રૂમમાં કોઈ પણ જઈ શકતું હતું, ત્યાં માત્ર પુસ્તકો અને ગ્રંથો જ મળતા હતા, પરંતુ અહીં (અવિમુક્તેશ્વરાનંદના સમયમાં) બધું જ છુપાયેલું અને રહસ્યમય છે. ભૂમિકા દ્વિવેદીનું કહેવું છે કે તે કોઈ પણ દબાણમાં નથી અને જે કંઈ તેણે પોતાની આંખોથી જોયું છે, તે જ જણાવી રહી છે. તેણે સખી સાથે અનેક તસવીરો હોવાનો પણ દાવો કર્યો હતો. ભૂમિકાના દાવાઓમાં કેટલી સત્યતા છે, તે તો તપાસ પછી જ સામે આવી શકશે, પરંતુ તેના દાવાઓએ મઠની અંદરની કથિત ગોપનીય પ્રવૃત્તિઓ અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શંકારાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો કેસ શું છે તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ જિલ્લા અદાલતમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ અરજી દાખલ કરી સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટે પોલીસને તાત્કાલિક ગુનો નોંધી તપાસ કરવાનો કડક આદેશ આપ્યો હતો.
ભારત સરકાર પર્યાવરણની સુરક્ષા અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે એક મોટું પગલું ભરી રહી છે. 1 એપ્રિલ 2026 થી દેશભરમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ ફરજિયાત કરવામાં આવ્યું છે, જેને E20 પેટ્રોલ તરીકે ઓળખવામાં આવશે. આ સાથે સરકારે પેટ્રોલમાં લઘુત્તમ RON 95 (રિસર્ચ ઓક્ટેન નંબર) હોવો પણ અનિવાર્ય કર્યો છે.
આ નવા ફેરફારને કારણે વાહનચાલકોના મનમાં માઈલેજને લઈને અનેક સવાલો છે:
નવા વાહનો: વર્ષ 2023-25 પછી બનેલા મોટાભાગના વાહનો E20 ઇંધણ મુજબ જ ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેથી તેમાં કોઈ ખાસ સમસ્યા નહીં આવે.
જૂના વાહનો: જૂની ગાડીઓમાં માઈલેજમાં 3 થી 7 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે, એન્જિનની પરફોર્મન્સ જાળવી રાખવા માટે સરકારે RON 95ની શરત રાખી છે.
એન્જિનની સુરક્ષા: RON 95 પેટ્રોલ એન્જિનમાં ‘નોકિંગ’ (પ્રી-ઇગ્નીશન) ની સમસ્યા અટકાવે છે, જેથી લાંબા ગાળે એન્જિન સુરક્ષિત રહે છે
સરકારે કેમ લીધો આ નિર્ણય?
સરકારે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા 17 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સૂચના મુજબ આ નિર્ણય પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
પ્રદૂષણમાં ઘટાડો: ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ સ્વચ્છ રીતે બળે છે, જેનાથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે.
ખેડૂતોને ફાયદો: ઇથેનોલ મુખ્યત્વે શેરડી અને મકાઈ જેવી ખેતીની પેદાશોમાંથી બને છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થશે.
આયાત બિલમાં બચત: પેટ્રોલની આયાત ઓછી થવાથી દેશના વિદેશી હૂંડિયામણની બચત થશે.
પેટ્રોલિયમ મંત્રાલયની સૂચના
કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તમામ તેલ કંપનીઓએ ભારતીય માનક બ્યુરો (BIS) ના ધોરણો મુજબ જ 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવાનું રહેશે. જોકે, ખાસ સંજોગોમાં અમુક વિસ્તારોમાં મર્યાદિત સમય માટે છૂટછાટ આપવામાં આવી શકે છે.
શું છે આ RON 95? RON એ પેટ્રોલની ગુણવત્તા માપવાનો એક આંકડો છે. જેટલો RON વધારે, તેટલું પેટ્રોલ એન્જિનમાં અકાળે સળગતું અટકાવશે. આનાથી એન્જિનમાંથી આવતો અવાજ (Ping sound) ઓછો થાય છે અને એન્જિનની લાઈફ વધે છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. NIA એ આતંકવાદી સંગઠન અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGH) ના બે ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની ધરપકડ કરી છે. તેઓ 10 નવેમ્બર, 2026 ના રોજ લાલ કિલ્લા નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં સક્રિય રીતે સામેલ હતા અને હુમલાના મુખ્ય આરોપીઓને હથિયારો પૂરા પાડતા હતા.
