Home Blog Page 140

કોરોનાનો નવો ‘Cicada’ વેરિઅન્ટ 23 દેશોમાં ફેલાયો: વૈશ્વિક ચિંતા વધતી

0

વિશ્વમાં ફરી ચિંતા વધારી રહ્યો કોરોના નો નવો પ્રકાર “Cicada”, સૌથી પહેલા આ પ્રકારની ઓળખ નવેમ્બર 2024માં આફ્રિકા ખાતે થઈ હતી અને ત્યારબાદ તે ધીમે ધીમે અન્ય દેશોમાં ફેલાતો ગયો

કોરોના કાળ તો તમને બધાને યાદ જ હશે, કેટલાય લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. જોકે હવે ફરી એક્વાર કોરોના વાયરસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાવાયરસ પૂર્ણ રીતે ગયો છે એવી લાગણી ઘણા લોકોને થઈ રહી હતી, પરંતુ હકીકત એ છે કે, વાયરસ હજુ પણ બદલાતો રહ્યો છે. હાલમાં વિશ્વભરમાં “Cicada” નામથી ઓળખાતો કોરોનાનો એક નવો પ્રકાર ચર્ચામાં આવ્યો છે, જે ફરી ચિંતા ઊભી કરી રહ્યો છે.

વૈજ્ઞાનિક ભાષામાં આ પ્રકારને BA.3.2 તરીકે ઓળખવામાં આવે છે. આ ઓમિક્રોન વેરિઅન્ટનો જ એક સુધારાયેલ સ્વરૂપ છે. સૌથી પહેલા આ પ્રકારની ઓળખ નવેમ્બર 2024માં આફ્રિકા ખાતે થઈ હતી અને ત્યારબાદ તે ધીમે ધીમે અન્ય દેશોમાં ફેલાતો ગયો. ફેબ્રુઆરી 2026 સુધીમાં આ પ્રકાર 23 દેશોમાં નોંધાયો છે. અમેરિકામાં તેની અસર વધુ જોવા મળી રહી છે. ત્યાં અનેક રાજ્યોમાં ગટરનાં પાણીના ટેસ્ટમાં આ વેરિઅન્ટના અંશ મળી રહ્યા છે, જે બતાવે છે કે તે શાંતિથી પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

“Cicada” પ્રકાર ખાસ કેમ છે?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તેના સ્પાઇક પ્રોટીનમાં 70થી વધુ ફેરફારો થયા છે. આ જ સ્પાઇક પ્રોટીન આપણાં શરીરમાં વાયરસને પ્રવેશ કરાવે છે. એટલા બધા ફેરફારોને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ અને હાલની રસીઓ માટે તેને ઓળખવું થોડું મુશ્કેલ બની શકે છે. પરંતુ સારા સમાચાર એ છે કે, હજુ સુધી કોઈ મજબૂત પુરાવો નથી કે આ પ્રકાર પહેલા કરતાં વધુ ઘાતક છે. હા, તે ઝડપથી ફેલાઈ શકે છે, એટલે વધુ લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે. ખાસ કરીને લાંબા સમયથી બીમારી ધરાવતા લોકો માટે આ ચિંતાનો વિષય બની શકે છે.

હવે જાણો ભારતમાં શું છે સ્થિતિ ?
ભારતની વાત કરીએ તો હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. INSACOG દ્વારા દેશમાં XFG નામના બીજા એક વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે. જોકે “Cicada” જેવા પ્રકારો વિદેશી મુસાફરી દ્વારા દેશમાં પ્રવેશી શકે છે, એટલે સાવચેતી જરૂરી છે. રસીઓ વિશે વાત કરીએ તો, હાલની રસી હજુ પણ ગંભીર બીમારીથી બચાવવામાં મદદરૂપ છે. પરંતુ નવા પ્રકારમાં ફેરફારોને કારણે ચેપથી સંપૂર્ણ બચાવ થવો મુશ્કેલ બની શકે છે.

“Cicada” નામ પાછળ પણ રસપ્રદ કારણ છે. સિકાડા એક જંતુ છે જે વર્ષો સુધી જમીનમાં છુપાઈ રહે છે અને અચાનક બહાર આવે છે. આ વાયરસ પણ લાંબા સમય સુધી નજરમાં આવ્યા વગર ફેલાતો રહ્યો અને પછી એકાએક સામે આવ્યો. આ સ્થિતિમાં બચાવ માટે સરળ ઉપાયો ખૂબ મહત્વના છે. નિયમિત હાથ ધોવું, ભીડથી દૂર રહેવું, બીમાર લાગતાં ઘરે રહેવું અને જરૂર પડે ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો-આ તમામ બાબતો હજુ પણ એટલી જ અસરકારક છે.

અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખથી વધુની કિંમતનું સોનું ઝડપાયું

0

અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ થયો છે. કુઆલાલમ્પુરથી આવતા એક મહિલા મુસાફર પાસેથી 83 લાખ રૂપિયાની કિંમતનું 553.07 ગ્રામ સોનું ઝડપાયું છે. મહિલા મુસાફર એ સોનાને પોતાના શરીરમાં છુપાવીને લાવી રહી હતી, જે 24 કેરેટનું હતું. સોનાની પેસ્ટની કેપ્સ્યુલ કબજે કરી સોનું રિકવર કરવામાં આવ્યું છે. મહિલાને ઝડપી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (APIS) દ્વારા કરવામાં આવેલા ડેટા એનાલિસિસ અને પ્રોફાઇલિંગના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 30મી માર્ચ 2026ના રોજ કુઆલાલંપુરથી ફ્લાઇટ નંબર AK 91 દ્વારા અમદાવાદ પહોંચેલી આ મહિલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને ગ્રીન ચેનલ પર અટકાવવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. મેડિકલ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મહિલાએ પોતાના શરીરમાં બે કેપ્સ્યુલ્સ છુપાવી હતી. આ કેપ્સ્યુલ્સની અંદર લિક્વિડ કેમિકલ સાથે મિશ્રિત ગોલ્ડ પેસ્ટ ભરેલી હતી. જે બાદ કસ્ટમ્સ વિભાગ દ્વારા આ સોનાની પેસ્ટને રિફાઇન કરવામાં આવી હતી અને તેમાંથી 24 કેરેટનું કુલ 553.07 ગ્રામ સોનું મળ્યું હતું. જપ્ત કરાયેલા આ સોનાની બજાર કિંમત 83,29,234 અને ટેરિફ કિંમત 75,58,393 હોવાનું જાણવા મળ્યું છે.

કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી મહિલા મુસાફરની ધરપકડ કરી છે. આ સોનું અમદાવાદમાં કોને પહોંચાડવાનું હતું અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ દાણચોરીના રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે, તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધુ કડક બનાવી દેવામાં આવી છે.

ગુજરાતના હાઈવે પર મુસાફરી મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો

ભારતીય રાષ્ટ્રીય માર્ગ પ્રાધિકરણ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા 1 એપ્રિલ 2026થી દેશભરના રાષ્ટ્રીય હાઈવે પર ટોલ ટેક્ના દરમાં સરેરાશ 5% વિકાસ કરવાનો પ્રયાસ છે. દર વર્ષે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલ દરોની સમીક્ષા કરવામાં આવે છે અને આ વખતે પણ તે જ પ્રક્રિયા અંતર્ગત આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ વધારાથી ફોર વ્હીલર્સ, કમર્શિયલ ટ્રક, બસ અને અન્ય વાહનો માટે મુસાફરીનો ખર્ચ વધશે. ખાસ કરીને FASTag મારફતે ચુકવણી કરતા વાહનચાલકોને સીધી અસર થશે. કારણ કે દરેક ટોલ પ્લાઝા પર નવા દરો લાગુ થશે.

સરકારે ખાનગી વાહનચાલકો માટે ઉપલબ્ધ વાર્ષિક પાસની કિંમતમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી 200 ટ્રિપ માટે મળતો વાર્ષિક પાસ 3000 રૂપિયામાં ઉપલબ્ધ હતો. જે હવે 75 રૂપિયાના વધારા સાથે 3075 રૂપિયા થશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ વધારો માર્ગોની જાળવણી, નવીન સુવિધાઓ ઉમેરવા અને હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે. વધતા ટ્રાફિક અને રોડના ઉપયોગને ધ્યાનમાં રાખીને આ પ્રકારના સુધારા અને ખર્ચ વધારાની જરૂરિયાત ઉભી થઈ છે. જેને પહોંચી વળવા માટે ટોલ દરોમાં વધારો કરવો અનિવાર્ય ગણાયો છે.

સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર અસર
આ ટોલ ટેક્સ વધારાનો સીધો પ્રભાવ સામાન્ય જનતા અને પરિવહન ક્ષેત્ર પર જોવા મળશે. રોજિંદા કામકાજ માટે હાઈવેનો ઉપયોગ કરતા લોકો માટે મુસાફરી ખર્ચ વધશે. જે તેમના માસિક બજેટને અસર કરશે. ખાસ કરીને નાના વેપારીઓ, ટ્રક માલિકો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ વધારો વધુ ભારરૂપ બની શકે છે. પરિવહન ખર્ચમાં વધારો થવાને કારણે માલસામાનની કિંમતમાં પણ વધારો થવાની સંભાવના છે. જે અંતે ગ્રાહકો સુધી પહોંચશે. આથી આ નિર્ણયનો પ્રભાવ માત્ર વાહનચાલકો પૂરતો મર્યાદિત નથી પરંતુ સમગ્ર આર્થિક પ્રવાહ પર તેની અસર જોવા મળી શકે છે.

સુરતના લિંબાયતમાં મકાનમાં ભીષણ આગ લાગતા 4 મહિલા સહિત 5ના ગૂંગળામણથી મોત

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસ મુજબ, આ મકાનમાં સાડીઓનું કામ ચાલતું હતું અને અંદાજે 8 ટન જેટલું સાડી મટિરિયલ તેમજ ફોર્મ શીટ્સનો જથ્થો રાખવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાંથી તણખાં પડતા નજીકમાં પડેલા ફોર્મમાં આગ લાગી હતી. ફોર્મ સીધું બળી ન ગયું હોવા છતાં ભારે ધુમાડો ફેલાયો હતો.

આ ધુમાડામાં રહેલા કેમિકલના કારણે ઘરમાં રહેલા લોકો ગૂંગળાઈ ગયા હતા, જેના કારણે 4 મહિલાઓ અને એક બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, ઘરમાં બે ગેસના બાટલા પણ હાજર હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકતી હતી.

આ દુર્ઘટનાએ ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં સલામતીના નિયમો અને જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યાં ઘર અને કામ બંને એક જ જગ્યાએ ચાલે છે, ત્યાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે. મૃતકોમાં શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (65), હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (18), શુભાન રમઝાન અલી અંસારી (4), શબીનાં રમઝાન અલી અંસારી (28) અને પરવીન અબ્દુલ કલામ અંસારી (19)નો સમાવેશ થાય છે.

કેદીઓની વહેલી મુક્તિમાં વિલંબ: સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આપી કડક ચેતવણી

સુપ્રીમ કોર્ટે કેદીઓની વહેલી મુક્તિ (રેમિશન) ના અરજીઓનો નિર્ણય લેવામાં કરવામાં આવતા વિલંબ બદલ ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર પોતાની જ નીતિ હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં કેદીઓની મુક્તિ અંગે નિર્ણય લેવામાં નિષ્ફળ જશે, તો જવાબદાર અધિકારીઓ સામે ક્ધટેમ્પ્ટ એટલે કે અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે એક કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે ગુજરાત સરકારના 9 જુલાઈ 1992ના પરિપત્ર મુજબ, કેદીના 14 વર્ષના કારાવાસ પૂર્ણ થવાના ત્રણ મહિના પહેલા જ તેની વહેલી મુક્તિની પ્રક્રિયા શરૂૂ કરી દેવી જોઈએ. જે દિવસે કેદી 14 વર્ષની સજા પૂર્ણ કરે, તે જ દિવસે તેની મુક્તિ અંગેનો અંતિમ આદેશ આવી જવો જોઈએ. કોર્ટે ઉમેર્યું કે વહેલી મુક્તિ એ કેદીનો મૂળભૂત અધિકાર નથી, પરંતુ એકવાર સરકારે નીતિ ઘડી દીધા પછી તે કેદીનો નિહિત (ટયતયિંમ) અધિકાર બની જાય છે. કાયદાકીય મુદત કરતા એક પણ દિવસ વધારે કેદીને જેલમાં રાખવો એ ગેરકાયદે કસ્ટડી સમાન છે.

