Saturday, Sep 13, 2025

વિજયા દશમીના પર્વ પર મોહન ભાગવતનું હિન્દુઓને લઈ મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું ?

4 Min Read

મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં વિજયાદશમીનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે સ્વયંસેવકોએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. સંઘના વડા મોહન ભાગવતે પોતે શષા પૂજન કર્યું હતું. વિજય દશમીના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આજે સ્વયંસેવકોને સંબોધિત કર્યા છે. પોતાના સંબોધનમાં ભાગવતે સમગ્ર વિશ્વના હિંદુઓને એક થવાની અપીલ કરી છે. બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અને ભારત વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલ કથા વિશે જણાવતા તેમણે કહ્યું કે, ‘આજના સમયમાં નબળા અને અસંગઠિત હોવું એ ગુનો છે, તેથી પોતાને બચાવવા માટે સંગઠિત રહેવું જરૂરી છે.’

Being weak is a crime': Mohan Bhagwat at Dussehra event on violence against Hindus in Bangladesh, Kolkata rape | India News - Times of India

નાગપુરના રેશિમબાગ મેદાનમાં સવારે ૭.૪૦ કલાકે કાર્યક્રમ શરૂ થયો હતો. વાર્ષિક સંબોધન દરમિયાન સંઘ પ્રમુખ દેશના અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે. વિજયાદશમીના શુભ અવસર પર દેશના કરોડો સ્વયંસેવકોએ શષાપૂજા કરી હતીઈસરોના ભૂતપૂર્વ વડા રાધાકળષ્ણન આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે. આરએસએસની સ્થાપના ૧૯૨૫માં ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા દશેરાના દિવસે કરવામાં આવી હતી. દર વર્ષે સંઘના સ્વયંસેવકો વિજયાદશમીના તહેવારને ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહ સાથે, ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવે છે. સંઘનો આ સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે વિજયાદશમીના અવસર પર પોતાના સંબોધનમાં ઘણા સમકાલીન મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. પોતાના ભાષણમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ યુદ્ધે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે અને આ આગ કોને ભડકાશે તે કહેવું મુશ્કેલ છે. ભાગવતે આ સંઘર્ષને વૈશ્વિક સ્તરે અસ્થિરતાનું પ્રતિક ગણાવ્યું હતું.

ભાગવતે જમ્મુ-કાશ્મીરની શાંતિપૂર્ણ ચૂંટણીની પ્રશંસા કરી અને કહ્યું કે આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધી છે. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક દેશો અને શક્તિઓ ભારતની પ્રગતિમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે આવા દળો ભારતને રોકવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરશે.

મોહન ભાગવતે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થતા અત્યાચારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કટ્ટરવાદી શક્તિઓના કારણે લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે અને હિન્દુ સમાજને સંગઠિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સમાજ નબળો ન પડે તે માટે હિંસાનો આશરો લીધા વિના સંગઠિત રહેવું જરૂરી છે. સંઘ પ્રમુખે બાંગ્લાદેશમાં ભારત વિરોધી ચર્ચાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અમને ભારતથી ખતરો છે, તેથી પાકિસ્તાનને સાથે લેવું જોઈએ. તે અમારો સાચો મિત્ર છે અને સાથે મળીને આપણે ભારતને રોકી શકીએ છીએ, કારણ કે પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે. આવી ચર્ચાઓ બાંગ્લાદેશમાં થઈ રહી છે જેની રચનામાં ભારતે પૂરેપૂરી મદદ કરી હતી અને જેની સાથે ભારતે કયારેય કોઈ દુશ્મનાવટ રાખી નથી અને ભવિષ્યમાં પણ નહીં. દરેક વ્યક્તિ જાણે છે કે આ ચર્ચાઓનું આયોજન કોણ કરે છે અને જો આવા વર્ણનો ચાલ્યા કરે, તો તે કયા દેશોના હિતમાં છે તેના માટે નામ લેવાની જરૂર નથી.

ભાગવતે બાંગ્લાદેશમાં ભારત વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં ભારત તરફથી ધમકી દર્શાવીને પાકિસ્તાન સાથે ગઠબંધનની વાત કરવામાં આવી રહી છે. તેમણે તેને તે શક્તિઓનું ષડયંત્ર ગણાવ્યું જેઓ નથી ઈચ્છતા કે ભારત પ્રગતિ કરે. તેમણે કહ્યું કે ભારતના વિકાસથી ઘણા દેશોના હિતોને નુકસાન થાય છે અને તેના કારણે તેમની દુકાનો બંધ થઈ જશે.

આ પણ વાંચો :-

Share This Article