NIA એ જણાવ્યું હતું કે શંકાસ્પદોની ઓળખ ગંદરબલના રહેવાસી ઝમીર અહેમદ અહંગર અને શ્રીનગરના રહેવાસી તુફૈલ અહેમદ ભટ તરીકે થઈ છે. અત્યાર સુધીમાં, આતંકવાદ વિરોધી તપાસ એજન્સીએ દિલ્હી વિસ્ફોટના સંબંધમાં 11 લોકોની ધરપકડ કરી છે. વિસ્ફોટમાં મુખ્ય આરોપી ઉમર ઉન નબી સહિત બાર લોકો માર્યા ગયા હતા.
10 નવેમ્બરની સાંજે, લાલ કિલ્લા નજીક એક હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે વાહન પુલવામાના રહેવાસી નબી દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું, જે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતો હતો. એજન્સીઓ અનુસાર આ વિસ્ફોટ ગભરાટ અને હતાશામાં કરવામાં આવ્યો હતો, કારણ કે એજન્સીઓએ તેને વ્હાઇટ-કોલર આતંકવાદી મોડ્યુલ તરીકે વર્ણવ્યું છે.
ઘણા રાજ્યોમાં તેની સામે મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિસ્ફોટ પહેલા, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર અને અન્ય રાજ્યોમાં પોલીસ દળોએ અનેક દરોડા પાડ્યા હતા, જેમાં આશરે 3,000 કિલો વિસ્ફોટકો અને અન્ય બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી.
હોળીએ આનંદ અને રંગોનો તહેવાર છે. આ દિવસે સંબંધીઓ અને મિત્રો ઘરે ભેગા થઈને તહેવારની ઉજવણી કરે છે. મહેમાનોનું ઠંડા અને સ્વાદિષ્ટ વેલકમ ડ્રિંકથી સ્વાગત કરવાથી વાતાવરણ વધુ આહલાદક બને છે.
હોળી પર કાચી કેરીનું સરબત જેવા પરંપરાગત પીણાં માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પણ ઠંડકની અસર પણ પૂરી પાડે છે. તેથી, હોળી પાર્ટીમાં ખાસ વેલકમ ડ્રિંક પીવું એ એક મહાન અને યાદગાર વિચાર હોઈ શકે છે.
હોળી સ્પેશિયલ ડ્રીંક કાચી કેરીનું સરબત : કાચી કેરીમાંથી બનેલું, કાચી કેરીનું સરબત એક ખાટું અને મીઠુ પીણું છે જે તાજગી આપે છે. તે ગરમીને હરાવે છે અને શરીરને ઉર્જા આપે છે, જે તેને હોળી પર પીરસવા માટે એક ઉત્તમ પસંદગી બનાવે છે.
થાંડાઈ : હોળીનો ઉલ્લેખ થાય ત્યારે સૌથી પહેલા જે વસ્તુ ધ્યાનમાં આવે છે તે છે ઠંડાઈ. દૂધ, સૂકા ફળો, વરિયાળી, કાળા મરી અને એલચીમાંથી બનેલું આ પરંપરાગત પીણું શરીરને ઠંડુ પાડે છે. તેનો સ્વાદ અને સુગંધ વધારવા માટે તમે કેસર અથવા ગુલાબની પાંખડીઓ ઉમેરી શકો છો.
જલજીરા ડ્રિંક : ફુદીનો, ધાણા, જીરું અને આમલીથી બનેલું જલજીરું પાચન માટે ફાયદાકારક છે. હોળીના ભારે ભોજન પછી આ પીણું મહેમાનોને હળવું અને તાજગીભર્યું વાતાવરણ પ્રદાન કરે છે.
ગુલાબ સીરપ : ગુલાબ શરબત એક હળવું, મધુર અને અત્યંત તાજગી આપતું પીણું છે. તેને ઠંડા પાણી અથવા દૂધ સાથે ભેળવીને પીરસવામાં આવે છે.આ ગુલાબી રંગનું શરબત હોળીના રંગો સાથે મેળ ખાય છે અને મહેમાનોને તાત્કાલિક તાજગી આપે છે.