આ કેસમાં અરજદાર કેદીએ 12 ડિસેમ્બર 2025 સુધીમાં લઘુત્તમ સજા પૂર્ણ કરી લીધી હતી, તેમ છતાં ત્રણ મહિનાનો સમય આપ્યા બાદ પણ સરકારે કોઈ નિર્ણય લીધો ન હતો. 16 માર્ચ 2026ના રોજ રાજ્ય સરકારે કોર્ટમાં બચાવ કર્યો હતો કે સક્ષમ સમિતિ વર્ષમાં માત્ર ચાર વાર જ મળે છે અને અરજદારનો કેસ પ્રક્રિયા હેઠળ છે. સુપ્રીમ કોર્ટે સરકારના આ વલણને “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” ગણાવ્યું હતું.

કોર્ટે આ કેસની આગામી સુનાવણી 7 એપ્રિલ 2026ના રોજ મુકરર કરી છે. જો તે તારીખ સુધીમાં અંતિમ નિર્ણય રેકોર્ડ પર મૂકવામાં નહીં આવે, તો ગુજરાતના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અથવા સચિવ અને જેલ મહાનિરીક્ષક (ઈંૠ ઙશિતજ્ઞક્ષત) ને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા આદેશ અપાયો છે. આ અધિકારીઓએ કોર્ટને જવાબ આપવો પડશે કે તેમની સામે શા માટે શિક્ષાત્મક કાર્યવાહી શરૂૂ ન કરવી.

આ સમગ્ર વિવાદ અમદાવાદના એક કેદી સાથે જોડાયેલો છે, જેણે 9 ડિસેમ્બર 2011ના રોજ પોતાની પત્ની પર હથોડાથી હુમલો કરી તેની હત્યા કરી હતી. ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી, જેને 2023માં ગુજરાત હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી. હાઈકોર્ટના ચુકાદા સમયે પણ આ કેદી 11 વર્ષથી વધુ જેલ ભોગવી ચૂક્યો હતો.

જાપાનનો મોટો નિર્ણય: લાંબા અંતરની મિસાઇલો તૈનાત, ચીન સુધી પહોંચશે મારક ક્ષમતા

જાપાને પોતાની રક્ષા ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. દેશે સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની મિસાઇલોનો પ્રથમ બેચ દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં સ્થિત સૈન્ય છાવણીમાં તૈનાત કર્યો છે. જાપાની લશ્કરી અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશની હુમલા અને પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો છે.

આ મિસાઇલો મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવી છે. અપગ્રેડેડ ટાઇપ-12 મિસાઇલ હવે લગભગ 1,000 કિલોમીટર સુધી માર કરવાની ક્ષમતા ધરાવે છે, જે અગાઉની 200 કિલોમીટર રેન્જની સરખામણીએ ઘણો મોટો વધારો છે. આ વધારેલી રેન્જના કારણે હવે આ મિસાઇલો ચીનના મુખ્ય ભૂમિ વિસ્તારો સુધી પહોંચવામાં સક્ષમ બની છે.

જાપાનના સંરક્ષણ પ્રધાન શિંજીરો કોઈઝુમીએ જણાવ્યું હતું કે, હાલનું સુરક્ષા વાતાવરણ ખૂબ જ જટિલ અને ગંભીર બન્યું છે. તેથી દેશની પ્રતિરક્ષા અને જવાબી હુમલા કરવાની ક્ષમતા મજબૂત બનાવવી જરૂરી બની છે. તેમણે આ પગલાને જાપાનના મક્કમ સંકલ્પનું પ્રતીક ગણાવ્યું.

આ નિર્ણય જાપાનની પરંપરાગત “ફક્ત સ્વ-રક્ષા” નીતિથી મોટો ફેરફાર દર્શાવે છે. હવે જાપાન “સ્ટેન્ડઓફ” ક્ષમતાઓ વિકસાવી રહ્યું છે, જેના દ્વારા તે દૂરથી જ દુશ્મનના મિસાઇલ બેઝને નિશાન બનાવી શકે છે.

પરંતુ, આ તૈનાતીનો સ્થાનિક સ્તરે વિરોધ પણ જોવા મળી રહ્યો છે. દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં આવેલા કેમ્પની બહાર લોકો પ્રદર્શન કરી રહ્યા છે. તેઓએ રહેણાંક વિસ્તારોની નજીક મિસાઇલો તૈનાત કરવાના નિર્ણયને જોખમી ગણાવ્યો છે અને કહ્યું છે કે તેનાથી તણાવ વધશે તેમજ દુશ્મન હુમલાનો ખતરો પણ વધી શકે છે.

