PM મોદીના ભવ્ય સ્વાગત માટે ૫ હાજરથી વધું કાર્યકર્તાઓ રહેશે હાજર

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં સુરતના પ્રવાસે છે. આજે સુરત ખાતે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. PM મોદીના ભવ્ય સ્વાગતની જવાબદારી ધારાસભ્યોને સોંપવામાં આવી છે. વિવિધ 6 પોઈન્ટ ઉપર વડાપ્રધાન મોદીનું કરવામાં આવનાર છે. PM મોદીના સ્વાગત માટે 5 હજાર જેટલા ભાજપના કાર્યકરો હાજર રહેવાના છે. વધુમાં PM મોદીના આવકાર માટે મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ જોડાવવાના છે.

IMG-20231217-WA0002

PM મોદી આજે સુરત ખાતે એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. PM નરેન્દ્ર મોદી સવારે 10:45 કલાકે, વડાપ્રધાન સુરત એરપોર્ટ પર નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. સવારે લગભગ 11:15 વાગ્યે, વડાપ્રધાન સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ વારાણસી જવા માટે રવાના થશે.

PM મોદી આજે સવારે 10:45 કલાકે સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે. ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે, અને તેમાં પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે અને વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ પેસેન્જર્સ સુધી પહોંચી શકે છે.

ટર્મિનલ બિલ્ડીંગ, કારણ કે તે સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે કે જેનું સાર આંતરિક અને બાહ્ય બંને રીતે પ્રતિબિંબિત થવું જોઈએ, જે મુલાકાતીઓ માટે સ્થળની ભાવના બનાવે છે.

સુરત ભારતમાં ડાયમંડ સિટિ તરીકે જાણીતું છે. સુરતમાં વિશ્વના 90% હીરા કાપવામાં આવે છે. નવા બનેલા સુરત ડાયમંડ બોર્સમાં 65,000 થી વધુ ડાયમંડ પ્રોફેશનલ્સ એકસાથે કામ કરી શકશે. આ 15 માળની ઇમારત 35 એકર જમીનમાં ફેલાયેલી છે. આ ભવ્ય ઈમારતનું નિર્માણ કરનાર કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધુ ફ્લોર સ્પેસ છે. બિલ્ડિંગનું બાંધકામ ચાર વર્ષમાં પૂર્ણ થયું હતું.અને તે વેપારીઓને મુંબઈ જવું નહીં પડે.

આ પણ વાંચો :-

રામ ભક્તો માટે ૧ હજારથી વધુ સ્પેશ્યલ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવશે

ભારતીય નૌકાદળે અપહરણ કરાયેલા માલ્ટા જહાજને બચાવ્યું