સુરતમાં રાજ્ય સરકાર દ્વારા ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની‘ થીમ પર રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ગૃહ, રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત શહેરની બે પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧ના બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો હતો, જેમાં તેમણે અનોખી બાળવંદના કરી ભૂલકાઓના શાળા પ્રવેશને યાદગાર બનાવ્યો હતો.
તેમણે જિંદગીમાં સૌપ્રથમવાર શાળાએ આવેલા બાળકોના સ્વહસ્તે ભૂલકાઓના ચરણ ધોયા, ત્યારબાદ કુમકુમના પગલાની છાપ રૂમાલ પડાવી કુમકુમ પગલાંની છબિ સ્વરૂપે બાળકોને તેની ભેટ આપી હતી. બાળકો સાથે આત્મીય સંવાદ કરી સંસ્કારી અને દેશના સારા નાગરિક બનવાની શીખ આપી હતી.
આ પણ વાંચો :-