આ ઉપરાંત, જાપાન અમેરિકા સાથે મળીને વધુ શક્તિશાળી મિસાઇલ સિસ્ટમો પણ તૈનાત કરવાની તૈયારીમાં છે. આ વર્ષના અંત સુધીમાં 1,600 કિલોમીટર રેન્જ ધરાવતી ટોમાહોક ક્રુઝ મિસાઇલો જાપાની ડિસ્ટ્રોયર પર તૈનાત કરવામાં આવશે, જે બાદ અન્ય યુદ્ધજહાજોમાં પણ આ સિસ્ટમ વિસ્તૃત કરવામાં આવશે.

ચીનને વધતા સુરક્ષા ખતરા તરીકે જોતા જાપાન દક્ષિણપશ્ચિમ ટાપુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે સતત પગલાં લઈ રહ્યું છે. આ સમગ્ર વિકાસ એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા સમીકરણને નવી દિશા આપી શકે છે.

પશ્ચિમ એશિયા યુદ્ધની અસર: તેલ-ગેસ બાદ હવે ભારતમાં કોન્ડોમ અછતનો ભય

0

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના પરિવાર નિયોજન પ્રોડક્ટ સુધી પહોંચી ગઈ છે. કોન્ડોમ બનાવવામાં ઉપયોગ લેવાતા કાચા માલની સપ્લાય ચેન તૂટવાથી ઉત્પાદન ખર્ચો વધી ગયો છે. તેનાથી દેશમાં કોન્ડોમના ભાવ 40થી 50 ટકા સુધી વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો જો સ્થિતિ નહીં સુધરી તો બજારમાંથી પસંદગીના બ્રાન્ડેડ કોન્ડોમ ગાયબ પણ થઈ શકે છે.

કોન્ડોમ બનાવવા માટે મુખ્યત્વે 6 વસ્તુઓની જરૂૂર પડી શકે છે. તેમાંથી કેટલીક વસ્તુઓ ભારતમાં બહારથી આવે છે. ઈરાને જંગના કારણે જહાજો માટે મહત્ત્વના રસ્તા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કર્યો છે. રસ્તો બંધ થવાથી માલવાહક જહાજો ભારત નથી આવી શકતા અને ક્રૂડ ઓઈલની સપ્લાય અટકી ગઈ છે અથવા બહુ મોંઘા થઈ ગયા છે.

કોન્ડોમ બનાવવા ઉપયોગ લેવાતી મુખ્ય વસ્તુઓમાં જેનો સમાવશે થાય છે તેની આયાત હવે સુલભ નથી. નેચરલ લેટેક્સ: આ કોન્ડોમનો મુખ્ય આધાર છે, જે રબરના ઝાડમાંથી મળે છે. અમોનિયા: લેટેક્સને સ્થિર રાખવા માટે જરૂૂરી છે. ભારત પોતાની જરૂૂરિયાતનું 86 ટકા સાઉદી અરબ, કતર અને ઓમાન જેવા દેશોમાંથી આયાત કરે છે. યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રૂૂટ પ્રભાવિત થવાથી જહાજોની અવરજવર બાધિત થયેલી છે. જેનાથી અમોનિયાની ભારે કમી થઈ ગઈ છે. આ સંકટનું સૌથી મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

સિલિકોન ઓઈલ: કોન્ડોમને ચીકણું બનાવે છે. આ મુખ્યત્વે ચીનમાંથી આવે છે અને તેના ભાવ આકાશે આંબી રહ્યા છે. સલ્ફર અને ઝિંક ઓક્સાઈડ: કોન્ડોમને મજબૂતી આપનારું આ રસાયણ પણ મોંઘું થયું છે. પેકેજિંગ મટીરિયલ: એલ્યુમીનિયમ અને પીવીસી ફોઇલની કિંમતો અસ્થિર થઈ ગઈ છે. ફ્લેવર અને કલર્સ: ગ્લોબલ લોજિસ્ટિક્સ અડચણોથી તેની સપ્લાય પણ પ્રભાવિત થઈ છે.

