નેશનલ મેડિકલ કમિશને સોમવારે જણાવ્યું હતું કે MBBS જે વિદ્યાર્થીઓએ ૨૦૨૦-૨૧ શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રવેશ લીધો હતો અને તેમની પરીક્ષા પાસ કરી શક્યા નથી તેમને વધુ એક તક આપવામાં આવશે. ૨૦૨૦-૨૧ બેચના તબીબી વિદ્યાર્થીઓને આ તક આપવામાં આવી છે, કારણ કે તેઓએ કોવિડ-૧૯ રોગચાળા પછી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
નેશનલ મેડિકલ કમિશનએ નિયમ ધોરણોનું પાલન ન કરવાને કારણે છેલ્લા બે મહિનામાં લગભગ ૪૦ મેડિકલ કોલેજોની માન્યતા રદ કરી દીધી છે. આ કોલેજો પર ફેકલ્ટી અને CCTV કેમેરા સંબંધિત ખામીઓને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારે NMC ને તપાસ દરમિયાન ઘણી કોલેજોમાં રેસિડેન્ટ ડોકટરોની હાજરી પણ ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ઘણી કોલેજોમાં જરૂરી અધ્યાપકોની સંખ્યા પણ ઓછી છે. વરિષ્ઠ નિવાસી તબીબોની હાજરી પણ પૂરતી ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મિનિમમ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ્સ ૨૦૨૩ હેઠળ ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. માર્ગદર્શિકાના નિયમ મુજબ તમામ ફેકલ્ટી અને વરિષ્ઠ નિવાસી ડોકટરોની ઓછામાં ઓછી ૭૫ ટકા હાજરી ફરજિયાત છે. એનએમસીને મોટાભાગની મેડિકલ કોલેજોમાં CCTV જેવી સુવિધામાં પણ ક્ષતિ જોવા મળી હતી.
આ પણ વાંચો :-