નીતિશ કુમારને INDIA ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કરી દીધો હતો તે તેમને વડાપ્રધાન બનવાનો પ્રસ્તાવ આપી રહ્યાં છે’. કેન્દ્રમાં સરકારની રચના પહેલા JDU નેતા કેસી ત્યાગીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.

ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતના આંકડાને સ્પર્શવામાં નિષ્ફળ રહી હતી. જો કે, જેડીયુ અને ટીડીપીએ એનડીએ સરકાર બતાવવા માટે ભાજપને સમર્થન આપ્યું છે. જેડીયુને ચૂંટણીમાં ૧૨ લોકસભા બેઠક મળી છે. જ્યારે ટીડીપીને ૧૬ બેઠકો મળી છે. I.N.D.I.A.ના આર્કિટેક્ટ રહી ચૂકેલા નીતિશ કુમારે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ # NDA સરકારને સમર્થન આપતા રહેશે.
કેસી ત્યાગીએ વધુમાં કહ્યું કે, ‘INDIગઠબંધન નેતાઓ દ્વારા નીતિશ કુમાર સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનને કારણે તેમણે વિપક્ષો સાથેના સંબંધો તોડી નાખ્યા છે. બીજેપી જેડીયુને સન્માન આપી રહી છે. જેડીયુએ દેશના બે મોટા મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેઓ સેતાની ભરતી માટે અગ્નિવીર યોજનાની સમીક્ષાના પક્ષમાં છે અને યુનિફોર્મ સિવિલ કોડ પર તમામ રાજ્યો સાથે વાતચીત કરે છે જેડીયુ પણ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત વસ્તી ગણતરીની અપેક્ષા રાખે છે. અગ્નવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો. તેની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી છે. તેથી આ અંગે પુન વિચાર કરવાની જરૂર છે
આ પણ વાંચો :-