  • આ તમામ વસ્તુઓની સપ્લાય ચેન તૂટવાથી અથવા મોંઘી થવાથી કંપનીઓ પરેશાન છે. મોટી કંપનીઓ કાચા માલની કમીથી ઝઝૂમી રહી છે.
  • સપ્લાયર્સ દ્વારા જમાખોરીની ખબરો પણ છે, જેનાથી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. ભારતમાં મોટી બ્રાન્ડ્સના કોન્ડોમ મોંઘા થઈ શકે છે.
  • ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો મોંઘા કોન્ડોમ ઓછા ખરીદશે. કોન્ડોમની કિંમતોમાં મામૂલી વધારો પણ ગંભીર પરિણામ લાવી શકે છે.
  • જો કિંમતમાં 50 ટકાનો વધારો થયો તો આર્થિક રીતે નબળા વર્ગ તેનો ઉપયોગ ઓછો કરી શકે છે. જે બાદ ગર્ભધારણના કિસ્સા વધી શકે છે. યૌન સંચારિત સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

હોર્મુઝ મુદ્દે ઈરાનનો મોટો નિર્ણય: ટ્રમ્પની નીતિનો વૈશ્વિક પ્રભાવ?

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ હિલચાલને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ગંભીર સપાટીએ પહોંચ્યો છે.

ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ નવી યોજના હેઠળ હોર્મુઝના માર્ગનો ઉપયોગ કરતા તમામ વ્યાપારી જહાજોએ ટેક્સ ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે આ ટેક્સની ચૂકવણી ઈરાની ચલણ રિયાલમાં કરવાની રહેશે. આ યોજનામાં પર્યાવરણ સુરક્ષા અને સમુદ્રી સુરક્ષાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ યોજનામાં અમેરિકા અને ઈઝરાયલના જહાજોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે દેશોએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, તેમના જહાજોને પણ આ માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. આ માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં ઈરાન ઓમાનની મદદ લેશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ચેતવણી આપતા લખ્યું છે કે, જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને વ્યાપાર માટે તરત જ નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, તેલના કુવાઓ અને ખાર્ગ ટાપુ પર બોમ્બમારો કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.

બીજી તરફ, અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં જ હોર્મુઝ પર ફરીથી પોતાનું નિયંત્રણ મેળવશે અને જહાજોની અવરજવર માટે સંપૂર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે, તેથી જો આ રસ્તો બંધ થશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ સર્જાઈ શકે છે.

નાલંદાના મંદિર ખાતે નાસભાગ: 8 ભક્તોના મોત, અનેક ઘાયલ થતાં હાહાકાર

0

બિહારના નાલંદા જિલ્લામાં મંગળવારે સવારે એક દુ:ખદ ઘટના બની. ત્યાં સ્થિત શીતળાષ્ટમી મંદિરમાં અચાનક નાસભાગ મચી ગઈ. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ ભક્તોના મોત થયા છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘટનાને પગલે મંદિર પરિસર તેમજ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલા પૈકી પાંચ લોકોમાંથી બેની ઓળખ થઈ છે. તેમાં સકુન્ત બિહારના રહેવાસી દિનેશ રજકની પત્ની રીટા દેવી (ઉંમર 50 વર્ષ) અને મથુરાપુર નૂરસરાયના કમલેશ પ્રસાદની પત્ની રેખા દેવી (ઉંમર 45 વર્ષ)નો સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક મોડેલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતક રેખા દેવીના પુત્રએ જણાવ્યું કે, તેની માતા મંગળા મેળા જોવા માટે મંદિરે ગઈ હતી, ત્યારે ત્યાં ભારે ભીડ એકત્રિત થઈ હતી. તે સમયે તે ઘરે હતો અને ઘટનાની જાણ થતા તરત જ સ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ માતાને હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ ત્યાં સુધી તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

બિહારના નાલંદા જિલ્લામાં સવારે એક દુ:ખદ અકસ્માત થયો. અહીં સ્થિત શીતળા માતા મંદિરમાં અચાનક ભાગદોડ મચી ગઈ. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે.

