HomeNationalમોરારી બાપુએ શ્રીનગરમાં કથા પાંચમી દિવસે સ્થગિત કરી

મોરારી બાપુએ શ્રીનગરમાં કથા પાંચમી દિવસે સ્થગિત કરી

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધી 26 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 25 પર્યટકો અને 1 સ્થાનિકનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. હાલ સમગ્ર દેશમાં ભારે આક્રોશની સ્થિતિ છે. આ હુમલામાં 2 વિદેશી નાગરિકોનાં પણ મોત નિપજ્યાં છે. મોરારી બાપુએ માનસ શ્રીનગર નામની પોતાની કથાને 5 માં દિવસે જ સમાપન કર્યું હતું. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ પોતાની કથા અહીં જ પુર્ણ થઇ રહી છે તેવી જાહેરાત કરી હતી.

કથાકાર મોરારીબાપુએ જણાવ્યું કે, જે લોકો આ હુમલાનો ભોગ બન્યા છે,
તેમાંથી કેટલાક તેમની કથા સાંભળવા માટે આવી રહ્યા હતા. કથા સ્થળ પર પહોંચે તે પહેલા જ તેઓ આ દુર્ઘટનાનો શિકાર બન્યા, જે વાતથી તેઓ અત્યંત વ્યથિત છે. તેમણે મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના પાઠવી.

વધુમાં બાપુએ કહ્યું કે, આ હુમલો અત્યંત દુઃખદ અને નિંદનીય છે. આવી હિંસાથી માનવતાને ભારે નુકસાન થાય છે. તેમણે ઘાયલ થયેલા લોકોને જલ્દી સ્વસ્થ થવાની કામના પણ કરી છે. મોરારીબાપુનો આ દુઃખ વ્યક્ત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમની સંવેદના સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Subscribe

Latest stories

spot_img