HomeInternationalહોર્મુઝ મુદ્દે ઈરાનનો મોટો નિર્ણય: ટ્રમ્પની નીતિનો વૈશ્વિક પ્રભાવ?

હોર્મુઝ મુદ્દે ઈરાનનો મોટો નિર્ણય: ટ્રમ્પની નીતિનો વૈશ્વિક પ્રભાવ?

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ હિલચાલને પગલે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ગંભીર સપાટીએ પહોંચ્યો છે.

ઈરાની સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ નવી યોજના હેઠળ હોર્મુઝના માર્ગનો ઉપયોગ કરતા તમામ વ્યાપારી જહાજોએ ટેક્સ ચૂકવવો પડશે. ખાસ વાત એ છે કે આ ટેક્સની ચૂકવણી ઈરાની ચલણ રિયાલમાં કરવાની રહેશે. આ યોજનામાં પર્યાવરણ સુરક્ષા અને સમુદ્રી સુરક્ષાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ યોજનામાં અમેરિકા અને ઈઝરાયલના જહાજોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે દેશોએ ઈરાન પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, તેમના જહાજોને પણ આ માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. આ માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં ઈરાન ઓમાનની મદદ લેશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ચેતવણી આપતા લખ્યું છે કે, જો ઈરાન હોર્મુઝની સામુદ્રધુનીને વ્યાપાર માટે તરત જ નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, તેલના કુવાઓ અને ખાર્ગ ટાપુ પર બોમ્બમારો કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.

બીજી તરફ, અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં જ હોર્મુઝ પર ફરીથી પોતાનું નિયંત્રણ મેળવશે અને જહાજોની અવરજવર માટે સંપૂર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે. વિશ્વના કુલ તેલ પુરવઠાનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે, તેથી જો આ રસ્તો બંધ થશે તો વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ સર્જાઈ શકે છે.

Subscribe

Latest stories