આ ઘટના દીપનગર પોલીસ સ્ટેશનના હદમાં આવેલા મઘરાના પ્રખ્યાત શીતળા મંદિરમાં બની હતી. દર મંગળવારે, અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા કરવા માટે ભેગા થાય છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે હજારો શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ભેગા થવા લાગ્યા હતા. જોકે, ભીડ વ્યવસ્થાપન માટે અપૂરતી વ્યવસ્થા હતી, જેના કારણે પરિસ્થિતિ ધીમે ધીમે કાબુ બહાર નીકળી ગઈ.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પૂજા દરમિયાન અચાનક ધક્કામુક્કી અને ધક્કામુક્કી શરૂ થઈ ગઈ, જે થોડીવારમાં જ સંપૂર્ણ નાસભાગમાં ફેરવાઈ ગઈ. લોકો એકબીજા પર પડવા લાગ્યા, અને બધા બહાર નીકળવાનો રસ્તો શોધવા માટે દોડાદોડ કરતા અરાજકતા સર્જાઈ ગઈ. ત્યારબાદ ઘણા શ્રદ્ધાળુઓને ગંભીર ઈજાઓ થઈ અને બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા.

ઘટનાના સમાચાર મળતાં જ, વહીવટીતંત્ર અને પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ. ઘાયલોને નાલંદાની સદર હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવા માટે એમ્બ્યુલન્સ પણ સ્થળ પર રવાના કરવામાં આવી હતી. હાલમાં ડોક્ટરોની એક ટીમ ઘાયલોની સારવાર કરી રહી છે, જ્યારે ગંભીર હાલતમાં રહેલા લોકોને અદ્યતન તબીબી સંભાળ માટે અન્ય સુવિધાઓમાં રીફર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

ઘટના બાદ, વહીવટીતંત્રે મંદિર પરિસરને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધું છે, અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો એકત્રિત કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

વહીવટીતંત્રે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હતી. સ્થાનિક રહેવાસીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે દર મંગળવારે અહીં મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી હોવા છતાં, વહીવટીતંત્ર સતત પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જાય છે. હાલમાં, રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

સુરતમાં 14 વર્ષના વિદ્યાર્થીની સુસાઇડ નોટથી ખળભળાટ: પ્રિન્સિપાલ-શિક્ષક પર ગંભીર આક્ષેપ

સુરત શહેરના સીટીલાઈટ વિસ્તારમાં આવેલી લોકભારતી શાળા અત્યારે વિવાદોના ઘેરામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા માત્ર 14 વર્ષના એક વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ અને શિક્ષકોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવાની ચીઠ્ઠી લખતા શિક્ષણ જગતમાં સનસનાટી મચી ગઈ છે.

ધોરણ-9માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીએ સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો છે કે, શાળાના પ્રિન્સિપાલ અને એક મહિલા શિક્ષક છેલ્લા એક વર્ષથી તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરી રહ્યા છે. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, તેને નાની-નાની વાતોમાં ઢોર માર મારવામાં આવતો હતો, જેનાથી કંટાળીને તેણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હોવાનું પત્રમાં લખ્યું છે.

આ ઘટના અંગે લોકભારતી શાળાના ટ્રસ્ટી દિનકર નાયકે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, શાળા મેનેજમેન્ટના મતે સુસાઇડ નોટમાં જે અક્ષરો છે તે વિદ્યાર્થીના મૂળ અક્ષરો સાથે મેચ થતા નથી. આથી આ નોટ બાળકે જ લખી છે કે કેમ તે તપાસનો વિષય છે. ટ્રસ્ટીએ દાવો કર્યો કે બાળક અગાઉ પણ શાળામાં તોફાન કરતા પકડાયો હતો અને અન્ય બાળકોને હેરાન કરતો હતો, જે બદલ તેની પાસે માફીનામું પણ લખાવવામાં આવ્યું હતું.

52 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત આવો કિસ્સો જોયો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, શિક્ષકોને કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ બાળક પર શારીરિક અત્યાચાર કરવો નહીં. જો તપાસમાં શિક્ષકની ભૂલ જણાશે તો ચોક્કસ પગલાં લેવાશે. બીજી તરફ, આ ઘટનાથી ગભરાયેલા પરિવારજનો વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અને કાઉન્સેલિંગ માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં બાળકે ડોક્ટરો સમક્ષ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે તેને કઈ રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. બાળકની વાતો સાંભળી ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ કિસ્સો વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. એક બાજુ શાળા શિસ્તના નામે કડકાઈનો દાવો કરી રહી છે, તો બીજી બાજુ 14 વર્ષના માસૂમ બાળકનું આ પ્રકારનું પગલું સિસ્ટમ સામે સવાલ ઉભા કરે છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.